SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ પ્રશદ્ધ જીવન માણુ અચૂક મળે જ. અને સવારને સમય હોવઃ ઝાઝું બેસવાનું ન હોય. એ રીતે પરમાનંદભાઇ સવારના સમયે પિતાના સામાજિક સંબંધે વિનમ્ર ભાવે સાચવતા. એમનામાં કે મોટાઈ ન હતી, પતે જાય છે માટે સામી વ્યકિતએ પિતાના ઘરે આવવું જ જોઈએ એવી બદલાની કેઇ અપેક્ષા છે પણ તેઓ રાખતા નહીં. મારે અને મારી પત્નીએ કોલેજમાં ભણાવવા માટે આઠ વાગે ઘરેથી નીકળી જવાનું હોય, પરંતુ પરમાનંદભાઇ અમારા ઘરે આવે તે અમને બહુ જ ગમતું અને એમની સાથે એક કલાકને જે સમય મળે તેમાં ઘણી વાતચીત થતી. એક રીતે જોઈએ તે પરમાનંદભાઇએ કદી જુદી પ્રવૃત્તિઓ વિશે અને બાબતે વિષે પ્રત્યક્ષ વિનિમય કરવા માટે આ એક સારી રસમ અપનાવી હતી એક દિવસ સવારમાં પરમાનંદભાઈ અમારા ઘરે આવી ચાયા. તે દિવસે એમના ચહેરા પર સ્મિત ન હતું. જોતાં જ અમે પૂછયું, “આજે કેમ બહુ પ્રકુલિત જણાતા નથી? તરત એમણે કહ્યું, “તમારી વાત સાચી છે. ગઈ કાલથી હું બહુ ચિંતામાં હું મારી મોટી દીકરી મધુરીની તબિયત સારી નથી. માથામાં કંઇ ગઇ હોય તેમ જણાય છે. ડોકટરે કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે. તેવા ભારે જોખમકારક ઓપરેશન માટે ભારતમાં સગવડ કે દાકતરો નથી. લંડન જવું પડશે. મધુરી મારી સૌથી મોટી દીકરી છે. મને એના માટે વિશેષ લાગણી છે. એટલે મને બહુ ચિંતા રહે છે.' મેલતાં બોલતાં તેઓ ગળગળા થઈ ગયા. ત્યાર પછી થોડા દિવસમાં જ મધુરીબેનને લંડન લઈ જવામાં આવ્યું. ઓપરેશન થયું. સફળ નીવડયું પરંતુ એટલા દિવસમાં દર બીજે ત્રીજે દિવસે સવારે પરમાનંદભાઈ અમારા ઘરે આવી પિતાની ચિંતા વ્યકત કરતા. એમના વત્સલ પિતૃહદયની ત્યારે સવિશેષ પ્રતીતિ થયેલી. * ઇ. સ. ૧૯૫૪ ની સાલ હશે. “પ્રબુદ્ધ જીવન ને ૨૫ વર્ષ પૂરાં થયાં હતાં. યુવા સંધ તરફથી બહુ મોટા પાયા ઉપર આ પ્રશંગ ઊજવવાનું નકકી થયું હતું. તે દિવસોમાં મારા સસરા સ્વ. દીપચંદભાઈ નાદુરસ્ત તબિયતના કારણે હરકિસનદાસ હોસ્પિટલમાં હતા. દીપચંદભાઈ યુવક સંધના સાત વર્ષ સુધી મંત્રી રહ્યા હતા. પરમાનંદભાઇના તે જુના સાથીદાર. પરમાનંદભાઈ હોસ્પિટલમાં ડે થડે દિવસે એમની ખબર જેવા આવતા. એક દિવસ પરમાનંદભાઈએ કહ્યું, “દીપચંદભાઈ, પ્રબુદ્ધ જીવન”ને ૨૫ વર્ષ પૂરાં થયાં એની રજત જયંતીના કાર્યક્રમનું સરસ આયોજન આ૫ણે કહ્યું છે. આ પ્રસંગે બીજી પણ એક માનંદની વાત ચાલે છે. કેટલાક મિત્રો મારી પાસે આવ્યા હતા. તેઓએ એ વિચાર વ્યકત કર્યો છે કે રૂપિયા પચીસ હજાર એકઠા કરવા અને પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે મેં જે કાર્ય કર્યું છે તેની કદરરૂપે એ થેલી મને અર્પણ કરવી. હું એ થેલી અંધને અર્પણ કરી દઈશ. તમને આ વિચાર કેમ લાગે છે? દીપચંદભાઈએ કહ્યું, “પરમાનંદભાઈ! મને આ વિચાર બરાબર લાગતું નથી. યુવક સંધની પરંપરામાં હોદ્દા પરની વ્યકિતને સો થેલી અર્પણ કરે એવી દાટના હજ બની નથી. એક વખત જે એમ બનશે તે બેટી અને ટીકાપાત્ર પરંપરા ચાલુ થશે.' - પરમાનંદભાઈએ કહ્યું, “આ થેલીની રકમ મારે પિતાને તે લેવાની છે જ નહિ. એ રકમ હું “સંધાને અર્પણ કરી દેવા ઇચ્છું છું. મિત્રોને એ માટે મેં સંમતિ પણ આપી દીધી છે. સમિતિના બીજા કેટલાક સભ્યોએ પણ છે માટે પિતાની અનુમતિ જાણાવી છે. પરંતુ તમે પ્રામાણિકપણે, તમારે જ વિચાર દર્શાવ્યો તેથી આનંદ થશે. મારે એ, બાબતમાં ફરીથી વિચાર કરે જ જોઇએ. દીપચંદભાઈએ કહ્યું, “તમે તે નિખાલસતાથી બધાને સાચી વાત કરી શકે તેમ છે. તમે ઘેલી ન લે. એ તમારા અને સંસ્થાના હિતમાં છે એમ મને લાગે છે, પછી તે તમને બધાને જેમ ચોગ્ય લાગે તેમ કરો.” બીજે દિવસે સાંજે પરમાનંદભાઈ હોસ્પિટલમાં ફરી પાછાઆવ્યા અને દીપચંદભાઇને કહ્યું: “ગઈકાલની વાતનું મેં બહું. મનન કર્યું છે. મને એમ લાગ્યું છે કે તમારો અભિપ્રાય સાચે છે. મેં બધા મિત્રોને જણાવી દીધું છે કે હું કાંઈ સ્વીકારવાને નથી માટે થેલીની વાત હવે પડતી મૂકી દેવી જોઈએ. જેમને રકમ આપવી હોય તે સીધી યુવક સંધના. રજત જયંતી ફંડમાં આપે પરમાનંદભાઈએ આ રીતે બહુ જ નિખાલસતાથી સભ્યોને આગ્રહ કરીને થેલી અર્પણ કરવાનો વિચાર માંડી વળાવ્યા હતા. પરમાનંદભાઇને નવી નવી વ્યકિતઓને મળવાને ભારે શેખ હતા. દનિક છાપામાં કે કોઈ સામયિકમાં કેઈ: નવી વ્યકિતને પરિચય આવ્યો હોય તે પરમાનંદભાઇ. કઈકને સંપર્ક કરી તે વ્યક્તિ વિષે તપાસ કરાવી તેને મળવા પહોંચી જતાં. અધ્યાપક હોય કે વિજ્ઞાની હોય, અર્થશાસ્ત્રી હોય કે રાજનેતા હાય, સમાજસેવક હેય કે સાધુ-સંન્યાસી હોય, પરમાનંદભાઈ તેને મળવા પહોંચી જતાં સાથે મિત્રોને પણ લઈ જતાં. મળવા જવામાં તેઓ પોતે વિનમ્ર અને ગુરૂગ્રાહી હતા. તેમ છતાં દંભી કે અભિમાની, વ્યકિતથી અંજાઇ જાય તેવા તેઓ નહેતા. વ્યકિત સત્ત્વશી લાગે તે સિંધના કાર્યાલયમાં તેને વાર્તાલાપ ગોઠવે. વાતલાપ સારો લાગે તે પયુંષણ વ્યાખ્યાનમાળામાં પણ તેનું વ્યાખ્યાન ગોઠવે. એક દિવસ ઋષભદાસ રાંકાને ફોન આવ્યાજબલપુરથી એક પ્રોફેસર આવ્યા છે. મળવા જેવા છે. કોલેજમાં પ્રોફેસર તરીકે હું ભણાવતે હતું એટલે પરમાનંદ. ભાઈએ મને સાથે લઈ જવાનું વિચાર્યું. એમને સંદેશે આવ્યા. એમની સાથે ઋષભદાસ રકાને ઘેર અમે પહોંચ્યા. ઊંચા, આછા શ્યામવર્ણ, દાઢીવાળા, મસ્તકે સહેજ ટાલવાળા, ખાદીની કફની અને પાયજામે પહેરેલ. બહુ તેજવી મુખમુદ્રાવાળા એ પ્રોફેસરને પરિચય કરાવતા રીકાજીએ કહ્યું, “આ પ્રોફેસર રજનીશ છે. જબલપુરમાં ફિલોસોફીના પ્રેફેસર છે. ભગવાન મહાવીર વિષે સારું બેલે છે. આપણે ત્યાં બોલાવવા જેવા છે.” છે. રજનીશ સાથે જુદા જુદા વિષય ઉપર કલાકેક વાતચીત થઈ. બહાર નીકળી પરમાનંદભાઈએ કહ્યું, “માણસ જાકાર અને મૌલિક વિચાર. વાળો લાગે છે. ભારત જન મહામંડળે વ્યાખ્યાન ગોઠવ્યું છે. મને સાંભળવાની ઇચ્છા છે. સાથે તમે આવજે.' અમે રજનીશને સાંભળવા ગયા. એમની મૌલિક વાધારાથી પ્રભાવિત થઈ પયુંષણ વ્યાખ્યાનમાળા માટે પરમાનંદભાઈએ એમને નિમંત્રણ આપ્યું અને પછી તે દર વર્ષે છે. રજનીશનું વ્યાખ્યા (અનુસંધાન પૃષ્ઠ ૨૫૦ ઉપર) ?
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy