________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૮પ
ઊતરી ગયું છે. મોટાં શહેરની કોલેજોમાં કામ કરતા અધ્યાપકેમાંથી પચાસ ટકાથી વધુ અષાપકે વધારાની કમાણી માટે યૂશન, ગાઈડ, કાચિંગ કલાસ, જમીન કે મકાનની દલાલી, જીવન વીમાની કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટની - એજન્સી, શેરબજાર કે બીજા બજારમાં પાર્ટટાઇમ - અવરજવર વગેરે દ્વારા વધુ કમાણી કરવાનો પ્રયત્ન કરે છે. ' એ બતાવે છે કે કેટલાયે અધ્યાપકે અધ્યાપનના ક્ષેત્રને પૂરો
સમય વરેલા નથી. તેમ કરવું તેમને પરવડે તેમ નથી, કાર કે કોલેજ કે યુનિવર્સિટીના અધ્યાપક તરીકેના તેમના પગારમાંથી કુટુંબનું સારી રીતે ભરણપોષણ થઈ શકે તેમ નથી. * ઉચ્ચ શિક્ષણમાં બધા જ વિદ્યાથીએ જવાની આવશ્યકતા નથી. ઘણુની તે માટે પાત્રતા ૫ણુ હેતી નથી. પરંતુ સમાજનું માળખું એવું છે અને બેકારીનું પ્રમાણ એટલું મોટું છે કે વિદ્યાથીએ જાણેઅજાથે ઉચ્ચ શિક્ષણના પ્રવાહ તરફ ઘસડાય છે. ચપરાસીની એક-બે જગ્યા માટે એસ. એસ. સી.ની લાયકાત ઠરાવવામાં આવી હોય, પરંતુ તે માટે આવેલી દોઢ-બસો અરજીઓમાં કેટલીક તે બી. એ. અને એમ. એ. થયેલાઓની હોય છે. અને પસંદગી વખતે વધુ ઊંચી ડિગ્રી ધરાવનારને પ્રથમ પસંદગી અપાય છે. આવી સ્પર્ધામય પરિસ્થિતિમાં વિદ્યાથીઓની મનોદશા જેમ તેમ કરીને પણ વધુ ઊંચી. ડિગ્રી મેળવવા તરફ રહે તે સ્વાભાવિક છે. સગાઈ કે લગ્નની બાબતમાં છે પણ સામાન્ય રીતે. વધુ ઉંચી ડિગ્રી ધરાવનારને વધુ અવકાશ રહે હેવાને કારણે ઇચ્છા હોય કે ન હોય તે પણ વિદ્યાથી કે વિદ્યાર્થિની ઉચ્ચ શિક્ષણ તરફ ઘસડાય છે. - ઉચ્ચ શિક્ષણ માટે દાખલ થયા પછી અધૂરા અભ્યાસે છૂટા થનાર, નપાસ થનાર કે આછા માર્કસે પાસ થનાર વિદ્યાથીની ટકાવારી ઘણી જ મોટી હોય છે. પરંતુ એટલી બેઠકો માટેના નિભાવખર્ચની જવાબદારી કોલેજો કે સરકારની હોવાથી એટલાં નાણુને દુર્વ્યય થાય છે.
પ્રતિ વર્ષ કેળવણી પાછળ વધુ ને વધુ નાણું ફાળવવા પડતી હોવાથી સરકારની દૃષ્ટિ પણ વધુ ને વધુ કરકસરની અને કડક કાયદાઓ કરવાની રહે છે અને એ કાયદાઓ કરનાર ઘણુંખરું સરકારી અમલદાર હોય છે કે જેમાંના કેટલાકની પાસે શિક્ષણ ક્ષેત્ર માટે જેવી દષ્ટિ હેવી જોઇએ તેવી હેતી નથી. પરિણામે કોલેજના વિક્ષકે એટલે માત્ર નોકરિયાત માણસ કે મજૂર, એવી સમજ તેમનામાં પ્રવર્તે છે. મહારાષ્ટ્રમાં કેટલાય એવા કોલેજના અધ્યાપકે છે જેમને બાંધેલ પગાર હેતે નથી, પરંતુ એક પીરિયડ લેવાના દસ રૂપિયા અપાય છે, અને જેટલા પીરિયડ લેવાયા હોય તે પ્રમાણે બિલ બનાવાય છે. તેઓ અધ્યાપક નહિ, પરંતુ રોજગારી રળનારા મજુર જેવા સરકારી દષ્ટિએ ગણાય છે. એથી સારા માણસે ખસતા જાય છે અને બધેથી રખડેલા અપાત્ર ડિગ્રીધારીમાં અધ્યાપક તરીકેની દાડિયા નોકરી સ્વીકારી લે છે. એમની કથળતી કામગીરી જોઇને સરકાર વધુ ઝડક કાયદાઓ કરે છે, જેને પરિણામે વધુ શિથિલ માણૂસે આ ક્ષેત્રમાં ભરાય છે. કોલેજનાફિલ ટાઇમ અધ્યાપકને અઠવાડિયામાં ૨૨ પીરિયડ જેટલું લાવવાનું આવે છે અને તે સંખ્યા વધારીને ૨૭ પીરિયડ જેટલું કરવાનું મહારાષ્ટ્ર સરકાર વિચારી રહી છે. શાળાના શિક્ષક અને કોલેજના અધ્યાપક વચ્ચે મહાને ફરક એ છે કે કોલેજના અધ્યાપ ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરવાને
માટે વધુ સજ્જ થવાનું રહે છે. અધ્યાપક કેલેજ કે યુનિ. વર્સિટીમાં જેટલા કલાક કામ કરે છે, એટલા કલાક જ ગની નોકરી હોય છે એવું નથી. કારખાનાના મજૂરના કે ઓફિસના કારકૂનના કામના કલાક સાથે અધ્યાપકના કલાક સરખાવી શકાય નહિ. જેમણે સારા અધ્યાપક થવું હોય તેમણે કોલેજમાં, કે ઘરે પિતાના વિષયોનું સતત અધ્યયન કરતા રહેવું જોઈએ તે જ તે પિતાના વિષયની અદ્યતન માહિતીથી સજ્જ થઈ વર્ગમાં તે પ્રમાણે સતિષકારક રીતે અધ્યાપનકાર્ય કરી શકે. પરંતુ વગનો જે જેમ જેમ વધતું જાય તેમ તેમ પિતાના અધ્યયન માટે અયા૫ક તેટલે સમય ફાળવી ન શકે અને માનસિક થાકને કારણે વર્ગમાં એટલે સ્ત્ર તાજગીસભર ન રહી શકે. એના પ્રત્યાઘાત વિદ્યાથીએ પરે પણ પડે. અને વર્ગમાં હાજરી ઓછી રહે. માત્ર પીરિયડ લીધા એટલું કાયદેસર કહેવાય, પરંતુ ખરેખર સરસ, અધ્યાપનનું કાર્ય થયું કે નહિ તે તે જાણુનાર જાણો, યુરોપ-અમેરિકાની યુનિવર્સિટીમાં અધ્યાપને માથે આટલે અધ્યાપનને જે હોતે નથી. આપણે ત્યાં સ્વતંત્રતા મળી ત્યાં સુધી, અંગ્રેજ અમલ દરમિયાન અધ્યાપને મારી આટલે બે નહે. અઠવાડિયાના દસ-બાર પીરિયડ, ભણાવવા તે ઘણું બધું કહેવાતું. અને એથી એકંદરે અધ્યયન-અધ્યાપનકાર્ય તેજસ્વી રહેતું. અલબત્ત ત્યારે પણ કેટલાક અધ્યાપકે માત્ર વેઠ ઉતારતા હોય એવું બન્યું હશે. તે પણ એકંદરે ઘણાખરા અધ્યાપકે મળેલા કાજલ સમયને ઉપયોગ પિતાના અધ્યયન-અધ્યાપનને સુસજજ અને તેજરી બનાવવામાં વાપરતા.
આપણા દેશમાં શાળા અને કોલેજનાં પગારધોરણે યુ.જી.સી. કે સરકાર દ્વારા નિશ્ચિત થાય છે. શાળાની બાબતમાં એટલી છૂટ છે કે જે શાળાઓને સરકારની ગ્રાંટ ન લેવી હોય તે શાળાએ પિતાની મરજી મુજબ વિદ્યાથીએ. - પાસેથી ફી લઈ શકે છે અને શિક્ષકોને મરજી મુજબ સારે પગાર પણ આપી શકે છે. એવી શાળાનું શિક્ષણકાર્ય ઘણી સારી રીતે ચાલતું હોય છે. તેમાં દાખલ થવા માટે વિદ્યાથીઓની પડાપડી રહે છે. સારા પગારની કારણે સારામાં સારા શિક્ષકે શાળાને મળી રહે છે. આ છૂટ કોલેજની કક્ષાએ પણ આપવા જેવી છે, જેથી કલેજે મરજી મુજબ ફી લઈને સારામાં સારક, અધ્યાપકેને સારા પગારે રેકીને સારું શિક્ષણ આપી શકે, , એમ થશે તે કોચિંગ કલાસનું મહત્ત્વ ઘટશે. ઈ. કદાચ એવી દલીલ કરે કે આમાં તે પૈસાવાળો વર્ગ જ ફાવી જાય. એમાં સમાનતાની, સમાન તકની વાત કયા આવી? એ દલીલ એક અપેક્ષાએ સાચી છે. પરંતુ બીજી બાજુ વિચારીએ તે બધાનું બગડે છે તેના કરતાં થોડાકનું સુધરે છે એ દેશને માટે ઈષ્ટ ગણાય કે ન ગણાય છે. વળી પાત્રતાવાળા સાધારણ સ્થિતિના વિદ્યાથીઓને તેવી કોલેજમાં પ્રવેશ અપાવવાની વ્યવસ્થા પણું વિચારી શકાય. જે આમ કરવામાં નહી આવે તે કોચિંગ કલાસ અને ગાઈડ લખનારાઓની દિવસે દિવસે વધતી જતી પ્રતિષ્ઠાને. રોકી શકાશે નહિ. ભારતમાં જેમ જેમ શિક્ષણ વધતું જાય છે તેમ તેમ સરવા
(. વધુ માટે પાનું ૨૦૧૧)