SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ 72_ પ્રબુદ્ધ જીવન બન્યા. અશુભ અથવષયમાં પડી ગયેલા ચિત્તને તેમાંથી મુકત કરીને શુભ ઉચ્ચતમ અધ્યવસાયમાં પ્રસ્થાપિત કરવાનું સરળ નથી. પરંતુ પ્રસન્નચદ્ર રાજર્ષિએ અલ્પ સમયમાં એટલે જબરે આધ્યાત્મિક પુરુષાર્થ કર્યો કે નરકગતિને બદલે કેવળજ્ઞાન અને મોક્ષના અધિકારી તેઓ થઈ ગયા. જેના જીવનમાં ધમયાન આવવા લાગ્યું હોય તે વ્યકિતના જીવનમાં સ્વાભાવિક રીતે જ કેટલુંક પરિવર્તન થવા લાગે છે. એવી વ્યકિતને જિનેશ્વર ભગવાન પ્રત્યે અને એમનાં વચને પ્રત્યે કુદરતી અનુરાગ થવા લાગે છે; તીર્થંકર પરમાત્માનાં ગુણ કીર્તન કરવાનું એને મન થાય છે, શ્રવજ્ઞાન પ્રત્યે એને બહુમાન થાય છે; સંયમમાં રુચિ થાય છે; વિષયવાસના વગેરે વાસનાએ ક્રમે ક્રમે છૂટી જવા લાગે છે; ચિત્તની પ્રસન્નતા વધે છે; વિષમ પરિસ્થિતિમાં સ્વચ્છતા અને સમતા રહે છે. રાગદ્વેષ ઘટવા લાગે છે; પક્ષપાતી કે અન્યાયી વલણ નીકળી જાય છે; સાધુમહાત્માઓ પ્રત્યે વિનય અને વૈવિધ્યના ભાવ જાગે છે; ચિત્તમાં અનેક શુભ ભાવનાઓ થવા લાગે છે; સ્વભાવમાંથી નિષ્ફરતા ચાલી જાય છે; વાણી સૌમ્ય અને પ્રિય બને છે; શરીર નિરોગી, કાંતિવાળું અને દુર્ગંધરહિત બને છે; મળમૂત્ર ઓછી થઈ જાય છે. અને તે પણ દુગધરહિત બને છે. આવી જયાં ગણના છે ત્યાં એક જ પદાર્થ ઉપર ચિત્ત એકાગ્ર ન કરી શકાય. એટલે એ દષ્ટિએ મંત્રજાપને કાનમાં સમાવેશ ન થાય. પરંતુ મંત્રજાપમાં ગણતા જો છૂટી જાય અને ચિત્ત સ્થિર થઈ જાય અર્થાત અજપાજપ જેવી સ્થિતિ થાય તે દવાનમાં પરિણમે છે એમ મનાય છે. ધમકાનમાં પ્રવેશ કરવાની પાત્રતા પ્રાપ્ત કરવા માટે જ્ઞાનભ વના, દર્શનભાવના, ચારિત્રાવના. અને વૈરાગ્યભાવના એ ચાર પ્રકારની ભાવનાના અભ્યાસથી પિતાના ચિત્તને ભાવિત કરવું જોઈએ. નાનભાવનાથી શ્રુતજ્ઞાનમાં રુચિ થાય છે અને તે વધારવા માટેની નિત્ય પ્રવૃત્તિ ચાલે છે. શ્રુતજ્ઞાન દ્વારા અશુભ વિચારોને કે અશુભ અધ્યવસાને રોકવાની શકિત ખીલવા લાગે છે; સૂત્ર અને અર્થની વિશુદ્ધિ વધે છે; ભાવ પ્રત્યે એટલે કે સાંસારિક સુખ પ્રત્યે નિર્વેદ થવા લાગે છે; જીવ-અજીવ વગેરે પદાર્થોને પારખવાની તદષ્ટિ ખીલે છે. દર્શનભાવનાથી ચિત્તમાં સંશયરહિતના, સ્થિરતા અને ઉપશમ આવે છે ચારિત્રભાવનાથી ક્રોધાદિ કષા પાતળા પડવા લાગે છે, ક્ષમાદિ દસ પ્રકારનું ઉત્તમ ધર્મોની આરાધના થાય છે; જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પંચાચારની પવિત્રતા સચવાય છે અને મન, વચન અને કાયાના યોગ ઉપર સંયમ આવી જતાં જૂની કમેની નિજ થાય છે અને નવાં કર્મો એઈ અને હળવા બંધાય છે વૈરાગ્યભાવના દ્વારા નિઃસંગપણ અને નિર્ભયતા આવે છે; માન-સન્માનની ઈચ્છા જતી રહે છે; આકક્ષિા અને આશંસા ચાલ્યા જાય છે અને વૈરાગ્ય માટેની અનિત્યાદિ બાર ભાવનાઓનું સેવન થવા લાગે છે. * ધમયાન માટે દેશ, કાળ અને આસનને કોઈ નિશ્ચિત કડક નિયમ શાસ્ત્રકારોએ દર્શાવ્યું નથી, પરંતુ પિતપતાની રવસ્થતા અનુસાર દેશ, કાળ અને આસન રવીકાવાને અનુરોધ કર્યો છે, કારણ કે ધર્મધ્યાન મન, વચન અને કાયાના યોગની શુદ્ધિ ઉપર વધારે આધાર રાખે છે. એટલે સાધક દેશકાળ અને આસનની પસંદગી પિતાના યુગની શુદ્ધિ સચવાય એ રીતે, પિતાના પ્રકૃતિ અને ચિત્તની સ્વસ્થતા અનુસાર કરવી જોઈએ. વળી જેમ જેમ ધ્યાનને અભ્યાસ વધતું જાય તેમ તેમ પણ દેશ, કાળ અને આસાનમાં ફેરફાર કરી શકાય છે. એમાં આગળ વધતાં વધતાં એવો પણ અનુભવ થવાને સંભવ છે કે આરંભમાં જે દેશ, કાળ અને આસન પ્રતિકુળ લાગતા હોય તે પછીથી સાવ અનુકૂળ લાગવા માંડે. થેડીક ક્ષણોમાં જ મનુષ્યનું ચિત્ત ધયાનની શુભાશુભ પરંપરામાં કેટલી ઝડપથી ગતિ કરી શકે છે તેના એક ઉત્તમ ઉદાહરણ તરીકે પ્રસને ચંદ્ર રાજષિને પ્રસંગ ગ શકાય. કાગ સહિત ધર્મધ્યાનમાં સ્થિર થયેલા એ મહાત્માના કાને થડાક શબ્દો પડતાં તેઓ આત્ત અને રૌદ્રધ્યાનની તીવ્રતામાં એટલા બધા સરી પડ્યા છે કે તે જ ક્ષણે જે દેહ છોડે તે નરકગતિ પામે. પરંતુ થોડી જ ક્ષણેમાં સ્વ. સ્વરૂપને ખ્યાલ આવતાં તેઓ ઝડપથી અશુભ ધ્યાનમાંથી નિવૃત્ત થઈ ધર્મધ્યાનમાં પાછા આવી ગયા. તે ક્ષણે જે તેઓ દે છોડે તે ઉત્તમ દેવગતિ પ્રાપ્ત કરે, પરંતુ તેઓ તે ધર્મધ્યાનની ઉત્કૃષ્ટ પરિકૃતિ દ્વારા શુકલધ્યાન ઉપર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામ્યા અને તે જ ભવમાં મેક્ષના અધિકારી હેમચંદ્રાચાર્ય' યોગશાસ્ત્રમાં ધ્યાતાનાં આ પ્રમાણે લક્ષણ દર્શાવ્યાં. છેઃ | (૧) સંયમી (૨) આમદશી (2) પરિષહ સહન કરનાર (૪) મુમુક્ષુ (૫) કષાયજયી (૬) નિર્લેપ (૭) નિષ્કામ (૮) નિસ્પૃહ (૯) સંવેગી (૧૦) સમતાવાન (૧૧) કરુણયુકત (૧૨) નિષ્કપ (૧૩) નાનંદદાયક (૧૪) નિઃસંગ (૧૫) સુધી (સુધી સારી બુદ્ધિ ધરાવનાર–પ્રા.) ધર્મધ્યાનથી ચિત્તની એકાગ્રતા વધે છે; એથી પૂનાસકિતને, ત્યાગને, સંયમ, વૈરાગ્યને ભાવ જાગે છે, અશુભ મેગે રોકાઈ જાય છે; લશ્યાની શુદ્ધિ થવા લાગે છે; અશુભ કમને બંધ રોકાઈ જાય છે. કર્મની નિર્જરા થવા લાગે છે અને અતીન્દ્રિય દિવ્ય સુખને અનુભવ થાય છે, જે સ્વસંવેદ્ય છે. સાનુકૂળ દેશકાળમાં મનુષ્ય ધમયાન પરથી શુધ્યાન તરફ જઈ શકે છે, જાય છે. જયાં શુકલયાનને સંભવ ન હોય ત્યાં પણ તે જીવ ધર્મધ્યાન દ્વારા ઉત્તમ ગતિ અવશ્ય પ્રાપ્ત કરે છે. ધર્મધ્યાનથી ધમક્રિયાએ શુદ્ધ અને સરળ બને છે અને આરાધના ફળવતી બને છે. ધર્મધ્યાનથી આત્મશુદ્ધિ, આત્મશાંતિ અને આત્મનિશ્ચલતા પ્રાપ્ત થાય છે. -રમણલાલ ચી. શાહ (પયુંષણ વ્યાખ્યાનમાળામાં આપેલા વ્યાખ્યાનના આધારે) સંયુકત અંકી દીપોત્સવી પર્વ નિમિત્તે “પ્રબુદ્ધ જીવનને તા. ૧-૧૦-૮૭ અને તા. ૧૬-૧૦-૮૭ને અંક સંયુકત અંક તરીકે પ્રગટ થશે. તંત્રી માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન અળ : ૩૮૫, સરદાર વી. પી. ચ4. મુંબઈ ૪૦૦ ૦૦૪. 2 નં. ૩પ૦૨ : મુદ્રણસ્થાન : કેન પ્રિન્ટસ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦ ૦૪,
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy