SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ > પ્રબુદ્ધ જીવન તા. ૧-૯ ૮૭ સરવાળે તે આખા દેશની પ્રતિભા ઝાંખી બનતી જાય છે. એની અવળી અસર બધાં જ ક્ષેત્રે ઉપર પડતી જાય છે. વ્યવસાય પ્રત્યેની નિષ્ઠા, શિસ્ત, પ્રમાણિકતા, નીતિ અને સદાચારનું પ્રમાણુ અધ્યાપકે અને વિદ્યાથીએ માથી પણ દિવસે દિવસે ઘટતુ જાય છે. સરવાળે આખો દેશ નીતિમત્તાની દૃષ્ટિએ ગરીબ થતા જાય છે, સમગ્ર ભારતમાં વર્ષ-પ્રતિવર્ષ નબળા અને નબળા માણસે શિક્ષણના વ્યવસાયમાં આવતા જાય છે, પરિણામે સમગ્ર દેશમાં શિક્ષણના ક્ષેત્રે પણ શિથિલાચાર વધે છે ઓછો પગારના કારણે અકળામાં પૂરક સમયની ઇતર વ્યાવસાયિક પ્રવૃત્તિઓ વધી છે. ટયૂશન અને કોચિંગ કલાસનું પ્રમાણ મેટાં શહેરોમાં ઘણું વધી ગયું છે. કેટલાક ગાડી લખવામાં પડયા છે, કેટલ ક જમીન, મકાન વીમે, શેર વગેરેની દલાલીમાં પડયા છે. પરીક્ષામાં ચેરી અને પરિણામમાં ધકેલમેલ દ્વારા કમાણી કરવાની ઘટના હવે ઓછી શરમજનક રહી છે. જે ક્ષેત્ર પાસે સમગ્ર દેશના પાયાનું ચણતર કરવાની અપેક્ષા રાખી શકાય એ ક્ષેત્ર ચારિત્રઘડતરના પાને એ નબળા કરે છે કે જેથી એના ઉપર મંડાયેલી ઇમારત કેટલી મજબૂત અને દીર્ઘજીવી બની શકે એ ગંભીર પ્રશ્ન છે. ભાવિ પેઢીને આપણે કેટલું મોટું નુકસાન પહોંચાડી રહ્યા છીએ તેને ખ્યાલ કયાથી મતી શકે ? * ભારતમાં શિક્ષણને ફેલાવો ઝડપથી વધે એથી કેન્દ્ર અને રાજ્યની સરકાર પાસે એ ફેજાવાને પહોંચી વળવા માટે પૂરતાં નાણુની જોગવાઈ ન રહી. આયોજનમાં પણ ઘણી ખામીઓ રહી ગઈ. અને તેમાં પશુ યુનિવર્સિટીઓ અને કેલેજોની જનાઓ મંજૂર કરવામાં "તા કરતાં લાગવગ અને ભ્રષ્ટાચાર વધુ કામ કરવા લ ગ્યાં છેખુદ યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિરાન એટલે અનેક કૌભાંડેનું નિવાસ સ્થાન. એની વિવિધ સમિતિઓના ભાડા ભથ્થો વધતાં જાય અને માત્ર કાગળ ઉપર કામ અને પ્રગતિની મોટી ચિતરામણુ કરાતાં જાય છે. બંધાયા ન હોય એવાં મકાન બંધાઈ ગયા છે એમ સમજી પૈસા ચુકવાઈ ગયા હોય એવી ઘટના બન્યાના અહેવાલ પ્રગટ થયા છે. ખુદ યુનિ. વર્સિટી ગ્રાન્ટસ કમિશનનો પિતાને જ વહીવટી ખર્ચ પણ કેટલે મટે છેછતાં યુનિવર્સિટીઓની નાની નાની દરખાસ્ત મંજુર કરવામાં પણ બે-પાંચ વર્ષ લાગી જાય એટલી બધી તુમારશાહી ત્ય ચાલે છે. એની પંચવર્ષીય યોજનાઓ એટલે વિલંબને આદર્શ નમૂનો. દરેક બાબતને લેકશાહી ઢબે સમિતિમાં મૂકવાને કારણે સમિતિના સભ્યની સફરે જેટલી વધતી રહી છે તેટનાં કાર્યો થતાં નથી અને કેટલાય નિર્ણયનો અમલ બજેટની કે વહીવટી વર્ષની અને અન્ય પ્રકારની સમયમર્યાદા વટાવી જવાના !ણે મે ક્રૂર રહ્યા કર્યો છે. યુ. જી. સી.માં છેતરપિંડીઓ પષ એટલી જ ચાલી છે અને જોળા હાથીઓ પણ રર બેસાડી દેવામાં આપ્યા છે. વસ્તુતઃ રાષ્ટ્રની કેળવણીને સુધારવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્રમ કમિશનનું સદ તર વિસર્જન કરીને નવા કેઈ તેજસ્વી, દૃષ્ટિસંપન્ન સક્રિય એકમની સ્થાપનાની જરૂર શિક્ષણક્ષેત્રે ઊભી થઈ છે. | ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે રવતંત્ર અભિગમને અવકાશ બહુ ઓછા અપાવે છે. સરકારની ગ્રાન્ટેસ બિલકુલ લેવી ન હોય, સારા અધ્યાપકેને વધુ સારા પગારે આપી રોકવા હોય અને સારા વિદ્યાથીઓને યોગ્ય ફી લઈ સારું શિક્ષગુ પૂરું પાડવું હોય તે તેવી વ્યવસ્થા ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ખાસ કંઈ નથી. બધું જ સરકારને આશ્રિત છે. શિક્ષકની , સલામતીના નામે અને વગભેદના બહાને સારી શિક્ષણસંસ્થાઓને પાંગરવા માટે અનુકુળ હવામાન ભ રતમાં રહેવા દેવામાં આવ્યું નથી. શિક્ષણના ક્ષેત્રે સ સ્થાષ્ટ્રીય સ્તરે પુરુષાર્થને કેઈ અવકાશ મળ્યો નથી, બધુ જ મધમ કક્ષાનું અને સામાન્ય સ્તરનું બની જવા લાગ્યું છે. વિદેશની યુનિવર્સિટી - એની સાથે ભારતની શિક્ષણ સંસ્થાઓને જયારે સરખાવીએ છીએ ત્યારે આપણે હજુ પચાસ વર્ષ કે એક સા પાછળ છીએ એવું લાગ્યા કરે છે. ભારતની યુનિવર્સિટીઓ માટે ગૌરવ લઈ શકાય એવુ આપણી પાસે બહુ ઓછું રહ્યું છે એમ નિર્વિવાદપણે ગણી શકાશે - ભારતમાં શિક્ષણના ક્ષેત્રે બહુવિધ ભાષાઓના. અાસના, વિવિધ ભાષા-મામેના અને એવા બીજા ઘણા પ્રશ્નો સંકળાયેલા છે. એમાં આર્થિક સમસ્યાને બેજે પણ જેતે નથી. કાબેલ માણસનું મન પણ મુંઝાઈ જાય એવું ગ જવર અને સમરયાસભર શિક્ષગુક્ષેત્ર બનતું જાય છે. સરકાર ઉથ શિક્ષ ક્ષેત્રે સ્વયં નિર્ભર સરકારી ગ્રાન્ટ વગરની સ્વાયત્ત શિક્ષણસ સ્થાને માન્યતા આપીને તેના વિકાસને જેટલો જ લાદી અવકાશ આપશે તેટલે આ પ્રશ્ન હળવો બનશે અને ભારતના શિક્ષકે અને વિદ્યાથીઓનું તેજ વધુ દીતિત બનશે. દુનિયાનાં ઘણાં રોગમાં લારી ખર્ચ પછી કેળવણીના ખર્ચને બજેટમાં સૌથી વધુ મદૂત્વ અપાય છે. ભારતમાં અતિ વસતિ અને સર્વાગીણ વિકાસકાર્યોને લીધે શિક્ષાના ક્ષેત્રે ગમે તેટલી રકમ ફાળવવામાં આવે અને તેનું વેગ આપે જન થાય તે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં વેતનની બાબતમાં પ્રવર્તતે અસંતોષ ઓછો જરૂર કરી શકાય ભારતમાં અમાપન ક્ષેત્રે સારી સ્થિતિ તે ત્યારે આવેલી ગાય કે પાશ્ચય દેશની જેમ તેજસ્વી માણસે મેટી વધાદારી કંપનીઓની સારી કરી છોડી યુનિવર્સિટીઓમાં અધ્યાપક તરીકેની નોકરી સ્વીકારે (તાજેતરમાં જ અમેરિકામાં આઈ. બી એમ. જેવી કેપ્યુટર બનાવતી સુપ્રસિદ્ધ કંપનીના એક ઉચ્ચ હેલર તે નકરી છોડી નેલ યુનિવર્સિટીમાં કાપ્યુટરના પ્રેફેસર તરીકે જોડાયા છે.) રમણલાલ ચી. શાહ આ વિષય આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક થાપાનશ્રેણિ સંધના ઉપક્રમે શ્રી આત્માનંદ જૈન સભામુંબઇના આર્થિક સહયોગથી ઉપર્યુકત વ્યાખ્યાનશ્રેણિનું આયોજન કરવામાં આવ્યું છે જેને સવિગત કાર્યક્રમ નીચે પ્રમાણે છે: વ્યાખ્યાતા પૂ. મુનિશ્રી બંધુત્રિપુટી . સાધમિક વાત્સલ્ય . ] સમય : શનિવાર, તા. ૧૯ મી સપ્ટેમ્બર, ૧૯૮૬ સવારના ૯-૦૦ કલાકે | સ્થળઃ બિરલા ક્રીડા કેન્દ્ર, ચોપાટી, - મુંબઈ ૪૦૦ ૦ર૭ સૌને સાસરે ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ છે. કે. પી. શાહ | શૈલેશ એચ. કઠારી પન્નાલાલ ૨. શાહ સોજક ' મંત્રીઓ ''
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy