SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૮૭ સંઘને સ્નેહમિલન કાર્યક્રમ પર્યુષણ વ્યાખ્યાનમાળાની સમાપ્તિ બાદ પ્રતિવર્ષ જાતે સંધને નેહમિલન કાર્યક્રમ આ વર્ષે પણ શનિવાર, તા. ૫ ૯-૧૯૮૭ ના સંજના છ વાગે યજમાન શ્રી સી. એન. સંઘરીના મરીનડ્રાઇવ ખાતેના નિવાસસ્થાને ડો. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને યોજાયો હતે. ન કાર્યક્રમનો પ્રારંભ શ્રીમતી ધામલી ચકવતી અને શ્રી દિલીપ ચક્રવતીના ભકિતસંગીતથી થયું હતું. કાર્યક્રમનું યજમાન શ્રી સી. એન. સંઘવીએ સૌનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. સઘના મંત્રી શ્રી કે. પી. શાહે જણાવ્યું હતું કે સંધ દ્વારા જ્ઞાન અને કાનાં જે કાર્યો થઈ રહ્યાં છે તેમાં આપ સૌને પૂરો સહયોગ છે. સંધને આવતા વર્ષે ૬૦ વર્ષ પૂર્ણ થાય છે. આપણે સૌ સાથે મળીને ૬૦ વર્ષની હીરક જયંતી ખૂમ જ આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવીએ એવી મારી ભાવના છે. શ્રી અમરભાઈ જરીવાલાએ જણાવ્યું હતું કે મુંબઈના જાહેર જીવનમાં જૈન યુવક સંધનું જે સ્થાન છે, તે બદલ હું ગૌરવ અનુભવું છું. આજે કઈ પણ રાજકીય કે બીજા રાજકીય વિદ્વાનોનાં વ્યાખ્યાને સંધ દ્વારા ગવાય છે તેનો પ્રભાવ કે ઉપર સારો એ પડે છે. સંઘના સહમંત્રી શ્રી શૈલેશ કોઠારીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુના સહઅસ્તિત્વને સિદ્ધાંત આપણા સંધમાં જોવા મળે છે તે ખૂબ જ આનંદની વાત છે. સંધ દ્વારા આપણે એકબીજાના દુઃખની, પ્રશ્નોની આપલે કરી શકીશું તે આજના યુગનું શ્રેષ્ઠ કાર્ય થશે. શ્રી બસંતલાલ નરસિંહપુરાએ જણાવ્યું હતું કે આજે જૈનોના તમામ ફિરકાઓને એક થવાનો સમય આવી ગયો છે. આજે દિગમ્બર મુનિ શ્વેતામ્બર મંદિરમાં કે કતાઅર મુનિ દિગમ્બર સ્થાનમાં વ્યાખ્યાન આપવા જાય તેવા કાર્યક્રમ વધુને વધુ જાવા જોઈએ. શ્રી ચંદ્રકાન્તભાઈ ડી. શાહે જણાવ્યું હતું કે સંધ દ્વારા જે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિને પ્રારંભ થયે છે તેને મને આનંદ અને આદર છે. સંધના અને કાર્યક્રમના પ્રમુખ છે. રમણલાલ ચી. શાહે જણાવ્યું હતું કે શ્રી મુબઈ જૈન યુવક સંધના નામમાં ઉત્તરોત્તર શબ્દ મહત્ત્વના છે. મુંબઈ નામનું મહત્ત્વ છે, એથી વધારે મહત્ત્વ જૈન શબ્દનું છે, એનાથી વધારે મહત્વે યુવક શબ્દનું છે અને એનાથી વધારે મહત્ત્વ સંધ શબ્દનું છે. આપણુ ચરમ તીર્થંકર ભગવાન મહાવીરે સંધ શખ પ્રય છે. સંધ એટલે કયતા, ભાવનાત્મક કયતા. ' આજના વિષમ કાળમાં વ્યકિતની શકિતનું નહિ, સંઘની શકિતનું મહત્વ છે. મહાત્મા ગાંધી આ સંઘશકિતનું મહત્વ સમજતા હતા અને તેને ઉપયોગ તેમણે આપણુ દેશને આઝાદી અપાવવામાં ખૂબ સારી રીતે કર્યું હતું. આજે પાંચ પાંચ દાયકા જેવા દીધુ સમયથી સંધ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કોઈ પણ જાતની સંપ્રદાય સંકુચિતતા નથી. કઈ પણ પ્રકારના ક્રિરકાભેદ કે જ્ઞાતિભેદ પણ નથી. આ વ્યાખ્યાનમાળાને હેતુ સંધભાવના ઊભી કરવાનો અને સંવાદિતા સજવાને છે. જૈન ધર્મમાં સંધને ૨૫મા તીર્થંકર તરીકે ઓળખવામાં આવે છે. આપણું તીર્થંકર પરમાત્મા જયારે દેશના આપવાનો પ્રારંભ કરે છે ત્યારે “નમો સંઘસ' શબ્દને પ્રથમ ઉચ્ચાર કરે છે તે બતાવે છે કે જૈન ધર્મમાં સંધનું કેટલું માહાત્મય છે, કેટલું ગૌરવ છે. અંતમાં, કાર્યક્રમના યજમાન શ્રી સી. એન. સંઘવી અને શ્રીમતી હંસાબહેન સંઘવીનું ડે, રમણભાઈ શાહ દ્વારા અતિવાદન કરવામાં આવ્યું હતું. સંધના કષાધ્યક્ષ શ્રી પ્રવીણ ભાઈ કે. શાહે આભાર માન્યો હતો. જયારે સઘના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અને સંઘ સંચાલિત અસ્થિ સારવાર કેન્દ્ર, સંકલન : પ્રવીણભાઈ મંગળદાસ શાહ સંધ દ્વારા આ પ્રવૃત્તિની શુભ શરૂઆત તા. ૩૧--૮૩ના રોજ કરવામાં આવી અને તા. ૩૧-૭-૮૭ ના રોજ ચાર વર્ષ પૂરાં થયાં અને પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ રીતે ૨૧૦ રવિવાર દરમિલાન સંજોગવશાત ફકત બે જ દિવસ કેન્દ્ર બંધ રાખવામાં આવ્યું હતું. છે. જે. પી પીડાવાળા ગુજરાતમાંથી દર રવિવારે સવારે ૯ વાગે સંઘના કાર્યાલયમાં આવી જાય છે. સવારના ૮-૩૦ થી ૧-૩૦ સુધીમાં આવેલા હાડકાંના - કાઈપણ જાતના દદીની તપાસ કરી, નિદાન કરી સારવાર આપવામાં આવે છે. દર રવિવારે ૧૦ થી ૧૫ દદીઓ આ કેન્દ્રનો લાભ ધે છે અને અનેક હઠીલા દર્દવાળા દર્દીઓ પણ છે. પીઠાવાળાની સારવારથી સારા થયા છે. દર્દીઓને આ સારવારથી ખૂબ જ સંતોષ થાય છે એ તેમને પ્રતિભાવ જાણવા મળે છે. કઈ પણ જાતના નાતજાતના ભેદભાવ વિના આ સારવાર વિનામૂલ્ય આપવામાં આવે છે, પરંતુ દવાની કિંમત લેવામાં આવે છે. એક સાથે ચૌદ દિવસની દવા આપવામાં આવે છે, જેની વધારેમાં વધારે કીંમત રૂ. ૪૦) થતો હોય છે. જેમની શકિત દવાના પૈસા ખચી શકે તેમ ન હોય તે તેમને વિનામૂલ્ય દવા આપવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ કેન્દ્રમાં વધારેમાં વધારે દર્દીઓ લાભ ધે એમ છે. પીઠાવાળા હંમેશા કહેતા હોય છે અને અમારી પણ એવી. અંતરની ઇચ્છા છે. વાચકોને વિનંતિ કરવામાં આવે છે કે આવા દર્દીઓને આ કેન્દ્રમાં સારવાર લેવા માટે ભલામણ કરે. ભકિત સંગીતને વગર સંધ દ્વારા બહેને માટે ભકિતસંગીતસ્તવન વગેરે શીખવવા માટેના છ અઠવાડિયાના વર્ગો નવેમ્બર, ૧૯૮૭માં શરૂ કરવામાં આવશે. આ વર્ગનું સંચાલન શ્રી બંસીભાઈ ખંભાતવાલા કરશે. તે રસ ધરાવતાં બહેનેએ સંઘના કાર્યાલયમાં સંપર્ક કરી પિતાનું નામ નોંધાવી દેવું, વગ શરૂ કરવાની તારીખ નકકી થયે દરેકને જાણ કરવામાં આવશે. ઉષાબેન મહેતા કે. પી. શાહ સંજક પન્નાલાલ , શાહુ મંત્રીઓ
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy