SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ પ્રત જીવન પહેલાં તે મેડમ વિદાય થયાં. મેડમને મળવાની ઈચ્છા મનમાં જ રહી ગઈ. મેડમ સેરિયા વાડિયા બહુ લોકસંપર્કમાં આવતાં નહોતાં. સાચા જિજ્ઞાસુ, થિએસોફિટ કે લેખકોને તે તેઓ જરૂર મળતાં, પરંતુ સદા અનાસકત રહેતા. એમના અવસાનથી મારા જેવા કેટલાયે એક વત્સલ માતાને પ્રેમ ગુમાવ્યા જેવી લાગણી અનુભવી હશે ! -રમણલાલ ચી. શાહ સંઘ સમાચાર રવ. યશવંતભાઈ દાદભાવાળાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તો શ્રીમતી ધીરજ બેન દાદભાવાળા તરફથી એક વહીલ ચેર અને એક અપંગને પગભર કરવા મશીનની કિંમતનું એમના તરફથી દાન મળેલ છે. પ્રસંગે પણ સમતા ન ગુમાવે એવી સ્વસ્થતા મેડમમાં ત્યારે જોવા મળી. મેડમ વાડિયાએ યુવાન વયે પેરિસની યુનિવર્સિટી, ન્યુયોર્કની યુનિવર્સિટી અને લંડનની સ્કૂલ ઓફ એરિએન્ટલ સ્ટડીઝમાં અભ્યાસ કર્યો હતે. ૧૯૨૦ થી ૧૯૨૯ સુધી યુરોપ અને અમેરિકામાં તેઓ રહ્યાં હતાં. ઈંગ્લીશ, ફ્રેન્ચ અને સ્પેનીશ ભાષા ઉપર એમનું અસાધારણ પ્રભુત્વ હતું. તે દરેકમાં એમનું વકતૃત્વ ટીદાર. ૧૯૩૦માં તેઓ ભારતમાં આવ્યાં. તે સમયથી “ધી આયર્ન પાથ’ નામના સામયિકનું તંત્રીપદ એમણે સ્વીકાર્યું હતું. ૫૦ વર્ષથી અધિક સમય એમણે આ સામયિકને પિતાની સેવા આપી. એમની બીજી મોટી સેવા તે ભારતમાં આવીને એમણે પી. ઈ. એન. ના અખિલ ભારતીય કેન્દ્રની સ્થાપના કરી તે છે. એમણે “ધ ઈન્ડિયન પી. ઈ. એન’ નામનું સામયિક ચાલુ કયું". એ માટે પણ એમણે પોતાના જીવનને ઘણે અમૂલ્ય 'સમય આપે. મેડમ વાડિયાએ થિયોસેફની, પી. ઈ. એન. ની અને ઈતર વિષયની ઘણું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં હાજરી આપી હતી. પ્રથમ દર્શને જ તેજસ્વી જાજવલ્ય માન વ્યકિતત્વ અને અસરકારક વાકુટને કારણે મેડમ વાડિયા જે કઈ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લે ત્યાં બધામાં જાણીતાં બની જતાં. એકવાર મળ્યાં કે જોયા પછી વર્ષો સુધી વિવિધ પરિષદના પ્રતિનિધિઓ ભારતમાં કે વિદેશમાં તેમને સતત યાદ કરતા રહ્યા છે. - મેડમ વાડિયા સાચા થિયેસેફિસ્ટ હતાં. બધા ધર્મ પ્રત્યે બધા દેશની પ્રજાઓ પ્રત્યે તેમને હૃદયથી પુરે સમભાવ, પ્રેમભાવ, આદરભાવ રહેતા. તેઓ અત્યંત નિસ્પૃહ અને નિરાસકત રહેતાં. એક વખત એક પુસ્તકમાં છપાવવા માટે મેં એમની પાસે એમના ફેટાની માંગણી કરી ત્યારે જાણવા મળ્યું કે તેઓ ક્યારેય ફેટે પડાવતાં નથી અને છાપવા માટે કયાંય ફેટે આપતાં નથી. કોઈ કાર્યક્રમમાં એમનો ફેટે લેવાય તો તેમને ગમે નહિં. અને છાપામાં છપાય તે નારાજ થાય. પિતાને ફેટે ન લેવાય અને ન છપાય એ માટે અગાઉથી સહજ રીતે કયારેક તેઓ કાર્યક્રમના આજકેટને સૂચના પણ આપતા. ' મેડમ વાાિના ઘરે એમના નેકરે પણ સૌની સાથે પ્રેમથી વિતે. કુટુંબના જાણે સભ્ય હોય એ સદ્ભાવ મેડમ એમના પ્રત્યે રાખે. પિતે એકલાં હતાં. એમના પતિ સુપ્રસિદ્ધ થિએસેફિટ શ્રી વડિયાનું વર્ષો પહેલાં અવસાન થયું. ત્યાર પછી મેડમ એકલાં રહેતાં હતાં. પરંતુ કરીને પિતાના સ્વજનની જેમ સાચવતાં. બે વર્ષ પહેલાં એક બહુ જુના નેકરનું અવસાન થયું ત્યારે એક સ્વજન ગુમાવ્યા જેટલું દુઃખ તેમણે અનુભવ્યું હતું. - છેલ્લા કેટલાક મહિનાથી મેડમને મળવાનું મારે થયું ન હતું. એમને મળવાને વિચાર કરો અને કંઈક કારણ આવી પડતું અથવા ગયો હોઉં ત્યારે મેડમ સિમાં હોય નહિ. ચારેક મહિના પહેલાં શ્રી ઉમાશંકર જોશી સાથે પ્રવાસમાં હતો ત્યારે પી. ઈ. એન. ની નબળી આર્થિક સ્થિતિની વાત નીકળી અને અતરાષ્ટ્રીય હેડફવાટસમાં ચૂકવવાની બાકી રહેલી મેટી રકમની પણ વાત થઈ. એ અંગે શું કરી શકાય તેને વિચારવિનિમય કરવા માટે મેડમને મળવાની ઉમાશંકભાઈએ ભલામણ કરી હતી. પરંતુ હું તમને મળું તે પ્રબુદ્ધ જીવન અંગે સૂચનાઓ * પ્રબુદ્ધ જીવનમાં સામાન્ય રીત કાવ્ય, વાર્તા અને નાટક ઈત્યાદિ લવાતાં નથી. ધર્મ, અધ્યાત્મ, તત્વજ્ઞાન, સાહિત્ય, સમાજ, રાજકારણ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, આદિ જીવનનાં વિવિધ ક્ષેત્રે અને વિષય પરના લેખેને આ પત્રના ધોરણ અનુસાર સ્થાન અપાય છે. * પ્રગટ થતા લેખને ગ્ય પુરસ્કાર આપવામાં આવે છે. * લખાણ સારા અક્ષરે ફૂલસ્કેપ કાગળ પર શાહીથી એક બાજુ લખાયેલું હોવું જરૂરી છે. અસ્વીકૃત લખાણું પાછું મોકલાતું નથી. તેથી લેખકેએ લેખની એક નકલ પિતાની પાસે રાખવી. ટપાલમાં કે અન્ય કારણે ગુમ થયેલ લેખ માટે અમે જવાબદાર નથી. * વિષયોનું વૈવિધ્ય અને પૃદ્ધ સંખ્યાની મર્યાદા જાળવીને લેખે પ્રગટ કરવામાં આવે છે. લેખ કયારે પ્રગટ થઈ શકશે તે ચોકકસ જણાવવાનું મુશ્કેલ છે. * “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતા લેખમાં રજૂ થતા વિચારે તે તે લેખકેના છે. “પ્રબુદ્ધ જીવન’ના તંત્રીની કે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની તે વિચારો સાથે સહમતી હોવાની જવાબ દારી રહેશે નહિ. * લેખ મેકલવાથી માંડીને વ્યવસ્થા અંગે તમામ પત્રવ્યવહાર “સંધના કાર્યાલયના સરનામા પર કરવા વિનંતિ. -તંત્રી સંધિ સમાચાર - શ્રીમતી અહલ્યા રાંગણેકર (માજી સંસદસભ્ય) શનિવાર, તા. ૨૪-૫-૮૬ ના સંજના ૫-૦૦ કલાકે પરમાનંદ કાપડિયા સભાગ્રહ (૩૮૫, સરડાર વી. પી. રેડ, રસધારા કે. એપ સાયટી, બીજે માળે, પ્રાર્થના સમાજ, મુંબઈ-૪૦૦૦૦૪)માં “સામાજિક સાંપ્રત પ્રવાહ વિશે મરાઠીમાં વાર્તાલાપ આપશે. તે આ કાર્યક્રમમાં પધારવા સૌને હાર્દિક નિમંત્રણ છે.
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy