SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૨-૫ જીવન સ્વ. વાડીલાલ ડગલી અને સ્વ. રતિલાલ દીપચંદ દેસાઇ ૭ રમણલાલ ચી, શાહુ મારા મિત્ર શ્રી વાડીલાલ જેચંદ ડગલીનુ પ૪ વર્ષની વયે હૃદયરોગની બીમારીના કારણે અકાળ અવસાન થયું. એમના અવસાનથી આપણે એક તેજસ્વી સાહિત્યકાર, પ્રખર અ શાસ્ત્રી અને નીડર પત્રકાર ગુમાવ્યા છે. કેટલાયને એક વત્સલ મિત્રની ખોટ પડી છે. સ્વ. ડગલીના વિચાર કરુ છુ ત્યારે મને અમારા કાલેજના દિવસે યાદ આવે છે. ડગલી અને હુ ૧૯૪૬ માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી મુ`બઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં સાથે દાખલ થયા હતા. તેઓ અમદાવાદની સી. એન. વિદ્યાવિહારના વિદ્યાથી, હું મુંબઈમાં અશ્રુ પન્નાલાલ હાઇસ્કૂલને વિદ્યાથી. ડગલી વિલ્સન કાલેજના (અને ત્યાર પછી સિદ્ધાર્થ પ્રલેજના વિદ્યાથી, હુ' સેન્ટ ઝેવિયસ' કાલેજના વિદ્યાથી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને અભ્યાસ કરતા લગભગ બધા જ કોલેજિયને સાયન્સ કે કામસના વિદ્યાથીઓ હતા. મેટ્રિકની પરીક્ષામાં સારા ટકા મેળા પછી આર્ટીસમાં જવાનું સાહસ કાણુ કરે? અમે એવું સાહસ કરેલું. અમારા વમાં આ સમાં જનાણ અમે માત્ર બે ત્રણ વિદ્યાથીએ, પણ અમને એને આનંદ હતા. વાંચન અને ઋતર પ્રવૃત્તિ માટે સમય પુષ્કળ મળતા. ડગલીએ પ્રથમ વર્ષ' જ એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે વિદ્યાલયના બધા વિદ્યાથીઓનું ધ્યાન ખેંચેલું. ખીજા ત્રીજા વર્ષે તે ડગલીની ખ્યાતિ આંતરાલેજ ૫ સુધી પહેાંચેલી. ડગલી સારા વકતા હતા. સેન્ટ ઝેવિયસ' કાલેજ તરફથી અને પ્રવૃત્તિ સંધ તરફથી ચાલતી આંતર કાલેજ વકતૃત્વ સ્પર્ધામાં ડગલી પડેલુ બીજી ઈનામ જીતી જતા એથી વિદ્યાલયના અમે વિદ્ય થી'એ એમના માટે ગૌરવ અનુભવતા. કાલેજના એક દિવસમાં જ ડગલીએ કવિતાઓ અને નાટકો લખવા શરૂ કરેલા ‘શબ્દોના સાથિયા' નામનું એમનું નાટક અમે વિદ્યાલયના વિદ્યાથી ઓએ ઘણીવાર ભજવેલુ. ભારતની પાર્લામેન્ટ વિષેનું એમનુ એક નાટક પણ અમે વાર્ષિક ઉત્સવ પ્રસ ંગે ભજવેલું ડગલીની કવિતા જુદાં-જુદાં સામયિકામાં હપાતી. હિન્દુ-મુસલમાનનાં રમખાણો દરમિયાન ગોવાલિયા ટેન્ક વિસ્તારના સ્વય ંસેવક તરીકે અમે વિદ્યાલયની આસપાસ રાતના દસથી સવારના ચાર વાગ્યા સુધી ચોકીપહેરી ભરતા. એ સમયના સદુપયોગ ડગલી નવી કવિતાઓ લખવામાં કે રચેલી કવિતાઓ લલકારવામાં કરતા. ડગલીને છાપાં વાચવાના શાખ ધણેા હતે. તે મહત્ત્વાકાંક્ષી હતા. એટલે મુંબઇના મેટા મોટા પત્રકાર સ્મૃતે લેખાને મળવા જતા અને એમની સાથે સાહિત્ય, કેળવણી કે રાજકારણની ચર્ચા કરતા. કરસનદાસ માણેક ત્યારે ‘સારથિ’ નામનું પત્ર ચલાવતા. ડગલી એમની એસેિ જઇને રાજ એસતા, ૫. સુખલાલજી સાથેના એમના સબંધ વિદ્યાભ્યાસના આ દિવસ દરમિયાન ગાઢ થયા હતા. તેઓ '. રાજ નિયમિત પંડિતજી પાસે ભારતીય વિદ્યા ભવનમાં જતા. રાજ સાંજે ડગલી વિદ્યાલયમાં આવે એટલે દિવસ દરમિયાન પાતે કાને કાને મળ્યા અને શી શી વાત થઇ તેનું રસિક અયાન અમને સાંભળવા મળે. ડગલી તેજસ્વી વિદ્યાથી' હતા, પરંતુ કૉલેજ કે યુનિવર્સિટીની પરીક્ષામાં ઊંચા માર્કસ મેળવવાનુ` તેમનું ધ્યેય રહેતું નહિ. જીવનને વિકસાવવા અને સમૃદ્ધ બનાવવા તરફ 7 ૫૯. તેમનુ ં લક્ષ વિશેષ · હતું. એટલે ધણીવાર તેઓ કાલેજમાં શું ચાલે છે તેની બહુ ક્રિકર કરતા નહિ, પિરિયડ પશુ નિયમિત્ ભરતા નહિ પરંતુ પરીક્ષાના થાડા દિવસ બાકી રહે એટલે વિદ્યાલયની અગાસીમાં જઇને અમે તે ખેસતા. એક પછી એક પાઠ્ય પુસ્તક લેવાતું જાય. દરેક પામાં શું શું આવે છે. તે હું એમને કહેતા જાણે. તે યાદ રાખી લે અને પૂછવા જેવું ય તે પૂછી લે. આવી સ્મરણ શક્તિને આધારે ડગલી છમાસિક કે વાષિ'ક, કોલેજની કે યુનિવર્સિ'ટીની પરીક્ષામાં પાસ થવા જેટલી સફળતા મેળવી લેતા. બી. એ. ના અભ્યાસ વખતે મે' ગુજરાતી અને સંસ્કૃત એ એ વિષય પસંદ કર્યાં અને ગલીએ અથશાસ્રગ વિષય લીધા. એટલે અંગ્રેજીનાં પાઠયપુસ્તકા જેટલી જ અમારી સમાનતા રહી. પેાતાના વિષયને માટે તેમણે ખીજા મિત્રો શોધી લીધા. છેલ્લા વર્ષ'માં તે કારણવશાત્ વિદ્યાલય છેાડી આર. એલ. કેપ્ટ હૉટેલમાં રહેવા ગયા હતા. પરંતુ વિદ્યાલયમાં વારંવાર આવતા અને અમારી મંડળી જામતી. બી. એ. થઈને અમેરિકા અભ્યાસ કરવા માટે જવાની ડગલીને ધણી હોંશ હતી. એ માટે એમણે આર્થિક સહાયની વ્યવસ્થા પણ કરી દીધી. ત્યાં સારી રીતે અભ્યાસ કરી ઘણા અમેરિકન મિત્રો બનાવ્યા અને પ્રતિષ્ઠા જમાવી વિદેશગમન દરમિયાન ડગલીને અને મારા પત્ર દ્વારા સંપર્ક આ થતા ગયા. એમના ભારતના આગમન પછી વ્યવસાયન ક્ષેત્રા જુદાં થવાને લીધે અમારા સમાન રસના વિષયે આ થયા. આમ છતાં અમે જ્યારે પણ મળીએ ત્યારે જૂનાં રમણે અને સ્નેહ તાજા થતાં. પરિચય પુસ્તિકાને નિમિત્તે ‘ગ્રંથ'ને નિમિતે ક અન્ય કાઈ સામાજિક પ્રસંગે ગલીને મળવાનું થતું ત્યારે કાઇક વખત હું એમને કહેતા કે તમે જે અથ'શાસ્ત્રના ક્ષેત્રમાં ન ગયા હોત ત। ગુજરાતી સાહિત્યને પ્રથમ પતિના એક સમથ, તેજસ્વી કવિ, નાટકકાર, નિબંધકાર, *ચિંતક સાંપડયા હોત.' આમ છતાં થોડુંક લખીને પણ ડગલીઓ ગુજરાતી સાહિત્યને નમદ ચંદ્રક' મેળવવા જેટલુ સામથ્ય દર્શાવ્યું. ડગલી સાથે વાત કરીએ ત્યારે પ. સુખલાલજી, મેરારજી ભાઇ, ઉમાશ’કરભાઇ વગેરે... નિર્દેશ અચૂક થાય. કામસ’ના તંત્રી તરીકે એમણે ઘણું સારું. કાય" કયુ" પાતાના ક્ષેત્રમાં નિયમિત લેખન રૂપે ધણા વિષયો ઉપર એમણે પોતાનાં સ્વતંત્ર, મૌલિક, નિબીક મંતવ્યો રજૂ કર્યાં છે. એમના અભિપ્રાયની નોંધ રાજ્યકક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ કેટલીયવાર લેવાઇ છે. ભારતની ગરીબ પ્રજા માટે ડગલીને ઘણી હમદી હતી, કારણ કે એમણે પોતે ગરીબીન્જ ધણા કપરા દિવસે જોયા હતા. ડગલીના અવસાનથી મને એક વત્સલ મિત્રની ખોટ પડી છે; મારામાં રહેલા જૈન ધર્મના રૂઢિચુસ્ત અશે અને ક્રિયાકાંડ ડગલીને ગમતાં નહિ. કયારેક તે એ વિશે મને ટંકાર પણ કરતા. હું એમને વગર અભ્યાસે સૂત્ર ધરાવવા કરતાં ઝીણવટથી 'જૈન ધમા અભ્યાસ કરવા ભલામણુ કરતે. નવકાર મંત્રમાં પોતાની શ્રદ્ધા કેવી રીતે વધી છે તેની
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy