________________
તા. ૧૬--૮૭
| ભારતના નકશામાં સમુદ્રકિનારો ધરાવતા કચ્છનું સ્થાન ભૌગોલિક દૃષ્ટિએ અનોખું છે. પ્રાચીન સમયમાં કચ્છની - જાહોજલાલી ઘણી મોટી હતી. માંડવી, કંડલા, જખૌ બંદરેથી, મેટાં મોટાં વહાણ ઊપડત અને દક્ષિણમાં ઘેલા, ખંભાત, સુરત, મુંબઈ, લંકા, બર્મા, ચીન સુધી પહોંચતાં. ઉત્તરમાં કરાંચી, બહરીન, ઝાંઝીબાર, આસો સુધી વહાણે જતાં. ભારતમાં રેલવે આવી તે પહેલાં કચ્છના સાહસિક વેપારીઓ વહાણે. દ્વારા વિદેશ સાથે ઘણે મે વેપાર ખેડતા. તેઓ ઘણું ધન કમાઈ લાવતા. કચ્છ ત્યારે પ્રમાણમાં ઘણું સમૃદ્ધ રહેતું. રેલવેની સ્થાપના પછી વહાણુવટાના વેપાર ઉપર માઠી અસર પડી. વળી ભૌગોલિક ફેરફારને કારણે, ઓછા વરસાદને કારણે, સિંધુ નદી પરના બંધને કારણે, ધરતીકંપને કારણે કચ્છની ધરતી સૂકી થઈ ગઈ. રણપ્રદેશ વયે. અંગ્રેજ સલ્તનત દરમ્યાન કચ્છને પ્રદેશ એકંદરે આર્થિક દૃષ્ટિએ બહુ પછાત રહ્યા કર્યો. ભારતના બીજા પ્રદેશના સં૫ર્ક માટે ખાસ સાંધો ત્યારે વર્ષ નહોતાં.
કચ્છના પ્રાચીન અવશેષો જતાં કચ્છી પ્રજાના ભગ્ય ભૂતકાળનું સ્મરણ થયા વગર રહે નહિ. જૈન ઇતિહાસની દૃષ્ટિએ જોઈએ તે ભદ્રશ્વર-ભદ્રાવતીનું પ્રથમ સ્મરણ થયા વગર રહે નહિ વારતનાં પ્રાચીન જૈન તીર્થોમાં ભદ્રાવતી-ભદ્રેશ્વરનું માહાસ્ય પણ ઘણું બધું છે. ભગવાન મહાવીર સ્વામીના સમયનું એ તીર્થ મનાય છે. મંદિરમાં મૂળનાયક ત્યારે પાર્શ્વનાથ ભગવાન હતા. (પછીથી મૂળનાયક તરીકે મહાવીરસ્વામી બિરાજમાન છે, અને પાર્શ્વનાથ પાછળની મુખ્ય દેરીમાં છે) બાવન દેરીવાળા એ દેરાસર પંદરેક વખત જીર્ણોદ્ધાર થયાના એતિહાસિક ઉલ્લેખ મળે છે, જેમાં સંપ્રતિ રાજા, વનરાજ ચાવડે, કુમારપાળ રાજા, જગતચંદ્રસૂરિ, વસ્તુપાળ-તેજપાળ, જગડુશાહ વગેરે સુપ્રસિદ્ધ પુણ્યશાળી કયકિતઓનાં નામ જોડાયેલાં છે.
ભદ્રેશ્વરની તીર્થયાત્રામાં વિજય શેઠ અને વિજ્યા શેઠાણીનું સ્મરણ થયા વગર રહે નહિ. અઢી હજાર વર્ષ પૂર્વે દેરાસરની પ્રતિષ્ઠા થાય ત્યારે વિધિમાં ભાગ લેનારાઓએ બ્રહ્મચર્યનું વ્રત લેવાને મહિમા પણ રહ્યો છે. તે સમયે વિજય નામના કુમારે ગુરુ મહારાજ પાસે શુકલ પક્ષમાં આજીવન બ્રહ્મચર્યવ્રત ધારણ કયુ”. કુમારી વિજયાએ કૃષ્ણ પક્ષ માટે એ વ્રત આજીવન ધારણ કર્યું. બંનેને કે બીજા કેઈને એ વ્રતની ખબર નહતી. યેગાનુયોગ એ બંને લગ્નગ્રંથિથી જોડાયા. લગ્નની પહેલી રાતે જ બંનેને એકબીજાના બ્રહ્મચર્યવ્રતની ખબર પડી. હવે કરવું શું ? કુટુંબીજનોને જણાવે તે બીજે પરણાવવાને પ્રશ્ન ઊભું થાય. બંનેએ સમજણપૂર્વક નિર્ણય કર્યો કે પોતાના વતની કાઈને વાત કરવી નહિ. મન, વચન, કાયાથી આજીવન બ્રહ્મચર્યવ્રત પાળવાને પતિપત્નીએ દઢ સંકલ્પ કર્યો અને એ પ્રમાણે વ્રતનું પાલન કરતાં રહ્યાં. પરંતુ વિમળ નામના કેવળી ભગવંતને એક વખત પિતાના કેવળજ્ઞાનના ઉપગથી એમના વ્રતની ખબર પડી. જિનદાસ નામના એક શ્રેષ્ઠીની ભાવના રાશી હજાર સાધુઓને પારણું કરાવવાની હતી, પરંતુ એવી અનુકૂળતા મળતી નહોતી. ત્યારે કેવળી ભગવંત એને બતાવે છે કે ગૃહસ્થજીવનમાં દુષ્કર એવું બ્રહમચર્યવ્રત ધારણ કરનાર વિજય શેઠ અને વિજય શેઠાણીની એક વાર આહાર-પાણીથી ભકિત કરવાથી ચોરાશી હજાર સાધુઓને પારણું કરાવવાનું ફળ મળે છે.
- ભદ્રેશ્વરના જગડુશાનું નામ અતિ વિખ્યાત છે. બહુ મેટા દાનવીર માટે કયારેક જગqશાની ઉપમા અપાય છે. કચ્છ, રાજસ્થાન અને પશ્ચિમ ભારતમાં જ્યારે ઉપરાઉપરી ત્રણ વર્ષ દુકાળ પડે ત્યારે જગડુશાએ તે દિલ્હી સુધી લેકને પિતાના તરફથી અનાજ પૂરું પાડ્યું હતું. કચ્છને ઇતિહાસ વાંચીએ ત્યારે જૈન ધર્મ અને અન્ય ધર્મના અનેક મહાપુના ઉદાત્ત ચરિત્ર જાણવા મળે છે.
મધ્યયુગમાં ઓસવાલ ક્ષત્રિય રાજસ્થાનથી આવીને કચ્છમાં વસ્યા. ઓસવાલે જૈનધમી' હતા. કચ્છના રાજપુત રાજાઓને પણ જૈનધર્મ પ્રત્યે આદર હતું. મહારાવ ખેંગારજી, ભારમલજી વગેરે રાજાઓએ જૈન મંદિર બંધાવી આપી જૈનધર્મને પ્રચારમાં મહત્તવને ફાળો આપે છે. ભુજની બ્રજ પાઠશાળા પશ્ચિમ ભારતમાં પ્રખ્યાત હતી. જેને યતિ કનકકુશળજી વિદ્યાર્થીઓને સંસ્કૃત ઉપરાંત વ્રજભાષા અને પિંગળશાસ્ત્ર શીખવતા. સ્વામીનારાયણ સંતકવિ બ્રહ્માનંદ એ પાઠશાળામાં ભણેલા માંડવી પાસેનું કડાય નગર ક૭નું કાશી ગણુતું. આજે પણ ત્યાં ઘણી પ્રાચીન હસ્તપ્રતે ઉપલબ્ધ છે. કેડાયના હેમરાજ ભીમશીને એમાં મહત્તવને ફાળે છે. આયંરક્ષતરિ, કુષાણસાગરસૂરિ, પાયૅચન્દ્રસૂરિ (પાધંચ-દ્ર ૭), મુનિ કલ્યાણચંદ્રજી (સેનગઢવાળા), મુનિ ચારિત્રવિજયજી (પાસિતાણાવાળા), મુનિ રત્નચંદ્રજી, ગૌતમસાગરસૂરિ વગેરે અનેક મહાન સાધુએ ઉપરાંત શ્રાવક ભીમશી માણેક, ૫, રવજી દેવરાજ, પંડિત લાલન, શિવજી દેવશી મઢડાવાળા વગેરે વિદ્વાન શ્રાવકે તથા શેઠ નરશી નાથા, શેઠ કેશવજી નાયક, શેઠ વેલજી માલુ, શેઠ શિવજી નેણશી, શેઠ વસનજી ત્રિકમજી, શેઠ ખેતશી ખીયશી, શેઠ રવજી સેજપાર, શેઠ મેઘજી સેજપાર વગેરે અનેક મહાનુભાવોએ છેલ્લાં ત્રણ-ચાર સૈકાઓમાં કચ્છના સાંસ્કૃતિક વિકાસ માટે મહત્વનું યોગદાન આપ્યું છે. જેને ઉપરાંત ભાટિયા અને અન્ય કામના શ્રેષ્ઠીઓનું યોગદાન પણ મહત્ત્વનું રહ્યું છે. જેમાં શેઠ ગોકુલદાસ તેજપાલ (જેમના તરફથી મુંબઈમાં અને અન્ય સ્થળેએ ઘણી મોટી સખાવતે થઈ છે)નું નામ મોખરે છે. સહજાનંદ સ્વામી અને એમના સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓએ કચ્છના ધાર્મિક વિકાસમાં મહત્ત્વને ફાળે આવે છે. છેલ્લાં પચાસ કે સે વર્ષમાં તે આ બીજાં અનેક નામે કરછના ઈતિહાસમાંથી સાંપડી રહે છે. એ બધુની યાદી તે ઘણી મટી થઈ જાય. અહીં નિર્દેશ કહે છે તેમાં પણ કેટલાક મહત્ત્વનાં નામે રહી ગયાં હશે !
વર્ષોથી પછાત પડી ગયેલા કચ્છમાં છેલ્લા બેત્રણ દાયકાથી વળી પાછ પુનરુથાનનાં કાર્યો થવા લાગ્યાં છે. કચ્છની મેટા ભાગની પ્રજા મૂળ તે ખેડૂત પ્રજા. અનાજને વેપાર એના લેહીમાં. વહાણ દ્વારા અનાજને વેપાર કરવામાં પણ તેઓ કુશળ. ગઈ સદીમાં શેઠ નરશી, નાથા વગેરે શ્રેષ્ઠીઓએ મુંબઈમાં આવીને અનાજનો વેપાર મેટા પાયા ઉપર ચાલુ કર્યો. જાતભાઈઓને મદદ કરવાની પ્રેમભરી સહકારની ભાવનાને લીધે અનેક કચ્છીઓ મુંબઈમાં અનાજના વેપારમાં જોડાયા. આજે પણ સમગ્ર મુંબઈમાં અનાજની દુકાનમાં કચ્છીઓનું પ્રભુત્વ રહ્યું છે. બીજા વિશ્વયુદ્ધ પછી અનાજની માપબંધી આવી. એથી કચ્છી વેપારીઓને એક બાજુ લાભ થયો તે બીજી બાજુ સરકારી કનડગત ચાલુ થઇ, આઝાદી પછી દિવસે દિવસે સરકારી કનડગત વધતી
(અનુસંધાન પૃષ્ઠ ૨૨ ઉપર)