SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫-૮૭ કે વિવેકરૂપી વિશાળ નગર, સમકિતરૂપી એને પાય, નવંતત્ર રૂપી એને દરબાર, સવક ધરૂપી મહેલે, સમવાય રૂપી સેનાની કલ્પના પણ એ આપે છે. જિનમંદિરની ઊંચે ફરકતી ધજાએ જા રવર્ગલેકની હાંસી કરતી ન હોય એ રીતે જુદા જુદા અલંકારથી પિતાની વાત કરે છે. આ રાસના પહેલા ખંડમાં કથાપ્રવાહ વેગથી ચાલે છે, પણ બાકીના ત્રણ ખંડમાં સમસ્યા, સુભાષિત, દષ્ટતિ, આડકથાઓ અને ધર્મસિદ્ધતિની સાથે કથાતંતુ ચાલે છે. જ્ઞાનવિમલની વિશેષતા એ છે કે એના ચિત્તમાં એટલાં બધા દષ્ટાંતે, સુભાષિત, અલંકાર, આડકથાઓ અને ધર્મ સિદ્ધતિ ઉમરાયા કરે છે કે એને આને માટે કોઈ આયાસ કરવો પડતો નથી. એ બધું જ આપોઆપ કથાનકની સાથે ગૂંથાતું આવે છે. તક મળે ત્યાં એ ધર્મને મહિમા કે કર્મની મહત્તા ગાવાનું ચૂકતા નથી. જ્યાં સંસ્કૃત સુભાષિતની સાથે તેને ગુજરાતીમાં અનુવાદ કરે છે. કર્ણપિશાચિની, સામુદ્રિક શાસ્ત્ર, લક્ષણુશાસ્ત્ર, વશીકરણ, અષ્ટાંગ નિમિત્ત કે જયોતિષની વાત કરે છે, તે અસ્વના લક્ષણે, સ્વપનને અર્થ, સ્ત્રીઓના પ્રકારે, પુરૂષની બેતિર કળા, સ્ત્રીઓની ચોસઠ કળા કે વનમાં થતાં વૃક્ષોની યાદી આપે છે. આ રાસમાં સૂર્યવતી રાણીની વેદનાનું કે સાસુની વહુને દુઃખી કરવાની મને વૃત્તિનું આલેખન આકર્ષક છે. કથારસની સાથે સાથ જ્ઞાનોપદેશ એ આ કૃતિનું મહત્ત્વનું પાસુ છે. તાંબુલ અને અંતરંગ તાંબુલ, સ્નાન અને અંતરંગ સ્નાન, ભાવખીચડી વગેરેનાં લક્ષણોનું વર્ણન રસપ્રદ બને છે. જ્ઞાનવિમલસૂરિ આમાં જેને માન્યતા પ્રમાણે ભૌગોલિક રચનાનું આલેખન કરવા સાથે જૈન ધર્મના સિદ્ધાંતો અને નિયમોનું વિવરણ પણ આપે છે સરકૃત કે અને પ્રાકૃત ગાથાઓને ઉદ્ધરણે આપે છે તે સુભાષિત-સમસ્યા-હરિયાલીની મનોરમ ગૂંથણી રચે છે. આ કૃતિની એક વિશેષતા એ એને કાવ્યબંધ છે. વિવિધ પ્રકારની ધ્રુવાઓ પ્રજાતી સુગેય દેશીઓ, કવિત, જકડી, ચંદ્રાવળા આદિ કાવ્યબંધ મળે છે અને ઝડઝમકવાળી ચારણી શૈલી જ્ઞાનવિમલની કાવ્યનિપુણતાનો મરમ ખ્યાલ આપે છે. માત્ર વિસ્તારને કારણે જ નહીં ૫ણુ પ્રચુર કયારસ, તત્ત્વવિચારનિષ્ઠ ધમધ તથા વ્યુત્પન કવિત્વને કારણે આ કૃતિ જ્ઞાનવિમલસૂરિની સૌથી પ્યાના કૃતિ બને છે. ચંદ્રકવલીને રાસમાં આયંબિલ તપને મહિમા છે તે અશોકચંદ્રહિણી રાસ'માં રેહિણી નક્ષત્રના દિવસે ૨૮ વર્ષ સુધી કરવામાં આવતા રહિણી તપને મહિમા ગાયો છે. જ્ઞાનવિમલકુરિએ વિક્રમ સંવત ૧૭છરની માગસર સુદ પાંચમને દિવસે સુરત પાસે સૈયદપરામાં આ રાસ પૂરો કર્યો, આજે એ સૈયદપરાના નંદીશ્વર દ્વીપના જિનાલયના ચેકમાં જ્ઞાનવિમલનાં પગલાંની દેરી મળે છે. મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ એવા “અશોકચંદ્રહિણી રાસમાં પ્રસંગોપાત કવિત, ગીત, ટિક આદિ પદ્યમ ધોને ઉપયોગ કર્યો છે. રાજા અશોકચંદ્રની રાણી રેહિ શેકભાવથી એટલી બધી અજાણ છે કે પુત્રમૃત્યુના દુ:ખે રડતી સ્ત્રીના રુદનમાં કયે રાગ છે એમ પૂછે છે, આવા પ્રશ્નથી અશેકચંદ્રને આ સ્ત્રીમાં બીજાનું દુઃખ સમજવાની વૃત્તિને અભાવ અને ગવ જણાશે. તેથી તેને પાઠ ભણાવવા તે એના મેળામાં બેઠેલા પુત્ર લોકપાલને અટારીએથી નીચે નાખે છે. પરંતુ રોહિણીને તે આ ઘટનાથી પણ શેક થતો નથી અને એના પુણ્યપ્રભાવે પુત્ર ક્ષેમકુશળ રહે છે. રોહિણીના આ વાતક-વીતરાગપણના કારણુરૂપે એના પૂર્વભવની કથા કહેવાઈ છે. જેમાં એ પિતાના આગલા ભવના દુષ્કર્મને કારણે કુરૂપ અને દુર્ગધી નારી બની હોય છે. અને રહિણીતપના આશ્રયથી એ દુષ્કર્મના પ્રભાવમાંથી છૂટીને આ રોહિણ-અવતાર પામી હોય છે. રોહિણના બે પૂર્વભવે, અશોકચંદ્ર તેમજ રહિણીનાં સંતાનના પૂર્વ તથા એકાદ આડકથા વડે આ રાસ કરતાર પામ્યા હોવા છતાં એમાં યાતત્ત્વ પાંખું છે, કેમ કે એક જ ઘટનાસૂત્રવાળી સાદી કથા છે. ધર્મબોધના રક્ટ પ્રયજનથી રચાયેલી આ કૃતિમાં કવિએ કમ, તપ ઇત્યાદિના સ્વરૂપ અને પ્રકારની સાંપ્રદાયિક માહિતી ગૂંથી લીધી છે તેમજ સુભાષિત અને સમસ્યાઓને પણ વિનિયોગ કર્યો છે. કાવ્યમાં કવિની કાવ્યશકિતને પણ પરિચય પ્રસંગોપાત આપણને મળ્યા કરે છે જેમ કે મધવા મુનિના પુણ્યપ્રતાપને પ્રગટ કરતાં વાતાવરણનું ચિત્રણ કવિએ જે વિગતેથી કર્યું છે તે મનોરમ લાગે છે. નગર વગેરેનાં અન્ય કેટલાંક વર્ણન પશુ નોંધપાત્ર છે. આવાં ઘણુમાં રૂપકાદિ અલંકારોને કવિએ લીધેલ આશ્રવ એમની ક્ષમતાને પ્રગટ કરે છે. રોહિણીના રૂપવનમાં ઉવંસી પણિ મન નવિ વસી રે’ જેવા વ્યતિરેક-ચમકના સકરાલંકારની હારમાળા છ છે અને પૌરાણિક હકીકતેને રોહિણીના પ્રભાવના હેતુ રૂપે કલ્પી છે. તે કવિની આ પ્રકારની વર્ણનક્ષમતાનું એક વિશિષ્ટ ઉદાહરણ છે. સમગ્ર રાસમાં શિષ્ટ પ્રૌઢ ભાષાટાનું આકર્ષણ છે તે જગુપ્તા અને તિરરકારના ભાવોને અનુરૂપ ભાષા પણ કવિ એટલી જ અસરકારકતાથી પ્રયોજી બતાવે છે. ડીક સુંદર ધ્રુવાઓ અને કવચિત કરેલી ચાર માસની યોજના પણ કવિની કાવ્યશકિતની ઘાતક છે. “જંબૂવામી રાસ’માં જંબુકુમારની આઠ પટરાણીઓને સંવાદ આલેખાય છે. દરેક પટરાણી જ બુકમારને પૂછે અને જ બુકુમાર જુદી જુદી દષ્ટાંતકથાઓ સાથે એમને જવાબ આપે. પાંત્રીસ ઢાળ અને હસે ભાઠ કડીઓના દુકા-દેશીબદ્ધ આ રાસમાં આવતા રૂપક, ઉપમાવલિ અને લૌકિક દતિથી કૃતિ કેટલેક અંશે રસાવહ બની છે. ‘રસિંહ રાજર્ષિ રાસ' એ ૩૮ ઢાળ ધરાવતે અગિયારસ કહીને રાસ છે, તે “સઢ રાસ'માં કવિએ જયણાનું મહત્તવ ગાયું છે. બારવ્રતગ્રહણ ટીપ રાસ’માં વ્રતનિયમની યાદી અને સમજૂતી મળે છે, જ્યારે “સાધુવંદના રાસ'માં ઋષભદેવના ગણધરોથી માંડીને પ્રાચીન સાધુજનેની નામાવલિ જૈન શારત્રગ્રંથોને આધારે આપવામાં આવી છે. અને કેટલેક સ્થળે નાખેલ્લેખને બદલે ટૂંકું ચરિત્રસંકીર્તન કરવામાં આવ્યું છે. જ્ઞાનવિમલની કથાતત્વવાળી બીજી પણ કેટલીક કૃતિઓ મળે છે. સુર્યાભ નાટકમાં સુભદેવે અસરાની મદદથી મહાવીર સ્વામી સમક્ષ રજૂ કરેલ ભકિતભાવપૂર્ણ સંગીતનૃત્યનો પ્રસંગ ૭૩ કડીમાં વર્ણવાયો છે. જ્ઞાનવિમલના બે “તીર્થમાલાયાત્રા-રતવન’ મળે છે. એમાં સુરતથી મારવાડ સુધીની તીર્થયાત્રાનું આલેખન છે, તે બીજીમાં વિજયસેનસૂરિની પ્રેરણથી વજિય અને રાજિયે એ બે શ્રેષ્ઠીઓએ કરેલા પ્રતિષ્ઠા મહત્સવનું વર્ણન છે. 'કલ્પસૂત્ર’ વ્યાખ્યાન ભાસમાં પર્યુષણ પર્વ પ્રસંગે વ્યાખ્યાનમાં ર્વાચવા માટેની ધમકથાઓ આપી છે. - જ્ઞાનવિમલે રસ્તુતિ, રતવન, ચૈત્યવંદન, સાજઝાય આદિ પ્રકારની કૃતિઓ વિપુલ સંખ્યામાં રચેલી છે. એમણે સિદ્ધાચલના - ૩૬૦૦ જેટલાં રતવન રયાનું કહેવાય છે. કવિએ આબુ, તારંગા, રાણકપુર જેવા તીર્થોના રતવમાં તીર્થવિષયક તિહાસિક
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy