________________
તા. ૧-૧૦-૮૭ અને ૧૬-૧૦ ૮૭
પ્રબુદ્ધ જીવન
પ્રકારની લબ્ધિ મા જ પ્રકારની
મિત્રત
- લબ્ધિ (અનુસંધાન પૃષ્ઠ ૧૦૨થી ચાલુ)
‘આવશ્યક નિયુકિત’માં તથા પ્રવચન સારદ્વારમાં ૨૮ પ્રકારની લબ્ધિ બતાવવામાં આવી છે. દિગમ્બર પરંપરાના * ગ્ર પટખંડાગમ’માં ૪૪ પ્રકારની, “વિદ્યાનુશાસન'માં ૪૮ પ્રકારની, “મંત્રરાજ રહસ્ય’માં તથા “સૂરિમંત્રબ્દહ૫ 'વિવરણ માં ૫૦ પ્રકારની અને “તિલેય પણુતી’માં ૬૪ પ્રકારની -લબ્ધિ બતાવવામાં આવી છે. કઈ કઈ ગ્રન્થમાં કઈક લબ્ધિનાં નામોમાં અથવા એના પેટા વિભાગમાં ફરક જોવા મળે છે.
સિદ્ધચક્રની આરાધનામાં પણ લબ્ધિઓને મહત્વને મઉલ્લેખ છે. એમાં લબ્ધિધારકોને નમસ્કાર કરવામાં આવે છે. સિદ્ધચક્રમાં, એના યંત્રમાં એક આવર્તનમાં સેળ લબ્ધિપદ હોય છે. એ રીતે ત્રણ આવર્તનમાં સુપ્રસિદ્ધ એવાં ૪૮ લબ્ધિપદ આવે છે. * દી અë નમો-એ મંત્રપદ સહિત લબ્ધિધારકાને પ્રત્યેકને નમસ્કાર કરવામાં આવે છે.
પ્રવચન સારોદ્ધાર માં બતાવ્યા પ્રમાણે ૨૮ લબ્ધિઓ નીચે પ્રમાણે છે. આ લબ્ધિઓ તપના પરિણામથી પ્રગટ થાય છે. જયશેખરસૂરિએ “ઉપદેશ ચિંતામણિમાં લખ્યું છે તે પ્રમાણે વળામતાસે, મારું ફુર્તિ હિંના (તપના પરિણામના વશથી આ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.) (૧) ગ્રામ ગૌષધિ (માર્દિ)
આમ” એટલે સ્પર્શ. જે સ્પર્શ રોગનું નિવારણ કરનાર હોવાથી ઔષધિરૂપ હોય એને “આમ ઔષધિ લબ્ધિ” કહેવામાં આવે છે. જે સાધકે પિતાના સ્પર્શમાત્રયી રંગનું નિવારણ કરવાની શકિત ધરાવતા હોય તેઓ આવી લબ્ધિવાળા કહેવાય છે. (૨) વિકૃષૌષવિ (વિવે)
‘વિપુષ' એટલે વિષ્ટા અને મૂત્ર, જે યોગીઓનાં મળ-મૂત્ર ઔષધિ તરીકે કામ લાગે અને રોગનું નિવારણ કરી શકે તેવા યેગીઓ વિપુલ લબ્ધિવાળા કહેવાય છે. (૩) વેષણ
ખેલ” એટલે શ્લેષ્મ અથવા બળ. જે સાધકના ખેલ એમની લબ્ધિને કારણે સુગંધિત થઈ જાય છે અને તે વડે તેઓ બીજાના રોગનું નિવારણ કરવાને માટે સમર્થ બને છે તે ખેલૌષધિ લબ્ધિવાળા કહેવાય છે. (૪) સૌષધિ
જલ્લ’ એટલે મેલ. આ લબ્ધિવાળા સાધકને શરીરને મેલ લબ્ધિને કારણે સુગંધિત થઈ જાય છે અને બીજાના રેગનું નિવારણ કરવાને માટે સમર્થ બને છે. તેઓ જલ્લૌષધિ લબ્ધિવાળા કહેવાય છે. (૫) લવર્ષેિ
જે સાધકોનાં મળ-મૂત્ર-શ્લેષ્મ, મેલ, નખ અને વાળ સુગંધવાળાં અને વ્યાધિને નાશ કરવા માટે સમર્થ હેય તેમની લબ્ધિ સર્વોષધિ લબ્ધિ તરીકે ઓળખાય છે. (૬) સંમિશ્નોતી
સંભિન્ન એટલે પ્રત્યેક. આ પ્રકારની લબ્ધિવાળા ગીઓ માત્ર મનથી જ નહિ શરીરના કોઈ પણ અંગ દ્વારા સાંભળવાને સમર્થ હોય છે. એમની જુદી જુદી ઇન્દ્રિયો એક
બીજાનું કાર્ય કરવાને શકિતમાન હોય છે. (૭) અવધેશાન
જે મહાત્માઓને વર્તમાન તથા ભૂત, ભવિષ્યના રૂપી પદાર્થોનું દર્શન થાય છે અને ઉપગ મૂકી તે પ્રમાણે કથન કરવાને સમર્થ હોય છે તેઓની એ લબ્ધિને “અવધિજ્ઞાન લબ્ધિ કહેવામાં આવે છે. () શ્રમતિ
“જ” એટલે સામાન્યથી. આમ આ લબ્ધિ મન:પર્યાવ જ્ઞાનવાળા મુનિઓને પ્રાપ્ત થાય છે. એ દ્વારા તેઓ સંસી જીવના મને ગત ભાવને સામાન્ય રૂપથી જાણી શકે છે. (e) विपुलमति
“વિપુલ” એટલે વિસ્તારથી. મન:પર્યવ જ્ઞાનવાળા મુનિએ આ લબ્ધિ દ્વારા ઘટપટ વગેરે વસ્તુના પેળી, રાતા વગેરે સમસ્ત પર્યાયને ગ્રહણ કરી શકે છે. (૧૦) વાળ સ્ટવિ (બંઘ--વારવવાવાળ)
આ લબ્ધિવાળા સાધકે આકાશમાં આવવા-જવાની વિશિષ્ટ શકિત ધરાવે છે. જે મુનિઓ સૂર્યનાં કિરણે પકડીને એક પગલું ઉપાડીને તેરમા રુચક હીપ જાય છે અને ત્યાંથી પાછા ફરતાં પહેલું પગલું ઉપાડીને નંદીશ્વર દીપે અને બીજુ પગલું ઉપાડીને પિતાના સ્થાને પાછા આવે છે તેઓ જધાચારણ લબ્ધિવાળા કહેવાય છે. આવી લબ્ધિવાળા ઉર્ધ્વગતિમાં એક પગલું ઉપાડીને પાંડુક વનમાં જાય છે અને ત્યાંથી પાછા ફરતાં પહેલું પગલું ઉપાડીને નંદનવનમાં જાય છે, અને બીજુ પગલું ઉપાડીને પિતાના સ્થાનમાં પાછા આવે છે.
જે મુનિઓ પિતાની લબ્ધિથી પહેલું પગલું ઉપાડીને મનુષ્યસ્તર પર્વતે જાય છે અને બીજુ પગલું ઉપાડીને નંદીશ્વર દીપે જાય છે અને ત્યાંથી પાછા ફરતાં એક પગલું ઉપાડીને પિતાના સ્થાનકે પાછા આવી જાય છે તેઓ વિદ્યાચારણ લબ્ધિવાળા કહેવાય છે. આ લબ્ધિવાળા મુનિએ ઊર્ધ્વગતિમાં પહેલું પગલું ઉપાડીને નંદનવનમાં અને બીજુ પગલું ઉપાડીને પાંડુકવનમાં જાય છે. ત્યાંથી પાછા ફરતાં એક જ પગલું ઉપાડીને પિત ના સ્થાને આવી જાય છે. (૧૧) બારવણ
આ લબ્ધિવાળા યોગીએ ફકત એક વચન બેસીને શાપ (અથવા આશીર્વાદ) આપવાની શક્તિ ધરાવે છે. (૧૨) વેવી
- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહની અને અંતરાય એ ચાર ઘાતી કર્મોનો ક્ષયથી કેવળજ્ઞાન રૂપ લબ્ધિ પ્રગટ થાય છે. (૧૩) જળઘર
આ લબ્ધિ પ્રાપ્ત કરનાર તીર્થકર ભગવાનના ગણધરનું પદ મેળવવાને સમર્થ બને છે. (૧૪) પૂર્વવર
આ લબ્ધિ મેળવનાર મહાત્માઓ અંતરમુહૂર્તમાં ચૌદપૂર્વનું જ્ઞાન મેળવી શકે છે. (૧૫) પ્રરિહંત
આ લબ્ધિ દ્વારા અરિહંત ભગવાનનું પદ મેળવી શકાય છે.