________________
તા. ૧-૫-૮૫
પ્રબુદ્ધ જીવન
પ્રજ્ઞાચક્ષુની પુરુષાર્થકથાઃ “મારું જીવનવૃત્ત' [ખંભાતમાં થાયેલ છ જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલ નિબંધ)
નયેલ છઠા જિ* * પ્રાતિ શાહ
અને મોલડીમા
લેનિપાતને પ્રતિક
છે.
માત્ર જીવનકથા કે સ્મૃતિથી આપવાથી આત્મકથા રચાતી નથી. આત્મકથા એ તે જીવનશોધનની પ્રક્રિયા બતાવતી આત્મખોજની કથા છે. આ અર્થમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીની આત્મકથા “મારું જીવનવૃત્ત’માં જીવનની પ્રત્યેક ઘટનાનું નિરૂપણ મળે છે. તે વિશેનું તટસ્થ નિરીક્ષણ મળે છે અને એને પરિણામે એ ઘટનાએ એમના વિચારશીલ અને સંવેદનશીલ માનસ પર ભાવ જગાડ, તેનું આલેખન મળે છે. પરંતુ આ આત્મકથાની એક તરી આવે એવી લાક્ષણિકતા તે એ છે કે જીવનની આ ઘટનાઓમાંથી ૫, સુખલાલજી એને મમ તારવે છે અને એને જાધારે પિતાનું જીવનઘડતર કરે છે. આમ આ આત્મકથામાં સતત જીવનની ઘટનાઓમાંથી એગ્ય રહસ્ય તારવવાની પ્રક્રિયા ચાલે છે. હકીકતમાં તારવેલું એ રહસ્ય પંડિતજીની પારગામી બુદ્ધિ અને તવંગામી દષ્ટિ બનાવે છે.
પંડિતજી માત્ર જૈન સમાજના કે ગુજરાતના જ નહીં, પરંતુ ભારતીય તત્વજ્ઞાનની પરંપરાના જયોતિર્ધર હતા. તેઓ આચાર્ય હેમચંદ્ર, યોગી આનંદધન કે શ્રીમદ્ રાજચંદ્રની માફક સંપ્રદાયિકતાથી પર બનીને ધર્મના અને શાસ્ત્ર અને બુદ્ધિવિની સહાયથી શુદ્ધ સ્વરૂપમ પામ્યા હતા. માત્ર વેદાંતદર્શનથી જ નહીં, પરંતુ દુનિયાના બીજા અનેક ધર્મોના ચિંતન-મનનથી એમની ચેતના સાર હતી. એક અંધ વ્યકિત પોતાના નિશ્ચયથી. એકાગ્ર તપથી વિદ્યા-સાધનાની કઈ ચરચસીમાએ પહોંચી શકે, તેનું જીવંત દૃષ્ટાંત પં. સુખલાલજીએ પુરું પાડ્યું છે. પં સુખલાલજીની “મારું જીવનવૃત્ત’ આત્મકથા પ્રતિકૂળતાઓ સામે પુસ્મથે મેળવેલા વિજયની રૂઢિચુસ્તતા સામે સત્યાશિતાની, પરંપરબદ્ધતા સામે વ્યકિતત્વવિકાસની અપ્રતિમ ગૌરવગાથા છે.
પિતાની “ખરી જીવતી માતા” જેવા મમતાળુ ભઈજીના વ્યકિતત્વને આલેખીને તેઓ કહે છે: “અનુષ જે સિદ્ધાંત મેં તાર છે તે નવી પેઢીને કહી દે. તે સિદ્ધાંત એ કે જે કોઈ ખરા અને જીવનમાં સાક્ષાત્કાર કરવા ગ્ય દેવદેવીઓ હોય તે તે જન્મ આપનાર, ઉછેરનાર અને સંસ્કાર નાખનાર માતાપિતા તેમ જ એવા બીજા જે હોય તે જ છે. દેવદેવીઓની કલ્પિત સૃષ્ટિ અને ઉપાસના ઉપર એટલે બધે ભાર અપાયો છે કે માણસજાત જીવિત દેવતાઓને ગુમાવ્યા પછી જ તેમને યાદ કરે છે અને પૂજે છે.”
આવી જ રીતે પાંત્રીસેક વર્ષ બાદ પોતાના મારતરને મેળાપ થયો ત્યારે પંડિતજીએ એમની ઓળખાણ પૂછી એમના હાથ નીચે ભણ્યાને પાંત્રીસ વર્ષ થઈ ગયા હોવાથી અને પંડિતજી અંધ હોવાથી એમણે મોટપથી જવાબ આપે. પરંતુ જ્યારે એમણે જાણ્યું કે પંડિતજી ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક છે અને ખાસ શાસ્ત્રીય કામે જામનગર જાય છે. ત્યારે માસ્તરનું વલણ સાવ બદલાઈ ગયું. પંડિતજી આ ઘટના પરથી તારણ કાઢે છે, “જેઓ અતડ અને મેટપમાની હોય છે તેઓ પણ પિતાના કરતાં બીજાની ચડિયાતી અને માનમરતબાવાળી સ્થિતિ જુએ છે ત્યારે સ્વભાવ બદલી નાખે છે.
* લીંબલી અને બોલડીયાદના કુટુંબકલા પરથી લેખકને હિંદુ અને મુસલમાન રાજના વિનિપાતને ઇતિહાસ સમજવામાં કે કુરુપંચાલના યુદ્ધની કથા સમજવામાં મદદ મળે છે. આ બધા પ્રસંગોમાં પંડિતજીની જીવનજાગૃતિને સતત અનુભવ થાય છે. જીવનની કેટલીક સામાન્ય ઘટનાઓમાંથી મળતું તારણે વ્યાપક જાગતિક સંદર્ભને સમજવામાં તેમને ઉપયોગી બને છે. એક પ્રગતિશીલ વ્યકિતના વ્યકિતત્વને પહેલ પાડવા માટે જેમ જદા જુદા પાસા પાડવામાં આવે તે રીતે પંડિતજીના આગવા વ્યકિતત્વનું નિર્માણ કઈ રીતે થયું, તેને હૂબહૂ નકશે અહીં મળે છે.
ખુદવફાઈ એ આત્મકથા લેખક માટે અનિવાર્ય શરત છે. પંડિતજીએ પિતાની સહજ વૃત્તિઓ અને ટેવોનું નિખાલસ આલેખન કરે છે. એમના જીવનમાં પહેલેથી જ જાતમહેનત, કહ્યાગરાપણું, રમતગમત, સાહસપ્રિયતા, જિજ્ઞાસા અને બૌદ્ધિક ભૂખ જેવી સહજ ત્તિઓ હતી. પોતાની આ વૃત્તિઓ વિશે તેઓ વિગતે વાત કરે છે. તરવાનું અને ઘોડેસવારી તેમનો મુખ્ય શેખ હતો. એકવાર કાશીમાં માંડ માંડ ડૂબી જતા બચ્યા. આમ પિતાની વૃત્તિના બંને પાસાં તેઓ જોઈ શકે છે. આ જ રીતે ધાર્મિક સંસ્કારોની અને એને અનુષંગે ધર્મવિચારણાની ઝાંખી આપે છે. સામાજિક નબળાઈઓને તરત પારખી શકે છે. એકવાર એને જાણ્યા પછી કોઈ પણ ભોગે એમને સામને કરવા તત્પર રહે છે. લગ્ન, મરણ કે બીજા એવાં વરા અને એમણે જે નિર્ણય બાંધ્યા એનું જીવનભર પાલન કર્યું".
પિતાજીના મૃત્યુ પ્રસંગે એમણે હિંમતભેર કારજને વિરોધ કર્યો. મોટાભાઈ લોકનિંદાથી ડરતા હતા અને બંને નાના ભાઈઓ કારજ કરવાનું વલશુ રાખતા હતા તેમ છતાં એમણે પિતાની વાત સ્પષ્ટપણે કહી. શીતળા સાતમ વખતે છાનામાના દૂધ ઉકાળીને સાકર સાથે પીધું હતું અને આવી રીતે શીતળાદેવીની આમન્યા લોપાથી અંધાપે આવ્યા એમ બધા કહેતા. પછી પિતે આવી માન્યતાને સત્યના પ્રકાશથી નાણીને, નકકી કરે છે કે શીતળા માતાની કાઇ નારાજગીથી પિતાને અંધાપે આવ્યું નથી.
બાળપણમાં સુખલાલજી ખેરડા ઉપર નળિયાં ચડાવવાના હોય તે તે દેડી જાય, માટીની ભીંત કે વંડી ચણતી હોય તે પિતાજીને કે એને ગારાના પિંડ આપે, ખેડૂતોને ત્યાંથી આવતી ગાંસડીઓને વખારમાં ઠલવાવવી હોય કે ખૂંદી ખૂંદીને બધું થપ્પી બંધ કરવું ખૂબ ગમે. ગેડી દડો, હુતુતુતુ કે દેડાકૂદ જેવી રમત ગમે. તરવામાં કે ઘોડેસવારીમાં પણ એટલા જ આગળ. જેનું બાળપણું આવી પ્રવૃત્તિ, સાહસ અને જાતમહેનતથી પસાર થયું હોય એ માત્ર સોળ વર્ષની વયે અખો ગુમાવે ત્યારે કેવો અનુભવ કરે! માનું ધાર્મિક આલેખન આ આત્મકથામાં કરવામાં આવ્યું છે. “અંધાપાનો કલિયુગ” કઈ રીતે બે અને “અચક્ષુયુગને આરંભ કઈ રીતે થયે એની માર્મિક આપવીતી તેઓ આપે છે.