________________
e
૨૦૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૮૫
જ રાજ અને બાળકની જ
કરાહત અને સેવાકાર્યોમાં ડૂબી જાય છે, પણ સમાજક્રાન્તિની શકિત પ્રગટાવી શકતા નથી. અને ટલાક સમાજપરિવર્તન સાધે છે પણ માનવતાને મહિમા કરતાં સેવા અને રાહતકાર્યો ચૂકી જાય છે, જેથી ક્રાન્તિ શુષ્ક, કોર અને કલુષિત થઈ જાય છે. માનવતાના પ્રેમરસાયણથી આદ્ર' થયેલી કાન્તિ જ સર્વમંગલકારી અને “માનવીય કાન્તિ' થાય છે, જે સવભદ્ર હોય છે.
મહાકવિ ભવભૂતિને ઉત્તર રામચરિતમ ગ્રન્યમાં જે શબ્દો રામ માટે પ્રયોજયા છે તે મહારાજશ્રીને પણ લાગુ ૫ તેવો છે. - “વઝા દોરાળ મૂનિ કુમાથિ છે '
लोकोसराणां चेतांसि को हि विशातुं अर्हति ॥" લોકોત્તર અથાંત મૂઠી ઊંચેરા માનવીઓનાં હદય વજીથી કાર અને પુરુષથી કેમળ હોય છે, જેને જાણવાને, અલબત્ત ! કેવું યોગ્ય છે? બલકે કે'ક જ આવા લેકોત્તર મહાનુભાવોની મહત્તાને પામી શકે છે. આ વજૂની કરતા અને પુછપની કોમળતાને મધુર સમન્વય મહારાજના વિશાળ - વ્યક્તિત્વમાં થયેલ હતો.
આજથી એક વર્ષ પહેલાં માતર તાલુકાનાં ર૮ ગામમાં, મોસાળમાં જન્મેલે અને વાત્રક કા મહેમદાવાદ તાલુકામાં સરસણી ગામે વતન ધરાવતે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણના કુટુંબમાં જન્મેલે એક સામાન્ય છોકરો આટઆટલાં પરાક્રમે, સાહસો અને સત્કાર્યો કરીને ગુજરીયા અને ભારતીયોને ધન્ય કરી દેશે એવી કેને ખબર હતી? એક સામાન્ય ઘરમાં જન્મેલા બાળકે પિતાનાં તેજ, તપસ્યા, ચિન્તન અને સાધનાથી ગુજરાત અને સમસ્ત દેશને 'દીપા છે. સંસ્કૃતમાં કહેવાયું છે તેમ, “કુરું પવિત્રે ગનની સાથ.” જેમના જન્મવાથી સમસ્ત કુટુંબ અને જન્મદાત્રી માતા તથા ભારતમાતા કૃતાર્થ થયાં છે, એવા આ મહાનુભાવનું સ્મરણ પ્રાતઃસ્મરણીય બની જાય છે. '
પ્રાથમિક શાળાનું શિક્ષણ પિતાના વતનમાં જ લીધેલું. પરંતુ નાનપણથી સ્વામી દયાનન્દ સરસ્વતીના “આર્યસમાજના સંસ્કારે, લાલ, પાલ અને બાલની સ્વરાજ્ય, સ્વદેશી અને ગુલામીમાંથી મુકત થવાની વાતેએ, સ્વામી વિવેકાનંદની દરિદ્રનારાયણ, જનસેવા અને સર્વધર્મ સહિષ્ણુતાની ભાવનાએએ, તેમ જ મહાત્મા ગાંધીની દક્ષિણ આફ્રિકાની રંગદ્વેષ સામેની સત્યાગ્રહી લડત અને ભારતમાં સત્યાગ્રહાશ્રમ ગુજરાત, વિદ્યાપીઠ અને ‘નવજીવન’ તથા “હરિજન” પત્રોના ક્રતિકારી વિચારેએ મહારાજને ભીતરથી હચમચાવી મૂકેલા અને દેશ માટે ત્યાગ, સેવા અને સમર્પણ–બલિદાનની ભાવનાથી - છલકાવી મૂકેલા. આ ઉપરથી ખ્યાલ આવશે કે સંવેદનશીલ હદ ઉપર વિચાર કે પ્રભાવશાળી જાદુ ફેલાયો હોય છે; જે જીવનપરિવર્તનકારી અને સમાજપરિવર્તનકારી છે થાય છે.
. | સામાન્ય રીતે બ્રાહાની સાથે યજમાનવૃત્તિ, કર્મકાંડ, જોતિષ, વૈદ અને બ્રહ્મવિદ્યા સંકળાયેલાં છે. આ તાજ વિનાને રાજ એવા રવિશંકર મહારાજે પ્રજામાં વેઠ, ગુલામી, - પરાધીનતા, ગરીબી, બેકારી, નિરક્ષરતા, અસ્વચ્છતા, - અસંસ્કારિતા વગેરે ઘૂમીમીને જોયાં, અને એના દિલમાં ચેટ
લાગતાં, આ બધામાંથી દેશને ઉગારવા માટે મચી પડવાનો
નિશ્ચય કર્યો. બાળવયે જ લગ્ન થઈ ચૂકેલું હતું. અંતતિ પણ હતી. તે મહારાજનું મન પ્રેય (કુટુંબાલ્યાણ) થીયે આગળ જઇને શ્રેય (વિશ્વનાલ્યાણુ) માં વિચરતું હતું. પત્નીને દેશસેવાકાર્યમાં સાથે લેવાની તીવ્ર ઇચછા હતી, પણ પત્નીએ ઘરસંસાર અને બાળકૅને સંભાળવાનો નિર્ણય જાહેર કરતાં, મહારાજ ભરજુવાનીમાં પત્નીને દરબાર, માલમિલકત અને બાળકે સંપી દઈને એકલે હાથે દેશસેવા માટે નીકળી પડ્યા. ખેર ! આ એક પ્રકારનું મહાભિનિમણુ જ હતું, જે મહારાજે જીવનભર પ્રસન્નતાથી, વિરાટનાં ચરણોમાં સમર્પિત બનીને ઉજાળ્યું છે, એમ જરૂર કહી શકાય.
ખેડા જિલ્લામાં ઘૂમીને વેઠપ્રથા, હાજરીપ્રયા ગુલામી,
ઓ ઉપર થતે ત્રાસ, અમલદારોની જોહુકમી, શાહુકારોને ત્રાસ બહારવટિયાઓનો વિદ્રોહ વગેરે બાબતે પરત્વે લેકશિક્ષણ દ્વારા લોકજાગૃતિ અને લેકસંગઠન જમાવીને અહિંસક રીતે અન્યાય અને અનિષ્ટોને જબરદસ્ત તાકાતથી પ્રતિકાર કર્યો અને પ્રજાને નીતિ, ધર્મ અને સદાચારને માગે લઇ જવા માટે ભારે કેશિશ કરી. ધારિયાંવાળા આ બેઠા જિલાના બારૈયા અને પાટણવાડિયાઓને તથા મહેસાણા જિલ્લાના ઠાકરડાઓને ચોરી, નૈતી, ખૂન, લૂટફાટને મારગ છોડીને માનવતાને માગે-સદાચાર પ્રત્યે પ્રેયાં અને કેટલાકને તો ગાંધીજીની અહિંસક લડત પ્રત્યે આકર્ષિત કર્યા. .
બારડોલી સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીએ એમને પ્રથમ સત્યાગ્રહી તરીકે જાહેર કરીને, એમની સત્યનિષ્ઠા અને અહિંસાનેષ્ઠાને કસોટીએ ચડાવ્યાં. ખેડા જિલ્લામાં બેરસદના સત્યાગ્રહે સરદાર વલ્લભભાઈ પટેલ, દરબાર ગોપાળદાસ દેસાઈ, એમ્બાસ તૈયબજી, મોહનલાલ પંડયાની સાથે મહારાજને પણ પ્રથમ હરોળમાં મૂકી દીધા. બોરસદ-બેચાસણની સત્યાગ્રહી છાવણીઓએ આશ્રમજીવનના સંસ્કારોથી આલોકિત કરેલાં અનેક યુવક-યુવતીઓને સ્વ-તંત્ર્ય સંગ્રામ પ્રત્યે ઝુકાવવા માટે બળ, પ્રેરણા અને ઉત્સાહ પૂરા પાડે. '
સને ૧૯૨૦–૨૨નું અસહકાર આન્દોલન, ૧૯૩૦-'૩રનું - સવિનય કાનૂનભંગનું આન્દોલન અને ૧૯૪૦-૪૨ની “હિન્દ છોડો' લડત–આ તમામ સત્યાગ્રહમાં પૂજ્ય મહારાજ દેશભકત, સત્યાગ્રહી અને સ્વાતંત્ર સેનાની તરીકે ઝુઝયા, અનેક કારાવાસ વેઠીને દેશને આઝાદ કરવા સતત મથ્યા.
આઝાદી આવ્યા બાદ, ગાંધીજીનું અવસાન થતાં મહારાજ લેશ પણ મૂંઝાયા-ગૂંચાયા વગર કોમી રમખાણોમાં હિન્દુમુસ્લિમ એકતા, રાષ્ટ્રીય એકતા, નઇ તાલીમ, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, વ્યસનમુકિત, ખાદી ગ્રામોદ્યોગે વગેરે રચનાત્મક કાર્યક્રમમાં મસ્તીથી પ્રસ્ત બન્યા હતા. શ્રી ઉમાશંકર જોશી, શ્રી યશવંત શુકલ સાથે મહારાજ પણ ચીનની કાન્તિનું દર્શન કરવા માટે ચીનને પ્રવાસ ખેડી આવ્યા. અને એનાથી ભારે પ્રભાવિત થયેલા. બેચાસણ આશ્રમમાં વાત કરતાં કહે,
આ બધી ગરીબી-બેકારી મારાથી સહન થતાં નથી. થઈ જાય છે કે ભલે થેડા જમીનવાળાએ ન માને તે ચીનની જેમ થોડાને ખાત્મ થઇ જાય... પણ કરડે રોજી-રોટી ભેગા તો થશે ને ? આઝાદી બાવી તે થે ગરીખની ગરીબી ન ટળે કે અમીરની અમીરી યે ન ટળે તે એને અર્થ
શો ?...” ગરીબો પ્રત્યેની આ હમદહીં અને : વિષમતાનું ' ભીષણ દર્શન મહારાજને હિંસક ક્રાન્તિ પ્રત્યે ખેંચી જાય એ