________________
/
5
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૮૭ અને ૧૬-૧૦-૮૭.
૧૧૫
ગાયું છે કે..... “નય નિક્ષેપે રે જેહ ન જાણીએ 'જહાં પ્રસરે ન પ્રમાણ.'
જે પદાર્થનું અસ્તિત્વ છે તેનું કાર્ય છે. તે જ્ઞાનને વિષય પણ છે તેમજ સંસારી જીવના અનુભવને પણ વિષય બને છે. જે પદાર્થનું અસ્તિત્વ નથી તેનું કે કાર્ય નથી. જ્ઞાનને તે વિષય પણ નથી અને જીવના અનુભવને પણ વિષય નથી. જ્યારે નય એ જીવનું જીવન છે.
જે ઇન્દ્રિયેથી અતીત થયાં છે તેઓ જેમ રાગ- ષથી પર વીતરાગ છે એમ ઈન્દ્રિય જનિત સુખદુઃખથી પણુ પર એવાં પ્ત–પૂર્ણકામ આનંદ સ્વરૂપ છે.
આધ્યાત્મિક સાધના પામવા માટે સાત ને સમજવાના છે. શરીરમાં જેમ આત્મબુદ્ધિ કરી સંસારભાવ કરીએ છીએ તેમ આત્માને પરમાત્મા માનીને નિરાવરણ બની સ્વયં પરમાત્મા થવા માટે સાધના કરવાની છે.
નય તથા સ્યાદ્દવાદને અર્થ માધ્યસ્થતા-ઉદારતા-વિશાળતા છે. અને માયસ્થતા-ઉદારતા-વિશાળતા વિના વીતરાગતા સંભવિત નથી. સહુ કેઈ નયવાદ-સ્ટાદ્વાદને સમજી વીતરાગતા પ્રતિ વિકાસ કરે એવી હાર્દિક શુભકામના !
-સંકલન: સૂર્યવદન ઠાકરદાસ ઝવેરી
વ્યાપ્તિ તકથી નિણીત થાય છે. દાખલા તરીકે ધૂમ અગ્નિ વિના હેત નથી. ધુમ છે માટે અગ્નિ હોવો જોઇએ. કાં તે કાર્યથી કારણનું અનુમાન થાય કે પછી કારણથી કાર્યનું અનુમાન થાય.
અહમચી, આગ્રહથી, બીજાની પરીક્ષા કરવા કે પિતાની પંડિતાનું પ્રદર્શન કરવા યા તે સામાને ઉતારી પાડવા આદિના ઇરાદાથી પ્રશ્ન પૂછવામાં આવે કે તર્ક કરવામાં આવે તે તે કુતકમાં જાય.
અનુમાન પ્રગના કેટલાક નમૂના આ પ્રમાણે છે: (૧) અમુક પ્રદેશ અગ્નિવાળે છે, ધુમાડે હોવાથી. (૨) શબ્દ અનિત્ય છે, ઉત્પન્ન થતો હોવાથી. (૩) વીજળી થાય છે માટે વરસાદ થવા જોઈએ. () રેહિણી ઊગશે, કૃતિકા ઊગ્યું છે માટે (૫) અમૂક ફળ રૂપવાન છે માટે રસવાન હોવું જોઇએ.ઇત્યાદિ.
આગમ પ્રમાણ:-જે શ્રત હોય પણ દષ્ટ ન હોય તે તે આગમથી માનવું જોઈએ. દાખલા તરીકે મેરુ પર્વત.
બુદ્ધિથી અગમ્ય હોય તેને પણ આગમ (શાસ્ત્ર)થી માનવું જોઈએ. દાખલા તરીકે સમય, નિગદના સ્વરૂપ ઇત્યાદિની વાતે.
અંશ અને નીચે પ્રમાણથી વિરુદ્ધ ન જવું જોઈએ. પ્રમાણને અનુરૂપ નય હોવો જોઈએ. દુનય, કુનય, નયાભાસ એ પ્રમાણુથી વિરુદ્ધ હોય છે. પ્રસ્તુત નય સિવાયના અન્ય નયને અપલાપ કર્યા વિના એકેક નયથી પદાર્થના એકેક ભાગને જાણુ અથવા એક નયથી પદાર્થના એક ભાગને જાણો. પદાર્થના અન્ય ધર્મોને અ૫લાપ કરવા તે નયાભાસ છે.'
પ્રમાણ-પ્રમેય અને પ્રમાતા એટલે જ જ્ઞાન-ય અને જ્ઞાતા. વાસ્તવિક પ્રમાણ જે કઈ હોય . તે જ્ઞાન જ છે. અર્થાત જ્ઞાન જ પ્રમાણ છે. અને એમાંય માત્ર કેવલજ્ઞાન જ પ્રમાણભૂત છે. કેમકે કેવલજ્ઞાન કોઈ અન્ય ઍમાણ વડે પ્રમાણિત નથી. કેવલજ્ઞાન વયંસિદ્ધ અને સંવેદ્ય છે. જાણે કેવલજ્ઞાન સિવાયના પ્રમાણે અન્ય પ્રમાણુ વડે પ્રમાણિત છે. બીજા પ્રમાણુ બાબત તે એવું બને છે કે વરતુ જોઈએ કાંઠ અને રમરણ કરીએ કાંઈ દાખલા તરીકે સફેદ સાડલા પહેરેલ મહિલાવંદને જોતાં રમણ કોકના મરણનું થાય. અહીં દશ્ય અને સ્મરણ જુદાં છે.
કેવલજ્ઞાન સર્વપ્રમાણ છે કેમકે કેવલજ્ઞાન તે સાકાર, નિરાકાર, એકાકાર, સર્પાકાર અને શૂન્યાકર છે. માટે જ સ્વયંસિદ્ધ છે. કેવલજ્ઞાન, વિશેષ ઉપયોગ હોવાને કારણે સાકાર છે; અમૂર્ત હોવાને કારણે નિરાકાર છે, સર્વ કાંઈ સર્વ ગુણપર્યાય સહિત 'કેવલજ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં કેવલજ્ઞાની સ્વરૂપ રમમાણુ જ રહે છે તેમજ કેવલજ્ઞાન સાદિ-અનંત એનું એ જ અને એવું ને એવું જ રહેતું હોવાને કારણે એકાકાર છે; સર્વ કાંઈ તેની સર્વ ગુણ પર્યાય સહિત યુગપદ પ્રતિબિંબિત થતું હોવાના કારણે સર્પાકાર છે અને સર્વાકાંઈ તેના સર્વ ગુણ પર્યાય સહિત કેવલજ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં કેવલજ્ઞાનીની વીતરાગતાને કે કેવલજ્ઞાનને તેની કઈ અસર થતી નથી તેથી શૂન્યાકાર છે.
કેવલ જ્ઞાન જ પ્રમાણ છે એ સંદર્ભમાં ભગવાન મહાવીર સ્વામીજીના સ્તવનમાં અવધુત યોગીશ્રી આનંદઘનજી મહારાજે
પ્રબુદ્ધ જીવન અંગે સૂચનાઓ . * “પ્રબુદ્ધ જીવન”માં સામાન્ય રીતે કાવ્ય, વાર્તા અને નાટક ઇત્યાદિ લેવાતાં નથી. ધર્મ, અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, સમાજ, રાજકારણ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, આદિ જીવનનાં વિવિધ ક્ષેત્ર અને વિષય પરના લેખેને આ પત્રના ઘેરણ અનુસાર સ્થાન અપાય છે.
* પ્રગટ થતા લેખને યોગ્ય પુરસ્કાર આપવામાં આવે છે.
* લખાણ સારા અક્ષરે ફૂલસ્કેપ કાગળ પર શાહીથી એક બાજુ લખાયેલું હોવું જરૂરી છે. અસ્વીકૃત લખાણ પાછું મેકલાતું નથી. તેથી લેખકોએ લેખની એક નકલ પિતાની પાસે રાખવી. ટપાલમાં કે અન્ય કારણે ગુમ થયેલ લેખ માટે અમે જવાબદાર નથી.
+ વિષયોનું વૈવિધ્ય અને પૃષ્ઠસંખેડાની મર્યાદા જાળવીને લેખે પ્રગટ કરવામાં આવે છે. લેખ કયારે પ્રગટ થઈ શકશે તે એકકસ જણાવવાનું મુશ્કેલ છે.
* પ્રભુદ્ધ જીવનમાં પ્રગટ થતા લેખમાં રજૂ થતા વિચારે તે તે લેખકેના છે. “પ્રબુદ્ધ જીવન’ના તંત્રીની કે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની તે વિચાર સાથે સહમતી હોવાની જવાબ દારી રહેશે નહિ.
* લેખ મોકલવાથી માંડીને વ્યવસ્થા અંગેને તમામ ( પત્રવ્યહાર ‘સંધના કાર્યાલયના સરનામા પર કરવા વિનતિ.
-- તંત્રી