SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૬ : પ્રબુદ્ધ જીવન તા. ૧-૩-૮૫ ' , ( સમાનતા કેળવવાની અને જાળવવાને માટે આગ્રહ સમજાઈ જશે. આ રીતે આત્મગૌરવથી ટટ્ટાર બનેલા અંધજનને તેની | રચિ અનુસાર-મદદ કરે. મને એક અંધ યુવાનને કિરસો યાદ આવે છે. આ અંધ યુવાન મુંબઈમાં એક રેલવે સ્ટેશનમાં અગરબત્તી વેચતે હતે. પરંતુ એની રૂચિ ખરેખર તે સંગીતમાં હતી. શહેરના એક સહયી સમાજસેવકને આ બાબતની જાણ થતાં, એને માટે 'બંસીવાદનની તાલીમની વ્યવસ્થા કરી. પૂરતી સાધના અને રિયાઝ પછી આજે એ અંધજન કુવાળ બંસરીવાદક બની ગયો છે. હવે એને અગરબત્તી વેચવાની જરૂર રહી નથી. અંધજનની રુચિ પારખવા ધીરજ અને કુશળતા જોઈએ. કઈ વ્યકિત સુતારી કામ સારું કરશે, કે સંગીતની દિશામાં સારી રીતે આગળ વધશે, એ આખી બાબત ઝીણવટથી ચકાસીને, તેની શકિતને થગ્ય દિશામાં વાળવી જોઇએ. અંધજનેની જ્ઞાનભૂખ જબરજસ્ત હોય છે. મુંબઇમાં અને ગુજરાતમાં ઘણા અંધજને જુદાં જુદાં ક્ષેત્રમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. રચિ પ્રમાણે કામ ન મળવાથી, વ્યકિતના વિકાસ અટકે છે. એ તો આધુનિક મનોવિજ્ઞાને સ્વીકારેલી હકીકત છે એટલે જ્યાં જ્યાં નેત્રહીનેના કલ્યાણની પ્રવૃત્તિ થાય છે તે બધાં કેન્દ્રોના સંચાલકોએ, આ બાબત ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. છેલ્લાં થોડાં વરસમાં તો, આ ક્ષેત્રમાં, વિવિધ દિશામાં ઉત્તમ પ્રકારનું કામ થઇ રહ્યું છે. ખેતીવાડી ઉપરાંત વ્યાવસાયિક તાલીમ લઈને અનેક અધ ભાઈબહેને બહાર પડે છે, આમાંનાં મેટા ભાગના ખરેખર પગભર પણ થઈ જાય છે. રુચિ પ્રમાણે કામની વાત નીકળી ત્યારે મુંબઈ, તેના ઉપનગરી અને ગુજરાતના અનેક શહેરોની અંધ સંસ્થાઓ આંખ સમક્ષ ખડી થઇ જાય છે. અનેક નેત્રહીને આ બધી બંસ્થાઓ, વળતરદાયક કામ ૫ણ પૂરું પાડે છે. ઘણી જગ્યાએ તે તેઓ રોજના સરેરાશ બાર, પંદર કે વીસથી પચીસ રૂપિયા પણ કમાઇ લે છે. મુંબઈ, મદ્રાસ, દિલ્હી કે કલકત્તા અને આવા બીજાં વીસેક મહાનગરોમાં કામને તેટો નથી. કામ ખૂટે તેમ નથી. પરંતુ યોગ્ય વ્યકિતને યોગ્ય કામ મેળવી આપવું એ પણ એક ઉત્તમ પ્રકારની સમાજસેવા છે. ૧ ટેલિફોન ઓપરેટરની સેવા તે અંધજન ઘણી જ સરસ રીતે અને કુશળતાથી કરી શકે છે. માત્ર ટ્રેન કે બસના કી પાસથી અંધજનનું પેટ ભરાતું નથી. આર્થિક સ્વાવલંબન એ મુખ્ય વાત છે અને તે માટે સતત પ્રયત્નો ચાલુ જ રહેવા જોઈએ. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, પિકિંગના અનેક પ્રકારના ઉદ્યોગ તેમ જ નાનાં નાનાં મશીનના સ્પેરપાર્ટી બનાવતા અનેક ઉદ્યોગોના માલિકેએ અને આ ક્ષેત્રના અગ્રણીઓએ સાથે બેસી, તાલીમ પામેલા અંધજન-વિગતવાર, સતેષજનક કામ શી રીતે આપી શકાય તેની યોજનાઓ પડી કાઢી તેને અમલ ધમપૂર્વક કરવું જોઈએ. પ્રાતિ હિતાય એ તે ભારતીય સંસ્કૃતિનું મૂળ અંગ છે. આ દિશામાં શુભ નિષ્ઠાવાળા–પ્રયત્નના સતત હલેસાં ચાલુ જ રાખવા જોઈએ. તાલીમ પામેલે એક પણ અંધજન કામ વગર બેકાર ન રહે તે જોવાની સમાજની, સરકારની અને સાચું કહું તે આપણા સૌની પવિત્ર ફરજ છે. વિઘાદાન પણ એટલું જ મહત્વનું છે. બ્રેઈલ લિપિન પુસ્તક દ્વારા અનેક નેત્રહીનોની અતિરજાતિ વધુ દેદીપ્યમાન બની છે. વાંચન અને અભ્યાસથી અશક્ત વ્યકિતમાં પણ આત્મગૌરવ પ્રગટે છે. નવું વિચારવા-સમજવાની એની શકિત પણ વધે છે. ખપપૂરતું પણ વાંચતાં લખતાં એ શીખે તે સરવાળે સમાજને ફાયદો જ છે. નીરક્ષરતા ઘટે એ તે ખરે જ પરંતુ અહીં તે એક અશકત વ્યકિતને જ્ઞાન દ્વારા નવજીવન મળે છે. બ્રેઈલ લિપિન ગ્રન્થ વધુ ને વધુ પ્રગટ થાય અને નેત્રહીને સુધી પહોંચે એ જરૂરી છે. આધુનિક વિજ્ઞાને, મૃત વ્યકિતની આંખ નેત્રહીનેમાં રેપવાની અનેખી સિદ્ધિ મેળવી છે. મૃત્યુ પામતા તેના સ્વજનેને સમજાવીને, મૃત વ્યાકેતની અખો દ્વારા, અંધજનોના અંધારા ઉલેચી શકે. સુખી અને સંપન્ન કુટુંબોએ તે જાતે જ દોડી જઇને, દર વરસે, અંધજન માટે વિવિધ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા એને આર્થિક મદદ આપ્યા જ કરવી જોઇએ. આ ભગીરથ કાય છે અને ભગીરથ પુરુષાર્થ માગી લે તેવું આ ક્ષેત્ર છે...૫૭ પુરુષાર્થની પગદંડી ઉપર આપણે સતત ચાલ્યા કરીશું તે મ ઝીલ જરૂર મળી જવાની. આ પુરાથની યાત્રાને આનંદ પણ સાચે જ બને છે. અંધજનેની આ વાત સમજાય તેઓએ નીચે પ્રમાણે સંક૯૫ કરવાની ભાવના સેવવી જોઈએ: (૧) હું નેત્રહીને બીમાર નહિ ગણું. (૨) નેત્રહીનને તેની રુચિ પ્રમાણે કામ મેળવી આપીશ. (૩) નેત્રહીનના અંતરને દીવો પ્રગટાવવા હું તેને ઉત્તમ ગ્રન્થ (બ્રેઈલ લિપિના) ભેટ આપીશ. (૪) મારી આજુબાજ કેઇનું મરણ થાય તેની અને હું અંધ વ્યકિતને અપાવીને એના અંધારા ઉલેચવામાં મદદ કરીશ. (૫) અધો માટે કામ કરતી, મેગ્ય સંસ્થા શોધી કાઢી, તેના સંચાલકો સાથે મૈત્રીભર્યા સંબંધો બાંધી, સંસ્થાને આર્થિક મદદ ઉપરાંત પણ દરેક રીતે ઉપયોગી બનીશ. (૬) તાલીમ પામેલા અંધજનેને નોકરી કે વ્યવસાય મેળવી આપવા. પૂરેપૂરી જહેમત લઈને, તે બરાબર ઠેકાણાસર, ગોઠવાય નહિ ત્યાં સુધી હું તેને પુત્ર સમાન ગણી તેના માટે સતત ઝઝુમતા રહીશ. આ સંકલ્પ સતત પ્રયત્નોથી જરૂર સિદ્ધ થશે અને અંધજનોને નવજીવન આપ્યાની તૃપ્તિ અને ગૌરવ તમે -જરૂર અનુભવશે. (આકાશવાણી, મુંબઈના સૌજન્યથી) [ અંધજનોના સ્વ-રોજગાર કાર્યક્રમમાં તે શ્રી મુંબઇ જૈન યુવક સંઘના સભ્ય અને પ્રબુદ્ધ જીવન'ના વાચકાને. અપૂર્વ સહકાર અગાઉ મળ્યો છે. અંદાજે સાડા પાંચ લાખ જેવી રકમ એકત્ર થઈ છે, જેમાંથી બસે જેટલા અંધજને પગભર થઈ રહ્યા છે. આ ઉપરાંત પણ અંધજનો માટેની મુંબઈની સંસ્થા ધનેશતલ એસોસીએશન ઓફ બ્લાઇન્ડ તરફથી બીજા ઘણું કાર્યક્રમો (જેવાં કે ખંડાલામ ધરડાં ઘર,—અંબરનાથમાં મોટી હોસ્ટેલ) છે જે માટે નાની ખૂબ જરૂર છે. આપ સૌ ઉદાર હાથે આમાં અમને સહાયરૂપ થાઓ એવી નમ્ર વિનંતી મંત્રીઓ ચેક Shri Bombay Jain Yuvak Sangh ના નામને લખવે.
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy