________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૮૭
હતા. એણે બહેચરદાસને સરસ્વતી દેવીને મંત્રજાપ શીખવે હતે, બીજો એક વછરાજ નામને સહાધ્યાયી હતું. તે જાતે બારેટ હતા અને કવિતા કેમ વાંચવી અને કરવી તે જાણુ હતું. એણે બહેચરદાસમાં કવિતાને રસ જગાડયો હતો શાળામાં ભવું અને ખેતરમાં કામ કરવું એ બે બહેચરદાસની મુખ્ય પ્રવૃત્તિ સાથે મંત્રજાપ અને જોડકણાં બનાવવાની પ્રવૃત્તિ ચાલતી.
એવામાં વિજાપુરમાં રવિસાગર નામના જૈનાચાર્ય પધા હતા. એક દિવસ સવારમાં ગામને પાદર તેઓ રથંડિલ માટે જતા હતા ત્યારે બે ભેસે લડતા લડતી રવિસાગર તરફ ધસતી હતી. બહેચરદાસે એ દશ્ય જોયું. એમને ભય લાગે કે રખેને આ ભેસે જૈન મહારાજને અડફેટમાં લઈ પાડશે તે મહારાજ મોતના પંજામાં પડશે. એટલે એમણે પિતાના હાથમાં રહેલી ડાંગ એક ભેંસને જોરથી ફટકારી. એથી બને ભેંસે. છૂટી પડીને ચાલી ગઈ. રવિસાગરજી બચી ગયા. પરંતુ એ દશ્ય જોનાર રવિસાગરજી મહારાજે બહેચરદાસને પાસે બોલાવી પ્રેમથી કહ્યું, “ભાઈ ! મુંગા હેરને આમ મરાય નહિ. એને કેટલું દુખ થાય !”
રવિસાગરજી મહારાજે જે વાત્સલ્યભાવથી ઘેડા શબ્દોમાં આ શિખામણ આપી તે બહેચરદાસના હૃદયમાં એવી સેસરી ઊતરી ગઈ કે જાણે કે આ ઘટનાએ એના સમગ્ર જીવનમાં પરિવર્તન કરી નાખ્યું. આ કઈ મેટા મહાત્મા છે, એમના પરિચયમાં આવવા જેવું છે. એવી અંતરમાં તરત પ્રતીતિ થઈ ગઈ. ઉપાશ્રષ જઈ રવિસાગરજી મહારાજને વધુ પરિચય કર્યો અને પૂર્વના કોઈ અણુનુબંધથી રવિસાગરજી મહારાજને પણ બહેચરદાસના જીવનમાં રસ પડયે. વિદ્યાથી" તરીકે
તે તેજસ્વી હતા અને ગામઠી નિશાળમાં ભણવાનું ચાલતું ' હતું. પરંતુ તેઓ વધુ હોશિયાર થાય એ માટે અંગ્રેજી, સંસ્કૃત,
અર્ધમાગધી, ઉર્દુ વગેરે ભાષાઓ શીખવા માટે રવિસાગરજીએ જૈન ગૃહસ્થને ભલામણ કરીને પ્રબંધ કરાવી આપો. વિજાપુરમાં તે સમયના નથુરામ મંછાચંદ દેશી નામના ગૃહસ્થ તેમાં ઘણી આર્થિક મદદ કરી અને બધી સગવડ કરાવી આપવામાં અંગત રસ લીધો. ( વિદ્યાભ્યાસ કર્યા પછી ખેતીના વ્યવસાયમાં ન રહેતાં તેજસ્વી બહેચરદાસ પાસે આવેલા ગામ આજેલની પાઠશાળામાં શિક્ષક બન્યા. ત્યાર પછી વધુ અભ્યાસ માટે મહેસાણાની પાઠશાળામાં તેઓ જોડાયા. રવિસાગરજી મહારાજ સાથે તેમને સંપર્ક ઉત્તરેતર ગાઢ થતે ગયે. એ સં૫કથી જૈનધર્મના સંસ્કાર તેમનામાં આવતા ગયા. રાત્રિભોજન અને અભક્ષ્યને તેમણે ત્યાગ કર્યો. સામાયિક, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ ચાલુ કરી પોતાના અંતિમ દિવસોમાં રવિસાગરજી મહારાજે બહેચરદાસને પોતે જે રોજ ગણતા હતા તે નવકારવાળી પિતાની સ્મૃતિ તરીકે આપી અને આત્મસાધના કરવાની ભલામણ કરી. બહેચરદાસની ત્યારે ર૩ વર્ષની ઉંમર હતી. તેઓ મહારાજની સેવાચાકરી કરતા. અવાજ એમને બુલંદ હતા. તેઓ મહારાજશ્રીને ઉચ્ચ સ્વરે સ્તવન- . સજ્ઝાય સંભળાવતા. જૈન સાધુઓનું જીવન જોઈ એમને સંયમને રસ લાગ્યા હતા. એમણે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી. વિ. સં. ૧૯૫૪માં મહેસાણામાં રવિસાગરજી મહારાજ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા,
વિ. સં. ૧૯૫૬માં ભયંકર દુકાળ પડશે. છપ્પનિયા દુકાળ તરીકે તે જાણીતા થશે. એ અરસામાં બહેચરઘસ જ્યારે અમદાવાદમાં હતા ત્યારે શેઠ નાથુભાઈને પત્ર મળે કે
બહેચરદાસનાં માતા અને પિતા બંને પાંચેક દિવસના અંતરે અવસાન પામ્યાં છે. બહેચરદાસ તરત વિજાપુર આવ્યા. માતાપિતાની ઉત્તરક્રિયા કરી. વૈરાગ્ય તરફ એમનું મન વધતું જતું હતું. વિ. સં. ૧૯૫ક્યાં એમણે રવિસાગરજીના શિષ્ય સુખસાગરજી મહારાજ પાસે જઈ પાલનપુરમાં ૨૭ વર્ષની યુવાન વયે દીક્ષા અંગીકાર કરી. બહેચરદાસ પટેલ હવે મુનિ બુદ્ધિસાગર બન્યા. મુનિ તરીકે આજીવન ખાદી પહેરવાને તેમણે નિયમ લીધે. મુનિજીવનનું તેઓ ચુસ્તપણે પાલન કરવા લાગ્યા.
બુદ્ધિસાગર મહારાજ અત્યંત તેજસ્વી, શ્રદ્ધાવાન અને વિદ્યાવ્યાસંગી હતા. તેમણે ઝડપથી શાસ્ત્રાભ્યાસ ચાલુ કર્યો. જૈન અને અન્ય ધર્મના અનેક ગ્રન્થ તેઓ વાંચવા લાગ્યા. એમ કરતાં એમની તર્કશકિત, તારતમ્ય શકિત વિશેષ ખીલવા લાગી. દીક્ષા પછી પ્રથમ ચાતુર્માસ વિ. સં. ૧૯૫૭ માં સૂરતમાં થયું. એ સમયે જૈન સાધુમાંથી ખ્રિસ્તી બની ગયેલા જયમલ નામના ભાઈ ખ્રિસ્તી ધર્મને બહુ પ્રચાર કરવા લાગ્યા હતા. ત્યારે તેની એકેએક દલીલને તકયુક્ત શાસ્ત્રીય ઉત્તર આપતો જૈનધર્મ અને ખ્રિસ્તી ધર્મને મુકાબલે” નામને ગ્રન્થ બુદ્ધસાગરજી મહારાજે લખે. એમના એ પ્રથમ ગ્રન્થથી લેખક તરીકેની, વિચારક તરીકેની અને શાસ્ત્રજ્ઞ તરીકેની તેમની ઊંચી શક્તિને પરિચય બધાને થયે. આ રીતે યુવાન સાધુ બુદ્ધિસાગરને પ્રજાવ અનેક લેકે ઉપર પડવા લાગે.
લેખનશકિત સાથે સાથે તેમની વ્યાખ્યાનની શક્તિ પણ ખીલવા લાગી. શિક્ષક તરીકે બોલવાને મહાવરો તે હતા જ, તેમને સાંભળવા માટે જૈન-અન ઘણું શ્રેતાઓ આવતા બુદ્ધિસાગર મહારાજે પોતાના ગુરુ મહારાજ સાથે ત્યારપછી પાદરા, મહેસાણા, માણસા, વિજાપુર, અમદાવા વગેરે સ્થળે ચાતુર્માસ કર્યો. ઉત્તરોત્તર તેમની શક્તિ ઘણી વિકસતી જતી હતી. વિ. સં. ૧૯૬૯માં એમના ગુરુ સુખસાગરજી મહારાજ અમદાવાદમાં ઝવેરીવાડ, અબલી પળના ઉપાશ્રયે કાળધર્મ પામ્યા. હવે સમુદાયમાં પતે સૌથી મોટા રહ્યા હતા. એટલે પેથાપુરમાં ત્યાંના સંઘે વિ. સં. ૧૯૭૦માં એમને આચાર્યની પદવી આપી, તેઓ બુદ્ધિસાગરસૂરિ થયા.
બુદ્ધિસાગર મહારાજ એકાવન વર્ષની નાની ઉંમરે વિજાપુરમાં સં. ૧૯૮૧માં કાળધર્મ પામ્યા હતા. દીક્ષાનાં ચાવીસ જેટલાં વર્ષ એમને મળ્યાં. એટલાં વર્ષ દરમિયાન એમણે જે કાર્ય કર્યું તે અજોડ છે. એમના સંપર્કમાં આવેલી કેટલીક વ્યકિતએ આજે પણ હયાત છે. એમની પાસેથી બુદ્ધિસાગર મહારાજના પ્રભાવશાળી વ્યકિતત્વની અનેક યાદગાર વાતે સાંભળવા મળે છે.
વીસ વર્ષના દીક્ષા પર્યાયમાં બુદ્ધિસાગર મહારાજે ૧૧૦ કરતાં વધુ ગ્રન્થની રચના કરી, જેમાંથી ૧૦૮ જેટલા ગ્રન્થ એમની હયાતી દરમિયાન છપાઈ ગયા હતા. તેઓ પોતે કવિ હતા, સંશોધક જતા, વિવરણકાર હતા, અધ્યાત્મ ગી હતા. “કમયોગ, આનંદ ધનન પદે,’ ‘પરમાત્મજયંતિ” “પરમાત્મદર્શન,’ ‘તત્વ. જ્ઞાન દીપિકા,‘ગદીપક, “અદેયાત્મ શાંતિ,’ ‘હૂદ્રવ્ય વિચાર, ધ્યાન વિચાર', “તીર્થયાત્રાનું વિમાન,” “
શિષ્યોપનિષદ, અષામ મહાવીર,’ ‘ભજન સંગ્રહ “શ્રીમદ્દુ દેવચંદ્ર' (ભા. ૧ અને ૨) વગેરે તેમના અનેક ગ્રન્થ સુપ્રસિદ્ધ છે. સંસ્કૃત ભાષામાં એમણે “મહાવીરગીતા' નામને કાવ્યગ્રંથ લખે છે જે કવિ, લેખક, ચિંતક તરીકેની તેમની વિશિષ્ટ કોટિની પ્રતિભાને પરિચય કરાવે છે.
' ( અનુસંધાને પૃષ્ઠ ૬૦ ઉપર)