SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન , તા. ૬-૭-૮૭ દષ્ટિએ સર્વોચ્ચ સત્તાસ્થાને પહોંચેલી મહિલાઓમાં શ્રીમતી થેચરના ગુણપક્ષે કેટલીક વિશિષ્ટતાઓ છે. શ્રીમતી થેચરનું વ્યકિતત્વ અત્યંત પ્રભાવશાળી છે. કોઈ પણું સમુદાયમાં એક જાજવલ્યમાન નારી તરીકે તેઓ તરત પરખાઈ આવે એવાં છે. ભાષા ઉપરનું તેમનું પ્રભુત્વ અસોધારણ છે. તેમને અવાજ સ્પષ્ટ, રણકારવાળે અને આત્મવિશ્વાસપૂર્વકને છે. પ્રત્યેક રાજદ્વારી પ્રશ્નની તેમની સમજશકિત અને ગ્રહણશકિત ઊંડી છે. તેમની વિચારણા વિશદ છે. પિતે વડા પ્રધાન નહોતાં તે પૂર્વે પાર્લામેન્ટના એક સભ્ય તરીકે ચર્ચાઓમાં જ્યારે તેઓ ભાગ લેતા ત્યારે તેમના સ્પષ્ટ વકતવ્યની પાર્લામેન્ટના સભ્યો ઉપર ઘણી સારી છાપ પડતી. તેમનો અભિપ્રાય શું છે તે જાણવા મળે ઉત્સુક રહેતા. તેમની વકતૃવછટા અનેખી છે. તેઓ અત્યંત બુદ્ધિશાળી છે અને મહિલા હોવા છતાં પણું સંવેદનશીલ બન્યા વિના તેઓ પોતાના વિચાર અને નિર્ણયમાં મકકમ રહે છે. કયારેક તે નિષ્ફર ગણાય એટલી હદ સુધી તેઓ પિતાના નિર્ણયમાં અડગ રહે છે. - શ્રીમતી થેચરના વડા પ્રધાન તરીકેના આઠ વર્ષના વહીવટ દરમિયાન બ્રિટનમાં ફુગાવાનું પ્રમાણ ઘટયું છે. ચીજવસ્તુઓના ભાવ જળવાઈ રહ્યા છે. આર્થિક વિકાસ નિયમિત ગતિએ થતો , રહ્યો છે. પાઉન્ડ મજબૂત બન્યો છે. યુરોપિયન કોમન માર્કેટમાં બ્રિટનનું માન વધ્યું છે. આર્થિક સમસ્યાઓ ઘટી છે. ભવિષ્યમાં બ્રિટનના લેકની પાસે પિતાની માલિકીનું ઘર હોય, મેટરકાર હાય, કંપનીઓના શેર હોય અને પિતાની મૂડી રોકીને વેપાર-ઉદ્યોગમાં વધુને વધુ કમાવા માટે પુસ્ત્રાર્થ કરવા માટેની મુકત તક હોય એવું અર્થતંત્ર રચવાની આશા શ્રીમતી ચર સેવે છે. અમેરિકા અને પ્રમુખ રેગનને અનુસરીને તેઓ પિતાના દેશને મુક્ત મૂડીવાદ તરફ લઈ જવા ઇરછે છે. બીજી બાજુ મજુર પક્ષના નેતા ની કિનેકને એવો આક્ષેપ છે કે શ્રીમતી થેચરની આર્થિક નીતિથી ગરબા અને તવંગર વચ્ચેની ખાઈ બ્રિટનમાં વધતી ગઇ છે. બેકારીનું પ્રમાણ વધ્યું છે. કેટલાંક કારખાનાઓ બંધ પડયાં છે. ગુનાખેરી વધી છે. સૌને સમાન તક મળે એવી ભાવના નષ્ટ થઈ છે. આરોગ્ય, વસવાટ, મજૂરી અને આવકની બાબતમાં માણસ માણસ વચ્ચેનું અંતર વધતું જાય છે. ઉત્તર અને દક્ષિણ બ્રિટનના લોકો વચ્ચે પણ ભેદભાવ વધવા લાગે છે. કુટુંબે વચ્ચે, ગોરા અને કાળા વચ્ચે, ગરીબ અને તવંગર લેકે વચ્ચે થેચર સરકારની ભેદભાવભરી નીતિ વધતી જાય છે. શ્રીમતી થેચરની નીતિથી પ્રજારો કેટલાક વર્ગ વધુ સમૃદ્ધ થશે, પરંતુ તેની સાથે સાથે પ્રજાને ઠીક ઠીક વર્ગ ગરીબી અને બેકરીમાં સડવા લાગશે. સત્તા ઉપર બેઠેલી ગ્યકિત સત્તાને પચાવીને સરળ અને વિનમ્ર રહી શકે એવું ઓછું બને છે. શ્રીમતી થેચર આઠ વર્ષથી વડા પ્રધાનનું પદ ભોગવતાં આવ્યાં છે. તેઓ સ્વભાવે સ્વાભિમાની છે અને ઉત્તરોતર એમનામાં આપખુદી વલણ વધતું રહ્યું છે. કડક શિક્ષિકાની જેમ પિતાના સહકાર્યકરોને લાંબી લાંબી શિખામણ આપવી, વિરોધી સૂર સહન ન કરે, ઉગ્ર પ્રતિકાર કરે, તરત તડફડ જવાબ સંભળાવી દે ઈત્યાદિ એ એમના સ્વભાવની ખાસિયત વધતી ચાલી છે. સત્તાન વધુ પંચ વર્ષ એમને મળ્યાં છે. એમાં એમનું આપખુદીપણું વધશે કે ઘટશે તે કહી શકાય તેમ નથી. પરંતુ એટલું નિશ્ચિત છે કે એક મહિલા વડા પ્રધાન તરીકે તેમણે બ્રિટનના અને યુરેપના ઇતિહાસમાં ઘણું મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી. લીધું છે. એશિયા અને આફ્રિકાના કેટલાક દેશોની સરખામણીમાં બ્રિટનની ચૂંટણીમાં મુકત અને સમજદાર મતધનને પૂરે. અવકાશ હોય છે. ભારત અને અન્ય કેટલાક દેશમાં લોકશાહી હોવા છતાં અશિક્ષિત અને ગરીબ વર્ગનું પ્રમાણ એટલું મેટું છે કે એવા વર્ગ પાસેથી ચુંટણીમાં મત ખરીદી શકાય છે; જેથી કેટલીક વખત સમર્થ ઉમેદવાર હારી જાય અને પૈસાના જોરે અગ્ય ઉમેદવારો ચૂંટાઈ આવે એવી ઘટનાનું ભારતમાં બહુ આશ્રર્ય રહ્યું નથી. એટલે ભારતમાં લેકશાહી હોવા છતાં પાર્લામેન્ટમાં ચૂંટાયેલા બધા જ સદ. પ્રજાના સાચા પ્રતિનિધિ છે એમ નહિ કહી શકાય. વળી ચૂંટણીમાં અવળે પ્રચાર અને ગેરરીતિઓ પણ વારંવાર બને છે. શાસક પક્ષ પિતાની સત્તાને, સરકારી તંત્રને અને લેકમાધ્યમને ચુંટણી માટે વધુમાં વધુ લાભ ઉોવે છે આવી પરિસ્થિતિની સરખામણીમાં બ્રિટનની ચૂંટણીમાં શ્રીમતી થેચર પ્રજાના બહુમતી વર્ગના સાચા પ્રતિનિધિ તરીકે વડા પ્રધાન થયાં છે એ નિ:સંદેહ અને પ્રશંસાપાત્ર છે. નીલ કિક મજુર પક્ષના મુખ્ય નેતા છે. હજુ પિતાલિસની ઉંમરે પહોંચ્યા છે, પરંતુ ઉત્તર બ્રિટન અને ટલેન્ડના લેક-ખાસ કરીને મધ્યમ વર્ગના કામોની ચાહના તેમણે ઘણી મેળવી છે. સ્ટીલના કારખાનાના કામદારો અને કલસાની ખાણુના ખાણિયાઓના વેતનસુધારા માટે તેમણે જબો પુરુષાર્થ કર્યો છે. ગરીબે. પ્રત્યે તેમને ઘણી મદદ છે. તેઓ સ્વભાવે અત્યંત સંવેદનશીલ છે. કયારેક ભાષણ કરતાં કરતાં તેઓ સાચે જ ગળગળા બની જાય છે. દક્ષિણ બ્રિટન કરતાં ઉત્તરના લેકમાં ગરીબી અને બેકારીનું પ્રમાણ વિશેષ છે. ઘણા લોકોની સ્થિતિ સાધારણ છે. તે સુધારવા માટે કિનકે ભારે પુરુષાર્થ કર્યો છે. ચૂંટણીમાં એમનો પક્ષ ન જીતી શક્યો એ હકીકત છે, તે પણ આગલી ચૂંટણી કરતાં આ ચૂંટણીમાં તેઓ ઘણી વધુ બેઠક મેળવી શકયા છે તે તેમની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે. શ્રીમતી થેચરને મન પોતાની અને પિતાના પક્ષની સત્તા સૌથી મહત્વની છે. સમગ્ર પ્રજાના કલ્યાણની વાત પછીથી આવે છે. કિનેકને મન સમગ્ર પ્રજાના કલ્યાણને પ્રશ્ન અને સમગ્ર દેશની અખંડિતતાનો પ્રશ્ન સૌથી મહત્ત્વ છે. કિક બ્રિટનના મૂળ ગોરા વતની હોવા છતાં એમને એશિયા અને આફ્રિકાના બ્રિટનમાં વસેલા કાળા વતનીઓ પ્રત્યે એટલે જ ભ્રાતૃભાવ છે. માનવતાનો અંશ શ્રીમતી થેચર કરતાં કિનેકમાં વિશેષ રહે છે. શ્રીમતી થેચર પ્રગટપણે કશું ન બેસતાં હેવા છતાં બ્રિટનમાં વસતા બિનગરા લેકે પ્રત્યેને એમને દ્વેષ કે અણગમે એમના અંતરના ખૂણે પડેલે હોય એવો ભાસ થાય છે. કિનેકે કાળા કાને પણ પાલમેન્ટમાં સ્થાન અપાવ્યું છે. ભારત સાથેના બ્રિટનના રાજદ્વારી સંબંધ સારા હેવા છતાં શ્રીમતી થેચરના રાજદ્વારી વલણમાં સ્વાર્થ પટુતા રહેલી . છે. નીલ કિક બ્રિટનના વડા પ્રધાન બન્યા હોત તે ભારતના બ્રિટન સાથેના રાજદ્વારી સંબંધે વધુ ઉષ્માભર્યા બન્યા હેત એમ તે જરૂર કહી શકાય. બીજાં પાંચ વર્ષ પછી આવતી ચૂંટણીમાં પણ જીતી જવાની આશા શ્રીમતી થેચરને છે, પરંતુ માનવતાવાદી દિનેક અને એમને મજુર પક્ષ આવતી ચૂંટણુમાં જીતી જઈ સત્તાસ્થાને આવે છે તે તેમની વધતી જતી લોકપ્રિયતાના સંદર્ભમાં આશ્ચર્યકારક નહિ ગણાય. ': ': ' , ' . . . . . .. ,, રમણલાલ ચી. શાહ,
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy