SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ૯-૮૭ ઇતિહાસને કૃતજ્ઞ માન રહ્યો કારણ કે યુદ્ધ અને હિંસાની કાતિમાના ગહન માગ ઉપર ભગવાન મહાવીર જેવા મહાન તીર્થંકરાનું અહિંસાવર્ધક છવનરૂપી સુવર્ણ તેજ માર્ગને ઉજાળી રહેલ છે અને વિશ્વને એટલા માટે કૃતનું માનવું જોઈએ કે જનતામાં સમભાવ, ભાઈચારે, અહિંસા અને સંયમ પ્રત્યે અંગુલી નિર્દેશન કરનાર ભગવાન મહાવીર પણ વિશ્વની જનતામના જ એક હતા. રૂપે સાથે આવી. ડો. રાજેન્દ્ર પ્રસાદ તથા પ્રથમ મુલાકાત વખતે જ જેમયાત્રાને પ્રસંગે ઉપસ્થિત થતાં તર્ક-વિતકમાં પડ્યા. પ્રસ્તુત અદિલિન ગોરાઓની વિરુદ્ધમાં હતું તેથી જેલયાત્રા કરવી પડે એ સ્વાભાવિક હતું. એ વખતે બંને વ્યકિતઓની પરિસ્થિતિ ભિન્ન ભિન્ન હતી. તેથી ગાંધીજીએ તેમને ખૂબ જ વિચાર કરીને નિર્ણય લેવા માટે સમય આપ્યો. આ તે, ડે. રાજેન્દ્રબાબુને નિર્ણય ગાંધીજીના પક્ષમાં જ આવ્યો અને ખૂબ અપાજન કરાવી આપનાર વકીલાતના વૈભવપૂણું ક્ષેત્રને છેડીને બાબુજી કંટકાકીણું સત્યાગ્રહ અને અન્ય આનુષંગિક અદિલનમાં કુદી પડયા. જેલયાત્રા તથા અન્ય સંભવિત કષ્ટો પણ સાથે આપ્યાં છતાં તેઓ સફળતાપૂર્વક સામને કરતા રહ્યા. જોવાનું એ છે કે ગાંધીજીમાં એવી કઈ શક્તિ હતી કે જેથી આટલી હદે તેઓને પ્રભાવિત કરી શકી ? તે હતી એમની અત્મિશકિત જે એમણે અહિંસા દ્વારા હસ્તગત કરી હતી. આ શકિતની તેઓ રાજનૈતિક અને સામાજિક જીવનમાં પરીક્ષા કરી રહ્યા હતા. આમ, અહિંસા માનવમાં આત્મવિશ્વાસ ઉત્પન્ન કરે છે અને વિશ્વાસની મર્યાદાનુસાર તેને સફળતા મળે છે. ફળ આપનાર જો કોઈ હોય તે તે વિશ્વાસ જ છે એમ વિશ્વાસ : Fાય : દ્વારા કહેવામાં ૫ણું આવ્યું છે. અહિંસા શબ્દનો સાથે સીધો અર્થ હિંસા ન કરવી એ જ છે. હિંસા માનવજાતિનું પણ સહુથી મોટું કલંક છે. અહિંસાનું પાલન માત્ર વાણીથી જ નહીં; પણ મન, વચન અને કર્મથી પણ થવું જોઈએ. પિતાના સ્વાર્થ માટે બીજાનું ખરાબ ઇચ્છવું એ એક માનસિક હિંસા જ છે. મહાત્મા ગાંધી અહિંસાનું સાચું મહત્ત્વ સમજ્યા હતા. જીવનમાં અહિંસાને ક્રિયાત્મક રૂપ દેવાનું શ્રેય રાષ્ટ્રપિતાને ફાળે જ જાય છે. તેઓ અહિંસાના પૂજારી હતા અને તેના અર્થને સમજતા હતા. તેમણે અહિંસાની સુંદર પરિભાષા આપીઃ જે હું મારા વિરોધીને મારું તે તે હિંસા જ છે; પરંતુ સાચા અહિંસક બનવા માટે મારે તેની સાથે પ્રેમ કરવું જોઈએ અને જે તે મને મારે તે પણ તેને (ભલા માટે) માટે મારે પ્રાર્થના કરવી જોઈએ.' એક બીજા લેખક અનુસાર અહિંસાની પરિભાષા મા પ્રમાણે છે : આપણામાં દયા, પ્રેમ, ત્યાગ વગેરે બધી પ્રવૃત્તિઓ મેજૂદ છે. પ્રવૃત્તિઓને વિકસિત કરીને પિતાના સત્ય અને માનવતાના સત્યને એક કરી દેવા જોઇએ.’ અહિંસા કાયરતા નથી પણ શૌર્યનું જ બીજું નામ અહિંસા છે. અહિંસામાં ન્યાયનું યાચિત સ્થાન રહેલ છે. ન્યાયના માર્ગે ચાલનાર વ્યક્તિમાં આત્મબળ સ્વાભાવિક રીતે જ આવી જાય છે. આત્મશકિતને પ્રભાવ બીજા ઉપર પણ પડે છે. સૂક્ષ્મ જ્ઞાનની ક્ષમતાવાળી વ્યકિત માટે ભાગે આ બાબતને અનુભવ કરી શકે છે. અહિંસા માનવમાં સહાનુભૂતિ અને કરુણુ ઉત્પન્ન કરે છે. આ બધી ઉદાત્ત પ્રવૃત્તિઓને પ્રભાવ પડે છે–ત્યાગભાવનાને વિકાસ થાય છે અને સહિષ્ણુતાની શકિત આપે છે. આ બધા એવા ગુણે છે એને આત્મા સાથે સીધે સંબંધ છે. તેથી તેને આત્માના ગુણ માનવામાં આવેલ છે. કારણ કે પ્રાણીમાત્રને આત્મા પિતાના શુદ્ધ રૂપે સમાન હોય છે અને સામ્ય ધરાવતી વસ્તુઓ એકમેક પ્રત્યે આકર્ષિત થાય છે. તે અરસપરસના પ્રભાવને રહે છે તથા સ્વયં પણ પ્રભાવિત થાય છે. તેનું પ્રવેગાત્મક રૂપ નીચે આપેલ ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે: બુદ્ધની અહિંસા હતી. ગાંધીજીની અહિંસા સમષ્ટિગત હતી, ગાંધીજીએ અહિંસાને રાજનીતિક રૂપ આપ્યું. ધરાતલ ઉપરથી યુદ્ધની વિભીષિકાને સમાપ્ત કરવા માટે ગાંધીજીએ અમેધ અને પાવન તાકાત આપણને આપી. આ શકિતના જોરે ભારતે સ્વાતંઘનાં દર્શન કર્યા અને વિશ્વની શકિતશાળી સામ્રાજ્યવાદી તાકાત સામે ટકકર ઝીલી. વિશ્વમાં અહિંસાનું આથી વધુ પરીક્ષણ કયાં જોવા મળશે? જે ભારતમાં આજે ૩૮ વર્ષ પછી પણ લોકતંત્ર સફળતાપૂર્વક ચાલી રહ્યું હોય તે આના મૂળમાં ગાંધીજીનું અહિંસાત્મક અદિલન પડેલું છે એ તથ્ય ભુલાવું ન જોઈએ. કોઈ પણ અદાલન હિંસક ન બને તે પ્રત્યે ગાંધીજી સજાગ હતા. જયારે જ્યારે આવું અદિોલન હિંસક બનતું ત્યારે ત્યારે તેને તાત્કાલિક પાછું ખેંચવું શ્રેયસ્કર છે એમ ગાંધીજી માનતા. જે રાષ્ટ્રોએ બંદૂકના બળે રવાતંત્ર મેળવ્યું તે કેટલું ક્ષણિક નીવડયું છે તે બાબત ઇતિહાસ સાક્ષી પૂરે છે એવાં રાષ્ટ્રો આજે પણ તાનાશાહીની હકુમત હેઠળ છે. આ બાબતનું જવલંત ઉદાહરણ આપણું પડેશી રાષ્ટ્ર બંગાદેશ છે, કારણ કે હિંસાથી મેળવેલ આઝાદીને હિંસા દ્વારા ગમે ત્યારે રગળી શકાય છે. જે અ ગ્રેજ પ્રજા વિરુદ્ધ ગાંધીજી પૂર્ણ અહિંસક રવાતંત્ર સંગ્રામ લડ્યા એ જ પ્રજાના એક અંગ્રેજ રિચર્ડ' એટનબરેએ “ગાંધી’ ફિલ્મનું નિર્માણ કરી એમ સાબિત કર્યું કે જે આજે વિશ્વને વિનાશમાંથી બચાવવું હોય તે તેણે ગાંધી ચીંધ્યા માર્ગે જ અપનાવવું પડશે. આપણે સહુ જાણીએ છીએ કે આ ફિલ્મને વિશ્વવ્યાપી સન્માન પ્રાપ્ત થયું છે. ગાંધીજીએ અહિંસાને સહુથી મટે ધર્મ ગણેલ છે. તેમણે તેને ધર્મના રૂપે અપનાવી અને જગતને અમૂલ્ય વિચારધારા જ્યારે જનતાને જાગૃત કરવા ગાંધીજી બિહાર ગયા ત્યારે તેમને મેળાપ છે. રાજેન્દ્ર પ્રસાદ સાથે થયેલ. તેઓ એ વખતે વકીલાત કરતા હતા અને વ્યવસાય બહુ જ સરસ રીતે ચાલતું હતું. ગાંધીજી જ્યારે એમના ઘરે ગયા ત્યારે બંને મળી શકયા નહિ. ગાંધીજી પાછા ફર્યા. આ સાંભળી છે. રાજેન્દ્ર પ્રસાદને દુઃખ થયું અને તેઓ ગાંધીજીને મળવા ઉપડ્યા. ગાંધીજીના ઉતારે બંને મળ્યા. જનતાની સ્વાતંત્ર્ય માટેની જાગૃતિના અનુસંધાને જેલમાં જવાની સમસ્યા પણ સદ્ભાન્તિક
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy