SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૬ ૮૭ ન મળે તે Ruin કરવા તે તૈયાર જ હોય છે. લેકશાહી એટલે બધું જ જાહેર એ સાચું અને જરૂરી પણ છે, પરંતુ લેકશાહીમાં પણ કેટલીક વસ્તુઓ ગુપ્ત રહે એ પ્રજાના હિતમાં છે. દેશના સંરક્ષણની દષ્ટિએ કેટલીક માહિતી રાષ્ટ્રની થડીક વ્યકિતતી જાણમાં જ રહે એ અનિવાર્ય છે. પરંતુ છાપાંવાળાએ મુલાકાતે લઈ લઈને, તરેહતરેહના અને પૂછીને, લલચાવનારી દરખાસ્ત મૂકીને, રાજકારણમાં પડેલી વ્યકિત પાસે ન બેજવા જેવું બોલાવી દે છે. છાપાંમાં છાપે છે અને વાતને ચકડોળે ચડાવે છે. જેમ વ્યકિત ઉચ્ચ સ્થાને તેમ એના શબ્દોના પ્રત્યાઘાત ઘણે દૂર સુધી પડે છે. એક શબ્દ આડોઅવળા બેલા તે રામાયણ થઇ જાય. ગાંધીજીએ તળીયેળીને, માપીમાપીને શબ્દ બોલવાની કળા સારી રીતે સિદ્ધ કરી હતી. ચતુર અને પાકા એ ગ્રેજો સાથે એમણે કયારેય એવી ગલત કરી નહોતી. મિતભાષીપણું એ ઉચ્ચત્તમ નેતાઓને સગુણ છે. એ બાબતમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શ્રી મોરારજી દેસાઈ અત્યંત નિપુણ છે. રાજીવ ગાંધીને રાજ્ય કક્ષાએ કે કેન્દ્ર કક્ષાએ પ્રધાન તરીકે કાર્ય કર્યાને અનુભવ નથી. તેઓ સીધા આવડા મોટા દેશના વડા પ્રધાન થયા છે અને તેમણે ઘણું સારું કાર્ય કરી બતાવ્યું છે. તે પણ એમનાં વચન અને વતનમાં કયારેક ઉતાવળ અને અપરિપકવતા દેખાઈ આવે છે. વાતે વાતે પત્રકારે પાસે દેડી જવાની કે મુલાકાતે આપવાની નીતિ કોઈપણ રાષ્ટ્રના વડા પ્રધાન માટે યોગ્ય ન ગણુય. માત્ર વિદેશના પત્રકારે જ નહિ, ખુદ ભારતના પણ કેટલાક પત્રકારે સ્ટોરી ચમકાવીને જશ ખાટી જવાના રસિયા હોય છે. એથી દેશને જોગવવા પડતાં માઠાં પરિણમેની એમને પડી હોતી નથી, દરેક વ્યકિતમાં કેટલાક ઉત્તમ સગુણા અને કેટલાક સ્થમા કે સુક્ષ્મ અવગુણો હોય છે. મનુષ્યની પ્રવૃત્તિઓ સામાન્ય રીતે સ્વાર્થમૂલક હોય છે. પિત અને પિતાના કુટુંબના સભ્યની સુખાકારી માટે કમાવવાની પ્રવૃત્તિ તેની મુખ્ય પ્રવૃત્તિ બની રહે છે. પિતાનું ગુજરાન સારી રીતે ચાલી શકે એટલી કે એથી વધુ આજીવિકા અને સંપત્તિ હેય અને પિતાની પાસે ફરસદને સમય હોય ત્યારે એવી કેટલીક વ્યકિત સાચા દિલથી કે પ્રસિદ્ધિ વગેરેના આશયથી સમાજોપયેગી કાર્યો કરવા માટે નીકળે છે. કેટલીક વ્યકિતએ પોતાના અંગત સુખેના ભેગે પણ સમાજ કલ્યાણના કાર્યો કરવા કે રાજકારણમાં ભાગ લેવા નીકળી પડે છે. કયારેક લોકકલ્યાણની સાચી નિષ્ઠાભરી ભાવનાથી પ્રેરાઇને એવું કાર્ય તે કરે છે, તે કયારેક પિતાને સમય પસાર કરવા માટે કે સેવાના બદલામાં યશ, સત્તા, મેટાઈ વગેરે મેળવવાને માટે તે તેમાં જોડાય છે. કયારેક પિતાના અહમને પિષવા માટે તે આવા લોકકલ્યાણનાં કાર્યોની પ્રવૃત્તિ ઉપાડે છે. અન્ય લોકો માટેનું કામ કરતાં કરતાં માણસના શકિત, આવડત, પ્રતિભા જેમ જેમ ખીલે તેમ તેમ તેનું કાર્યક્ષેત્ર વિસ્તરતું જાય છે. એવી શક્તિસંપન્ન તેજસ્વી વ્યક્તિઓને લોક મેટાં કાર્યક્ષેત્રમાં લઈ જઈને સત્તાના ઉચ્ચ સ્થાને બેસાડે છે. જેમ સત્તાનું સ્થાન મેટું તેમ તેની ઉપર આવેલા માણેસની પ્રસિદ્ધિ મેટી. કેટલીક વાર પદ દ્વારા થકિત શેભે છે. કેટલીક વાર વ્યકિત દ્વારા પદ શમે છે અને કેટલીક વાર વ્યકિત અને ૫૬ અન્યને શેષાવે છે. જ્યારે સમર્થ વ્યક્તિને એક અથવા અન્ય કારણે મોટું પદ મળતું નથી તે તેવી વ્યકિતની પ્રસિદ્ધિ સીમિત બની રહે છે. અન્ય પક્ષે, બેટી જે સાર વ્યકિતને મેટું પદ મળી જાય છે તે તે અચાનક ખ્યાતનામ બની જાય છે, પછી ભલે પાછળથી તે નિષ્ફળ નીવડે. આધુનિક સમય લેકમાધ્યમો દ્વારા પ્રચારને છે. આપણું દેશમાં નગરકક્ષાએ, રાજયકક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ સત્તાનાં અનેક સ્થાને છે. કોઈ વ્યક્તિ કોઈ એક રાજયના શહેરની નગરપાલિકામાં સારું કામ કરતી હોય તે વ્યકિતને અચાનક જે રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળી જાય છે તે તે રાતેરાત આખા રાજયમાં સુપ્રસિદ્ધ બની જાય છે. તેવી રીતે કેન્દ્રના પ્રધાનમંડળમાં સ્થાને મળતાં આખા દેશના નેતા તરીકે સ્વીકારાઈ જાય છે. ચૂંટણીમાં જે જીતી જાય છે અને પ્રધાનમંડળમાં જેને સ્થાન, મળે છે તેવી વ્યકિત લોકોને બહુ મોટી લાગવા માંડે છે. વસ્તુત: એનાં કરતાં ઘણી વધુ સમથ" અને વધુ તેજરવી વ્યકિતઓ તે જ નગરમાં કે તે જ રાજ્યમાં હોય છે; પણ જેને ૫૬ મેળવવાની તક મળે છે તે વ્યકિત અચાનક લેકના આદરને પાત્ર બની જાય છે. આમ પણ ભારતમાં સત્તાધારી વ્યકિતઓ. તરફ લેકેનું ઘેલછાભયું આકર્ષણ બહુ રહ્યા કર્યું છે. સત્તાધારી વ્યક્તિના સંપર્ક માટે કેટલાક સાધુ-સંતેમાં પણ ઘણી મેટી લાલસા હોય છે. કેટલાય સાધુ-સંતે પ્રધાને સાથે ટા પડાવી બહુ રાજી થઈ જાય છે એ દુઃખની વાત છે. પ્રસિદ્ધિ એ પણ એક પ્રકારને નશો છે. તે છરવા એ સહેલી. વાત નથી. સાધુસંતે પણ તેમાં અપવાદરૂપ નથી. સત્તાસ્થાને ઓછી હોય અને તે મેળવવાની દોડમાં અનેક વ્યકિતઓ પડેલી હોય ત્યારે તે મેળવવા માટે સ્પર્ધા થાય છે. અનેક વ્યકિતઓ કુટિલ રીતિ-નીતિ અપનાવે છે. મેટા માણસની પગચંપી ચાલુ કરે છે, ક્ષે બદલે છે, કાવાદાવા કરે છે, જુઠાણા ફેલાવે છે, એવી રીતે ફાવી ગયેલી ઘણી વ્યકિતઓ કશુંય કામ કર્યા વગર માત્ર સત્તારથાન ભોગવે છે. ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા બધા જ જભ્ય રાજ્યને કારભારની બધી જ બાબતેને અભ્યાસ કરી રસપૂર્વક તેમાં સક્રિય ભાગ લે છે એવું નથી હોતું. કેટલાયે સભ્ય ભથ્થાં મેળવવામાં, નવી નવી એળખાણ કરવામાં, નવા સંબંધ બાંધવામાં, મિત્ર, સગાંસંબંધીઓનાં સાચાં-બેટાં કામ જલદી કરાવી આપવા માં પિતાના પદને ઉપયોગ કરે છે. જેમ રાજ્યની ધારાસભા માટે કહી શકીએ તેમ કેન્દ્ર સરકારની સભા માટે પણ કહી શકાય. વયકિત જે પ્રદેશમાંથી ચૂંટાઈ આવેલી હોય ત્યા તે પ્રિય હોય, પરંતુ લોકસભામાં બેસવા જેટલી પ્રતિભા તેની પાસે નથી હોતી. આખા રાષ્ટ્રના પ્રશ્નો વિશે વિચારવાનું તેનું ગજુ નથી હોતું. જુદાં જુદાં રાજ્યમાંથી આવેલી અને લે સભાના સભય બનેલી એવી કેટલીય વ્યકિતઓના ચહેરા ઉપર મેટું પદ મળી જવાને કારણે કદાચ કેટલુંક કૃત્રિમ તેજ દેખાશે, પરંતુ એવી વ્યકિતઓ પણ ભાભથી મેળવવામાં, સબંધે બાંધવામાં, સમિતિઓ અને સરકારી કમિશનમાં સભ્ય તરીકે ઘૂસી જવા માટે પ્રયત્ન કરવામાં, મિત્રો, સંબંધીઓમાં સાચાં-ખેણાં કામ, પિતાને મળેલી લાગવગ વાપરીને કરાવી આપવામાં પ્રયત્નશીલ રહે છે. દેશના સળગતા પ્રશ્નમાં તેને રસ નથી. એ એમને અભ્યાસ પણ નથી તે. રસ અને અભ્યાસ હોય તે, પણ પિતાને સ્વતંત્ર મત વ્યકત કરવાની બાબતમાં એને પક્ષની શિરતની મર્યાદામાં રહેવું પડે છે. પરિણામે પાર્લામેન્ટમાં ઘણું વિષયની ચર્ચામાં કેટલીયવાર કેરમ કરતાં પણ ઓછા સભ્યની હાજરી રહ્યા કરે છે. મતદાન થવાનું હોય અને પક્ષને આદેશ . (અનુસંધાન પૃષ્ઠ 81 ઉપર) હોય છે જેમા
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy