________________
તા. ૧-૩-૮૫
પ્રભુ જીવન
(અનુસ'ધાન પૃષ્ઠ ૨૧૩ થી ચાલુ) સંપ્રજ્ઞાત અને પરિષ્કૃત સ્વરૂપ છે. શ્રદ્ધાનું તત્ત્વ અઢારથી દીધેલુ નથી; અ ંદરથી ઊગેલું છે. સ્વરક્ષણુવૃત્તિ, પ્રય વગેરેની જેમ સંયમયુકત શ્રદ્ધા, શ્રદ્ધા અને ધ્યેય એ વડે યાગ પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, બ્રાનિર્વાણું પણ થાય.'
શ્રી રાજાજીને અંજલિ આપતાં શ્રી વિષ્ણુપ્રસાદે કહ્યું. હેતુ : રાજાજી જેવા મહાપુરુષ, મહાન દેશભકત, વિચક્ષણ રાજપુરુષ અને ઉદાર સંસ્કૃતિરક્ષકની પુણ્યસ્મૃતિની સુવાસ મારા ગ્રન્થને મળે તા મા ‘દ્રુમણુ’ તુલસીપત્ર થઈ જાય.' રાષ્ટ્રશકિતને પણ અતિક્રમતી રાજાજીની માનવ ભકિતના નિર્દેશ કરતાં શ્રી વિષ્ણુપ્રસાદે કહ્યુ હતુ: છેવટે તે માનવે અનેકાનેક ઇતિહાસપ્રાપ્ત મર્યાદાઓને આળગીને વૈશ્વિક માનવબન્ધુતાને વાસ્તવિક મનાવવાની છૅ. ક્રમમાં મે' સાહિત્ય વિશે લખ્યુ છે, તેમ ભારતીય સંસ્કૃતિનાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યાના મહિમા કર્યો છે. મારી એવી શ્રદ્ધા છે કે આપણા જીવનનાં બે મુખ્ય પાર્કા પ્રેમ અને ભાવ, એકમેકમાં ભળતાં, સવાદી અને પૂરક થતાં, પરસ્પર સંસ્કારાતાં વેગ લેતાં ધ્યેય તરફ ગતિ કરી શકે. ધ્યેય નિશ્ચિત હોય અને સંસ્કારખળ હોય તે ધ્યેયને પહોંચાય. એક પાસુ' પ્રેમનુ' છે, તેા ખીજી' પાસ' તે ભાવમય છે. સરલ શ્રુતે વ્યાપક તથા તરત સમાય એવુ' પાસૢ' તે ભાન્ મય છે. એક રીતે આ જ ખરુ' જીવન છે, બૌદ્ધિક મથાના નિષ્ટ પણ છેવટે ભાવસ્વરૂપ જ હેવાના. પરમાત્મા સત્યને, સત્યનાં બધાં રૂપાતા દેવ છે. પણ સત્ય તરફ જવાના રરતા પ્રેમ છે, પ્રિયજનના પ્રેમ છે, માનવબન્ધુતા છે, મૈત્રી છે, મંત્રીના અનુભવ 'કરાવતી સેવા છે. ભદ્ર ભદ્રના વિવેક પ્રેમ શીખવે છે. આ દૃષ્ટિએ વિચારતાં મારી એવી પ્રતીતિ છે કે માનવબ’ત્વ વિના આપણુ જીવન ટકી શકે નહિ. પરિપૂર્ણતાના સ્વર્ણાંક છે જ પણ ત્યાં બૌદ્ધિક ગતિ સરસ નથી. એ એકાંગી પણ થાય. ત્યાં સકલ ચેતનાને લઇ જવાની છે. ચેતનાને પરમાત્માનું રૂપ આપવાનુ છે. એમાં ભાવવિશ્વ વરાધક નહિ, પણ પૂરક અને સહાયક નીવડે. હુ· કૅવા ને કેવડો છુ તે તમે ભતિથી, પ્રીતિમય ભાવન અને ક્રમથી, ભૂતમાત્રની સેવાથી જોઇ શકો. ચારુતાશન, પ્રયત્ક્ષ સૌય, આહલાદ, ઉપભાગવૃત્તિ, આસ્વાદ, પ્રીતિ, રતિ, આ સવ સહિત એ બધા ભાવક્રમથી આપણે પસાર થઇએ છીએ અને એ બધી અનુભૂતિઓમાંથી વિવેક કરી શદ્ધ પ્રેમનું સ્વરૂપ ઓળખીએ છીએ. શ્રદ્ધાની આ પ્રથમ ભૂમિકા છે. માનવબન્ધુતા ઋને શુદ્ધ ભકિત તથા તેનાં બધાં ફલિતાના સ્વીકાર એ શ્રદ્ધાનું મુખ્ય અધિષ્ઠાન છે. વૈશ્વિક અભીપ્સાએ આપેલું બીજું અધિષ્ઠાન ને તાત્ત્વિક સમજણુ કે મીમાંસા કે દર્શન આપે છે. ભૌતિક જીલનમાં અને ભાવમય જીવનમાં જે વિવત', પ્રગતિ, નવ નાં અને ઉચ્ચતર એકમા રચવાની ક્ષમતા દેખાય છે તે અંતિમ પૂણુતાની આાગાહી છે. અભીપ્સા વ્યક્તિગત નથી, વૈશ્વિક છે. કેવળ લાગણી, બુદ્ધિ અને કલ્પનાને સ્પક્ષતી નથી. પણ સાર્વત્રિક છે. એ ક્ાર ક્' પણ વામન ઇવેન્ટ' માત્ર મિથ્યા સ્વપ્નવિહાર નથી. એ શમણુ વ્યકિતમાં તે વિશ્વમાં સાચુ પડે તેમ છે.'
પોતાના વકતવ્યના આભમાં ભારતીય વિદ્યાભવને એક સુરત સુધી આવી પેાતાનું સન્માન કર્યુ તે બદલ ડેા. વિષ્ણુપ્રસાદે ભાભારની લાગણી વ્ય±ત કરી હતી અને આ શહેરમાં
†
૧૧
ભારતીય વિદ્યા ભવન ભારતીય સંસ્કૃતિના હાર્દ સમુ` કેન્દ્ર સ્થાપે એવી અપેક્ષા વ્યકત કરી હતી,
ડા. ગાર્ડગલે પોતાના ગ્રન્થના પરિચય આપ્યા હતા તથા ડે. દેવસ્થલેએ આભાર માન્યા હતા.
પ્રમુખસ્થાનેથી ડેા. ઉપેન્દ્ર બક્ષીએ આ સમાર અને સૂરત શહેરના સાંસ્કૃતિક પ્રતિહાસના એક મહાન અવસરરૂપે ઓળખાવીને, ભારતીય વિદ્યાભવને છે કે અહી સુધી આવી આવા વિજેતાઓનું સન્માન કર્યું" તે વસ્તુને બિરદાવી હતી. તેમણે ડા. વિષ્ણુપ્રસાદને વેકિંગ એન્સાયક્લોપીડિયા' તરીકે ઓળખાવીને કહ્યુ` હતુ` કે આપણાં શાઓમાં જે ક ંઇ જાણ્યા જેવું છે તે બધુ તેમે જાણે છે. વર્ષોંના યુનિવર્સિટીથી શિક્ષણુથી જે મળે તેવું જ્ઞાન તેમના થાડીક ક્ષણાના સાનિધ્યમાંથી મળી રહે છે.
સાવજનિક એજ્યુકેશન સે!સાયટીના પ્રમુખ શ્રી વી. ટી. ગાંધીએ શ્રી વિષ્ણુપ્રસાદ, શ્રી સી. સુબ્રહ્મણ્યમ્, શ્રી એસ. રામકૃષ્ણન, શ્રી સુબ્બારાવ વગેરેને પુષ્પહારથી સન્માની માભારવિધિ કર્યાં હતા.
(પૃષ્ઠ ૨૦૪ થી ચાલુ )
એથી પોતાના દેશને જે ક્ષાર્થિક નુકસાન થાય છે તેની તેને પરવા હાતી નથી. દુનિયાના ધણા દેશો, ખાસ કરીને વિકસિત દેશમાં દાણચારી. કે વિદેશી ડિયામણની ચારીની પ્રવૃત્તિ વધતી જાય છે. એવી પ્રવૃત્તિમાં કેટલાય દેશોની વિદેશકચેરીઓના અને એરલાઇન્સના કમ ચારીઓ પણ સડાવાયેલા હાય છે. પોતાના દેશને અન્ય દેશ દ્વારા પહોંચતુ આર્થિક નુકસાન માશુસેને બહુ કઠતું નથી તે શોચનીય સ્થિતિ છે. એમાંથી જ ધીમે ધીમે માણસ વધુ મોટી રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિઓમાં સડાવાય છે, પોતાના રાષ્ટ્રની સલામતી જોખમમાં મુકાય એવી સરક્ષણને લગતી લશ્કરી ગુપ્ત માહિતી બીજા દેશને પહોંચાડી દેવીએ મેટામાં મેટા રાષ્ટ્રદ્રો ગણુાય છે. એની સજા પણ બહુ આકરી હોય છે. માવા રાષ્ટ્રદ્રોહ માટે ફ્રાંસીની સજા જેમ પ્રાચીન સમયમાં એમ વર્તમાન સમયમાં પણ કરાતી રહી છે. ખાવી કડક માના ભય વિંના ગંભીર રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિને ખાવી શકાય નહિં. લાખા કરાડે લેકામાં કાક તા એવા નીકળવાના કે જેને પેાતાના રાષ્ટ્રની કશી જ પડી ન હોય.
રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રાક્તિ એ નિર ંતર પોષવાલાયક ખાખત છે અને રાજ્યકર્તાઓ દ્વારા એની શરૂઆત થવી જોઇએ. જે દેશમાં રાજ્યકર્તાઓ માત્ર સત્તાશાખીત હોય અને પ્રતિકૂળ સંજોગો ઊભા થતાં તે જ બીજા રાષ્ટ્રમાં ભાગી જવાની વૃત્તિ ધરાવતા હોય, તેવા રાજ્યકર્તાએ પ્રામાં રાષ્ટ્રીય ભાવના ઝાઝી જગાવી શકતા નથી. જે પ્રજાવત્સલ રાજ્યકર્તાઓ રાષ્ટ્રને કાજે પ્રાણાપણુ કરવા તૈયાર ડ્રાય તે જ પ્રામાં રાષ્ટ્રભકિતની ભાવનાને પેષી શકે છે. આપણા ભારતમાં સ્વતંત્રતાના આંદોલન વખતે પ્રજામાં જેટલી રાષ્ટ્ર ભકિત દેખાતી હતી એટલી વર્તમાન સભ્યમાં દેખાતી નથી એ સ્પષ્ટ છે. ભારતે એ ખાતમાં વધુ સજાગ થાની જરૂર છે.
--મણલાલ ચી. શાહુ