SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૮૫ પ્રબુદ્ધ જીવન (૪) શ્રીમતી ધીરજબેન દીપચંદ રમકડાંઘર ' " શ્રીમતી ધીરજબેન દીપચંદ તરફથી સંઘને રૂ. ૨૫,૦૦૦/-નું “દાન આપવાની સાથે એ રકમમાંથી સંઘના ઉપક્રમે એક રમકડાંઘર શરૂ કરવાની દરખાસ્ત આવી, જેને સંઘે સાભાર સ્વીકાર કર્યો છે. રમકડાંધરની વૈજના તૈયાર થઈ ગઈ છે અને જરૂરી રમકડાં વસાવવામાં આવ્યાં છે. મા રમકડાં પરનું ઉદ્ધાટન સેવવાર, તા. ૫--૮૫ ના રોજ રાખવામાં "આવ્યું છે. (૫) રાણપુરમાં નેત્રયજ્ઞ સંધના ઉપક્રમે શ્રી ભાલ નળકાંઠા પ્રાયગિક સંધ સિંચાલિત શ્રી વિશ્વ વાત્સલ્ય ઔષધાલયના સહકારથી રાણપુર (સૌરાષ્ટ્ર)માં રવિવાર, તા. ૧૦-૩-૧૯૮૫ના રોજ એક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રયજ્ઞના મુકરર દિવસ પહેલાં ૧૫ દિવસથી જુદાં જુદાં ગામડાઓમાં દરદીઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને ત્યાર બાદ જ નેત્રયજ્ઞ માટે દરદીને પ્રવેશ આપવામાં આવતા હતા. આ -રીતે નેત્રયજ્ઞમાં ૭૫ દરદીઓને મેતિઆ આદિનું ઓપરેશન કરવામાં અાવ્યું હતું. &તત ભ્રાત દિવશ દરદીની સંભાળ અને તેની સાથે આવેલ એક અંબંધીને રહેવા તથા જમવા અને ચાપાણીની સગવડ આપવામાં આવી હતી. દરદીની એક મહીના કે યોગ્ય સમયાંતરે તેની પુનઃ તપાસ, પ્રારંભમાં ગોગલ્સ અને "ત્યારબાદ ચશ્માના નંબર ક્રાઠી યમાં આપવામાં આવ્યા હતા. આ નેત્રયજ્ઞ પ્રસંગે સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહ, શંત્રીશ્રી ચીમનલાલ જે. શાહ, સહમંત્રીશ્રી પન્નાલાલ ર. શાહ, -કાર્યાલય મંત્રીશ્રી શાંતિલાલ ટી. શેઠ, પ્રેમળ જ્યોતિ'ના યોજક શ્રી નિરૂબેન શાહ, શ્રીમતી જયાબેન વીરા અને શ્રી બચુભાઈ દોશી ખાસ હાજર રહ્યાં હતાં. નેત્રયજ્ઞનું ઉદ્ઘાટન સંધની કારોબારી સમિતિના સભ્ય શ્રી રસિકલાલ શહેરચંદ શાહે કહ્યું હતું. આ પ્રસંગે સંધના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે આગામી ત્રણ નેત્રયોની જવાબદારી ‘સંઘે સ્વીકારી લેવાનું જાહેર કર્યું હતું. રાજગૃહીમાં (બિહાર) વીરાયતન” સંસ્થા દ્વારા પૂ. અમરમુનિશ્રીની નિશ્રામાં પણ નિયમિત નેત્રયજ્ઞ યોજાય છે. આ રીતે જતા નેત્રયજ્ઞને . ૧૦,૦૦૦/- ની સહાય સંધ તરફથી મોક્લી આપવામાં આવી છે. (૬) મહિલા વકતૃત્વ તાલીમ વગર બહેનને વકતૃત્વકલાની તાલીમ આપવા સંઘે પ્રા. ધીરેન્દ્ર રેલીયાના માર્ગદર્શન હેઠળ એક તાલીમ વર્ગ શરૂ કરવાને નિર્ણય કર્યો હતો. સપ્તાહમાં એકવાર આ વર્ગમાં લેવાય અને એ રીતે આઠ સપ્તાહના કેસંના આ તાલીમ "ર્ગનું ઉદ્ધાટને શુક્રવાર, તા. ૪-૧-૧૯૮૫ ના રોજ સાંજે ૬-૧૫ કલાકે સંઘના સભાગૃહમાં ડો. રમણુલાલ ચી. શાહના પ્રમુખસ્થાને રાખવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન શ્રીમતી ટ્સનાબેન શેઠે કર્યું હતું. અમને જણાવતા આનંદ થાય છે કે આ તાલીમવર્ગને એક બેચ પૂરો થયો છે અને રાતમાં તાલીમ લીધેલી બહેનોની એકે વકતૃત્વ સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. હવે નવા વર્ગે આગામી જૂન માસમાં કે ત્યાર બાદ અનુકૂળતાએ શરૂ કરવામાં આવે એવી ધારણા છે. નવાં પ્રકાશન (૧) શ્રી દીપચંદ ત્રિવનદાસ શાહ ટ્રસ્ટની ગ્રંથ માળામાં છે. રમણલાલ ચી. શાહના મુખ્યત્વે “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલાં તેમના લેખોનું એક પુસ્તક “જિનતત્ત્વનું છાપકામ પૂરું થવામાં છે અને તે ટૂંક સમયમાં બહાર પડશે. (૨) સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના ઇ. સ. ૧૯૩૯ થી પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલા લેખોનું એક પુસ્તક “તત્ત્વ વિચાર અને અભિવંદનાનું પ્રકાશન સંઘે હાથ ધર્યું છે, . જેનું સંપાદન છે. રમણલાલ ચી. શાહ, શ્રી પન્નાલાલ ૨. શાહ, ૨૫ને શ્રી ગુલાબ દેઢિયાએ કર્યું છે. પ્રેસ કોપી છાપકામ માટે ટૂંક સમયમાં પ્રેસમાં જશે. (૩) અધી સદીના આરે–પયુંષણ વ્યાખ્યાનમાળાના પચાસ વર્ષ એ પુસ્તકનું પ્રકાશન હાથ ધરવાનું સંધે ઠરાવ્યું છે, જેમાં પયુંષણ વ્યાખ્યાનમાળામાં પચાસ વર્ષ દરમિયાન આવેલા વ્યાખ્યાતાઓ, તેમના વિષ, વ્યાખ્યાનમાળાની ભૂમિકા અને માહિતીના પૃથકકરણ સાથેની હસ્તપ્રત તૈયાર થઈ ગઈ છે અને તે હવે ટૂંક સમયમાં પ્રેસમાં જશે. આ પુસ્તકના લેખન-સંપાદનની જવાબદારી શ્રી પન્નાલાલ ૨. શાહને સોંપવામાં આવી છે. (૪) “કાલિદાસ. શેકસ્પીઅર અને ટાગારની નારીસૃષ્ટિ વિષે સંઘે આ વર્ષ પરિસંવાદ થાજા હતા. તેમાં રજુ થયેલા વકતવ્ય ગ્રંથસ્થ કરવાનું સંઘે નકકી કર્યું છે. અને મોટા ભાગના વ્યાખ્યાતાઓએ એમના વકતવ્યની પ્રેસ કેપી આપને મોકલી આપી છે. ટૂંક સમયમાં આ ગ્રંથ પણ છાપકામ માટે પ્રેસમાં જશે. આ ગ્રંથનું સંપાદન ડો. રમણલાલ ચી. શાહ, ડે. ધનવંત શાહ, શ્રી પન્નાલાલ ૨. શાહ અને શ્રી ગુલાબ દેઢિયાએ કર્યું છે. ભગવાન મહાવીર વંદના અને સ્નેહ મિલન પયુષ બાદ ભગવાન મહાવીર વંદના અને ભજનસત સ્નેહ મિલનને સીમિત આકારને એક કાર્યક્રમ યોજવા માટે શ્રી વિદ્યાબેન મહાસુખભાઈ ખંભાતવાળા અને પરિવાર તેમ જ તેમના શુભેચછ તરફથી રૂ. ૧,૫૦,૦૦૦/-નું દાન મળ્યું છે, જેને સંઘની કારોબારી સમિતિએ સાભાર સ્વીકાર કર્યો છે. આ કાર્યક્રમમાં ભગવાન મહાવીર પ્રત્યેના ભકિત-ગીતે મુખ્યત્વે રાખવામાં આવશે. નવા વર્ષથી આ કાર્યક્રમ નિયમિત હાથ ધરાશે. () વિશ્વના ક્રાંતિકારીઓ () ભારતના કાંતિકારીઓ અને (૬) ગુજરાતના ક્રાંતિકારીએ-એમ ત્રણ પ્રવચનની એક શ્રેણી યોજવાની શ્રી અમર જરીવાલાએ મૂકેલી દરખાસ્તને કારોબારી સમિતિએ બહાલી આપી છે. આ કાર્યક્રમ પણ નવા વર્ષમાં યોજાશે. માનવ રાહત ફંડ ભોપાળમાં ગેસ દુર્ધટનાના કારણે ૫૦૦૦ થી પણ વધુ ચાલુસેના મૃત્યુ થયા હોવાનો નિર્દેશ હતો. આ દુર્ઘટનાથી નિરાધાર થયેલ કુટુંબોને સહાય કે પગભર કરવા સાથે માનવ રાહત ફંડ શરૂ કર્યું હતું. આ ફંડમાં જુદા જુદા દાતાઓ તરફથી સંઘને રૂ. ૨૮,૦૦૦-૦૦ મળ્યા છે. સંઘે પણ રૂ. ૫,૦૦૦-૦૦ આ કાર્ય માટે ફાળવ્યા છે. .
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy