________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૮૭ :
પ્રમાણુ થવાથી જાણવાગ્ય જાણી શકાય છે. છેવાય છેડી શકાય છે, અને આચરાગ્ય આચરી શકાય છે,
પ્રમાણ પણું જ્ઞાન છે. પ્રમાણુના ચાર પ્રકાર છે:
૧. પ્રત્યક્ષ પ્રમાણ: વસ્તુનું પ્રત્યક્ષપણે જ્ઞાન થવું તે પ્રત્યક્ષ પ્રમાણ છે. તેના એકથી વધુ ભેદ અને પ્રભેદ છે.
૨. અનુમાન પ્રમાણુ: અનુમાનથી, તકથી વસ્તુનું જ્ઞાન થવું તે અનુમાન પ્રમાણુ. દા. ત. ધુમાડે જેને ત્યાં કંઈક બળતું હોવાનું જાણવું. તેના એકથી વધુ ભેદ અને પ્રભેદ છે.
૩. આગમ પ્રમાણ: અાપ્ત પુરુષે દ્વારા કથિત શાસ્ત્રોથી પદાર્થનું જ્ઞાન થવું તે આગમ પ્રમાણે છે. તેના ત્રણ પ્રકાર છે.
૪. ઉપમા પ્રમાણ: ઉપમાથી વસ્તુનું જ્ઞાન થયું તે ઉપમા પ્રમાણું. દા. ત. આગામી વીશીમાં પદ્મનાભ તીર્થંકર થશે તે વર્તમાન વીશીના તીર્થંકર શ્રી મહાવીરસ્વામી જેવા થશે. * નિક્ષેપ : - જ્ઞાનનું વાહન ભાષા છે. અમૃત જ્ઞાન ભાષાના માધ્યમથી મૂર્તરૂપ બની વ્યવહાર્ય બને છે.
ભાષા શબ્દાત્મક છે. સામાન્યતઃ શબ્દને અર્થપ્રાગ ચાર રીતે થાય છે. અર્થપ્રગને નિક્ષેપ કહે છે.
કોઈપણ એક નામવાળી વરતુમાં ગુણનું કે અવગુણનું અવલોકન કરીને તેનું શુદ્ધ કે અશુદ્ધ રવરૂપ પ્રકટ કરવું તેને નિક્ષેપ કહે છે. આ નિક્ષેપ ચાર પ્રકારના છે : - ૧. નામ નિક્ષેપઃ જે કહેવાથી વસ્તુને એધ થાય તેને નામ કહે છે. દા. ત. ટેબલ કહેવાથી ટેબલને બેધ થાય છે. આ નિક્ષેપના ત્રણ પ્રકાર છે.
૨. સ્થાપના નિક્ષેપઃ મૂળ વસ્તુની પ્રતિકૃતિથી જેને બેધ થાય તેને સ્થાપના નિક્ષેપ કહે છે. દા. ત. ભગવાનની પ્રતિમા કે ચિત્ર જેવાથી ભગવાનને બંધ થાય છે. આ નિક્ષેપ ૪૦ પ્રકારના છે.
૩. દ્રવ્ય નિક્ષેપઃ પદાર્થ તે છે પરંતુ તેમાં નામ પ્રમાણે ગુણ નથી અથવા હજી સુધી ગુણ પ્રકટ થયા નથી તે દ્રવ્ય નિક્ષેપ છે. દા. ત. શાસ્ત્રો કે સૂત્રે ભણે પણ તેને કંઈ અર્થ સમજે નહિ અથવા શૂન્યચિત્તે ભણે તેના એકથી વધુ ભેદ અને પ્રભેદ છે.
૪. ભાવ નિક્ષેપ : વરતુમાં વસ્તુને નિજગુણ હોય તેને ભાવે નિક્ષેપ કહે છે. દા. ત. એકાગ્ર ચિત્તે શાસ્ત્રો કે સુ ભણવા, તેના અર્થ અને મર્મ જાણવા. * પાંચ સમવાય: '.
જીવાત્મા જે કંઇ સુખ-દુઃખ અનુભવે છે, તેને જીવનમાં જે કંઇ સૌભાગ્ય કે દુર્ભાગ્ય જોવા મળે છે, તે માટે માત્ર કઈ એક જ કારણ કે શકિત કે ઈશ્વર મુખ્ય નથી. પરંતુ પાંચ કારણની તરતમતાથી જીવનમાં વૈવિધ્ય જોવા અને અનુભવવા મળે છે. - સુખ-દુઃખના કારણના વિવાદમાં સંવાદ સ્થાપિત કરવા શ્રમણ ભગવાન મહાવીરે તદ્દન નવીનકર વિચારપદ્ધતિ આપી છે. પંચ સમવાય’ નામે તે પ્રતિષ્ઠિત અને પ્રચલિત છે.
સમવાય એટલે સમૂહ પંચ એટલે પાંચ. જીવનના વૈવિધ્યમાં આ પાંચ સમૂહને અવિભાજય ફાળો છે. તે મા પ્રમાણે
૧. કાળ સૃષ્ટિનાં તમામ સ્તર પર કાળનું સામ્રાજ્ય
છે. કાળ કર્તા[ અને હતાં છે કાળ એટલે સમય સમયે પાકે જ પરિણામ આવે છે. અકાળે કશું બનતું નથી. | દા. ત. કોઈપણ બીજ વાવે તે તેનું ફળ તરત જ - ઊગતું નથી. અમુક કાળ પાયા પછી જ બીજ ફળવાળું વૃક્ષ બને છે.
- ગર્ભાધાન થાય કે તરત જ બાળક જન્મતું નથી. અમુક નિશ્ચિત સમયે જ બાળક જન્મે છે. R -સૂર્ય, ચંદ્ર, ભરતી, એટ વગેરે સમયની અદબ જાળવે છે.
પરંતુ આટલા માત્રથી કાળ જ સૃષ્ટિસંચાલક અને નિયંતા છે, તેમ માનવું મિથ્યા છે. આ માટે અન્ય કારણો પણ વિચારવાં અનિવાર્ય છે.
૨. સ્વભાવઃ જે કંઈ બને છે તેમાં રવભાવ મુખ્ય છે. કાળ પાડ્યો હોય તે પણ સ્ત્રીને દાઢી-મૂછ ઊગતાં નથી, વયાને સંતાનપ્રાપ્તિ નથી થતી. કેટલાંક વૃક્ષોને કાળ પાયે હિન છતાંય ફળ ઊગતાં નથી. આર્થી કાળ જ મુખ્ય નથી, સ્વભાવ પણ ભાગ ભજવે છે.
૫ખીને રવભાવ છે આકાશમાં ઊડવાને. માછલીને સ્વભાવ છે પાણીમાં તરવાને.' કાયલને સ્વભાવ છે મધુર રવરને. આમ દરેકને પિતાને સ્વભાવ હોય છે. સ્વભાવ અનુસાર પણ જીવનમાં બહુરંગ જોવા મળે છે. - ૩. નિયંતિઃ બધું જ નિશ્ચિત છે. જે બનવાનું હોય છે તે બને જ છે. તેમાં કોઈ ફેરફાર કરી શકતું નથી. આવું માનવું તે નિયતિવાદ છે.
' , ' આ નિયતિવાદી કાળ અને રવભાવને માનતો નથી. તે દરેક ઘટનાને નિશ્ચિત માને છે. પ્રયત્ન કરવા છતાંય જે નિશ્ચિત છે તે મિથ્યા નથી થઈ શકતું, એવી તેની એકતિક માન્યતા હોય છે.
* કમ: જેવી કરણી તેવી ભરણી. સારાં કામ ક્યાં હોય તે સારાં ફળ મળે. ખરાબ કર્મ કર્યા હોય તે ખરાબ ફળ મળે. આમ માનનાર કર્મવાદી કાળ. સ્વભાવ અને નિયતિ ત્રણેયને ઈન્કાર કરે છે અને કમને જ મુખ્ય અને મહત્ત્વનું માને છે.
૫. પુરુષાર્થ: પ્રયત્નથી જ બધું થાય છે. પ્રયત્નથી દુઃખને સુખમાં બદલી શકાય છે. પુરુષાર્થવાદી કાળ, સ્વભાવ, નિયતિ અને કમ આ ચારેયને અસ્વીકાર કરે છે અને માત્ર પુરુષાર્થને જ પ્રાધાન્ય આપે છે.
આ પાંચમાંથી કોઈ એકને મુખ્ય અને અન્યને ગૌણ કરવાં તે મિથ્યાત્વ છે. પરિણામમાં પાંચેયને તરતમતાએ ફાળે ય છે.
દા. ત. એક જીવન મેક્ષ થશે. તેનો મોક્ષ થવામાં ઉપયુંકત પાંચેયને ફાળે હેય છે. .
૧. કાળ પાક એટલે તેને સત્વ પ્રાપ્ત થયું. - ૨. ભવ્ય જીને જ સ્વભાવ હોય છે કે તે મેક્ષ માટે પુરુષાર્થ કરે.
: ૩. પુરુષાર્થ કર્યો-સાધના કરી. ૪. કર્મને ક્ષય થયે. . . ૫. નિયતિ હતી કે તેને મેક્ષ થાય એટલે થયે. આમ પાંચ સમવાય સાથે રહે છે.
અન્ય
| સામ સમવાયત, નવીનર અજિત કરવા