SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ પ્રથદ્ધ જીવન તા. ૧-૫-૭ માતૃપ્રેમની ઉચ્ચતમ અભિવ્યકિત કાવ્યાત્મક રીતે કર્યા પછી માતા બાળકની રક્ષા માટે અનેક દેવીઓને પ્રાર્થે છે. એ રક્ષાની પ્રાર્થના સાથે આ હાલરડું સમાપ્ત થાય છે. બીજા બે હાલરડાં મહાવીર સ્વામીનાં છે. કલ્યાણવિજયગથિના હાલરડામાં માતા કહે છે કે જિનવરના ધર્મના પાલનનું મને ફળ મળ્યું. અહીં તે ખુદ જિનવર પુત્ર છે, છતાંય માતાના ભાવે તે મૂળભૂત રીતે એ જ રહે છે. સાથે તે સિવાય કંઈક વિશિષ્ટ બને છે. પ્રથમ અમીવિજયકૃત હાલરડામાં જોઈએ તે ત્રિશલાએ જન્મ આપેલા પુત્રને જોઈ સકે ઇન્દ્રના આસન કંપે છે. એક કરોડ ૬૦ લાખ કલશથી તે મહાવીરને રત્ર મહોત્સવ થાય છે. મહાવીરના જન્મથી કુળમાં આનંદ આનંદ છવાઈ જાય છે. પ્રજાને પણ અપાર આનંદ થાય છે. ઘેર ઘેર શ્રીફળનાં તેરણુ બંધાય છે કે સ્ત્રીઓ મંગળગીત ગાય છે. રાજાએ ખૂબ રંગેચંગે જન્મોત્સવ ઊજળે આ બધાંના આનંદમાં શિરમેર છે ત્રિશલાની વાત. કવિ ત્યાં કહે છેઃ માતા ત્રિશલા થઈ ઉજમાલ.” ઉજમાલ’ શબ્દપ્રયોગ કરી ત્રિશલાને કવિ કેટલાં બધાં ગૌરવાન્વિત કરે છે. પછી મહાવીરના સૌંદર્યને વર્ણવતાં કવિ વીરના મુખ ઉપર વાર કેટરી ચંદ્રમા, પંકજ લોચન સુંદર વિશાલ કપિલ, શુકચંચું સરિખી દીસે નિમલ નાસિક, કેમલ અધર અણુ રંગરેલ.' મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કેટલાક નાયકના રૂઢ વર્ણનની અહીં સહજ યાદ આવી જાય. પછીનું એક ચિત્ર ખાસ નોંધપાત્ર છે: કર અચૂં કે ધાવે વીરકુમાર હર્ષે કરી, * કઈ બેલાવતાં કરે કિલકાર.” જાણે આપણા જ અનુભવનું ચિત્ર. ચિત્રાત્મકતા આ હાલરડાની ખાસ વિશેષતા છે. મહાવીરને શણગારી તેને નજર ના લાગે માટે માતા શું કરે છે તે રજૂ કરતાં કવિ કહે છે: ‘ત્રિશલાયે જગતે આજ અણિયાલી બેહુ અખડી; સુન્દર કસ્તુરીનું ટબકુ કીધું ગાલ.” પછી મળતું પારણુનું ચિત્ર પણ સરસ છે. બીજું સુંદર દશ્ય આ રીતે કંડારાયું છેઃ મારો લાડકવાય સરખા સંગે રમવા જશે. મનોહર સુખલડી આપિશ એહને હાથ, ભજન વેળા રમઝમ રમઝમ કરતે આવશે, હું તે ધાને ભીડવીશ હુયા સાથ.” ને પછી બાળરમતમાંથી ક્રમશ: મેટા થતા મહાવીરની બીજા કાર્યોની કલ્પના કરી વાત અને પહોચે છે તેના લગ્નમાં. તેને માટે ઘરની કન્યા સાથે પરણાવીશ. એ તે મોટો રાજરાજેશ્વર થશે ને અંતે ત્રિશલા બેલી ઊઠે છે. મારા મનના મનોરથ પૂરશે જગીશ” તેને પુત્ર જગીશ છે ને છતાંય માતા ત્રિશલા પિતાની મનોકામનાઓ જગીશ પૂરશે તેમ પ્રાર્થે છે. આમ, સિદ્ધાર્થના કુળના “દિનમણિ” રૂપ મહાવીરનું મા હાલરડું તેમના અનેક સુંદર ભાવભર્યા ચિત્રોને કારણે હૃદયસ્પર્શી બન્યું છે. દીપ વિજગત “મહાવીર સ્વામીનું હાલરીયુંની ધ્રુવપંકિત હાલો હાલે હાલે હાલે મારા નંદને આપણને સીધા જ મહાવીરને પારણને ઝુલાવવાની પ્રક્રિયામાં જોડી દે છે. મહાવીર તીર્થંકર છે એ વાત અહીં અનેક રીતે બતાવાઈ છે. ચૌદ સ્વપ્નની વાત કે કેશીસ્વામીના મુખેથી સાંભળેલી વાતથી ત્રિશલાને સંપૂર્ણ ખ્યાલ છે કે “ચકી નહિ શકીરાજ' તેને ત્યાં અવતર્યા છે. ને તેથી તે પ્રસન્નતાથી ગાય છે. “મારી કુખે આવ્યા તારણ તરણુ જહાજ, મારી કુખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ; મારી કુખે આવ્યા સંધ તીરથની લાજ, હું તે પુણ્ય પતિ ઈદ્રણ થઇ આજ.” ને આમ પુત્ર અને માતા બંનેની મહત્તા વર્ણવાઈ છે. એક દિવ્ય વાતાવરણ અહીં સજાયું છે. આ કૃતિનું બીજું નોંધપાત્ર લક્ષણ છે લય. “નંદન નવલા” એ શબ્દથી શરૂ કરી કૌટુંબિક જીવનની અનેક પ્રેમભરી ઉચ્ચતમ સ્થિતિઓ લયબદ્ધ રીતે અહીં રજૂ કરી છેઃ નંદન નવલા બંધવ નંદીવહંદના તમે, નંદન જાઈએ કહી દેનાર છે સુમાલ, હસશે ભોજાઈઓ કહી દીયર મારા લાડકા, હસશે રમશે ને વળી શુંટી ખણશે ગાલ, હસશે રમશે ને વળો હંસા દેશે ગાલ' ચૂંટી ખણશે કે દૂસા દેશે જેવી બાબતો કેવું સુંદર વાસ્તવિક ચિત્ર દોરી જાય છે! તે જ રીતે મામા - મામી શું કરશે તેનાં પણ લાક્ષણિક રંગીન જીવંત ચિત્ર મહીં ઊભાં થયાં છે. નંદન મામા-મામી સુખલડી સહુ લાવશે, નંદન ગજવે ભરશે લાડુ મોતીચુર.” વગેરે પછી તેને રમવાનાં રમકડાંઓની પણ એવી જ ચિત્રાત્મક રજુઆત છે. પછી તેમને નિશ્વાળે મૂકશે ત્યારે: નંદન નવલા ભણવા નિશાળે પણ મૂકહ્યું, ગજ પર અંબાડી બેસાડી મેહટે સાજ. પસલી ભરશું શ્રીફળ ફળ નાગરવેલશું, સુખલડી લેશું નિશાળીયાને કાજ.” આ તે મેટા ઘરને દીકરે છે ને માતાની ભાવના છે એટલે બધાં જ નિશાળિયા માટે તેઓ સુખડી લઈ જાય એવી જ ક૯૫ના હોય ને ?! ને પછી કુંવર મોટે થશે એટલે સરખી વહુવર લાવવાની તે વાત હોય જ પણું વહીં તે પછી ત્રિશલા જે કહે તે જોઈએ: મહારે આગણુ વઠા અમૃત દુધે મેહુલા, મહારે અગિણ ફિલિયા સુરતરુ સુખના કંદ' આ રીતે અમૃતની વષ અને ક૯પવૃક્ષરૂપ પુત્રને પોતે જન્મ આપે છે તેની પ્રસન્તા સાથે તેનું હાલરડું પૂરું થાય છે. પછી કવિ તેના પર મહોર મારે છે કે આ પારણું જે કોઈ ગાશે લેશે પુત્ર તણું સામ્રાજ' તીર્થંકરનું આ હાલરડું ગાવામાં આવે તે તેનું સફળ પણ મળવું જોઈએ ને!
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy