SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ પાયા ઉપર ચાલે છે. એક સામાજિક કાય કર્તાએ એક મોટી સભાને સ ંખેાધતાં એમ કહ્યું હતું કે ‘તમારા ખે નખરના પૈસા હોય તે પણ તે અમને દાનમાં આપો. અમે તેની વ્યવસ્થા કાયદેસર કરી આપીશું.' કેટલાક ધર્માંચાર્યાંને પાતાના ભકતાને એમ કહેતા સાંભળ્યા છે કે તમારા કાળા નાણા અમારા ધમ કાય'માં આપેા. ભગવાનની પાસે આવતાં કાળા નાણા કાળા રહેતાં નથી. ખલકે પવિત્ર થઈ જાય છે.' પ્રતિષ્ઠિત સામાજિક કાય"કર્તા, કેળવણીકારો, ધર્માચાર્યોં વગેરેને પણ જો આવા ઉદૃગારો કાઢતાં લજ્જા કે સાચા અનુભવ ન થતા હાય તો સરકારે પેતે એ પરિસ્થિતિના ગંભીરપણે વિચાર કરવા ઘટે. કરવેરાનુ માળખુ એવુ સરળ અને હુંળવુ' હાવુ જોઇએ કે જેથી પ્રજા પણ પાતાને ભાગે ભરવાના આવતા કરવેશ ભરવામાં ખચકાટ ન અનુભવે. ઉત્તમ સ્થિતિ તે એ કહેવાય કે કરવેરા ભરનારા બધા જ લા પ્રામાણિકપણે રાષ્ટ્રભકિતથી પ્રેરાઇને હુશ હશે તાના કરવેરા ભરે. પરંતુ એવુ' સામાન્ય રીતે શક્ય નથી. જેમની પાસે આવી અપેક્ષા રાખી શકાય એવા સમથ માણસા પણ કરવેગની ખાખતમાં શિથિલ ખની જાય છે. આધારભૂત રીતે એમ સાંભળ્યુ' છે કે ગાંધીભકત એવા એક ઉચ્ચતમ ઉદ્યોગપતિ જ્યારે ગુજરી ગયા ત્યારે તેમની એસ્ટેટ ડયૂટી દ્વારા સરકારને એક રૂપિયાની પણ આવક થઇ ન હતી. કેટલાક સમયથી તેઓ આવકવેરા પણું ભરતા ન હતા. અને આ બધું જ તે કાયદેસર કરતા હતા. તા પ્રશ્ન એ થાય છે. કે કરી કે અબજો રૂપિયા ઉપર જેમનુ આધિપત્ય છે એવી વ્યક્તિ પણ પોતાના તરફથી આવકવેરા દ્વારા કે વારસવેરા દ્વારા સરકારને કશું જ ન મળે એવી કાયદેસર ગઢવણુ કરે તેા તેવી વ્યક્તિની રાષ્ટ્રભકિત કે રાષ્ટ્રપ્રીતિનું મૂલ્ય કેટલું આંકી શકાય ? આવી વ્યકિતને પશુ જો આ પ્રમાણે વર્તવું પડે તે તે ઘટનાની સરકારે અને રાષ્ટ્રહિતચિંતકાએ નોંધ લેવી ઘટે. આવકવેરામાં ઝાઝા નાણાં ન મળે એ પ્રશ્ન જેટલા ગ*ભીર છે તેથી પણ વધુ ગંભીર પ્રશ્નન પ્રજાની રાષ્ટ્રપ્રીતિ ઘટતી જાય છે એ છે. : ભારતમાં ધણા વેપારીઓ પાસેથી સાંભળવા મળે છે કે સીધી રીતે વેપાર કરવામાં ખાસ કઇ લાભ થતા નથી. સીધા સાદા વેપારીને પણ સરકારી અમલદારોની કનડગત ધણી નડે છે. સરકારી અમલદારો પણ પૈસા ખાવા ન મળતા હોય તે કાયદા અને નિયમેાની જડતાથી વતે છે, પછી ભલે વેપારીને ગમે તેટલુ નુકસાન થતું હોય. કયારેક જાણીજોઈને પણ નુકસાન કરાવાય છે. પર`તુ પૈસા ખાવા ને મળતા હોય તે કાયદાની કલમા અનુકૂળતા અનુસાર ત્વરિત ઉપયોગ કરીને તથા પેાતાને મળેલી વિશિષ્ટ સત્તાનો ઉપયોગ કરીને તરત કામ પતાવી આપે છે. વેપારી વગ તા ના નુકસાનને હિસાબ માંડીને ઝટ કામ પતાવવા અને હેરાનગતિમાંથી ખચવા પૈસા ખવડાવી દે છે. એકામે વેપારી ખાટુ' કરતા હોય તે તેને એક દૃષ્ટિથી વિચાર કરી શકાય, પરંતુ અનેક વેપારીઓને જુદા જુદા પ્રસંગે જુદા જુદા કારણસર તેમ કરવાની ફરજ પડતી હોય તો એ પ્રશ્નને ખીજા દૃષ્ટિકાથી તપાસવા જોઇએ, છેલ્લા બે ત્રણ દાયકામાં કરચોરીની સીધી કે આડકતરી વાત મેટા શહેરામાં તે ઘર ઘર સુધી વ્યાપી ગઇ છે. પ્રામાણિક રહેવા ઝઝુમતા માણસને પણ લાચારીથી નમતુ' આપવુ પાયુ છે. એમ કહેવાય છે કે રાજ્યના ખીજા કાઇ કાયદાઓ તા. ૧-૧-૮ કરતાં આવકવેરા કે વેચાણવેરાના કાયાએ માણુસને જલદી લખાડ અને જૂટા અનાવી દે છે પરંતુ ભારતમાં તે એની હદ. વળી ગઇ છે. કરચેરી ભારતીય પ્રજાના લેહીમાં વ્યાપી ગઇ છે. પ્રભુન જીવન જ્યારથી મેઘા કરવેરાની ખેજો પ્રજા ઉપર નાંખવામાં આવ્યો ત્યારથી કાણાં નાણાંના વ્યવહાર અધિક વેગથી ચાલવા લાગ્યો. સમાંતર અથતંત્રની જેમ તેની અસર વેપાર – ઉદ્યોગ અને જીવન પદ્ધતિ ઉપર પડી. કૃત્રિમ ભાવવધારે ચાલ્યો. મકાન, ઔદ્યોગિક ઉત્પાદનો, અને તેનું વેચાણુ, જરઝવેરાત વગેરેમૐ એ નખરના નાણાંના વ્યવહાર આખા ભારતમાં ચાલી રહ્યો છે. પ્રજાના વિશાળ સમુદાયને આવુ. ગેરવતન કરવુ" પડે તે તેમાં પ્રજાને કેટલા દોષ દઈ શકાય? પ્રજા માનસના વાસ્તવિક પરિસ્થિતિના સંદર્ભ"માં ખ્યાલ રાખવાને ખલે અવાસ્તવિકપણે. આડેધડ કરવેરા ીને સ્વાતંત્ર્ય સગ્રામમાં ખુમારીથી અનેÀ ભોગ આપનારી પ્રજાના નૈતિક ધોરણને નીચું પાડી દેવામાં મુખ્યપણે સરકાર જ જવાબદાર છે એમ કહી શકાય. એ નખરના પૈસાની વાત કરવી કે વ્યવહાર કરવા એ હવે લેકલાને પ્રશ્ન રહ્યો નથી. જે ચેડા પણ સુખી છે,. એવા ભારતના લાખા કરેડા લેાકામાંથી કાઇક જ એવા હશે કે જેમને એ નબરના નાણાંના કયારે વ્યવહા કરવા ન પડયે હાય, પરિણમે કાળાં નાણાને વ્યવહાર એક રોજિંદા જીવનની સામાન્ય ઘટના બની ગઇ છે. જે પ્રામાણિકઅને રાષ્ટ્રવાદી હતા એવા કેટલાય લેાકાને પણ એ નખરના નાણાંના વ્યવહાર કમને લાચારીથી કરવા પડયા છે એ અતાવે છે. કે કરવેરાના માળખામાં અને તેના અમલમાં જ ધણી ત્રુટિઓ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતના કેટલાક સુપ્રતિષ્ઠિત વેપા રીએ ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, ડોકટરો, અભિનેતાઓ સરકારી અમલદારા વગેરેની ઓફિસોમાં તથા ધાાં આવકવેરાના અને અન્ય ખાતાંઓ તરફથી દરેાડા પાડવામાં આવ્યા કરે છે. મા ઘટનાઓના વિવિધ પ્રત્યાઘાતો પડયા કરે છે. સરકાર માત્ર નાની વ્યકિતઓને જ સતાવે છે અને મેટી મેટી વ્યકિતઓની શેમ દખાય છે એવે! મત માથી ખોટા ઠરે છે. બીજી બાજુ મોટી મોટી વ્યક્તિને પણ પોતાની પ્રતિષ્ઠા હાડમાં મૂકીને ગેરરીતિ. આચરવી પડે એવી મજબૂરી પરિસ્થિતિનુ ં નિર્માણુ જે રીતે સરકારી તંત્ર દ્વારા થઇ ગયુ' છે એ દેશ માટે ઈષ્ટ નથી એમ પણ કેટલાકને લાગે છે. કેટલીક વ્યકિતઓના પક્ષે આવકવેરાની દૃષ્ટિએ કે વિદેશી હુંડિયામણ ધારાની દૃષ્ટિએ કેટલુ’ક ખોટું કાય જરૂર થયું હશે, અને તેને બચાવ બિલકુલ થઇ ન શકે. તો પણ જે રીતે આ ખધું બની રહ્યું છે તે ઘણી ગંભીર વિચારણા માગી લે છે. નાણાં કમાવાની લાલચ એવી મેટી છે. કે એના ઉન્માદ ભલભલાને ભાન ભૂલાવે છે. મોટી મોટી ઉદ્યોગ કંપનીઓમાં એકસાઇઝ, વેચાણવેરે,. આવકવેરો, લાયસન્સ, આયાત-નિકાસ, વિદેશી દૂડિયામણ વગેરેની દૃષ્ટિએ ઘણી ગેરરીતિઓ ચાલે છે. પ્રશ્ન થાય છે કે આવી ગેરરીતિ કરવાનું મન તેમને કેમ થતું હરો ? ખીજી, બાજ એમ પણુ પ્રશ્ન થાય છે કે આટલા બધા પ્રતિષ્ઠિત માણસોને પણ કરચોરી કરવાનુ મન થાય છે તે કરવેરાની પદ્ધતિમાંજ કશુ ખાટુ નહિ.હાય વેપારી સરકારી અધિકારીઓને બગાડે છે કે સરકારી અધિકારીઓ વેપારીઓને (અનુસંધાન પૃષ્ઠ ૧૭૧)
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy