SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન જૈન સાહિત્યમાં આચાય 'મી જ્ઞાનવિમલસૂરિજીનું પ્રદાન ગ્રે . કુમારપાળ દેસાઇ તા. ૧૬-૫-૮૭ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિપુલ, વૈશિષ્યમય અને કવિત્વપૂર્ણ સજ્જન માટે, વિક્રમના ૧૮મા સૈકામાં થયેલા, તપગની મિલ શાખાના જૈન સાધુ આચાય શ્રી જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન નૈધપાત્ર ગણાય. એમણે ગુજરાતી ભાષાં એટલી બધી કૃતિઓની રચના કરી હતી કે એથી એમ કહેવાતુ કે સસ્કૃતમાં જેમ હેમચદ્રાચાય તેમ પ્રાકૃતમાં એટલે કે દેશી ભાષામાં જ્ઞાનવિમલસૂરિ છે. વૈવિધ્યની દૃષ્ટિએ જોઈએ તા એમની કૃતિઓ કથાત્મક, તત્ત્વવિચારાત્મક, ખેલાત્મક અને તુટ્યાત્મક–એમ બધા પ્રકારની છે. આ કૃતિઓમાં એમના પાંડિત્ય ઉપરાંત છંદ, અલંકાર માદિ કવિકૌશલની પ્રૌઢિને પશુ પરિચય થાય છે. એમણે સ ંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી-એમ ત્રણે ભાષામાં ગ્રંથા રચ્યા. ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં મહત્ત્વપૂર્ણ' રચના આપી. આચાય જ્ઞાનવિમલસૂરજનું સાહિત્ય હુધા સાંપ્રદાયિક પરિપાટીનું છે. પરંતુ, એ મર્યાદા જાળવીને પણુ, એમણે મલ’કારરચના, પદ્યક્ષધ, દૃષ્ટાંતખેોધ વગેરેની જે શકિત બતાવી છે તે પ્રશસ્ય છે. જ્ઞાનવિમલસૂરિની કૃતિઓમાંથી અને એમના સમકાલીનેની નધિમાંથી એમના જીવન વિશે સારી એવી માહિતી સાંપડે છે. એમના જન્મ વિક્રમ સંવત ૧૬૯૪માં મારવાંઢના ભિન્નમાલ નગરમાં થયા હતા. તેઓ વીશા એશવાન જ્ઞાતિના હતા. તેમના પિતાનુ નામ વાસત્ર શેઠે અને માતાનુ નામ કનાવતી હતું. બાળપણુમાં એમનું નામ નાથુમલ હતું. માત્ર આઠ વર્ષોંની વયે વિક્રમ સવંત ૧૭૦૨માં એમણે તપગચ્છની વિમત્ર શાખામાં પંડિત વિનયવિમનગણિના શિષ્ય પંક્તિ ધીરવિમનણુ પાસે દીક્ષા લીધી. દીક્ષા સમયે એમનુ નામ 'નવિમલ' રાખવામાં આવ્યું. આ પછી એમણે કાવ્ય, તર્ક, ન્યાય, શાત્રાદિમાં નિપુણુતા મેળવી. તેઓએ શ્રી અમૃતવિમલગણુિં તથા શ્રી મેરુવિમલગણિ પ.સે વિદ્યાભ્યાસ કર્યાં. વિક્રમ સ ંવત ૧૭૨૭ મહા સુદ દશમને દિવસે મારવાડના સાડી પાસેના ધાણેરાવ ગામમાં ઉત્સવપૂર્ણાંક આચાયઃ વિજયપ્રભસૂરિએ એમને પન્યાસપદ આપ્યુ. ત્યારબાદ વિક્રમ સંવત ૧૭૪૮ ફ્રાગણ સુદ પાંચમ ને ગુરુવારના દિવસે શ્રી નવિમલણિને આચાય પદની પ્રાપ્તિ થઇ અને તેમના વિશાળ જ્ઞાનને લીધે તેમનુ જ્ઞાનવિમલસૂરિ રાખવામાં આવ્યું. શ્રી જ્ઞાનવિમલસૂરિએ સુરત, ખ ખાત, રાજનગર ( અમદાવાદ ), પાટણ, રાધનપુર, -સાદડી, ધાણેરાવ, શાહી, પાલિતાણા, જૂનાગઢ વગેરે સ્થળાએ વિકાર કર્યાં. એમની વિદ્યારભૂમિ મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને સૌરાષ્ટ્રને પ્રદેશ હતી. શત્રુ ંજય તી'ની એમણે અનેક વખત યાત્રા કરી હતી. જ્ઞાનવિમલસૂરિની રચનએમાં પણ શત્રુ ંજય તીય' પ્રત્યેની એમની દૃઢ આસ્થા સ્થળે સ્થળે પ્રગટ થાય છે. એમણે સંસ્કૃત ભાષામાં ત્રનય્યાવૃત્તિ:’, ‘શ્રીપાઝપરિત્ર' અને સંજ્ઞાવાન સ્તુતિવૃત્તિ:' જેવા ગ્રંથાની રચના કરી છે. નામ જ્ઞાતવિમલસૂરિની સંરકૃત ભાષાની નિપુણતાને ખ્યાલ એમના જીવનપ્રસ`ગમાંથી પ્રાપ્ત થાય છે. એકવાર તપાગચ્છના આચાય' શ્રી વિજયપ્રભસૂરિ શત્રુંજય તીથ'માં પધાર્યા હતા, ત્યારે તે તીથ'. નાયક આદિશ્વર ભગવાન સમક્ષ ચત્યવંદન કરવા ગયા, પરંતુ ૧૫ c? એ સમયે શ્રી નવિમક્ષગણિત્યાં આવ્યા અને તાત્કાલિક નાં કાવ્ય રચીને સ્તુતિ કરવા લાગ્યા. એમની કવિતશક્તિ જોઇને ઞાનતિ થયેલા અાચાય શ્રીએ નયવિમલણિને આવા જ્ઞાન. વિમલસૂરિ' કહીને સૂરિપદની યોગ્યતા દર્શાવી આદરપૂર્વક ખેલાવ્યા. શ્રી નવિમલષ્ણુએ નમ્રતાથી મયપ્રાયેન એમ કહ્યું. આ પછી આચાયશ્રીએ નવિમલગણને ચૌત્યવંદન કરવાનું કહ્યું. સામાન્ય રીતે જે સૌથી વધુ પૂજ્ય હોય તે ચૌયલ ન કરે તેવી પ્રણાલિકા હોવાથી અન્ય સાધુજના ખે પામ્યા, પર'તુ એમને સમજાવતાં આચાય'શ્રીએ કહ્યુ, ભલે મારા પદને કારણે હું પૂજ્ય ગાઉ, પરંતુ મારામાં નવિમલગણિ જેવું જ્ઞાન અને કવિત્વશકિત સર્વાશ પણ નથી. તે જ્ઞાનવૃદ્ધ છે. તેથી એમને આદર આપું છું.' શ્રી નવિનષ્ણુએ તાત્કાલિક નવાં કાવ્યો રચીને ૪૫ કાયૈ વડે ચે ત્યવદન કર્યુ. જ્ઞાનવિમલસૂરિનું વિપુલ સાહિત્યસર્જન જોતાં એમના સમ કાલીનો આદર પણુ પ્રગટ થાય છે. એમણે આનંદધન અને યશેવિજયની કુર્તિઓ પર ટખા ચ્ય છે. આનંદધન ચાવીસીને ટખા લખવા માટે એમણે સુરતના સૂર્યમ'ડન પાશ્વ નામના દેરાસરમાં છ મહિના સુધી ધ્યાન ધયુ" હતુ. અને એ પછી આનદધનજીના ચેવીસ સ્તવના પર સ્તમક રચ્યા. એ જ રીતે ‘નવપદની પૂજા’માં જ્ઞાનવિમલની પૂજા સાથે યશવિજય અને ફૂલચંદ્રની પૂજા પશુ સ’કલિત રૂપે મળે છે. વિક્રમ સંવત ૧૯૮૨ના આસો વદ ચેથ ને ગુરુવારે પ્રાતઃકાળે અનશનપૂર્વક તે નેવ્યાસી વર્ષની વયે કાળધમ' પામ્યા. જ્ઞાનવિમલતી ગુજરાતી રચનાઓમાં સૌથી વિશેષ નૅધિપાત્ર એમની ચંદ્રધ્રુવલીના રાસ', 'અશકચદ્રરહિણી રાસ', જ જીવામિ રાસ', ‘રસિ’હું રાજર્ષિ રાસ’, બારવ્રત-પ્રશુ ટીપ–ાસ' અને ‘સાધુવંદના રાસ' જેવી કથાત્મક કૃતિએ મળે છે. જ્ઞાનવિમલસૂરિની કાવ્યનિપુણુતાને મનેરમ પરિચય ‘શ્રી ચંદ્રકવલીના રાસ'માં થાય છે. આ રાસમાં પૂર્વ'ભવના આયંબિત્ર તપને કારણે વલીપદ પામનાર ચંદ્રકુમારનુ પ્રભાવક ચરિત્ર આલેખાયું છે. ચાર ખ’ડ, ૧૧૧ ઢાળ અને ૭૬૪૯ કડીમાં વિસ્તરેલા આ ાસની રચના જ્ઞાનવિમલે વિક્રમ સંવત ૧૭૭૦ના મહા સુદ્ર તેરસના દિવસે રાધનપુરમાં પૂરી કરી. આ રાસના લેખનની શરૂઆત પશુ રાધનપુર શહેરમાં કરી હતી. મુખ્યત્વે દુહા દેશીબ‚ આ રાસને ‘ગ્માનંદમદિર રાસ’ એવું ખીજું' નામ પણ જ્ઞાનવિમલે આપ્યુ છે. જ્ઞાનવિમલ આ આનંદમ ંદિરની કલ્પના પણ ઉપમાથી દર્શાવે છે. જેમાં સુષ્ઠિત સાધુ મનન કરતાં નિવાસ કરતા હાય. આનમ'દિરને નિવાસ સદ્ગુણેના નિવાસરૂપ છે. એના અનુપમ સ્તબા જેવા ૧૦૮ વિવિધ રાગની રસાળ ઢાળેા છે. જિનેશ્વરનુ રસ્તુતિકીતન કરતા ગવાક્ષા છે. જ્ઞાન, દર્શન અને ચારિત્યરૂપી ઓરડાઓ છે. શત્રુંજય અને નવકાર તેના ચોગાન છે અને વિવિધ કત્રિત સહિત ગાથા વગેરે ધણા સૂકતેથી શાલતું એનુ આંગણુ` છે. તેમાં સુદેવ, સુગુરુ અને સુધ જેવા સંસારના દુ:ખનું નિવારણ કરનાર આછાડ છે. આવી રીતે જ્ઞાનવિમલ આન ંદમદિર સાથે પેાતાની કૃતિને સરખાવે છે. જ્ઞાનવિમલમાં આવી સરખામણી ઘણે સ્થળે જોવા મળે છે. જેમ
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy