SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન છે. હરિવલ્લભ ભાયાણીએ કહ્યું છે કે મોહનભાઈનું જૈન ઇતિહાસ અને સાહિત્યના ક્ષેત્રમાં એવું અનન્ય પ્રદાન છે કે કઈક યુનિવર્સિટીમાં તેમના નામની ચેર થવી જોઇએ. ઇતિહાસ અને ઐતિહાસિક વ્યકિતઓના ગૌરવનું રક્ષણ કરવા માટે દષ્ટિવિહોણુ અને ઉપેક્ષાત્મક વલણ ધરાવનારા સમાજ પાસે આવી અપેક્ષા સેવવી તે તે વસ્તુતઃ વધુ પડતી છે. પણુ આવી વ્યકિતના નામે, હરેક વર્ષે કોઈ એવોર્ડ કે ચંદ્રક આપવાનું થાય તેપણ તે ઓછું નથી. શ્રી હીરાલાલ કાપધ્યિાને સંદર્ભે વિચારીએ ત્યારે તે અકકલ કામ નથી કરતી. એમણે આહંત દર્શન દીપિકા નામે જૈનતત્ત્વના સર્વસંગ્રહ જેવા સંદર્ભગ્રંથની રચના કરી છે. ૪૫ આગમનું સરસ દિગ્દર્શન, યશદેહન” એ નામે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના સમસ્ત સાહિત્યને પ્રમાણભૂત પરિચય, જૈન સંસ્કૃત સાહિત્યના ઈતિહાસના ત્રણ ખંડે, બાબુ પનાલાલ હાઇસ્કૂલ - મુંબઈ માટે ૧થી ૧૧ ઘેરથના જૈન પાઠયક્રમ (કિરણવલી ૧ થી ૧૨ ). પતંગપુરાણ, પતંગપોથી, મધ્યકાલીન પહેરવેશ- સચિત્ર વગેરે વિષયનાં અનેક પુસ્તકે સભ્ય છે. લગભગ ૧૫૦૦ થી ૨૦૦૦ જેવા સંશોધનાત્મક લેખ લખ્યા છે. જેમાં મેટા ભાગના હજ અગ્રંથસ્થ રહ્યા છે. પૂના-ભાંડારકર ઈન્સ્ટિટયૂટની જેન હરતwતેનું વર્ણનાત્મક સૂચિપત્ર એમણે તૈયાર કર્યું છે, જેનાં ૧૮ જેટલા વેલ્યુમે છપાયા છે છતાં હજી બારેક વેલ્યુએ અપ્રગટ પડ્યાં છે અને આ સિવાયનાં સંપાદને, અનુવાદ વગેરે પ્રકારના પ્રધેને તે મોટે ઢગલે થાય. સંપાદન પણ એવા કે સજનનેય ટકકર મારે! અને આ બધું કાર્ય જોયા-જાણ્યા પછી આ બન્ને સાક્ષ રને “વન મેન યુનિવર્સિટી’ શી રીતે ઓળખી શકાય ? વસ્તુતઃ આવા સાક્ષરવર્યો જૈન સમાજ અને સાહિત્યના ગૌરવ સમાન છે, અને આવા સાક્ષરથી જ આજનું સાહિત્યક્ષેત્ર ઊજળું છે, એ નિ:સંદેહ છે. કમનસીબે, આવી વ્યકિતઓને તેમના જીવનકાળ દરમ્યાન તે સમાજે પ્રીછયા કે પંખ્યા નહિ. પણ એને અફસેસ કરવા કરતી, હવે, આ બને સાક્ષરના નામથી કે પુરસ્કારની યોજના થાય તે પણ તેમના ગૌરવને પ્રીછયું ગણાશે. “જૈન સાહિત્ય સમારોહના માધ્યમથી આ કાર્ય થઈ શકે. દર વર્ષે જૈન સાહિત્યને લગતી, ખાસ કરીને જૂની ગુજરાતી ભાષા સાથે સંબંધ ધરાવતી, અથવા તે જૈન ધર્મવિષયક સંશોધનાત્મક કે સર્જનાત્મક કૃતિને નિર્ણાયક દ્વારા પસંદ કરાય; તેવી કૃતિ ઉપલબ્ધ ન થાય તે સમારોહમાં આવેલા અથવા અન્યત્ર છપાતા કે છપાયેલા સંશોધનાત્મક કોઇ નિબંધ લેખ પર પસંદગી ઉતારી શકાય; અથવા તે પસંદગીનાં ધોરણે નકકી કરાય અને તે રીતે પસંદગી કરાય, અને તે કૃતિને, લેખને પ્રી મે. દ. દેશાઈ એડ (પારિતોષિક કે ચન્દ્રક)થી નવાજવામાં આવે. એ જ રીતે શ્રી હી. ૨. કાપડિયાના નામને પણ એડ અપાય. આ એર્ડો વિવિધલક્ષી પણ હોઇ શકે. કયારેક કાઈ કૃતિ માટે અપાય, કયારેક કઈ કૃતિના પ્રકાશન કે પુનઃ મુદ્રણ માટે અપાય, કયારેક કોઈ પરિસંવાદ કે વ્યાખ્યાનમાળા સાથે આ બે સાક્ષરનું નામ જોડવા માટે અપાય-ઇત્યાદિ વિવિધ હેતુસર વાપરવાની જોગવાઈ પણ કરી શકાય. સમારોહ'ના ઉપક્રમે થઈ શકે તેવી, કરવાલાયક, બીજી પણ કેટલીક આવશ્યક કામગીરી છે. જેમ કે, આપણે ત્યાં સંશોધનાત્મક પદ્ધતિએ લેખ લખવાનું છેલ્લા પાંચ – છા દાયકાઓથી કે તેથીય વધુ પહેલાથી ચાલુ છે. આ ગાળામાં જૈન સાહિત્ય સંશોધક’, ‘ભારતીય વિદ્યા', “પુરાતત્ત્વ"કેનરન્સ હેરક અને જૈન યુગ, જૈન સત્યપ્રકાશ', 'રૂપમ’ 'વિશાલ ભારત’, ‘માગ", બુદ્ધિપ્રકાશ' વગેરે વગેરે અનેકાનેક સામયિકે તથા અનેક અભિનંદન-સ્મૃતિગ્ર થે, હિંદી-અંગ્રેજી ગુજરાતી વગેરે ભાષાઓમાં પ્રગટ થતાં જ રહ્યાં છે, જેમાં આજપર્યંત અસંખ્ય શેાધલેખે - નિબંધ પ્રગટ થયા છે. આમાં “જૈન” સાહિત્યની વિવિધ શાખાઓ સાથે સંબંધ ધરાવતા લેઓનું પ્રમાણ ઘણું મેટું છે. હવે આજે આ બધાં સામયિકનાં નામની પણ ઘણુને જાણ નથી હોતી, તે તેમાં ક્યા વિષયને કોને લેખ કયારે છપાય છે તેની તે ખબર જ શેની હોય?' પરિણામે થાય એવું કે કોઈ એક વિષય પર આજના કઈ શોધલેખકે પિતાનું તારણે, અનુમાને, સંધને પિતાની રીતે તૈયાર કરીને કોઈ લેખ ક્યાંક છાપવા મોકલ્યા કે છપાવ્યો હોય, અને તેને એમ થાય કે મેં આ નવી જ વાત શેાધી છે, જે આજ પૂવે' કાઈનાય ધ્યાન પર આવી નથી; હવે બને એવું કે તેના નેધેલાં જ તારણો અને સંશોધને આજથી ૪-૫ દાયકા અગાઉ કોઈ મેટા ધુરંધર વિઠાને, કઈ સામયિકમાં પ્રગટ કર્યા હોય, ને તેનાથી આ નવ-લેખક તદ્દન અનભિજ્ઞ જ હોય અને તેથી કયારેક કેઇ આ નવ-લેખક ઉપર ચેરીને આક્ષેપ મૂકી શકે. આવું બને ત્યારે કેવી વિડળના સજાય ! આથી જ, મને થાય છે કે જૂનાં ને અત્યારે ચાલુ હોય તેવાં, દરેક શેધ-સામયિકાની પાછલે કે અંકમથી, “જૈન સાહિત્ય” સાથે સંબંધ ધરાવતા શાધ-લેખની વિષયવાર તથા લેખકવાર વગીકૃત એક વિરતૃત સૂચિ હવે થવી જોઈએ. આવી સુચિ માટે સંબંધિત સામયિકે ઉપલબ્ધ કરી આપે તેવી મોટી લાઈબ્રેરીએ-રોયલ એશિયાટિક સેસાયટી, મુંબઈ યુનિવર્સિટી, ભારતીય વિદ્યા ભવન, જૈન સાહિત્ય વિકાસ મંડળ, ફાર્બસ ગુજરાતી સભા વગેરે માતબર સંસ્થાઓ મુંબઈમાં વિદ્યમાન છે. આ સંસ્થાઓના સંગ્રહમ શેસામયિકનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં મળી રહે એ નિઃશંક છે. - જે “સમારોહના તંત્રવાહકે છે તે આ કામ માટે એક કે બે વર્ષ પૂરતી ખાસ શિષ્યવૃત્તિની જોગવાઈ કરી, પૂરા સમયના એક સક્ષમ નિષ્ણાતને આ કામ એપી શકે, આ કામ કરાવી શકે, તે એક અત્યંત જરૂરી અને મહત્વપૂર્ણ કામ કર્યું ગણાશે. આવા સંદર્ભગ્રંથનું મૂલ્ય વૈજ્ઞાનિક પદ્ધતિએ થતાં સંશોધન માટે કેટલું છે, તે તે આ ક્ષેત્રમાં કામ કરનાર સૌ સમજી શકે છે, આવી “વર્ગીકૃત નિબંધચિથી સીધો લાભ એ થશે કે એક બાજુ, એક જ વિષય ઉપર કામ બેવડાશે નહિ, અને તેથી સારા સંધક/સાહિત્યકાર અજાણપણે ઉઠાંતરીના સંભવિત આરોપથી બચી જશે, તે બીજી બાજુ, એક વિષય પર જેટલું કામ થયું હેય-લખાયું હોય તે બધું, તે જ વિષય ઉપર આગળ કામ કરવા ઇચ્છનાર વિદ્વાન કે વિદ્યાર્થીઓ માટે સહાયક સામગ્રીરૂપ બની રહેશે. અને આમ થવાનું શ્રેય આ “વગીકૃત સૂચિ'રૂપ સંદર્ભગ્રંથને આભારી ગણુશે આ કામ કઈ ખંતીલા સાધુ માટે પણ શક્ય જરૂર બને, પરંતુ તેમાં મર્યાદા એ છે કે ઉપાશ્રયથી ઘણે દૂર અને વળી
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy