________________
૧૨૪
એટલે કે ચમત્કારિક શકિત એસરવા લાગે છે. એક વખત લબ્ધિ પ્રગટ થાય અને માણસને પેતાને એની ખાતરી થાય તે પછી આત્માને સયમમાં રાખવાનું કામ ઘણું અઘરું છે.
જે પરકલ્યાણ અથે ગુપ્ત રીતે લબ્ધિનો ઉપયોગ કરે છે અને રાગદ્વેષ રહિત એવી પેાતાની દશાને ટકાવી રાખે છે તેઓની લબ્ધિ ઝાઝો સમય અથવા કાયમને માટે સચવાઇ રહે છે. પરંતુ જેઓ લાષણા પાછળ પડી જાય છે, વારંવાર પેાતાની તૈવી શકિતના ઉલ્લેખ કરવા લાગી જાય છે, તે વડે શ્રીજાને ડરાવવા કે વશ કરવા લાગે છે, જાહેરમાં તેના પ્રયોગા કરવા લલચાય છે ત્યારે તેઓની તેવી બ્ધિ શકિત ક્ષીણ થવા લાગે છે. એક વખત પ્રગટેલી લબ્ધિ લુપ્ત થઈ ગયા પછી ફરી પાછી તેવી લબ્ધિ તે જ જન્મમાં મેળવવાનુ` કા` દુર્લભ અની જાય છે.
પ્રબુદ્ધ જીવન
ગુણસ્થાનકની દૃષ્ટિએ વિચારીએ તે આત્મા જેમ જેમ નિમ ળ થતો જાય તેમ તેમ ઉપરના ગુણેસ્થાનક ચડતા જાય છે. એમાં દસમા ગુણસ્થાનકે પહોંચેલા આત્માને જાતજાતની લબ્ધિએ પ્રગટ થવા લાગે છે. પરંતુ આ લબ્ધિ પ્રત્યે જો તે આકર્ષાય તે ફરી પાછા તે નીચે પડવા લાગે છે. માહનીય કમ'ના સદતર ક્ષય થયા નથી હોતો, એટલે જીવ પોતાનામાં પ્રગટ થયેલી આવી અદ્ભુત શકિતએ જોઇને રાજી થાય છે, તેમાં રચે છે અને તેના પ્રયોગો કરવા માટે લલચાય છે. એટલે કે આ લબ્ધિએને વાપરવા માટેના સૂક્ષ્મ લાભ હજુ ગયા નથી હોતા. માટે આ ગુણ સ્થાનકને સૂક્ષ્મ સ ંપાય તરીકે ઓળખાવવામાં આવે છે. લબ્ધિ-સિદ્ધિઓની દૃષ્ટિએ ભામાઓની કસોટી કરનારું આ મહત્ત્વનું ગુણુસ્થાનક છે.
પોતાનામાં પ્રગટ થયેલી લબ્ધિ પ્રત્યે અનાસકત રહેવું તે સાધક માટે અત્યંત મહત્ત્વનું છે. સામાન્ય રીતે સાચા સાધકા પેતાનામાં પ્રગટ થયેલી લબ્ધિઓનુ ગેપન કરે છે. પરહિત માટે, યુદ્ધ, દુકાળ કે અન્ય પ્રકારની આપત્તિ આવી પડે ત્યારે આવી લબ્ધિના તેઓ ઉપયોગ કરે છે. પરંતુ એ ધિઓને પેાતાના સ્વા માટે કે વાસનાએના સતાય માટે ક્યારેય ઉપયેગ કરતા નથી. સનતકુમાર ચક્રવતીની જેમ લબ્ધિઓ પ્રત્યે પણ તેએ નિસ્પૃહ રહે છે. દશમા ગુણસ્થાનકમાં આવી લબ્ધિએ જ્યારે પ્રગટ થઇ હોય ત્યારે તે માટે મનથી પણ રાજી ન થવાને ભાવ રાખવાંના હોય છે, કારણ કે એવી લબ્ધિશકિત માટેના સૂક્ષ્મ લાભ પણ આત્માને નીચેા પાડે છે. જેએ આ કસેટીમાંથી કાર પડે છે, તે ઉપરના ગુણસ્થાનક ચડી શકે છે. એટલા માટે ઊંચી આધ્યાત્મિક સાધનાના વિષષમાં અર્થાત્ મેક્ષપ્રાપ્તિ માટેના પુરુષાથમાં આવી લબ્ધિઓનુ બહુ મૂલ્ય નથી.
-રમણલાલ ચી. શાહ
તા. ૧-૧૦-૯૭ અને ૧૬-૧૦-૨૭
(મહાદેવી વર્મા પૃષ્ઠ ૧૨૦ થી ચાલુ ) લેખિકાને હાથે લખાયાં છે. જેમાં અજ્ઞાનતા, ગરીબી અને શાષણુ તથા સ્રીઓની વિવશ – પરાધીન હાલત પ્રત્યે વ્યથા અને વેદના વ્યકત થયાં છે. આ વિવશ પાત્રા એમને જીવનમાંથી સાંપડેલાં છે, ‘અતીતકે ચલચિત્ર અને સ્મૃતિકી રેખાએ” એ પુસ્તામાં આવતાં પાત્રા એમને નાનપણના નેકર રામા, સેવિકા ભકિતન, દુ:ખી બાળ વિધવા, મૂંગી ગામડિયણુ, બદલુ કુંભાર, ચીની ફરિયા, હરંજન છેકરા દીસા વગેરેને સમાજ તરફથી જેટલી ક્રુરતાના અનુભવ થયેા છે એટલી જ કરુણાથી મહાદેવીએ તેમને સાહિત્યિક અમરત્વ આપ્યું છે.
!
એવી જ અનુઠી ભાષાશૈલીમાં એમણે સમકાલીન સાહિત્યકારાનાં રેખાચિત્રા ‘પથકે સાથી’માં આપ્યાં છે, જેમાં સાહિત્યકારાના જીવનસંઘર્ષનુ અને આંતરિક ખુમારીનુ ચિત્રણ થયુ છે. મહાદેવીજીની સંવેદનશીલતાએ એમના પરિવારના સભ્યો જેવાં પશુપક્ષીએની અખાલ લાગણીઓને મસ્પર્શી વાણી આપી છે મેરા પરિવાર'માં આ રેખાચિત્રામાં લેખકનાં પ્રાણીહત પ્રત્યેના નિ:સ્વાર્થ, નિર્વ્યાજ પ્રેમના પદ્યેા છે.
24
આ ઉપરાંત તેમણે લલિત નિબ ંધો અને વિચારાત્તજક ગદ્ય પણ આપ્યું છે. સાહિત્યની આલોચના માટે નવા માપદંડ આપ્યા છે. ગદ્યમાં તેમણે એક ઊંચી વૈચારિક ભૂમિકા રજૂ કરી છે. કાવ્યમાં ઊંડુ આત્મદર્શન વ્યકત કરતી આ કવિયત્રીના ગદ્યમાં વ્યાપક જીવનદર્શન મળે છે.
મહાદેવીજીનુ ભાષણ સાંભળવું એ એક લહાવા ગણાતા. આ પ્રખર વકતાના નિર્ભીકતાપૂણ અને બુદ્ધિપ્રતિભાયુક્ત ભાષણે છપાયાં પણ છે. સ ંસ્કૃત અને પ્રાચીન સાહિત્યને અનુ વાદ કરવા એ પણ એમણે આવશ્યક કાય' ગણેલું. ઋગવેદ અને રવ શને તે તેમણે થાડા સમય પહેલાં જ અનુવાદ કર્યાં હતા.
પદ્મભૂષણ અને જ્ઞાનપી: રિતષિક વિજેતા મહાદેવીની સાહિત્યસાધનાને બીજા પણ ઘણા પુરસ્કાર અને સન્માને પ્રાપ્ત થયાં છે. બધાં પારિતોષિકાની રકમ એમણે પોતે જ બનાવેલા સાહિત્ય સહકાર ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અને સાહિત્યની સેવામાં જ વપરાય એવી વ્યવસ્થા એમણે કરી છે.
મહાદેવીજીએ પોતાના વન અને કવન દ્વારા વિનાશને આરે ઊભેલા આજના યુગને શ્રદ્ધા અને પ્રેમની, શાષિત માનવાને સ્નેહ અને સ ંવેદનાની તથા વ્યકિતત્વવિહીન આજની બહેનને ખુમારીભર્યાં વ્યકિતત્વની દીપશીખા ધરી છે.
અસ્થિ સારવાર કેન્દ્ર
સધના ઉપક્રમે નિષ્ણાત અસ્થિ ચિકિત્સક ડી. જે. ચી. પીઠાવાલા દ્વારા હાડકાંના રેĪાની નિઃશુલ્ક સારવાર દર રવિવારે સવારના ૯-૩૦ થી ૧-૩૦ સુધી પરમાનદ કાર્ડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વી. પી. રેડ, રસધારા કા-ઓપરેટીવ સેાસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામની સામે, પ્રા'ના સમાજ, મુંબ૪૦૦૦૦૪ [ફોન ઃ ૩૫૦૨૯૬] ખાતે આપવામાં આવે છે.
આ ઉપરાંત સ ંઘના ઉપક્રમે દર મહિનાના છેલ્લા રવિવારે અપેારના ૨-૩૦ થી ૫-૦૦ સુધી શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સધ, ઝાલાવાડનગર, સી. ડી. બરફીવાલા માગ, જુહુ લેન, અ ંધેરી પશ્ચિમ, મુંબઇ૪૦૦૦૫૮ ખાતે ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરોકત સારવાર વિનામૂલ્યે અપાય છે. જરૂરિયાતવાળા દરદીએ અવશ્ય તેના લાભ ઉઠાવે તેવી વિનતી છે. મત્રીએ