SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬૪૮૬ પ્રબુદ્ધ જીવન રહ્યું જ, એટલે આ બનાવ પછી કેટલાંક વર્ષે એ સ્ત્રીને કેન્સર થયું. અજ્ઞાતમનમાં ધકેલાયેલી બાબત ધીરે ધીરે ડંખતી રહી હેય અને લાંબે ગાળે એ કેન્સરમાં પરિણમી હોય એવું અહીં અનુમાન છે. એ સ્ત્રી ગામડાના વિશુદ્ધ વાતાવરણમાં અને વર્ષોથી ચારેક દાયકાથી ઉકાળેલું પાણી પીએ છે અને આરોગ્યના નિયમ જાળવે છે, એટલે વ્યસનાદિના કારણે વિના થયેલાં આ રોગના કારણ માટે આ રીતે મનેવિલેષણ દ્વારા આવું અનુમાન બાંધ્યું છે. . એક સ્પષ્ટીકરણ આવશ્યક છે ધમને સિદ્ધાંત કયાંય બેટ નથી ખોટી છે માનવીની ભિરુત્તિ અને દંભ. એને બદલે ઋજુતા અને સરળતાથી, સહજ ભાવે વ્યક્તિ અને સમાજ મનુષ્ય માત્ર, ભૂલને પાત્ર’ એ ન્યાય સ્વીકારે તે આવા ગૂંચવણભર્યા પ્રશ્નો ઉભા ન થાય. પ્રતિષ્ઠા અંગેના માપદંડમાં સામાજિક કક્ષાએ પરિવર્તન લાવવું જોઈએ એ આપણે વહેલી તકે સમજવું જોઇશે. અલબત્ત, વ્યકિતગત કક્ષાએ ધાર્મિક સિદ્ધાંત રવીકાર્યું હોય એણે ગાંધીજીની માફક પિતાની નાની શી ભૂલને હિમાલય જેવી ભૂલ તરીકે ઓળખાવતાં કદી અચકાવું જોઈએ નહિ. કારણ, આત્મ-સાધકને બાહ્ય જગતની એષણાઓ અને વાસનાઓ વજર્યું છે. અધ્યાત્મની સાધનાને પંથે ચડેલાં જીવને એનું કશું મૂલ્ય હોતું નથી, હોવું પણ ન જોઈએ. એક (પાંચમા જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલ નિબંધ) (પૃષ્ઠ ૨૬૬ થી ચાલુ) થયા વગર રહે નહિ. રંભાબહેન અને મનમોહનભાઈનું દામ્પત્યજીવન અત્યંત ઉભાભયું; સંતાન નહિ છતાંય કયારેય સંતાનની ખાટ જણાય નહિ. ગ્રન્થોરૂપી માનસ સંતાનથી રંભાબહેનને ઘણે અંતેષ. નાટિકાઓ, વાર્તાઓ, લેખે, ટુચકાઓને લગતા સંખ્યાબંધ પુસ્તકે રંભાબહેનનાં પ્રગટ થયાં છે. છેલ્લા એક વર્ષમાં દસ જેટલાં એમના પુસ્તક પ્રકાશિત થયાં હતાં. મનમેહનભાઈએ ચીવટપૂર્વક એ કાર્ય રંભાબહેનની હાજરીમાં જ પાર પાડી આપ્યું. રંભાબહેનની સાહિત્યિક પ્રતિભાના પિષણમાં મનમોહનભાઈને ફાળે ઘણે ભેટો જુદાં જુદાં પુસ્તકાલયમાંથી નવાં નવાં અગ્રેજી-ગુજરાતી પુસ્તકે તેઓ લઇ આવ્યા જ હોય. અને એના વાંચનથી રંભાબહેનને અનેક નવા નવા મૌલિક વિચારો રે. રંભાબહેને કયું પુસ્તક વાંચ્યું છે અને કયું નથી વાંચ્યું એની નોંધ મનમોહનભાઈ પ્રત્યેક પુસ્તકમાં એવી ગુપ્ત નિશાની રૂપે કરી રાખે કે પુસ્તકાલયમાંથી પુસ્તક હાથમાં લેતા ફકત એમને જ ખબર પડે કે એ પુસ્તક રંભાબહેનને અગાઉ વાંચ્યું છે કે નહિ. આર્થિક દૃષ્ટિએ સંપન્ન એવું રંભાબહેનનું ઘર પુસ્તકે અને સામયિકોથી ઉભરાતું. છતાં અત્યંત સ્વચ્છ, સુઘડ અને વ્યવસ્થિત, મનમેહનભાઈ પણ એમાં મદદ કરે. નિવૃત્ત જીવન એટલે મનમેહનભાઈ ઘણે સમય મિત્રોને પત્ર લખવામાં અંગ્રેજીમાં કવિતા લખવામાં, ઘરને વ્યવસ્થિત રાખવામાં, ટેનિસ કલબમાં રમવામાં કે ઈંગિંગ ગાર્ડનમાં નિયમિત કરવામાં પસાર કરે. હેંગિંગ ગાર્ડનમાં રંભાબહેન અને મનમોહનભાઈ અનેકવાર મળ્યા હશે. બંનેના ચહેરા ઉપર તરવરાટ અને ચાલવામાં સ્કૂતિ' જોવા મળે. બંને ઉત્સાહભર્યા સક્રિય જીવનથી ધબકતાં જોવા મળે. : આવા આપણું એક વડીલ સન્નારીએ સન્મુખ આવી રહેલા મૃત્યુને જે વિરલ હિંમતથી સ્વીકાર કર્યો હતો તે ઘટના બીજને , અનેકને માટે પ્રેરક બને એવી છે. પ્રભુ એમના આ માને શાંતિ અર્પે ! લગર હીં પ્રા. અરુણ જોષી પ્રાચીન ભારતીય શિષ્ટાચાર મુજબ જિd : ઘાnિ : ૨ છે નાનામ્ રેવનાં ગુન્ એટલે કે રાજા, દેવ કે ગુરુ પાસે ખાલી હાથે ન જવાય. તેમના ચરણે ભકિતભાવપૂર્વક કંઇક ધરવું જોઈએ. ભકિતથી લાવવામાં આવેલ પત્ર, પુષ્પ કે ફળ ભગવાનને પણ પ્રિય છે એમ ભગવદ્ગીતા દ્વારા પણું. જાણવા મળે છે. દેવ કે ગુરુ પાસે લાવવામાં આવેલ શ્રદ્ધાપૂર્વકની ભેટમાં ધન ઉપરાંત ધાન્યને પણ સમાવેશ થાય છે. આ ધાન્યને મેગ્ય વિનિયોગ કરવાની સુંદર વ્યવસ્થા ગુરુ નાનકે વિચારી કાઢી હતી અને તે અનુસાર શીખ ગુરુદ્વારામાં તથા ભારતનાં અનેક તીર્થસ્થાનોમાં લંગરને અનેખું મહત્વ. સપડયું છે. સદાવ્રત કહે, લંગર કહો કે ભંડારે કહે, આ બધામાં અન્નનું દાન કરવામાં આવે છે. બાઇબલ મુજબ આશા, વિશ્વાસ અને દાન એ ત્રણ સગુણોમાં દાનનું મહત્ત્વ સહુથી વધુ અંકાયુ છે દાનમાં પણ અન્નદાન ચઢિયાતું છે કારણ કે તે કેઈકને જીવંત રાખવામાં નિમિત્ત બને છે. *Live and let live' ની ભાવના વ્યકત કરનાર સદાવ્રત વગેરે કરતાં લંગર પાછળ રહેલી ભાવના અનેક પ્રયજને સિદ્ધ કરનારી છે. શીખ સંપ્રદાયના ગુરુઓ પિતાની પાસે લાવવામાં આવેલા ધન ધાન્યને વિનિયુગ બીજાને ભોજન આપવામાં કરે છે.. પિતા માટે કંઈ રાખતા નથી. તેન રાવતે મુંગીથા નું આથી વિશેષ સારું કયું ઉદાહરણ હોય ? આમ લંગર સાથે ત્યાગની ભાવના તે મૂળમાંથી જ ભળેલી છે. દેવ કે ગુરુ પાસે લાવવામાં આવેલી વસ્તુઓ શુદ્ધ તથા સાત્વિક પ્રકારની હોય એ સ્વાભાવિક છે. તેથી લંગર દ્વારા પ્રાપ્ત થતું ભોજન પિષણક્ષમ અને સાત્વિક પ્રકારનું છે. લ ગરની પ્રથા સમાજવાદની નીતિને પણ અનુસરે છે. પૈસાદા પાસેથી પ્રાપ્ત થતા દ્રવ્યને આ પ્રથા ગરીબ સુધીપહેચાડે છે. ભગવાન કાઈને ભૂખ્યા પેઢાતા નથી એ શ્રદ્ધા આ પ્રથા દ્વારા ચરિતાર્થ થાય છે. “સહુ પ્રથમ સંગરમાં જોડાઓ અને પછી અમારી પાસે આવો' એવું ગુરુવચન “ભૂખ્ય ભજન ન થાય' એ વાતને અનુમોદન આપે છે. લંગર સાથે જોડાયેલ બીજી એક વિશિષ્ટતા જાતમહેનતની છે. ભોજન તૈયાર કરવા માટે ભાડૂતી માણસે રાખવામાં આવતા નથી પણ ભકતે જ જાતે ભોજન તૈયાર કરે છે. આને કર સેવાનું એક અંગ માનવામાં આવે છે. ભોજન પીરસવાનું કામ પણ ભકતે જ કરે છે. વળી, લંગર અથવા પ્રસાદ આપવાની આ પ્રક્રિયા ઊંચનીચના ભેદ ટાળવામાં પણ સહાયક નીવડે છે.. જ્ઞાતિ પ્રથાનાં જડ બંધને કાપવામાં આ પ્રથા મદદરૂપ નીવડી છે. શીખ ગુરુદ્વારામાં ઊંચનીચ એક સાથે જ ભેજને લેવા માટે બેસે છે અને દરેક પિતાનાં વાસણે પણ જાતે જ સાફ કરે છે. આમ તન, મન અને ધનની સેવા લંગર સાથે જોડાયેલી છે. આ લંગર અથવા પ્રસાદ પ્રભુ કૃપાનું એટલે કે “પ્રભુના દિવ્ય પ્રસાદનું એક સ્થળ રૂપ જ છે. પ્રભુપ્રસાદ પ્રાપ્ત થતાં બધાં જ દુઃખ નષ્ટ થાય છે એમ ભગવદ્ગીતામાં કહેવામાં - આવ્યું છે. આ લંગરની ભાવના ગરીનું દુઃખ, ટાળવામાં તે. મદદરૂપ થાય જ છે પણ વિશાળ અર્થમાં જનહિતાય અનેક પ્રકારને સુખ-સંપને વધારો કરવાને બંધ ૫ણું પ્ર૭ને રીતે આપે છે.
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy