________________
તા. ૧-૧૦-૮૭ અને ૧૬-૧૦-૮૭
પ્રબુદ્ધ જીવન
૧૨૩
ચતુર્દશપૂવલબ્ધિ (૪૯) દશપૂવ લબ્ધિ (૫૦) એકાદશાંગ (કૃત) લબ્ધિ ..
- જૈન ધર્મમાં આમ પચાસ પ્રકારની લબ્ધિને મહિમા બહુ વર્ણવાયે છે. ઉગ્ર તપશ્ચર્યાથી પ્રગટ થતી આ વિશિષ્ટ લબ્ધિઓ છે. આપણા ધાર્મિક સાહિત્યમાં નીચેનો દુહો પ્રચલિત છે. કમ ખપાવે ચીકણાં, . .
ભાવ મંગલ તપ જાણ; પચાશ લબ્ધિ ઊપજે, ' '
નમે ન તપ ગુણ ખાણ. (તપને ભાવ મંગલ જાણવું, કારણ કે તે ગમે તેવા ચીકણાં કર્મો ખપાવી દે છે અને પચાસ લબ્ધિઓને ઉત્પન્ન કરે છે. આવા મહાન ગુણના સ્થાનરૂપ તપને વારંવાર નમરકાર હો.).
આ બધી લબ્ધિઓમાંથી કન્વેતામ્બર પરંપરાની માન્યતાનુસાર અરિહંતલબ્ધિ, ચઝિલબ્ધિ, વાસુદેવલબ્ધિ, બલદેવલબ્ધિ, સંભિન્નલબ્ધિ, ચારણલબ્ધિ, પૂવલબ્ધિ, ગણધરલબ્ધિ, પુલાક લબ્ધિ અને આહારકલબ્ધિ અભવ્ય પુરુષોને, અભવ્ય સ્ત્રીઓને અને ભવસિદ્ધિક સ્ત્રીઓને પ્રાપ્ત થતી નથી વળી અભવ્ય પુરુષે અને અભવ્ય સ્ત્રીઓને કેવલીલબ્ધિ, જુમતી લબ્ધિ અને વિપુલમતિ લબ્ધિ પણ પ્રાપ્ત થતી નથી. ભવસિદ્ધિક સ્ત્રીઓને
અરિહંત લબ્ધિ જે પ્રાપ્ત થતી નથી તે મલ્લિનાથ સ્ત્રી તરીકે તીર્થકર કેવી રીતે થયા એવા પ્રશ્નના જવાબમાં શાસ્ત્રકારો કહે છે કે એ અપવાદરૂપ છે અને એટલા માટે એ ઘટનાની ગણના “અચ્છેરામાં થાય છે.
લબ્ધિ વિવિધ પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાએ દ્વારા પ્રાપ્ત થાય છે. લબ્ધિની પ્રાપ્તિ માટે ‘લબ્ધિવિધાનના પ્રકારની એક તપશ્ચર્યાને ઉલ્લેખ પણ શાસ્ત્રગ્રન્થોમાં મળે છે. એમાં વિશેષત: ભાદ્રપદ, મહા અને ચૈત્ર મહિનાની અમુક નિશ્ચિત તિથિએ એક ઉપવાસ અને પારણું અથવા બે ઉપવાસ અને પારણું અથવા ત્રણ ઉપવાસ અને પારણું અથવા એક ઉપવાસ અને એકાસણું અથવા એક કે બે ઉપવાસ અને એકાસણું એમ વિવિધ રીતે તપ કરવાનું હોય છે. સતત સળંગ આવી છે વર્ષ સુધી તપશ્ચર્યા કરવામાં આવે અને દિવસમાં ત્રણ વખત ‘ હૈં માપીરાય નમ' એ મંત્રનો જાપ કરવામાં આવે તે એ પ્રકારના તપ અથવા વ્રતને “લબ્ધિ વિધાન તપ તરીકે ઓળખવામાં આવે છે. તેજલેશ્યાની લબ્ધિની પ્રાપ્તિ માટે બ્રહ્મચર્યવ્રત સહિત છઠ્ઠને પારણે છઠ્ઠ કરવામાં આવે અને પાણીમાં એક મૂઠી બાફેલા અડદ અને એક અંજલિ જેટલું પાણી લેવામાં આવે છે. એ પ્રકારની “અપાનકેન નામની તપશ્ચર્યા અમુક વર્ષ સુધી કરવાનું વિધાન છે. પરંતુ એવી તપશ્ચર્યા કરવા માટે જોઇતુ શરીરબળ વર્તમાન સમયમાં રહ્યું નથી એમ મનાય છે.
લબ્ધિ મેળવવાની લાલસાથી ઉગ્ર તપશ્ચર્યા કરવામાં આવે એ એક સ્થિતિ છે અને કર્મક્ષયના આશયથી, મિક્ષપ્રાતિના યેયથી ઉગ્ર તપશ્ચર્યા કરવામાં આવે અને એમ કરવા જતાં સહજ રીતે લબ્ધિઓ પ્રગટ થવા લાગે એ બીજી સ્થિતિ છે. આત્માને માટે આ બીજી સ્થિતિ જ વિશેષ હિતકર છે.
વિશિષ્ટ પ્રકારની ચમત્કારિક શકિત માટે “લબ્ધિ” ઉપરાંત વિદ્યા” શબ્દ પણ જૈન શાસ્ત્ર ગ્રન્થમાં વપરાયેલું જોવા મળે છે. ત્યાં ‘વિંદા’ને અર્થ છે એકસરખા વિષયની જુદી જુદી લબ્ધિ
એને સમૂહ. આમ “વિદ્યા’ શબ્દમાં લબ્ધિને અર્થ સમાવિષ્ટ છે. આઠ જુદા જુદા પ્રકારની વિદ્યા માટે કઈ કઈ લબ્ધિઓ પ્રગટ થયેલી હોવી જોઈએ તે માટે નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે.”
(૧) બંધમેક્ષિણી વિદ્યા બંધનમાંથી છેડાવવાની વિદ્યા માટે-જિનલબ્ધિ, અવધિલબ્ધિ, પરમાવધિ લબ્ધિ. અનન્તાવધિલબ્ધિ, અનન્તાન્તાવધિવિધ, રવયં બુદ્ધ લબ્ધિ, પ્રત્યેક બુહલબ્ધિ અને બુદ્ધધિતલબ્ધિ એ આઠ લબ્ધિઓ જોઈએ :
(૨) પરવિદ્યો છેદની બીજાઓની વિદાઓને ઉચ્છેદ કરનારી) વિદ્યા માટે...ઉગ્ર તપ-લબ્ધિ, ચારણલબ્ધિ, દીપ્તતપલબ્ધિ અને પ્રતિભાપતિપલબ્ધિ એ ચાર લબ્ધિઓ જોઈએ.'
(૩) સરવતી (જ્ઞાન વધારનારી) વિદ્યા માટે દેશપૂર્વલબ્ધિ, દશપૂર્વલબ્ધિ, એકાદશાંગલધિ, પવાનુસારીબધિ, અનુમતિલબ્ધિ અને વિપુલમતિલધિ એ છ લધિઓ જોઈએ.
(૬) ગાપહારિણી રોગ મટાડનારી વિદ્યા માટેશ્લેમૌષધિ લબ્ધિ, વિધિલબ્ધિ, જલ્લૌધિલબ્ધિ, સામ
લિબ્ધિ, સધિલબ્ધિ એ પાંચ લધિઓ જોઈએ. - (૫) વિષાપહારિણી (વિષ ઉતારનારી) વિદ્યા માટે-વિદ્યા સિદ્ધલબ્ધિ, ક્ષીરાસ્ટવલબ્ધિ, અને મરવાસવલબ્ધિ અમૃતસવલબ્ધિ એ ચાર લબ્ધિઓ જોદ્ધએ. . (૬) શ્રી સંપાદિની લમી વધારનારી વિદ્યા માટે-બીજ બુદ્ધિલબ્ધિ, કાષ્ઠ બુદ્ધિલબ્ધિ, સંભિન્ન મોત લબ્ધિ, અક્ષીણ મહાનસીલબ્ધિ અને સર્વ લબ્ધિ એ પાંચ લબ્ધિઓ જોઈએ.
(૭) દોષ નિર્નાશિની (ભૂતપ્રેતાદિના દોષ નિવારનારી. વિદ્યા માટે વક્રિયલબ્ધિ, આકાશગમન લબ્ધિ, જંઘાચારણ લબ્ધિ અને વિદ્યાચારણ લબ્ધિ એ ચાર લબ્ધિઓ જોઈએ. "
(૮) આશિવશમની (ઉપસર્ગો શાંત કરનારી વિંદ્યા માટે તેજોલેશ્યાલબ્ધિ, શીતલેષલબ્ધિ, તલેલબ્ધિ, દ્રષ્ટિવિષલબ્ધિ, આશીવિલબ્ધિ, વાગ્નિવલબ્ધિ, ચારણલબ્ધિ, મહારવખિલબ્ધિ અને તેજોગ્નિનિર્ગલબ્ધિ એ નવ લબ્ધિઓ જોઇએ.
લબ્ધિ શબ્દની સાથે સિદ્ધિ શબ્દ પણ વપરાય છે. વસ્તુતઃ લબ્ધિ એ જ સિદ્ધિ છે. લબ્ધિની સિદ્ધિ અથવા લબ્ધિની પ્રાપ્તિ એ લબ્ધિસિદ્ધિ તરીકે ગણવવામાં આવે છે. આમ છતાં આઠ પ્રકારની મહાસિદ્ધિઓ નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે જેને સમવેશ એક અથવા બીજી લબ્ધિમાં થઈ શકે છેઃ (૧) અણિમા–અણુ જેટલા થઈ જવાની શકિત (૨) લધિમા-હલકા થઈ જવાની શકિત (૩) મહિમા–પર્વત જેટલા મેટા થઈ જવાની શકિત (૪) પ્રાપ્તિ-દૂરની વસ્તુને પાસે લાવવાની શક્તિ (૫) પ્રાકામ્ય–દાચ્છા અવશ્ય પાર પડે જ એવી શકિત . (૬) વશિત્વ-વશ કરવાની શકિત
૭) ઇશિવ-બીજા ઉપર સત્તા ચલાવવાની શક્તિ (૮ યત્રકામાવસાવિત્વ-બધા સંકલ્પે પાર પાડવાની શકિત
એક વખત લબ્ધિ પ્રગટ થઈ એટલે તે કાયમને માટે રહે જ એવું હંમેશા બનતું નથી. મન, વચન અને કાયાના અશુભ – અશુદ્ધ વેગને કારણે આત્મા જયારે ફરી પાછા મલિન થવા લાગે છે ત્યારે લબ્ધિઓનું બળ ઘટવા લાગે છે,