SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ . પ્રબુદ્ધ જીવન તા. -૧૦–૮૭ અને ૧૬-૧૦-૮૭ એવંભૂત નય તે Sharp present tenseને એટલે કે તક્ષણે પ્રવર્તતા વર્તમાન પર્યાયને જ કાર્યરૂપે રવીકાર કરે છે. જ્યારે ઋજુસૂત્રનેય વર્તમાનકાળને બધાય પ્રગટ પર્યાયને સ્વીકાર કરે છે અને નૈગમનય, શકયતા તથા સંભાવનાની અપેક્ષાએ અપ્રગટ પર્યાયને પણ સ્વીકાર કરે છે. કેંત પદાર્થ ક્રમથી ક્રિયાત્મક હોય છે. એવંભૂતનય વર્તમાનકાળે જે પર્યાય ક્રિયાત્મક હોય તેને જ માને છે અને સ્વીકારે છે. ઋજુસૂત્રય વર્તમાનના બધાય પ્રગટ પ્રયને ભલે માને પણ પ્રગટ પર્યાયે એકી સાથે ક્રિયાત્મક નથી હોતા. ' નૌગમ, સંગ્રહ અને વ્યવહારનય એ જ્ઞાનપ્રધાન નયે છે. જ્યારે ઋજુસૂત્રનયથી વર્તમાનની શરૂઆત થાય છે, જે ભેગપ્રધાન અને વેદનપ્રધાન છે. સજસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ચાર વેદનપ્રધાન નયે છે. આમ આ સાત એટલે જ્ઞાન તથા ભેગ – વેદનનું સ્પષ્ટિકરણ – પૃથક્કરણ- કે વિભાગીકરણ છે. નગમ અને વ્યવહારનાથમાં ઉપચાર આવે છે. જ્યારે ઋજુ સૂત્રનયથી એવં ભૂતનયમાં ઉપચાર નહિ ચાલે. નગમ-સંગ્રહ-વ્યવહાર એ ત્રણ સ્થલ ના છે. જ્યારે ઋજુસૂત્ર-શબ્દ-સમભિર–એવંભૂત એ ચાર ન સૂક્ષ્મ ન છે. સ્થલનય દ્રવ્યાર્થિકન કે વ્યવહારનો કહેવાય છે. જયારે સૂક્ષ્મ પર્યાયાર્થિક કે નિશ્ચય ન કહેવાય છે. સ્થૂલન સામાન્યગામી . જયારે સૂક્ષ્મનો વર્તમાનના ગ્રાહક હોવાથી વિશેષગામી છે. મુખ્યત્વે બે પ્રકારની જ દષ્ટિ કામ કરે છેઅભેદ દ્રષ્ટિ અને ભેદદ્રષ્ટિ. દ્રવ્યાર્થિક નય અભેદ દ્રષ્ટિ પર અને પર્યાયાર્થિક નય ભેદદ્રષ્ટિ પર છે. સાતે નયે એ સીડીના-વિકાસકમનાં પગથિયાં પ્રગતિ પથ રોપાન . સાતે ના કારણ-કાર્યભાવ રૂપ છે. પરમતત્ત્વમાત્ર કાર્યરૂપ છે, કૃતકૃત્ય છે સંસારમાં સાત નો સાપેક્ષ ઘટે છે. જ્યારે મેક્ષમાગમાં છ ની સાપેક્ષ ઘટે છે અને સાતમે એવંભૂતનય નિરપેક્ષ ઘટે છે. કેમકે મુકિત – મોક્ષ બાદ કાર્ય – કારણની પરંપરાને અંત આવી જાય છે. નગમ-સંગ્રહ-વ્યવહાર ન સ્કૂલ ક્રિયાત્મક છે અને બાહ્ય સાધનપ્રધાન છે. જ્યારે ત્રાજુ સૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત એ ચાર ન માગ પ્રધાન છે. - આ સાત ન એ કર્તા-ભોકતાભાવવાળા છાના જીવનમાં સાત પગથિયાંરૂપ સીડી છે, સાધના છે-જીવન છે. જેને દષ્ટિ મળેલ છે તે દષ્ટિ કરે છે, એવા સંસારી જીવા માટેની આ સત નયની વાત છે. એ વાત સર્વસ એવા કેવલિ ભગવંતની છે. પરંતુ છે તે સંસારીજીવ માટે. કેમકે કેવલિ ભગવંતે. તે પિતે પૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા છે–વીતરાગ છે, અને તેથી તેઓ નયાતીત છે. સર્વવિરતિરૂપ ચારિત્રધર્મ મેક્ષમા–સાધનામાર્ગ સર્વ નયાશ્રિત છે. આ બધા ગુણે આત્મભાવ રૂપ છે. જ્યારે શુદ્ધ વરૂપ આત્મધર્મ એ સર્વ નયાતીત છે, અને સવ પ્રમાણરૂપ છે. નય એ દષ્ટિ છે. એ દષ્ટિ તે જીવની એક જ છે. પરંતુ દ્રષ્ટા એવા જીવના ભાવને અનુલક્ષીને તેની સાત નયમાં વહેંચણી કરી છે. એ જ પ્રમાણે જીવની દષ્ટિનું એક બીજી અપેક્ષાએ સાધનામાગે આઠ દષ્ટિમાં વિભાજન કરી તે દષ્ટિના વિકાસ ક્રમનાં આઠ પાન બતાડેલ છે જે નીચે મુજબ છે : (૧) મિત્રા (૨) તારા ૩) બલા (૪) દિપ્તા (૫) સ્થિર (૬) કાન્તા (૭) પ્રભા અને (૮) પર. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીએ એમના યોગશાસ્ત્ર નામના ગ્રંથમાં વિગતે વિચારણું આ આઠ દ્રષ્ટિ વિશે કરેલ છે. એ આઠ દ્રષ્ટિ જે બતાડેલ છે તે દ્રષ્ટિ તે એક જ છે. પરંતુ ચિત્તના આઠ દેશે જે છે તે આઠ દેશે એકેકકરીને જતાં દ્રષ્ટિમાં જે સુધારે થાય તે અનુસાર તે દ્રષ્ટિનાં આઠ નામ જણાવેલ છે, જ્યાં નૈગમનયનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી સંગ્રહાયની શરૂઆત થાય છે. જ્યાં સંગ્રહનયનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી વ્યવહારનયની શરૂઆત થાય છે. જ્યાં વ્યવહારનયનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી ઋજુસૂત્રનયની શરૂઆત થાય છે. જયાં બાજુ સૂત્રનયનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી શબ્દનયની શરૂઆત થાય છે. જ્યાં શબ્દનયનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી સમભિરૂટની શરૂઆત થાય છે. શું સમભિરૂઢનયનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી એવં. ભૂતનયની શરૂઆત થાય છે. સાતે સાત નયને કર્તા-ભોકતા ભાવમાં ઘટાવવાના છે.. જે દ્રષ્ટિ છે તે દ્રષ્ટિના ચાર ભાવ છે......... (૧) કર્તાભાવ (૨) ભોક્તાભાવ (૩) જ્ઞાતાભાવી (૪) દ્રષ્ટાભાવ. જે દ્રશ્યને જોઇને દ્રષ્ટિમાં કચ્છની યા તે ઘટનાની અસર દ્રષ્ટાને પહોંચે તે ત્યાં કર્તાકતભાવ ઘટાડો. પરંતુ જે દ્રષ્ટિ પર દ્રશ્યની કશી અસર દ્રષ્ટાને થતી નથી તે ત્યાં માત્ર જ્ઞાતા-દ્રષ્ટા ભાવ લે. guતા રેયને જાણે છે. ય ત ફરતાં રહે છે. પરંતુ જ્ઞાતા. તે ઊભો રહે છે. જ્ઞાતા એ દ્રવ્ય છે. માટે જ્ઞાતાને અર્થાત, જેનારાને જાણ તે સ્વપ્રતિ વર્ષની સત્ય દ્રવ્યદ્રષ્ટિ છે. અને તે દિવ્ય દષ્ટિ છે. દષ્ટિ અને દષ્ટા એક થઈ અવિનાશીપણાને પ્રાપ્ત કરે તે સાધના છે. "Nothing is produced nothing is distroyed but everything change it's forms.” આ દ્રવ્યદૃષ્ટિ છે.. દ્રવ્ય નથી તો ઉત્પન્ન થતું કે નથી તે નાશ પામતું. જે ઉત્પન્ન થતું અને નાશ પામતું દેખાય છે-જે ઉત્પાદ અને વ્યય દેખાય છે તે તે દ્રવ્યના આધારે જ દ્રવ્યમાંથી–ઉત્પન્ન થત અને પાછા દ્રવ્યમાં જ લય પામતા તે તે દ્રવ્યના પર્યાય છે. આથી તે વીતરાગ સર્વજ્ઞ તીથકર ભગવતેએ ત્રિપદી ફરમાવતાં કહ્યું કે “૩ાા રચય ધ્રુવ યુવતં ' ! કવ્ય, તે અનાદિ અનંત, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ છે. વ્યવહારમાં આપણે ઘાસને, દૂધ-દહીં-માખણ-ઘી આદિને ગેરસ પદાર્થોથી ઓળખીએ છીએ, પરંતુ ઘાસને અગર તે દૂધ-દહીં-માખણ-ઘીને મૂળ પુદ્ગલ પરમાણુ તરીકે નથી નિહાળતા ઘાસને ઘાસ તરીકે, દહીંને દહીં તરીકે અને માખણ – ઘીને માખણુન્ધી તરીકે જ જોવાની જે આપણી દૃષ્ટિ છે
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy