SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૮૭ વિજયભાઇની સમાજસેવાનું ક્ષેત્ર અંધ અને અપંગને પગભર કરવા માત્રમાં સીમિત રહ્યું નહોતું. એવી વ્યકિતઓની યોગ્યતાને વિચાર કરીને ક્યારેક તેમાં તેઓ લગ્ન પણ ગોઠવી આપતા. કોઈ સ્ત્રીને ધણીને ત્રાસ હોય કે કોઈ દુઃખી સ્ત્રી-પુરુષને ઘર કે જમીનના પ્રશ્નો હોય, કેઇને છૂટાછેડા લેવા હોય છે તેવા ગરીબ માણસોને પરગજુ વિજયભાઈ વકીલની મફત સેવા મેળવી આપી કેટના કામકાજમાં પણ સહાય કરતા. એટલું બધું કામ કરનારી વ્યક્તિને માથે પત્ર દ્વારા કે ટેલિફેન દ્વારા કે રૂબરૂ મુલાકાત દ્વારા સમય ફાળવવામાં આવે તે તેને કયારેક થાક પણ લાગે, પરંતુ વિજયભાઈ દુ:ખી વ્યકિત પિતાની એકની એક વાત વારંવાર કહે તે પણ કંટાળતા નહિ. બલકે સમભાવ અને સહાનુભૂતિથી પૂરો સમય આપી વાત સાંભળતા અને યોગ્ય માર્ગદર્શન કે સલાહ-સૂચન આપતા. એટલું બધું કામ કરતા હોવા છતાં એમનાં વાણી અને વર્તનમાં, એમના ખાનદાન ભાટિયા કુટુંબની સ્વાભાવિક વિનમ્રતા ડગલે ને પગલે દેખાતી. ક્રિકેટના ખેલાડી તરીકે વિજ્યભાઇની પ્રતિભા અને . પ્રતિષ્ઠા અનોખી હતી. ક્રિકેટમાં પણ તેઓ ખેલદિલ અને સિદ્ધાંતવાદી હતા. એક બાજુ ખેલાડી તરીકે પોતાની પ્રતિષ્ઠાનું હિત હોય અને બીજી બાજુ આખી ટીમનું હિત હોય તે તેઓ ટીમના હિતને ખાતર પિતાની અંગત સિદ્ધિને જતી કરતા, ટીમને ખાતર પિતાને સદી કરવાની તક મળી હોય તે તે પણ તેઓ જતી કરતા. ક્રિકેટની ટેસ્ટ મેચમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે વિજયભાઈની ખ્યાતિ ઘણી મટી હતી. તેઓ દૃઢ વિશ્વાસપૂર્વક ઘણુ રન કરી શકતા ક્રિકેટના ઇતિહાસમાં રનની સરેરાશની દષ્ટિએ બ્રેડમેન પછી વિજયભાઈનું નામ ગણાય છે. 'લેગ - કટ’ના પ્રકારના ફટકા મારવાની એમની શૈલી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી હતી. કોમેન્ટેટર તાલ્યાખાન એને “વિજુલા-કટ' તરીકે ઓળખાવતા. કુનેહ તથા તાકાતથી જરા પણ સંક્ષેભ પામ્યા વગર પૂરી રવરતાથી રમવાની એમની પદ્ધતિએ ક્રિકેટના ક્ષેત્રમાં એમને ઘણી મોટી સિદ્ધિ અપાવી છે. પ્રતિષ્ઠાની ટોચે હતા ત્યારે જ તેઓ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા. તેઓ કહેતા કે સારા ખેલાડીએ પ્રતિષ્ઠાની. એ પહોંચતાં જ નિવૃત્ત થઈ જવું જોઈએ. કેઈપણ રથાનને ઝાઝો વખત વળગી રહીને ઝાંખું પાડવું તે યોગ્ય નથી. એમની એ સૂઝ અને સમજ આદરને પાત્ર ગણાઈ છે. વિજયભાઈની મુખ્ય કારકિદી તે ક્રિકેટના ખેલાડી તરીકેની હતી. પરંતુ સમાજસેવાના ક્ષેત્રે ઝંપલાવ્યા પછી તેઓ કહેતા કે “ક્રિકેટ એ જે મારા જીવનની પહેલી ઈનિંગ છે તે સમાજસેવા એ બીજી ઇનિંગ છે. ઉપરવાળે. છેલ્લે બેલ નાખશે એટલે આપણે આઉટ થઈ જઈશું.' સમાજસેવાનું કાર્ય કરવાની સાથે સાથે વિજયભાઇને ક્રિકેટને રસ સાવંત જળવાઈ રહ્યો હતો. ઘણાં વર્ષો સુધી એમણે રેડિયે ઉપરથી ટેસ્ટ મેચની રનિંગ કોમેન્ટરી આપી હતી. સ્પષ્ટ બુલંદ અવાજે પૂરી સમજ સાથે અપાતી એમની કોમેન્ટરી સાંભળવી એ પણ એક લહાવો હતા. અવાજ અને શૈલીથી તરત જ ખબર પડે કે આ કામેન્ટરી વિજય ભાઇની છે. ટી. વી. ઉપર મેચનું પ્રસારણ શરૂ થયા પછી વિદેશમાં રમાતી મેચ જોવા માટે અડધી રાતે પણ જાગીને તેઓ ટી. વી. ચાલુ કરતા. દુનિયાભરની ક્રિકેટની પ્રવૃત્તિથી તેઓ જીવનના અંતિમ સમય સુધી પૂરેપૂરા માહિતગાર રહ્યા. હતા, અને તે માટેની વિવિધ સમિતિઓમાં સક્રિય સભ્ય તરીકે. સેવા આપી હતી. ઉંમર અને કામના બોજાના કારણે વિજયભાઇની તબિયત ઉપર અસર પહોંચેલી. હૃદયરેગના ગંભીર હુમલાને ભેગ તેઓ ત્રણવાર બન્યા હતા. પરંતુ એથી એમની સેવાની લગની ઓછી થઈ ન હતી. એકવાર વાત નીકળી ત્યારે તેમણે કહેલું કે, મારા શરીરને બહુ ભરોસો નથી; પરંતુ, કેટલાંક વર્ષોથી મેં મુંબઈની બહાર જવાનું બંધ કરી દીધું છે. મુંબઈમાં ભલે ગમે ત્યાં હોઉં, હૃદયરોગની કંઈ પણ તકલીફ થાય તે ડીવારમાં જ દાકતરી સારવાર મળી શકે કે જેથી કરીને રોગ ઉગ્ર ન બની જાય. ખાવાપીવામાં . અને સવારે ચાલવામાં એટલો જ નિયમિત રહું છું. ત્રણ ત્રણ હુમલા પછી પણ હું આટલું કામ કરી શકું છું તેનું કારણ મારી ચીવટ છે. તેઓ કહેતા, કે ખાવાપીવામાં પણ તેઓ બહુ નિયમિત થઈ ગયા છે. કેટલાક સમયથી દાક્તરની સલાહ અનુસાર પાણી પીવાનું પણ તેમણે બંધ કરી દીધું હતું. શરીરને જરૂરી એટલું પાણી ફળ અને દહીંમાંથી તેઓ મેળવી લેતા. ઘરેથી બહાર જતી વખતે ટિફિનમાં પપૈયું અને દહીં સાથે જ રાખેલાં હોય. જયારે જરૂર પડે ત્યારે લઈ લેતા. - સ્વ. વિજયભાઈનાં અનેક સંસ્મરણો નજર સામે તરવરે છે. તેઓ પોતાના જીવનને સમૃદ્ધ અને સાર્થક બનાવીને ગયા.. એમના આત્માને શાંતિ હે એ જ પ્રાર્થના. રમણલાલ ચી. શાહ દિગમ્બર જૈનાચાર્ય પૂ. બાહુબલી મહારાજનું વ્યાખ્યાન સંધના ઉપક્રમે શુક્રવાર, તા. ૧૩-૧૧-૧૯૯૭ના રોજ નીચે પ્રમાણે એક જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું છેઃ વ્યાખ્યાતા : પૂ. આચાર્ય રત્નશ્રી બાહુબલી મહારાજ વિષય : માનવતા નાં સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ ૩૮૫, સરદાર વી. પી. માગ, રસધારા કે–એપ. સેસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામ સામે, મુંબઈ-૪૦૦૦૦૪ સમય : બપોરના ૩-૩૦ કલાકે સૌને સમયસર પધારવા હાર્દિક નિમંત્રણ છે. ! બસંતલાલ નરસિંહપુરા કે. પી. શાહ સંજક પન્નાલાલ ર. શાહ મંત્રીઓ : - - -
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy