________________
તા. ૧-૫ ૮૭
પ્રબુદ્ધ જીવન
પ્રદાન’ એ વિષય પર બે પ્રવચને તા. ૧૬ અને ૧૪મી જાન્યુઆરી, ૧૯૪૭ના રોજ સાંજના સમયે ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના વાલચંદ હીરાચંદ સભાગૃહમાં ડે. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યું હતું. વિદ્યાસત્રના દાતા શ્રી જેરમલ મંગળજી મહેતા, વ્યાખ્યાતા છે સુમન શાહ અને સંજક છે. તારાબહેન . શાહના અમે આભારી છીએ. ઋતંભરા વિદ્યાપીઠ-સાપુતારા
૧૯૮૬ના વર્ષ માટે સાથે બહારગામના પ્રોજેકટ તરીકે ઋતંભરા વિદ્યાપીઠ સાપુતારાની આદિવાસી વિદ્યાર્થિનીઓ માટે શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસા અને શ્રી હરિભાઈ સવાલા સાથે વિચાર વિનિમય કરીને પ્રત્યેક વિદ્યાથીની દીઠ રૂ. ૫૦૦લેખે રકમ એકત્ર કરીને વિદ્યાપીઠને આ વર્ષે ચીજ-વસ્તુઓ વસાવી આપવા માટેનું કાર્ય હાથ ધર્યું હતું. આ કાર્યક્રમના સંજનની જવાબદારી સમિતિના સભ્ય શ્રી જયંતીલાલ પી. શાહે સ્વીકારી હતી. આ કાર્ય માટે દાતાઓ તરફથી નિર્ધારિત રકમ મળી ગઈ હતી અને આવશ્યક ચીજ–વસ્તુઓના વિતરણનો કાર્યક્રમ સાપુતારામાં બુધવાર, તા. ૨૧ મી જાન્યુઆરી, ૧૯૪૭ના રોજ શ્રી દીપચ દભાઈ ગાડીંના પ્રમુખપદે
જાયું હતુંઆ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહેવા સંઘના સભ્યો માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમને એ પ્રશાસનું આયોજન સંજક શ્રી ગણપતભાઈ એમ. ઝવેરીએ કર્યું હતું. વિતરણની સામગ્રીની ખરીદી વગેરેની જવાબદારી સમિતિના સભ્ય શ્રી જયંતીલાલ પી. શાહ અને શ્રી નવનીતભાઈ પારેખે કરી હતીઆ પ્રસંગે સર્વે દાતાઓ અને સંયોજકે અમે આભાર માનીએ છીએ. પરવેઝ કાવકનું ભકિત સંગીત
સંધના ઉપક્રમે જાણીતા પારસી કીતનકાર શ્રી પરવેઝ કાત્રકના ભકિત-સંગીતને એક કાર્યક્રમ ગુરુવાર, તા ૨૨-૧-' ૮ના રોજ સાંજના ૬-૧૫ કલાકે પરમાનંદ કાપડિયા સભાગૃહમ રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી કાત્રક રવ. કવિ કરસનદાસ માણેક રચિત ભકિતગીતે રજૂ કર્યા હતાં. પરિસંવાદઃ
સંઘના ઉપક્રમે શનિવાર, તા. ૧૪-૨-૮૭ના સાંજના ૩-૩૦ વાગે ઇન્ડિયન મરચન્ટસ ચેરના વાલચંદ હીરાચંદ સભાગૃહમાં “રામાયણ અને મહાભારતનાં કેટલાંક ઇતર પા” એ વિષય પર એક પરિસવા જવામાં આવે. હવે આ પરિસંવાદ જવામાં શ્રી મનુભાઈ પાળી-દશંકે' મહાભારતના કેટલાંક ઈતર પા અને આચાર્યશ્રી યશવંત શુકલે રામાયણની કેટલાંક ઇતર પાત્ર એ વિષય પર મનનીય પ્રવચન આપ્યાં હતા. આ તકે અમે વિદ્વાન વકતાઓનો અને કાર્યક્રમના સયાજક ડે ધનવંત તિ. શાહને આભાર માનીએ છીએ. રાષ્ટ્રભાષા હિન્દીમાં વિચારગોષ્ઠિઃ
સંઘના ઉપક્રમે રાષ્ટ્રકવિ મવિલીશરણ ગુપ્તના શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રભાષા હિન્દીમાં એક વિચારગેષ્ઠિનું શનિવાર, તા ૨૧--૮૭ના રોજ સાંજના ચાર વાગે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં ડો રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને આજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય છે. રામમનોહર ત્રિપાઠીએ રાષ્ટ્રકવિ મૈથિલીશરણુ ગુપ્ત અને રાષ્ટ્રીય કવિત’ વિષે અને મુંબઈ
યુનિવર્સિટીના હિન્દી વિગગના અધ્યક્ષ છે. વિનોદ ગોદરેએ
મૈથિલીશરણ ગુપ્તની રાષ્ટ્રીય ચેતના” એ વિષય પર વ્યાખ્યાને આપ્યાં હતાં. આ કાર્યક્રમનું સંયેજન આ બસંતલાલ નરસિંહપુરાએ કર્યું હતું. એ સર્વના અમે આભારી છીએ. આધ્યાત્મિક વગ: *
સ ઘના ઉપક્રમે જૈન તત્ત્વજ્ઞાન વિષેના વર્ગો દર શનિવારે સંઘના કાર્યાલયમાં ચાલુ કરવામાં આવ્યા હતા અને તે માટે પં. શ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધીએ સેવા આપી હતી તે માટે અમે તેમના ઋણી છીએ ધરમપુર ક્ષેત્રે
ધરમપુર આદિવાસી વિરતારમાં સ ધ તરફથી એનડે* ફાઉન્ડેશન દ્વારા તબીબી અને કેળવણીને સેવા કાર્યો છે ત્રણેક વર્ષથી સારી રીતે ચાલે છે. શ્રીમતી ધીરજબહેન દીપચંદ શાહ રમકડાં ઘરઃ
સઘ દ્વારા બાળકને ઘરે રમવા માટે રમકડાં આપવાની આ પ્રવૃત્તિ દર કવિવારે બપોરે ૩-૦૦ થી ૫-૩૦ સુધી નિયમિત ચલાવવામાં આવે છે
મા વર્ષે બાળકની સભ્ય સંખ્યા ૧૯૬ જેટલી રહી છે. રમકડાં - ઘર માટે વખતોવખત નવા રમકડાં ખરીદવામાં આવે છે અને બાળકે તેને સારો લ.ભ લે છે. આ પ્રવૃત્તિ સંજક છે. અમુર શાહ નામને શ્રીમતી જયાબહેન વીરા દર રવિવારે કાર્યાલયમાં નિયમિત હાજર રહી સારી સેવા આપે છે એ માટે અમે તેમના આભારી છીએ. દુષ્કાળ રાહતનિધિઃ
આ વર્ષે પણ ગુજરાતમાં દુષ્કાળ હોવાથી મુંગા જાનવરે ને ઘાસચારા વગેરે માટે સ ધ તરફથી દુકાળ રાહત નિષિ એકત્ર કરવામાં આવ્યું હતું. તેમાં કુલ રૂ૯૩,૧૨ –ની રકમ મળી હતી. આ રકમ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની જીવવાનું કાર્ય કરતી જુદી જુદી સંસ્થાઓને મોકલી આપવામાં આવેલ હતી. શ્રી જે. વી. મહેતા અનાજ રાહત ફંડ:
શ્રી જે. વી. મહેતાના કુટુંબીજને રૂ. ૨૫૦૦૦-અનાજ રાહત ફંડમાં મળતા જરૂરિયાતવાળા કુટુંબેને રાહતના દરે અનાજ આપવાનું કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે. આ પ્રવૃત્તિ માટે જુદા જુદા દાતા તરફથી અત્યાર સુધીનાં રૂા. ૬૭,૫૯૭ની રકમ મળેલ છે. આ પ્રવૃત્તિના સંયોજક તરીકે શ્રી ઉષાબહેન મહેતા અને શ્રી રમાબેન મહેતા સેવા આપી રહ્યા છે. આ તકે અમે આ પ્રવૃત્તિના સંજના અને દવાઓના આભારી છીએ. શ્રી સી. યુ. શાહ મેડિકલ એઇડ ફંડ:
અત્યાર સુધીમાં પ્રેમળ જ્યોતિ દ્વારા જુદા જુદા દરદી. એને દવાના રૂપમાં જે સહાય કરવામાં આવતી હતી અને વિકસાવવા શ્રી સી. યુ. શાહ તરફથી માતબર રકમ મળી છે. આ પ્રવૃત્તિના સંજક શ્રી રૂપચંદભાઈ ભણશાળી છે. તેઓ મુંબઇની જુદી જુદી સ્પિટલમાં ફરીને જરૂરિયાતવાળા દરદીએને સંઘ તરફથી સહાય કરે છે. આ માટે અમે દાતા અને સોજકો આભાર માનીએ છીએ. શ્રી દીપચંદ ત્રિવનદાસ પુસ્તક પ્રકાશન ટ્રસ્ટ , સઘતા ભૂતપૂર્વ મંત્રી સ્વ દીપચંદ ત્રિભોવનદાસ શાહના