SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૮-૮૭ આણવો નહિ અને ભગવાનની આજ્ઞા પ્રમાણે પ્રસન્ન ચિત્તથી તેને રવીકાર કરી લે તે શયા પરીષહ છે. (૧૨) આક્રોશ પરીષહઃ સાધુ ભગવંતને વેશ એ છે કે તે જેને કુતરાએ ભસે, અદેખા કે જ્ઞાન માણુ અપમાન કરે; પરધમાં મનુષ્ય કહેર વચન કહે; કાઈ તુકારે, કેઈ નિંદા કરે; કે આળ ચઢાવે કે અપશબ્દ બેલે; કાઈ "દ ભી', 'પાખંડી” કહી ગુસ્સે કરે કે મારે તેવા પ્રસંગે પોતે સામે ગુસ્સો કે આક્રોશ ન કર, પરંતુ પિતાનાં શુમ કમેને ઉદય છે એમ સમજીને તે બધું સમભાવથી સહન કરી લેવું જોઇએ. (૧૩) વધુ પરીષહઃ કોઈ પણ માણૂસ વધુ પડતા ધમાં આવી જઈને મારે તે પણ મુનિ મહારાજે શાંત ચિત્તથી તે સહન કરી લેવું જોઇએ. કદાચ કોઈ પિતાને વધ કરવા આવે છે તે વખતે પણ તેવી વ્યકિત પ્રત્યે કશે પણ અશુભ ભાવ ન ચિંતવતાં હું તે અજરામર, અખંડિત આત્મા છું' - એવી ભાવનાનું સેવન કરવું જોઈએ. (૧૪) યાચના (ાયણ) પરીષહર જેમણે સંયમને માર્ગ ગ્રહણ કરી સાધુજીવન સ્વીકાર્યું છે તેમને નિર્વાહ માટે યાચના કરવાના પ્રસંગે તે અનેકવાર આવે છે. કોઈ રાજકુમારે અથવા શ્રીમંત કે કુળવાન ઘરના દીકરા કે દીકરીએ દીક્ષા લીધી હોય અને પછી એમ વિચાર કરે કે હું માગવા માટે કેમ જઉં ? મને તે શરમ આવે છે, તે તે યોગ્ય નથી. તેઓએ એવો ભાવ સેવો ન જોઈએ. સાધુજીવનમાં ગોચરી, ઔષધ, ઉપકરણ વગેરેની યાચના કરવાના પ્રસંગે અભિમાન, ક્ષોભ કે લજજાને ભાવ આવવા દેવો ન જોઈએ. પિતાનું એ કર્તવ્ય છે એમ સમજી વિનમ્રતાના ભાવથી યાચના કરવી જોઈએ. સાધુ-સાવીએને માટે કઈ વટને પ્રશ્ન હોઈ શકે નહિ. બીજી બાજુ, આવશ્યકતા વિના માગવાના સ્વભાવવાળી પણ ન બની જવું જોઈએ, કારણ કે એથી આત્માનું સર્વે હણીય છે, તૃષ્ણ કે વાસના વધે છે, માગવાને પિતાને હક છે એવો ગર્વ રહે છે, સંયમશીલ સંકેચ ચાલ્યો જાય છે. અને આત્માની દીનતા પ્રગટ થાય છે. સાધુ ભગવંતોએ એકંદરે તે અયાચક જ રહેવું જોઈએ પણ યાચના કરવાને પ્રસંગ આવે ત્યારે તે પરીષહ. સહન કરી લેવું જોઈએ. (૧૫) અલાભ પરીષહ : સાધુજીવનને નિર્વાહ યાચનાથી થાય છે. પરંતુ પિતાને ખપતી ગોચરી કે ચીજવસ્તુઓ જ્યાં પિતે જાય ત્યાં તરત જ તે મળી જાય છે એવું નથી હોતું. કોઈ વખત ન પણ મળે. આપવાની શકિત હોવા છતાં ગૃહસ્થ ન પણ આપે. એવે વખતે મનમાં એક કે ગ્લાનિ ન કરવા જોઈએ. ગૃહત્ય પ્રત્યે મનમાં તિરસ્કાર કે બીજા કોઈ પ્રકારને દુર્ભાવ ના આણુ જોઈએ. પિતાનું લાક્ષાંતરાય કમ ઉદયમાં આવ્યું છે એમ સમજી સમતા અનુભવવી જોઈએ. (૧૬) રેગ પરીષહ : સંયમ લીધા પછી સાધુજીવનમાં ખાવાપીવાની બાબતમાં ઘણી મર્યાદાઓ આવી જાય છે. રાત્રિભેજનને સર્વથા ત્યાગ હોય છે. કેટલીક વખત પિતાના શરીરની પ્રકૃતિને અનુકુળ અને અનુરૂપ ગોચરી ન મળે તે પિત્ત-વાયુ વગેરેને ઉપદ્રવ થાય છે. વૃદ્ધાવસ્થા આવતાં શરીરમાં જાતજાતના રોગ પેદા થવા લાગે છે. રોગ ઉત્પન્ન થાય ત્યારે મુનિઓએ દીનતા ન અનુભવવી જોઈએ. પિતાનાં અશુભ કર્મ' ભગવાઈ રહ્યાં છે એમ ચિંતવી રોગ સહન કરી લેવું જોઈએ. ઉત્તમ મહાત્માઓ તે ઔષધ વગેરેની ઇચ્છા પણ ન કરે. રોગ વખતે સમાધિભાવમાં રહે. આવી રીતે રેગ પરીષહને જીતી શકાય. (૧૭) તૃણસ્પશર (તણફાસ) પરીષહ: કાઈ વખત ઘાસના સંથારામ સૂવું પડે અને ઘાસની અણીઓ વાગે તે તે સાહજિકતાથી સહન કરી લેવી એ તૃણસ્પર્શ પરીષહને અર્થ છે. સાધુઓની સંમચિયાં ઘણી કઠિન હોય છે. બેસતાં-સૂતાં ખરબચડી જમીનનો કઠણ સ્પર્શ પિતાના શરીરથી સહન ન થાય તેવે વખતે પણ તે સમભાવથી સહન કરી લેવો જોઈએ. અને પિતાના ગૃહસ્થ જીવનની સૂવાબેસવાની અનુકૂળ સ્થિતિને યાદ ન કરવી જોઈએ. (૧૮) મલ પરીષહ? જે મહાત્માએ બ્રહ્મચર્ય વ્રતનું અખંડ પાલન કરે છે તેમને પરસેવો કે મેલ ઓછા થાય છે. જૈન સાધુ - સાધ્વીએ સ્નાન કરતાં નથી, દંત પ્રક્ષાલન કે કોગળા કરતાં નથી તેમ છતાં તેમના શરીરમાંથી કે મુખમાંથી સામાન્યરીતે દુર્ગંધ આવતી નથી તે તેમના બ્રહ્મચર્યવ્રતના પ્રતાપે જ છે. જૈન સાધુઓએ સ્નાન કરવાનું હોતું નથી. અવરજવરને કારણે અને સુવા - બેસવાને કારણે તેમના શરીર ઉપર મેલ ચેટી જાય અને વસ્ત્રો મેલ થાય એ સ્વાભાવિક છે. એવે વખતે સાધુઓએ નાન વગેરેની ઇચછા ન કરવી જોઈએ, શરીર ઉપરના કે વસ્ત્ર ઉપરના મલને સહન કરી લે તે મલ પરીષહ છે. (૧૯) સત્કાર–પુરસ્કાર (સકાર પુરસ્કાર) પરીષહ : - ત્યાગી સાધુ-સાધ્વીઓ સામાન્યરીતે વંદનીય ગણાય છે. તેમ છતાં કોઈ વ્યકિત પિતાને વંદન કે નમસ્કાર ન કરે અથવા કેઈ સ્થળે પિતાને સરખો આદર-સત્કાર ન થયા હોય તે તેથી સાધુઓએ મનમાં જરા પણ માઠું લગાડવું જોઈએ નહિ. પિતાને આદર-સત્કાર બરાબર થવો જોઈએ એવી અપેક્ષા તેઓ રાખે નહિ. વખતેવખત અનેક લેકે વંદન કરતા હેય તેથી પિતાના મનમાં પિતે કેવી પરમ વંદનીય વ્યકિત છે એ ગર્વ પણ આણવો જોઈએ નહિ. અનેક શ્રીમંત અને સત્તાધીશે પિતાને વંદન કરવા આવવાના હોય ત્યારે પિતાનાં વાળ, વસ્ત્ર, શરીર વગેરેની શોભા વધારવાની ઇચ્છા મનમાં ન સેવવી જોઇએ. પિતાની કયક પ્રશંસા થતી હોય તો તે વખતે તે ગમવાને ભાવ મનમાં ન આણવું જોઈએ. (૨૦) પ્રજ્ઞા પરીષહઃ - સાધુ ભગવતેએ ત્યાગ અને સંયમને મારું સ્વીકાર્યો હોવાથી જ્ઞાનાભ્યાસ માટે તેમને વિશેષ અવકાશ રહે છે. કેટલાંક સાધુ-સાધ્વીઓ નાની ઉંમરમાં ઘણું જ્ઞાન સંપાદિત કરી લે છે. એવે વખતે મોટી ઉંમરની કોઈ વ્યકિત પિતાની પાસે ભણવા માટે કે શંકા-સમાધાન માટે આવે ત્યારે પિતે કેવા મેટા જ્ઞાની છે એ ગર્વ મનમાં આવવા દે નહિ. પૂર્વે થઈ ગયેલા મહાન આચાર્યો પાસે તે પિતે કશી જ વિસાતમાં નથી એમ ચિંતવવું
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy