SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૪ ૮) અનાજ ભરેલી સ્ટીમર ભારત મોકલ્યા હતા. શ્રી વીરચંદભાઈ ગાધીએ આ પ્રવાસ દરમ્યાન ૫૫ જેટલા વ્યાખ્યાને આયા. તેઓ ગુજરાતી, હિંદી, બંગાળી, અ ગ્રેજી, સંસ્કૃત, કન્ય જેવી ચૌદ ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા. * આમ એગણુત્રીસ વર્ષને એક યુવકે પરદેશગમનની ખફગી વહોરીને વિદેશમાં ધમપ્રચાર કરે અને એક વાર નહીં બટુકે ત્રણ ત્રણ વખત વિદેશની સફર કરી માત્ર જૈનદર્શનને જ નહીં કે ભારતીય દર્શનને પ્રચાર કરે છે તેવી વિરલ ઘટના કહેવાય ! શ્રી વીરચંદ રાધવજી ગાંધીનું અલ્પ આયુષ્ય પણ અનેક , વિષ યશરની સિદ્ધિઓથી ભરેલું છે. ૧૮૮૪માં એનસ સાથે . બી. એ. થનાર જૈન સમાજના એ પ્રથમ સ્નાતક હતા. ૧૮૯માં પિતાનું અવસાન થતાં રોવા-ફરવા જેવી કુરૂઢિઓને એમણે એ જમાનામાં તિલાંજલી આપી હતી તે જેવી તેવી વાત ન કહેવાય. એકવીસ વર્ષની ઉંમરે શ્રી જૈન એસેસિંએશન ઓફ ઈન્ડિયા’ના મંત્રી તરીકે પાલિતાણા આવતા યાત્રીઓને મૂકાવેરે નાબૂદ કરવાનું કામ કર્યું. મૂંડકાવેરે અને બીજી રંજાડથી પરેશાન થઇને આણંદજી કલ્યાણુજીની પેઢીએ પાલિતાણાના ઠાકોર સામે કેસ કર્યો હતે. પરંતુ પાલિતાણાના કેર સુરસિંહજી પર પોલિટિકલ એજન્ટના ચાર હાથ હતા. પોલિટિકલ એજન્ટે શુદ્ધ ન્યાય ન આપે. વીરચંદભાઇએ આ પ્રશ્ન હાથમાં લીધે. એ. વખતે રજવા સામે માથું ઊંચકવું એ સામે ચાલીને મોતને બાથ ભીડવા જેવું હતું. પણ એમણે મહુવા અને પાલિતાણા વચ્ચે અવારનવાર ઘોડા પર મજલ કાપીને સમાધાનનું વાતાવરણ ઊભું કર્યું મુંબઇના ગવર્નર લેડે રે અને પોલિટિકલ એજન્ટ કર્નલ વેરસનને મળી રમથે રજુઆત કરી મૂંડકવેરે નાબૂદ કર્યો. અંગ્રેજ બેમ સાહેબે સમેતશિખર પર ડુકકરાની ચરબી કાઢવાનું કારખાનું નાખ્યું હતું. તે દૂર કરવા માટે વીરચંદભાઈ કલકત્તા ગયા. દરતાવેજોની જાણકારી માટે કલાત્તામાં છ માસ રહી બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો અને આખરે “સમેતશિખર જૈનેનું તીર્થસ્થાન છે, બીજા કોઈને ત્યાં ડખલ કરવાનો અધિકાર નથી” એ ચુકાદો મેળવીને તેમ જ કારખાનું દૂર કરીને જ જંપ્યા, કાવીના દેરાસર અંગેના વિખવાદને સુંદર ઉકેલ લાવ્યા. અાંતરરાષ્ટ્રીય વાણિજય પરિષદમાં સમગ્ર એશિયાના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. ૧૮૯૫ માં પૂનામાં ભરાયેલી ઇડિયન નેશનલ કેંગ્રેસમાં મુંબઈના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. તેઓ રાષ્ટ્રીય મહાસભાના ચુસ્ત હિમાયતી હતા. તેમજ મહાત્મા ગાંધી સાથે એમણે ખોરાકના અખતરા કર્યા હતા. તેઓ ગાંધીજીના સંપર્કમાં પણ સારી રીતે આવ્યા હોય તેમ લાગે છે, કારણ કે વીરચંદભાઇના પુત્ર ઉપર લખેલા એક પત્રમાં ગાંધીજી આશીર્વાદ સાથે પૂછે છે કે, “પિતાજીના આદર્શોમાંથી કંઈ જાળવી રાખ્યાં છે ખરા?' - આવા વીરચંદ રાઘવજી ગાંધીનું સાડત્રીસ વર્ષની વયે ઇ. સ. ૧૯૦૧માં મુંબઈમાં અવસાન થયું. માત્ર સાડત્રીસ વર્ષની આયુમાં કેવી અપૂર્વ સિદ્ધિ મેળવી છે. વીરચંદભાઇ માધીએ ! આ સિદ્ધિને અંજલિ આપવા મારી પાસે કોઈ જ નથી. માત્ર રાષ્ટ્રશાયર ઇકબાલને એક શેર છે- , હજારે સાલ નરગીસ અપની ખેતરીયે રેતી , બડી મુશ્કિલ સે હતા હૈ ચમનમેં દીદાર પદા.” -સુંદર મખને માટે નરગીસના ફૂલની ઉપમા આપવામાં આવે છે. આ નરગીસનું પુષ્પ હજાર વર્ષથી પિતાની, જતિહીનતા માટે-બેનરી માટે-રતું રહે છે. ઘણુ વર્ષે પછી બામમાં એને જોનારા (દીદાવર) પેદા થાય છે અને તે ખીલી ઊઠે છે. વીરચંદ રાઘવજી ગાંધીએ આ ચમનમાં પેદા થયેલર આવા એક દીદાવર હતા! | (છઠ્ઠા જૈન સાહિત્ય સમારોહમાં સંક્ષિપ્ત ધિરૂપે શ્રી વીરચંદ રાધવજી ગાંધી વિશે આપેલા વકતવ્ય પરથી તૈયાર કરેલે વિસ્તૃત લેખ) પ્રબુદ્ધ જીવનના શ્રેષ્ઠ લખાણ માટે પ્રતિવર્ષ રૂ. ૧૦૦૦/-નું શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક (૧) “પ્રબુદ્ધ જીવનમાં વર્ષ દરમિયાન પ્રગટ થયેલા લખાણ (એક અથવા વધુ લેખે) માટે રૂ. ૧૦૦૦/- નું શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક એનાયત કરવામાં આવશે. (૨) પારિતોષિક માટેનું વષ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું ગણાશે. ૧૯૮૫ના વર્ષથી આ એજન, અમલમાં આવે છે. ૧૯૮૫ નું પારિતોષિક ૧૯૮૬માં અપાશે. (૩) અનુવાદ, સંકલન, અહેવાલ કે ઉતારાને આ પારિતોષિક અને નિર્ણય કરતી વેળા લક્ષમાં લેવાશે નહિ. (૪) “પ્રબુદ્ધ જીવન ના તંત્રીનું લખાણ એમની ઈચ્છાનુસાર આ પ્રતિયોગિતામાંથી મુકત ગણાશે. (૫) એક જ લેખકને ઉપરાઉપરી બે વર્ષ પારિતોષિક. અપાશે નહિ. દમ "s લિ. મંત્રીઓ શ્રીમતી ધીરજબેન દીપચંદ શાહ રમકડાં “સંધના ઉપક્રમે શ્રીમતી ધીરજબેન દીપચંદ શાહ રમકડાં ઘરનું ઉદ્દઘાટન રવિવાર, તા. ૭-૪-૧૯૮૫ના રેજ “સંઘના પરમાનંદ કાપડિયા સભાગૃહ બપોરન ૩-૩૦ કલાકે રાખવામાં આવ્યું હતું તે અનિવાર્ય સંજોગેના કારણે મુલતવી રાખવામાં આવ્યું છે. ઉદ્દઘાટન સમારંભ જ્યારે રાખવામાં આવશે ત્યારે તેને સવિગત કાર્યક્રમ યોગ્ય સમયે જણાવવામાં આવશે. અમૂલ શાહ , ચીમનલાલ જે. શાહ જ ' મંત્રીઓ '
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy