SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૮૭ બેટી મારામારી કરી અને ભાગી ગયા એથી અમે બધા પ્રવાસીઓ રસ્તામાં પારાવાર અગવડમાં મુકાઈ ગયા હતા.' વિદેશીઓ માટે ભારતમાં પ્રવાસની સગવડ ઓછી હોય છે એટલું જ નહિ ભારતમાં પ્રવાસ માટે આવવાનું મન ન થાય એવાં કારણે પણ ઘણુબધાં રહે છે. વિદેશમાં એક પ્રવાસ *1' 'India is an affezted and infected area for a foreign tourist.” પિતાને અનુભવ વર્ણવતાં એણે કહ્યું કે મુંબઈમાં આવ્યા પછી મુંબઈ બંધને કારણે પિતાને બધે કાર્યક્રમ ખોરવાઈ ગયે કો રસ્તામાં ભિખારીએ તે ઝંપવા જ ન દે. લુચ્ચા ફેરિયાઓ અને ટેક્ષીવાળાઓ ઘણી બદમાશી કરે. અસ્વચ્છતાને કારણે અચાનક માંદા પડી જવાય. ભારતમાં અચાનક રમખાણો ફાટી નીકળે. નાની નાની બાબતે માટે મેટી મેટી લાઈનમાં ઊભા રહેવું પડે કર્મચારીઓનાં છા, અવિવેકી વર્તન જેવા કરવાં પડે. અરે મુંબઈ કે દિલ્હી જેવા એરપોર્ટમાં ઊતરીએ તે કરુંન્સના કર્મચારીઓના ચહેરા ઉપર આવકારને કેઈ હાવભાવ ન મળે. સસ્મિત કઈ સેવા નહિ. અજાણતાં જરાસરખી પણ Irregularity થઈ ગઈ હોય તે લાંચ અને ભેટ સેગદની બહુ અપેક્ષા રાખે જાણી જોઈને અતિ મંદગતિએ કામ કરે ગિર કોઈ પાર નહિ. એમ થાય કે આ દેશમાં આપણે ક્યાં આવી ફસાયા. મારા મત પ્રમાણે તે ભારતના અતિરરાષ્ટ્રીય વિમાનમથકના કર્મચારીઓને વિદેશોમાં ચાર-પાંચ મેટાં આંતરરાષ્ટ્રીય મથકેમ થોડા દિવસ કામ કરવા મેકલી આપવા જોઇએ અને ત્યારપછી જ ભારતના વિમાનમથકમાં તે પોતાની નોકરી ચાલુ કરી શકે તે ઘણો ફરક પડે. જેણે બહારની દુનિયા જોઈ નથી, એવા કપમંડૂક કર્મચારીઓ સત્તારથાને એવી છાતી ફેલાવીને બેઠા હોય છે કે જાણે સમગ્ર વિશ્વને પિતાની ઈચ્છા અનુસાર નચાવી શકે છે કે શિક્ષા કરી શકે છે.' કેટલાકને એ પ્રશ્ન થશે કે આપણા દેશમાં અનેક ગરીબ લે કાને બે ટંક પૂરું ખાવાનું નથી મળતું તે દેશમાં મેરી મેટી પંચતારક હોટેલે કરવાને અર્થ શું? આ દલીલમાં કશું વજૂદ નથી, એમ નહિ કહી શકાય. તે પણ જે દેશોએ સવ ગીરુ ભૌતિક વિકાસ કરે છે એ દેશમાં વિવિધ કોટિના લે માટે વિવિધ પ્રકારની સગવડો ઊભી કરવી જરૂરી છે. ગરીબી અને બેકારીને પ્રશ્ન તે બીજા બસે – પાંચ વર્ષ સુધી ચાલી શકે એટલે મોટે છે. એટલા માટે અન્ય વિકાસ અટકાવ કે ન ગણાય. અગ્રતાક્રમ જરૂર રાખી શકાય. જુદાં જુદાં ક્ષેત્રે વિકાસની પરંપરા ચાલે ત્યારે વિભિન્ન વગર વચ્ચે લગભગ સમાન પરિપાટી સ્થાપવા માટે ઉપરના વગરને નીચે ઉતારવા કરતાં નીચેના વર્ગને ઉપર ચઢાવવાનું સમાજ માટે વધુ હિતાવહ ગણાય. Have અને Have not એ બંને વગેરે લગભગ સરખા કરવા હોય તે Have 11017 Have not qum 3241 spai Have not વાળાને Haveવાળા કરવામાં જ સમાજનું શ્રેય રહેલું છે. સાચું, સંનિષ્ઠ આયોજન હેય તે કશું મુશ્કેલ નથી. એવા વિવિધલક્ષી, વિવિધ પ્રકારના, વિવિધ કક્ષાના આયોજનમાં સાદાઈ અને સૌદર્યના અભિગમને સગવડના અભિગમ સાથે જોડી શકાય દુનિયાભરના દેશમાં પંચતારક હોટેલ જેવી સુવિધાની જાણે કે સ્પર્ધા ચાલી છે. આ સ્પર્ધાને આંતરરાષ્ટ્રીય પવન એ જોરદાર ફૂંકાઈ રહ્યો છે કે એથી આપણે આપણી બારીઓ બંધ કરવાથી બહુ ફાવી શકીશું નહિ. મેટી હેલેના અનેક ગેરલાભ જેમ છે તેમ લાભ પણ એટલા જ છે. માટે આવા ભૌતિક વિકાસમાં ગ્રંથિરહિત મુકત-ઉદાર વલણ અપનાવવું વધુ દષ્ટ ગણાશે. કોઈપણ પ્રદેશ વિશે વાંચીને માહિતી મેળવવી તે એક વાત છે અને તે પ્રદેશ નજરે નિહાળવો તે બીજી વાત છે. પ્રવાસથી માણસની દૃષ્ટિ ખીલે છે; અનુભવજન્ય જ્ઞાન વધે છે; પ્રાદેશિક સંકુચિતતા દૂર થાય છે; દૂરના લે સાથે આત્મીયતા બંધાય છે અને જીવન અનુભવસમૃદ્ધ બને છે. પ્રવાસ શિક્ષણને એક પ્રકાર છે. આથી ઠેઠ પ્રાચીન સમયથી પ્રવાસના મહત્વ ઉપર ભાર મુકાયો છે. વાત વાતો મr : ' એમ કહેનાર પ્રાચીન ઋષિમુનિઓએ, ધર્માચાર્યોએ પવિત્ર ધર્મસ્થળનું નિમણુ દૂરની એકાંત રમણીય જગ્યામાં એવી સરસ્ય રીતે કર્યું છે કે જેથી તીર્થયાત્રાને નિમિત્તે પણ માણસ ઘરની બહાર નીકળે અને પ્રકૃતિના વિશિષ્ટ સાંનિષમાં રહી આનંદ અનુભવે. ધન્યકુમારચરિત્રમાં કહ્યું છે, दोसह विविहचरि, __जाणिज्जइ सज्जण - दुज्जण विसेसो । સાથે ૨ સ્ટિાગ લૉગિફ્ટ તેવા પુરી ! (પ્રવાસ કરવાથી વિવિધ પ્રકારનાં ચરિત્રે જોવામાં આવે છે, સજજન અને દુર્જન વચ્ચેનો તફાવત સમજવામાં આવે છે તેમજ આત્માની શક્તિ ખીલે છે; માટે પૃથ્વીને પ્રવાસ કરે.) સેમ્યુઅલ જહોન્સને કહ્યું છે: All travel has its advantages. If the traveller visits better countries, he may learn to improve his own; and if fortune carries him to worse, he may learn to enjoy his own. ઓગસ્ટાઈન એફ હિપેએ કહ્યું છે: The world is a great book of which they who never stir from home read only a page. - વર્તમાન જગત પ્રવાસ ઉદ્યોગના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, એની સાથે આપણે કદમ મિલાવી શકીશું? -રમણલાલ ચી. શાહ માવિક : શ્રી મુંબઈ જેન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રે, મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ મુદ્રણરથાન: ટેક પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪.
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy