SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૦-૮૭ અને ૧૬-૧૦ ૮૭ ઉદ્યોગેની તાલીમ અપાવી પગભર બનાવી. ઘણું યે વાર નિઃસહાય કસાયેલી લાચાર બહેને અને તેમનાં નવજાત બાળકોને પિતાને ઘરે લઈ આવી કુટુંબના સભ્યની જેમ સાચવ્યાં છે. કે અન્યાય પ્રત્યે સ્વભાવથી જ અસહિષ્ણુ મહાદેવજીએ નારી શેષણ, વિરુદ્ધ પદ્ધતિસરની જેહાદ જગાવતા લખેલા નિબંધ (“શૃંખલાની કડિયા ) માં પૂરેપૂરે આક્રોશ ઠાલવ્યો છે. તેમાં તેમણે દરેક વર્ગની સ્ત્રીઓના પ્રશ્નો વિચાર્યા છે તથા તટસ્થભાવે ઉદ્દે પણ સૂચવ્યા છે. સ્ત્રીનું અજ્ઞાન અને આર્થિક પરાવલંબન તેમની સમસ્યાઓની જડ હોઈ તેમને શિક્ષિત અને સ્વાવલંબી બનાવવા સાથે કાયદાની દષ્ટિએ સ્ત્રીને વારસદાર બનાવવા પર ભાર મૂક્યો છે. પુરુષની હરીફ તરીકે નહિ, પણ રત્વથી ભરેલું સ્ત્રીનું વિતંત્ર વ્યકિતત્વ ખીલે એ માટે ક્રાંતિકારી વિચાર આપ્યા છે. દહેજ અને બળકાર વિરુદ્ધ સમાજમાં આમુલાગ્ર ક્રાંતિની તરફેણ કરી છે. અનેક સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રેરણાસ્ત્રોત માં મહાદેવીજીએ બે સાહિત્યિક સંસ્થાઓનું નિર્માણ કરેલું. એમાં પ્રથમ છે પ્રયાગમાં ગંગાને કિનારે “સાહિત્યકાર સંસદ.” એની સ્થાપના પાછળને હેતુ હતોગરીબ, બીમાર તથા પીડિત સાહિત્યકારોને આશ્રય મળે અને તેમનું સાહિત્યસર્જન ચાલુ રહે. આ સંસ્થાને આશ્રયે તેમણે ૧૯૫૧માં અખિલ ભારતીય સાહિત્યકાર સંમેલન ચેઝ ભારતના બધી ભાષાના સાહિત્યકારને પ્રથમવાર એક મંચ પર એકત્રિત કર્યા હતા. ચિત્તભ્રમ જેવી હાલતમાં મુકાઈ ગયેલા કવિ નિરાલાજીને આ સંસ્થામાં રાખી વાત્સલ્યભાવે તેમની સેવા -- સુશ્રુષા કરી હતી. મહાદેવજીના સહતંત્રીપદે “સાહિત્યકાર’ નામના સામયિકનું પ્રકાશન પણ આ સંસ્થામાં શરૂ થયું હતું. હિન્દીની નાટયસંસ્થાની ખેટ પૂરી કરવા એમણે ‘રંગવાણી' નામની એક સંસ્થાની પણ સ્થાપના કરેલી. હિન્દી જગત માટે સ્વયં મહાદેવી એક વ્યકિત નહિ, સંસ્થા પુરવાર થઈ છે. મહાદેવજીના પાંચ કાવ્યસંગ્રહો અનુક્રમે “નિહાર', રમિ', “નીરજા', ‘સાંધ્યગીત” તથા “દીપશીખા” ૧૯૩૦ થી 'ર સુધીમાં પ્રકાશિત થઇ. એમાં સંખ્યાબંધ કાવ્યગીતની રચના કરીને ગીતરચનાને તેમણે વિકાસના શિખરે પહોંચાડી છે. ભાષાને ઘડો ઘડીને સ્નિગ્ધ, કેમળ તથા મધુર બનાવી છે. પ્રબળ ભાવપક્ષ તથા સમૃદ્ધ કળાપક્ષ સાથે તેમણે હિન્દી સાહિત્યમાં "અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓ એક સારાં ચિત્રકાર પણ હવાથી હિન્દીમાં ચિત્રકારની નૂતન શૈલીને તેમણે આરંભ કર્યો. “દીપશીખા માં બધાં કાવ્યની પૃષ્ઠભૂમિમાં કવિતાના ભાવને વ્યકત કરતાં સુંદર સ્વરચિત ચિત્રે પણ આપણે છે. કવિતા, સંગીત અને ચિત્રની ત્રિવેણીસમી ‘દીપશીખા'નું પ્રકાશન એ હિન્દી સાહિત્યની એક ઘટના છે. હિન્દી કવિતાના છાયાવાદી યુગ (૧૯૧૫થી ૧૯૪૦)માં કાવ્યસર્જન ઉત્કૃષ્ટ કોટિનું થયું છે. તેમાં રતંભ સમા કવિઓ ગણાયા પ્રસાદ, પંત, નિરાલા અને મહાદેવી. હાદાવાદમાં રહસ્યવાદી રચનાકારોમાં પ્રમુખસ્થાન મહાદેવનું રહ્યું છે. મહાદેવીએ રહસ્યવાદી ઊર્મિકાવ્યો દ્વારા ઉચ્ચતર અધ્યાત્મને આજના કવિની વાણીમાં મુખરિત કર્યું છે. સચરાચરમાં વ્યાપી અજ્ઞાત, અલૌકિક, નિગુણ, નિરાકાર ઇશ્વરને પ્રિયતમ સ્વરૂપે કે તેમણે આરાયે છે. ઘણા તેમને આધુનિક મીરા પણ કહે છે. તેમને અધ્યાત્મભાવ સંતે જે શુષ્ક નહિ પણ જગત પ્રત્યે , શ્રદ્ધા અને કુદરત પ્રત્યેના અસીમ પ્રેમથી ભરેલું છે. ચિર, સુંદર, નિત્યનવીન, બ્રહ્માંડના કણેકણમાં વ્યાપ્ત પ્રિયતમથી એમનું દિલ અભિન, એકાકાર છે. એને પરિચય શી રીતે આપો ? કવયિત્રી કહે છે: . . . . . | તુમ મુઝમેં પ્રિય ફિર પરિચય કઇ ? ' ચિત્રિત તૂ મેં હું રેખાક્રમ મધુર રાગ તૂ મેં સ્વર સંગમ - તૂ અસીમ મેં સીમકા ભ્રય , , - કાયા છાયામે રહસ્યમય ' .” પ્રેયસી પ્રિયતમકા અભિનય કયા?' ' એમના પ્રસિદ્ધ કાવ્ય 'કયા પૂજા ક અર્ચન રે'માં કહ્યું છે કે પિતાનું જીવન જ એક મંદિર છે. શ્વાસે શ્વાસે શ્વિરનું અભિવાદન થાય છે. વિરહ વેદના એ જ ચંદન અને આંસુ એ જ અભિષેકનું જળ છે. ભારતીય દર્શનશાસ્સે અને બધા ધર્મો ઊંડાં અભ્યાસી આ કવયિત્રી કે પરંપરાગત રૂઢિ કે સંપ્રદાયમાં બંધામાં નહોતાં. સન્દર્યાનુભવની પૃષ્ઠભૂમિ પર જ એમને આધ્યાત્મિક રહસ્યભાવ કાવ્યનું ઝરણું બનીને વહી રહ્યો છે. એમનાં કાવ્યોમાં પ્રિયતમના મિલનની ઝંખના, એની પ્રાપ્તિની આરાધના તથા એના વિયોગની વિરહવ્યથાની સૂમ સધન, કરુણમધુર અનુભૂતિઓનું પ્રાધાન્ય છે. દીપક અને વાદળી એમની કવિતાનાં મુખ્ય બે પ્રતીક છે. એક બાજ એમને આત્મદીપક શ્વિરપ્રાપ્તિને માગું' પ્રકાશ પાથરે છે તે એમને જીવનદીપ પ્રાણી માત્ર પ્રત્યે કરુણા અને પ્રેમ પાથરે છે. એમનું જીવન તે સૂકી ધરતીને હરીભરી કરવા વરસી જતી અને વિસરાઈ જતી વાદળી સમું છે. “મૈનીર ભરી દુખકી બદલી’ એ કલાત્મક કાવ્યગીતની અતિમ પંકિતઓ છે. વિરતૃત નભકા કોઈ કેના મેરા કભી નહીં અપના હોના પરિચય ઈતના ઇતિહાસ યહી ઉઝડી કલ થી મિટ આજ ચલી..મેં નીર ભરી વેદના અને કરુણા સાથે દુઃખ પણ મહાદેવજીની કવિતાને એક મુખ્ય ભાવ છે. માનવમનને આ બનાવતા દુઃખ માટે તેમણે કહ્યું છે. દુઃખ મારે મન એક એવું કાવ્ય છે જે સમસ્ત સંસારને એક સૂત્રે બાંધી રાખવાની ક્ષમતા ધરાવે છે. આપણા અસંખ્ય સુખ આપણને માનવતાને એક પગથિયે પણ પહોંચાડી શકતાં નથી, જશરે. આપણાં આંસુનું એક ટીપું પણ જીવનને વધુ ઉપયોગી, વધુ મધુર બંનાવીને જ ટપકે છે.' મહાદેવીના પ્રેરણા ગીત જીવનને કર્મમાં પ્રવૃત્ત રાખવા આશા : ઉત્સાહ પ્રેરનારાં છે. - સમર્થ કવિ હવા સાથે કુરાળ ગદ્યકાર મહાદેવના ગદ્યલેખને હિન્દી સાહિત્યમાં આગવું અને ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખાસ કરીને એમણે લખેલાં વિવિધ રેખાચિત્ર ભાષા શૈલી અને શિલ્પની દ્રષ્ટિએ એક નવી જ ભાત ઉપસાવે છે. દીન– દરિદ્ર અને ઉપેક્ષિતેનાં રેખાચિત્ર હિન્દીમાં પહેલી જ વાર આ ( અનુસંધાન પૃષ્ઠ ૧૨૪ :
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy