SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ત, ૧૬-૬-૮૭ પ્રબુદ્ધ જીવન ' સતાવે નહિ, અટકાવે નહિ, હણે નહિ એટલું જ નહિ એ માટે પિતાના મનને પણ દૂષિત ન કરે.) (૬) અચલક પરીષહઃ - સાધુ મહારાજનાં ય જૂનાં થઈ ગયાં હોય, ફાટી ગયાં હોય કે ચેર વગેરે કાઈ ઉઠાવી ગયા હોય તે પણ લજજા, ચિંતા, અફસેસ ઈત્યાદ કરે નહિ. વળી સારા વસ્ત્રની ઈચછો કરે નહિ. પિતાના શરીર પરનાં જીણું, મલિન કે ફાટેલાં વસ્ત્રને માટે મનમાં ક્ષોભ કે દીનતાને ભાવ આવવા દે નહિ, અથવા સારાં વસ્ત્રો મેળવવા કે પહેરવા માટેની મનમાં -અભિલાષા ન રાખે. જે વસ્ત્ર મળ્યું તે સમભાવથી ગ્રહણ કરે. સારું વસ્ત્ર મળ્યું હોય તે મનમાં રાજી પણ ન થાય, અને હલકું વસ્ત્ર મળ્યું હોય તે મનમાં ખિન્ન પણ ન થાય. જિનકલ્પી સાધુઓ અથવા દિગંબર સાધુઓ વત્રરહિત હોય તે તેઓએ નતાને પરીષહ સમજીને સ્વીકારી લેવી જોઇએ. તે માટે મનમાં ક્ષોભ કે લજજાને ભાવ ન આવવા દે જોઈએ . (૭) અરતિ (અરઈ) પરીષહઃ અરતિ એટલે આનંદનો અભાવ, અરતિ એટલે સાનિ, શિક, ચિંતા વગેરે. સાધુ ભગવંતને સંયમમાર્ગની આરાધનામાં કઈ પણ પ્રતિકુળ પદાથે મળે તે પણ તેથી ચિત્તમાં સંયમમાર્ગ માટે કે તેવા નિમિત્ત માટે અરતિ કે અરુચિનો ભાવ આવવા ન દેવું જોઈએ. પિતાના જીવે પૂર્વજન્મમાં નરક કે તિર્યંચ ગતિમાં જે કંઈ દુઃખ સહન કર્યો હશે તેની સરખામણીમાં વર્તમાનમાં પ્રતિકૂળ પદાર્થોનું કષ્ટ તે કશી જ વિસાતમાં નથી એ શુભ ભાવ મનમાં સેવી અરતિ પરીષદને સહન કરી લે. (૮) સ્ત્રી (ઇથી) પરીષહર સાધુ ભગવંતને પાણિી સ્ત્રીઓ તરફથી પરીષહ સહન કરવાના પ્રસંગે કયારેક આવી પડે છે. બ્રહ્મનિષ્ઠ મહાત્માઓ તરફ વિવિધ લાલસાઓના કારણે દુરાચારી સ્ત્રીઓને આકર્ષણ થવાના પ્રસંગે દુનિયામાં બન્યા કરે છે. એવી સ્ત્રીએ સાધુ ભગવંતને હાવભાવ, કટાક્ષ, મધુર વચન વગેરે દ્વારા આકર્ષવા માટેની સરાગ ચેષ્ટાઓ એકાંતમાં કરે છે. તે વખતે ભલભલા સાધુઓનું. મન, વચન કે કાયાથી કે એ ત્રણેથી પતન થઈ જાય છે. એટલા માટે સાધુઓએ સ્ત્રીઓ સાથે એકાંત પ્રસંગ બિલકુલ રાખ ન જોઈએ અને બ્રહ્મચર્યવ્રતનું નવવાપૂર્વક સાચી નિષ્ઠાથી સેવન કરવું જોઈએ. કેઈ સ્ત્રી દુરાચારી જણાય તે તેના તરફથી પિતાના મનને નિવૃત્ત કરી લેવું જોઈએ. દશ વૈકાલિક સૂત્રમાં કહ્યું છે કેसमाई हाई परिव्वयंता । सिया मा निस्सरइ बहिद्धा॥ न सा महं नाबि अहं पितीसे । इच्चवे ताओ विणएज्ज राग ॥ (સમબુદ્ધિ રાખીને વિચરતા સ્ત્રીઓ વગેરેને જોઈને કદી સાધુનું મન સંયમથી ખસી ભ્રમિત થઈ જાય તે મારા નથી અને હું તેમને નથી” એ વિચાર કરી તેના પર હરાગ નિવાર) आयाक्याही चय सागमल्ल । कामे कमा हि कमिय खु दुक्खं ॥ ચિંદ્ધિ હાલ વિનgs1 at - एवं सुहि हाहिसि संपराए ॥५॥ શરીરનું સુકમળપણું છોડી સૂર્યની આતાપના લેવી, ઉદરી વગેરે બાર પ્રકારનું તપ કરવું, આહાર ઓછો કરે, ભૂખ સહન કરવી. એમ કરવાથી શબ્દાદિક કામગ અને તેનાથી ઉત્પન્ન થતા રાગદ્વેષ દુર રહેશે અને આત્માને સુખ પ્રાપ્ત થશે. જેમ સાધુઓએ સ્ત્રીઓ અને કામગના પદાર્થોથી વિમુખ રહેવું જોઈએ તેમ સાવીઓએ પણ પુઓ અને કામભેગના પદાર્થોથી વિમુખ બની સંયમમાર્ગમાં સ્થિર રહેવું જોઈએ. એવા અનુકૂળ પરીષથી ન આકાંત ચિત્તને દઢતાથી ચારિ. ત્રશુદ્ધિમાં એકાગ્ર કરી દેવું જોઈએ. ઉત્તરાધ્યયન સત્રમાં કહ્યું છે : संगे। एस मणुस्साणं जाओ लोगम्मि इथिओ। जस्स एया परिन्नाया सुकडं तस्स सामण्ण ॥ (લોકમાં સ્ત્રીઓ મનુષ્યને આસકિતના નિમિત્તરૂપ છે એવું જેમણે જાણ્યું તેમનું શ્રમણ સફળ થયું સમજવું) (૯) ચર્યા ચરિયા) પરીષહ : - સાધુ ભગવંતોએ એક ગામથી બીજે ગામ વિચરતાં રહેવું જોઈએ. આવી રીતે વિહાર કરવામાં શારીરિક થાક લાગે કે કષ્ટ પડે છે, પરંતુ તે સમભાવપૂર્વક સહન કરી લેવા જોઈએ, કારણ કે સાધુ મહાત્માઓએ કોઈ પણ એક જ સ્થળે લાખો સમય નિવાસ કરવો ન જોઈએ. તેમ કરવાથી તે રથળ અને, ત્યાંની વ્યકિતઓ પ્રત્યે રાગદ્વેષ થવાનાં ઘણું નિમિત્તે ઊભાં થાય છે. એટલા માટે જિનેશ્વર ભગવાને સાધુઓને એક ગામથી બીજે ગામ વિહારની આજ્ઞા કરેલી છે. ચાતુર્માસમાં કઈ પણ એક સ્થળે ચાર મહિના માટે સ્થિરવાસ કરી શકાય, જેથી એ સ્થળને ધર્મને વિશેષ લાભ મળે. બાકીના સમયમ– શેષ કાળમાં કોઇપણ એક સ્થળે, ખાસ મહત્વનું કે વિશિષ્ટ પ્રોજન ન હોય તે, એક મહિનાથી વધુ વાસ ન કરી શકાય. એટલે કે શેષકાળના આઠ મહિનામાં ઓછામાં ઓછા આઠ વિહાર તે થવા જોઈએ. ચાતુર્માસને એક વિહાર અને આઠ મહિનાના ભાઇ વિહાર એમ વર્ષ દરમિયાન ઓછામાં ઓછા કુલ નવકલ્પી વિહાર સાધુ ભગવંતેએ અવશ્ય કરવો જોઈએ વૃદ્ધ, રોગી અને તપસ્વી સાધુ ભગવંતે માટે અને તેમની વૈયાવશ્ય કરનાર મુનિઓ માટે અપવાદ રાખવામાં આવ્યા છે તેવી જ રીતે વિદ્યાભ્યાસ માટે ગુરુ ભગવંત કે સંધની આજ્ઞા સહિત મુનિને માટે એક સ્થળે વધુ સમય વાસ કરવાને અપવાદ પણ રાખવામાં આવ્યો છે. (૧૦) નધિકી (નિસીહિયા) પરીષહઃ - સાધુ મહારાજોને વિહારમાં ચાલતાં ચાલતાં રરતામાં વિશ્રામ કરવું પડે અથવા કર્યાક કાર્યોત્સર્ગ, પ્રતિક્રમણ ઈત્યાદિ ક્રિયા કરવી પડે. તે વખતે જે રથળ મળે તે સમભાવથી રવીકારી લેવું જોઈએ. સ્મસ્થાન ભૂમિ હોય, જંગલ, ખંડિયેર કે એવી બીજી કોઈ જગ્યા હોય તે તેવા સ્થળ માટે મનમાં ગમા-અણગમાના કે રાગદ્વેષના ભવ ન ઊઠવા દેવા તેનું નામ નધિની પરીષહ છે. (૧૧) શયા સેજા) પરીષહ: વિહારમાં કે ચાતુર્માસ દરમિયાન પિતાને બેસવા માટે કે સુવા માટે મળેલી જગ્યા ઊંચી-નીચી હોય, બહુ તડકે-ટાઢ કે પવનવાળી જગ્યા હોય તે પણ તે માટે મનમાં જરા પણ ઉગ
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy