________________
/ 0
- પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૮૭
પરિવાર તરફથી એમની સ્મૃતિમાં જૈન ધર્મના પુસ્તકોના પ્રકાશન માટે રૂ. ૩૦,૦૦૦ની રકમ ભેટ આપવામાં આવી હતી અને તેમાં વખતોવખત ઉમેરો થતો રહ્યો છે. મહાવીરવાણી, નિહનવવાદ, જિનતત્ત્વ વગેરે પ્રકાશને આ ટ્રસ્ટ ફંડ દ્વારા થયા છે. અને ચાલુ વર્ષ દરમિયાન જિનતત્વની બીજી આવૃત્તિ છપાઈ રહી છે.
શ્રી દીપચંદ ત્રિવનદાસ ટ્રસ્ટની શરૂઆતમાં એટલે કે તા. ૧-૧-૮૬ના રોજ રૂ. ૫,૫૪૪-૨૮ની પુરાંત હતી અને વર્ષ દરમિયાન વ્યાજ અને ભેટના રૂ. ૧૧,૫૯૦ મળ્યા હતા. વર્ષ આખરે રૂ. ૭૭,૧૩૪-૨૮ની પુરાંત રહે છે. શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક :
સંધના ભૂતપૂર્વ કાર્યકર સ્વ. ધીરજલાલ ધનજીભાઈ શાહની સ્મૃતિમાં પારિતોષિક માટે શ્રીમતી કમળાબહેન સુતરીયા તરફથી રૂ. ૧૧૦૦૦/- બંધને ભેટ મળ્યા હતા તે મુજબ (પ્રબુદ્ધ જીવનમાં વર્ષ દરમિયાન (જાન્યુઆરીથી ડિસેમ્બર) પ્રગટ થયેલા લખાણું (એક અથવા વધુ લેખો) માટે રૂ. ૧૦૦૦ – નું શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ. પારિતોષિક સ ધ તરફથી આપવામાં આવે છે. તદનુસાર સને (૧૯૮૬નું પારિતોષિક પં. પનાલાલ જગજીવનદાસ ગાંધીને તેમના લેખે બદલ આપવામાં આવ્યું છે. આ પારિતોષિકના નિર્ણાયક તરીકે છે. રમણલાલ ચી શાહ, ડે. દિનેશ ભટ્ટ શ્રી -જયેન્દ્ર એમ. શાહ અને શ્રી પન્નાલાલ ૨. શાહે સેવા આપી હતી. આ માટે અમે સર્વેનો આભાર માનીએ છીએ. તત્વવિચાર અને અભિનંદનને પારિતોષિક: - સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના લેખેને છેલ્લે સંગ્રહ ‘તત્વવિચાર અને અભિવંદના ગત વર્ષે નવેમ્બર, ૧૯૮૫માં સંધ દ્વારા પ્રગટ થયેલ હતું. આ પુસ્તકને વર્ષ દરમિયાન પ્રગટ થયેલા પુસ્તકમાં શ્રેષ્ઠ ચિંતનાત્મક પુસ્તક તરીકે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પરમાનંદ કાપડિ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. જે આપણા સૌ માટે આનંદ અને ગૌરવને વિષય છે. નિરીક્ષણ અને અર્થઘટન નું પ્રકાશન:
સંધના મંત્રી શ્રી પન્નાલાલ ર. શાહના લેખેનું એક પુસ્તક “નિરીક્ષણ અને અર્થઘટન'નું પ્રકાશન સ ધ તરફથી કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં મેટા ભાગના લેખે અગાઉ પ્રબુદ્ધ જીવનમાં પ્રસિદ્ધ થયેલા છે. મેતિયાના દદીઓને ચશમાં માટે સહાયઃ
સંધતા ઉપક્રમે સાધારણ સ્થિતિવાળા મેતિયાના દર્દીઓને ઓપરેશન પછી ચશ્મા માટે સહાય આપવાની યોજના કરવામાં આવી છે. તે માટે શ્રીમતી સરસ્વતી બહેન ડાહ્યાભાઈ ઝવેરી તરફથી સંધને રૂ. ૧૫૦૦૦ નું દાન મળ્યું છે તે માટે અમે. એમના અત્યંત અણુ છીએ. આભાર :
* વર્ષ દરમિયાન કાર્યવાહક સમિતિની ૧૧ સભા મળેલ હતી. કારોબારી સમિતિ, સહગ સમિતિ અને કારોબારી સમિતિના નિમંત્રિત સભ્યોને દિલ અને ઉમંગથી સકાર મળે છે અને અમને આનંદ છે. સમિતિની અગિયાર મિટિંગમાંથી એક મિટિંગ સમિતિના સભ્ય શ્રી જયંતીલાલ પી. શાહના
નિમંત્રણથી તેમના ચેમ્બુર ખાતેના નવા બંગનામાં ગુરુવાર, તા. ૧-૧ ૧૯૮૭ ના રોજ સાંજના ૬-૩૦ કલાકે બેલાવવામાં આવી હતી. પ્રસન્ન વાતાવરણમાં આ મિટિંગનું આજન થયું હતું. આ માટે શ્રી જયંતીલ. પી. શાહના અને એમના પરિવારના સભ્યના અમે આભારી છીએ. '
* ચેકકસ પ્રવૃત્તિ માટે મળેલા માતબર રકમના શત ઉપરાંત પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રસગે કે વર્ષ દરમિયાન સંઘની વિવિધ પ્રવૃત્તિઓ માટે અવારનવાર અર્થસિંચન કરનાર દાતાઓને તે કેમ ભૂલાય? સર્વ દાતાઓને આ તકે હાર્દિક આભાર માનીએ છીએ.
* સંધની પ્રવૃત્તિને લેક સુધી પહોંચાડનારું માધ્યમ છે. પ્રેસ, ચેથી જાગીરના ગુજરાતી, હિન્દી, મરાઠી અને અ ગ્રેજી ભાષાનાં માતબર દેનિક અને સંચાલકેએ સંઘની દરેક પ્રવૃત્તિના અહેવાલ યોગ્ય રીતે પ્રગટ કરી સંધને સમાજમાં નવું પરમાણુ આપ્યું છે. તે દરેક વર્તમાનપત્રો અને સામયિકાને અને અમે આભાર માનીએ છીએ.
* આપણું વ્યાખ્યાનમાળાઓ. પરિસંવાદો અને વ્યાખ્યાનશ્રેણી કે વાર્તાલાપના વિદ્વાન વકતાએ તે આપણી પ્રવૃત્તિનું
અંગ છે એમના સહકાર માટે અમે દરેક વ્યાખ્યાતાઓને - આભાર માનીએ છીએ.
* સંધની પ્રવૃત્તિઓના ફલકને અટલે બધે વિસ્તાર થયે છે તેનું મુખ્ય કારણ સમિતિના ઘણા બધા સભ્યએ યથાશકિત ઉત્સાહપૂર્વક જુદી જુદી પ્રવૃત્તિઓની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લીધેલી છે. એ સવ સજન નામનો તે તે પ્રવૃત્તિના અહેવાલમાં નિર્દેશ કરવામાં આવ્યું છે. સંજના આવા ઉદારદિલ સહકાર અને સમયના ભેગ વિના સંઘની આટલી બધી પ્રવૃત્તિઓની જવાબદારી માત્ર મંત્રીએ વહન કરી શકે નહિ. એ માટે એ સર્વ સંયોજકે અમે હાયપૂર્વક આભાર માનીએ છીએ.
* સંઘતા કર્મચારીગણ પણ આપણી પ્રવૃત્તિમાં એટલે જ ઉપયોગી રહ્યો છે. એમની ચીવટ અને ખંતની નધિ લેતાં અમને આનંદ થાય છે.
અમને આશા, વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આ જ ઉમંગમ સહકાર ભવિષ્યમાં સંધને સૌ તરફથી મળતું રહેશે અને એથી સંધની અવિરત વિકાસયાત્રા ચાલુ રહેશે
લિ. ભવદીય, નિરુબહેન એસ. શાહ કે. પી. શાહ લેશભાઈ એચ. કેકારી પન્નાલાલ ર. શાહ સહ-મંત્રીઓ
મત્રીઓ * કારોબારી સમિતિએ મંજૂર કર્યા તા. ૨-૪-૧૯૮૭ + વાર્ષિક સામાન્ય સભાએ મજૂર કર્યા તા. ૨૫-૪-૧૯૮૭