________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૮૭
ચિંતન, સિંદ્ધા
પ્રકારના પથ
ધ
રમ છે અને એક
શકતું નથી કે સ્થિર રહી શકતું નથી. એ માટે અભ્યાસની સતત જરૂર છે. જે વિષયમાં માણસને વધુ રસ પડે તે વિષયમાં માણસ વધુ મગ્ન બની શકે છે. વ્યવહાર - જગતમાં, કારખાનાઓમાં, ધંધામાં, રમતગમતમાં, નાણાંની લેવડદેવડમાં, વાહન ચલાવવામાં, વિદ્યાભ્યાસમાં, રસોઈ બનાવવામાં એમ અનેકવિધ પ્રવૃત્તિઓમાં માણસનું જગતના બાહ્ય અને રૂપી પદાર્થોમાં મગ્ન થવું જેટલું સરળ છે તેટલું અમૂત', અદષ્ટ કે કાલ્પનિક પદાર્થોમાં ચિત્તને સતત પરોવેલું રાખવું સરળ નથી.
મનુષ્યનું રાગદ્વેષથી ભરેલું સામાન્ય જીવન સતત બહિર્મુખ રહ્યા કરે છે, એથી એના ચિત્તની એકાગ્રતા બાહ્ય પદાર્થોમાં વિશેષ રહે છે. થુલ ઇન્દ્રિયાથે મનગમતા પદાર્થોમાં એનું ચિત્ત વધારે રોકાયેલું રહે છે. ભૌતિક આનંદને મેળવવા તે વધુ પ્રયત્નશીલ હોય છે. તેમ ન થાય ત્યારે એનું ચિત્ત ઘણું વ્યગ્ર થઈ જાય છે. પિતાની ઈચ્છાનુસાર કાર્ય ન થાય ત્યારે માણસ નિરાશા, સંતાપ, કષ્ટ, પીડા, દુઃખ અનુભવે છે. કયારેક એથી વધુ ઉગ્રતા આવે ત્યારે એના ચિત્તમાં ફરતા કે નિર્દયતાના ભાવે જન્મે છે; કયારેક એને પરિણામે તે ખૂ, ચેરી, લૂંટ, પ્રપંચ વગેરે પ્રકારનાં અપકૃત્યો પણ કરી બેસે છે. આ પ્રકારની અશુમ એકાગ્રતામાંથી ચિત્તને નિવૃત્ત કરીને શુમ, સમ, પારલૌકિક વિષયમાં એને પરોવવું અને સ્થિર કરવું એ ઘણું
અઘરું કાર્ય છે. એવું અઘરું કાર્ય કરનારા પણ અનેક સંતે, • મહાત્માઓ આ જગતમાં છે. '
ચિત્તના રિથર અધ્યવસાયને ધ્યાન કહેવામાં આવે છે. અધ્યવસાયના ત્રણ પ્રકાર છે: (૧) ચિંતા (ચિંતન) (૨) ભાવના અને (૩) અનુપ્રેક્ષા. એક મત મનુસાર ચિંતા અને ભાવનાથી જનિત એવા સ્થિર અધ્યવસાયને ધ્યાન કહેવામાં આવે છે. ચિંતાના તત્ત્વચિંતા, સ્વરૂપચિંતા વગેરે પ્રકાર અને ભાવનાના જ્ઞાનભાવને, દર્શનભાવના વગેરે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે.
કેઈ પણ એક વિષય ઉપર ચિંતનધારા સ્થિર થઈ જાય છે ત્યારે તેને ધ્યાન કહેવામાં આવે છે, પરંતુ ચિત્ત જયારે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર અને બીજા પદાર્થ ઉપરથી ત્રીજા પદાર્થ ઉપર સહજ રીતે ગતિ કરે છે ત્યારે તેને ભાવના, ચિંતા કે અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. એક મત પ્રમાણે ચિત્ત જયારે ચિંતા અને ભાવના દ્વારા કોઈ એક પદાર્થમાં સ્થિર થઈ ગયા પછી પાછું ફરે છે અને તે વખતે પદાર્થોનું જે પુનચિંતન કરે છે તેને અનુપ્રેક્ષા કહે છે. અનુપ્રેક્ષા શબ્દના આધારે પણુ મા અર્થ ધટાવવામાં આવે છે. અનુપ્રેક્ષામાં સામાન્ય રીતે વૈરાગની અનિત્યાદિ બાર ભાવનાઓનું ચિંતન સવિશેષ હોય છે. એવી અનુપ્રેક્ષ, પણ જ્યારે કોઈ એક જ ભાવનામાં સ્થિર થઈ જાય છે ત્યારે તે ફરી પાછી ધ્યાનમાં પરિણમે છે એટલા માટે કેટલાક મહર્ષિ અનુપ્રેક્ષાને પણ ધમંયાનમાં સમાવેશ કરે છે.
ધ્યાનવિચાર' નામના પ્રથમ સ્થાનના નીચે પ્રમાણે વીસ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે –
(૧) દયાન, (૨) પરમધ્યાન, (૩) શૂન્ય, (૪) પરમશન્ય, (૫) કલા, (૪) પરમકલા, (૭) જાતિ, (૮) પરમ જ્યોતિ, (૯) બિન્દુ, (૧૦) પરમબિન્દુ, (૧૧) નાદ, (૧૨) પરમનાદ, (૧૩) તારા, (૧૪) પરમતારા, (૧૫) લય, (૧૬) પરમલય, (૧૭) સંવ, (૧૮) પરમલવ, (૧૯) માત્રા, (૨૦) પરમમાત્રા, (૨૧) પદ, (૨૨) પરમપદ, (૨૭) સિદ્ધિ, (૨૪) પરમસિદ્ધિ.
ચિત્તની વિવિધ અવસ્થાઓ, ધ્યાનમાં જવા માટે શ્વાસ
છવાસ, નાડીઓ, દષ્ટિ વગેરેની પ્રક્રિયા, ધ્યાનના આલંબનરૂપ વિષયે મને તેમાં ચિત્તની લીનતા, ધ્યાન વખતે શરીરમાં ઉત્પન થતા વિવિધ પ્રકારના સૂકમ નાદનું શ્રવણ, કર્મક્ષયની પ્રક્રિયા, ગુણસ્થાનક, પંચપરમેષ્ઠિના રૂપમાં પિતાના આત્માનું ચિંતન, સિદ્ધાત્માઓના ગુણોનું ચિંતન ઇત્યાદિ અનુસાર સ્થાનના માં વીસ પ્રકારના પણ ઘણું જુદા જુદા પેટાપ્રકાર છે. બાનને વિષય અત્યંત વિશાળ, ગહન, સૂક્ષમ છે અને એમાં અનેક પ્રકારની અનુભૂતિઓ રહેલી છે. શ્વાસોચ્છવાસનું અવલેકન શરીરનાં વિવિધ અંગગનું આંતરબાહ અવકન, ચિત્તમાં પસાર થતા વિચારનું અવલોકન, આત્માની વિભિન્ન અવસ્થાએનું અવલોકન, પરમ સમાષિ, નિર્વિકલ્પતા, શૂન્યતાને અનુભવ વગેરેનો સમાવેશ ધ્યાનના વિષયમાં આવી જાય છે. ' યાનને માર્ગ અત્યંત ગહન છે. અનુભૂતિને એ વિષય છે. ધ્યાનને અભ્યાસ કરનારા બધા જ ધ્યાતાઓની અનુભૂતિ એકસરખી ન હોઈ શકે. તેમજ એકના એક ધ્યાતાને અમુક કક્ષા સુધી ધ્યાનના દરેક પ્રસંગે એકસરખી અનુભૂતિ ન રહે. એના ચિત્તના અદિયવસાયેની તરતમતા પણ એકસરખી ન રહે. યાનની કેટલીક અનુભૂતિ એટલી બધી સુક્ષ્મ હોય છે કે તે શબ્દમાં સંપૂર્ણપણે વર્ણવી શકાય નહિ. ઉપાધ્યાય યોદવિજયજી લખે છે: નાગર સુખ પામર નવ જાણે, વલ્લમ સુખ ન કુમારી; અનુભવ વિણ તેમ કક્ષાનતણ સુખ, કાણુ જાણે નરનારી ?
દાનના આલંબનના વિષયે અનુસાર પભુ થાનની અનુભૂતિમાં વૈવિધ્ય રહે છે. તેવી જ રીતે સ્માન સાથે થાતાના દેહની આકૃતિ અને પ્રકૃતિ અનુસાર પણ ધ્યાનની અનુભૂતિમાં વૈવિધ્ય રહે છે.
ચિત્તની શક્તિ અપાર છે. એને સંપૂર્ણ તાગ મેળવવાનું વર્તમાન સમયમાં અશકય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયપક્ષમ અનુસાર જુદી જુદી વ્યકિતની ચિત્તશકિત જુદી જુદી કક્ષાની હેવાને સંભવ રહે છે,
ભગવાન મહાવીર સ્વામી અને એની પૂર્વેના કાળમાં વજળસ નારાયણનાં પ્રકારના શરીર હતાં. એટલે ધ્યાન ધરવાની તેઓની શકિત તે સમયે ઘણી બધી વિશેષ હતી, એવી શકિતની કપના અત્યારે આપણને ચમત્કાર ભરેલી, સહેલાઈથી માન્યામાં ન આવે એવી લાગવા સંભવ છે.
જૈનધર્મમાં ધ્યાનના મુખ્ય બે પ્રકાર બતાવવામાં આવ્યા છે ? (1) અશુમ ધ્યાન અને (૨) શુભ કાન,
અશુભ થાનના બે પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) ઋાત્તાન અને (૨) રૌદ્રધ્યાન.
શુભ ખાનના ૫શુ બે પયપ્રકાર બતાવવામાં આવ્યા છે ? (૧) ધમ ધ્યાન અને (૨) શુલ થાન.
આતધ્યાન અને રૌદ્રધ્યાનને દ્રયાન તરીકે, ધર્મધ્યાનને ભાવમાન તરીકે અને શુકલધ્યાનને પરમ ધ્યાન તરીકે પશુ ઓળખાવવામાં આવે છે.
આનંvષાનના ચાર પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) અનિષ્ટ સંગ (૨) ઈષ્ટ વિગ (૩) રેગચિંતા (૪) અગ્ર શૌચ અથવા ભવાત્ત (ભવિષ્યની ચિંતા).
રૌદ્રધ્યાનના પણ ચાર પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે: (૧) હિંસાનુબંધી (૨) મૃષાનુબંધી (૩) ઑયાનુબંધી અને (૪) પરિગ્રહાનું બંધી.
( અનુસંધાન પૃષ્ઠ ૯૭ )