SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૮૫ * પ્રણ જીવન [ પૃષ્ઠ ૧૫ર થી ચાલુ) ભાષાનાં વિનિયોગ અને પરિવર્તન વિદ્વાન સાથેની ઓળખાણુથી પ્રતિષ્ઠા મળવા સંભવ હોય ત્યાં એવા વિદ્વાન સાથે પિતાને વ્યકિતગત ઘનિષ્ઠ સંબંધે છે એ વાત માનવી હેશથી કરવાનું ચૂકતા નથી. પરંતુ વ્યાવહારિક સંબંધે અને ખાસ કરીને ટી બેટીનાં વ્યવહારની બાબતમાં એવા વિદ્વાનોનાં સંતાનોની વાત આવે એ જ વિદ્વાન પરત્વેને આદર લુપ્ત થઈ જાય છે અને નાકનું ટેરવું ચડાવી માનવી કહે છે: “પેલા પંતુજી કે ‘વેદિયા’ની વાત કરે છે તે” વગેરે બન્ને વખત સંદર્ભ જુદો છે. એક વખત આદર ભાવ છે, પ્રતિષ્ઠાના પ્રતીકની વાત છે અને બીજી વખત અવગણનાને, તુચ્છકારને મનોભાવ છે. એની ભૂમિકામાં આર્થિક સંપન્નતા, વ્યાવહારિક અને સામાજિક પ્રતિષ્ઠાને માપદંડ છે. આર્થિક સ પન્નતા પ્રમાણે વ્યકિતના મૂલ્યાંકનની કહેવત અહીં યાદ આવે છે: નાણાં વગરને નાથિયો, નાણે નાથાલાલ.” જુદા જુદા સંદર્ભમાં કેવાં જુદા જુદા અર્થો અભિપ્રેત હોય છે એ જોઈએ. સામાન્ય રીતે વણિકે વ્યાપારી કુનેહ ધરાવે છે. પરંતુ કોઈ વ્યકિત વધારે હોશિયાર હોય ત્યારે એનાથી સાવધ રહેવા વાતવાતમાં એમ કહેવાય છે: “એ વાણિયે છે. એની સાથે કામ પાડતાં સંભાળજો.' અહીં ‘વાણિયો' શબદ દ્વારા એની હોંશિયારી કે લુચ્ચાઈને અંર્થ અભિપ્રેત છે. એ જ રીતે વૈશ્ય સાથે મતભેદ પડે અને કજિયાનું સ્વરૂપ પકડે તે એમ કહેવાય; “એ તે વાણિયો છે. એનાથી શું થવાનું છે?” મતલબ કે વણિકે શાંતિપ્રિય છે, ઝઘડાથી કાયર છે શારીરિક સૈદ્ધવની દૃષ્ટિએ સુદ્ધાં એની કાયરતા આવા પ્રસંગે છતી થતી હોય હોય છે. અહીં “વાણિયો” શબ્દ એની કાયરતાને સૂચક છે. આપણે અત્યાર સુધી અવલોકન કર્યું એમાં શબ્દોના પરિવર્તન દ્વારા, શબ્દોના માધુર્યને લુપ્ત કરવામાં કે અર્થોમાં પરિવર્તન દ્વારા કે ભાષાનાં વિનિયોગ દ્વારા વ્યકિત શું સૂચવે છે એની થેડીક મનોવૈજ્ઞાનિક ભૂમિકા જોઈ. એનું મોવિલેષણ કયુ નથી. વિખ્યાત માનસશાસ્ત્રી ફ્રોઈડની મને વિશ્લેષણ પદ્ધતિના ઉપયોગને ડેક વિચાર આપણે ત્યાં થયો છે તેની થડી છણાવટ હવે આપણે કરશું. - શ્રી મધુ કોઠારીએ આ અંગે વિશદ છણ્વટ કરી છે. મનના બે ભાગ છે: (૧) જ્ઞાત મન (Conscious mind) અને (૨) અજ્ઞાત મન (Unconsious Mind), એ પૈકી રાત મન સતત ચેકીદારનું કામ કરે છે અને મનમાં ઉઠતા આવેગાનું, આસપાસના વાતાવરણ અને સમાજના પરિપ્રેક્ષ્યમાં, નિયંત્રણ જ્ઞાત મન કરે છે. એ પૈકી કેટલાક આવેગે જ્ઞાત મનની જાણ બહાર વ્યકિતના વર્તન દ્વારા જુદા સ્વરૂપે બહાર આવે છે. આવેગેના સ્વરૂપમાં પરિવર્તન થવાથી વ્યક્તિને એવા આવેગેની જાણ થતી નથી. ભાષા પણ માનવીનું એક પ્રકારનું વર્તન છે અને એ વર્તન દ્વારા (Linguistic Behaviour) માનવી પોતાના ગમા-અણગમા, આદર, પ્રેમ, તિરસ્કાર અને પૂર્વગ્રહ વ્યક્ત કરે જ છે. પણ આવી અભિવ્યકિત પાછળ મને વૈજ્ઞાનિક કારણો વિષે વિચારીએ ત્યારે એના અજ્ઞાત મનમાં ધકેલાઈ ગયેલા આવેગેને અભ્યાસ જરૂરી લાગે છે. આ બાબત અંગે શ્રી મધુ કોઠારી નેધે છે તેમ, “ નિમ્ન સ્તરના લોકોમાં દમન (Repression) ની ક્રિયા થતી હોવી જોઈએ. એટલે કે વિરોધી લાગણીઓ પ્રગટ રીતે દર્શાવી શકાય નહીં અને તેથી ચેતન મનમાં ઊઠતી આ લાગણીઓ અચેતન મનમાં ધકેલી દેવી પડતી હોય અને એ રીતે આવી લાગણીનું દમન થતું હોય. હવે ફોઈડના મનેવિલેજભુવાદ પ્રમાણે આવી દમિત લાગણીઓ અચેતન મનમાંથી બહાર આવવા પ્રયત્ન કરે છે, પણ જે તેઓ મૂળ સ્વરૂપમાં આવે તે ચેતન મનને ખબર પડે અને તેને વિરોધ થાય. તેથી આવી લાગણીઓ વિરૂપ બદલીને ચેતન મનમાં આવે છે. વધુમાં તેમણે નોંધ્યું છે તેમ, “અહીં ભાષાનાં પરિવર્તનનું મૂળ જોઈ શકાય. દમિત લાગણીઓ ચેતન મનમાં આવવા પ્રયત્ન કરે અને સ્વરૂપ બલીને આવે તે કદાચ તે વ્યકિતની ભાષાને પણ પોતાનું માધ્યમ બનાવે; સ્વનિ કે શબ્દ પરિવર્તન એ દમિત લાગણીનું રૂપાંતરિત સ્વરૂપ કહી શકાય એ રીતે નિમ્નરતર ઉચસ્તર તરફ એક પ્રકાર વિદ્રોહ (Revolt) કરે અથવા બદલાની ભાવનાને અસંમજ્ઞાત રીતે પતી હોય, શિષ્ટ ભાષામાં આવા કોઈ મને વૈજ્ઞાનિક કારણને લીધે પરિવર્તન આવતું હશે એમ માની શકાય. ઉચ્ચ વાણી વ્યવસ્થાને તેડી પાડવાને પણ આશય હેય.” એમના આ અનુમાનના સંદર્ભમાં એમણે લુપ્ત થયેલાં ઇવનિ માધુર્ય અને શબ્દ પરિવતનનાં ઉદાહરણો આપ્યાં છે. જેમ કે, ધટક > ધો; માતા માડી; કરપત્રમ્ ટ કરવત, હર્ષ > હરખ; સંમુખમ > સામુ; યોગક્ષેત્ર જોખમ; અન્યપક્ષકમ્ - અનોખું; ઉત્સવ ઓછવ વગેરે. ક્રોઠની મનેવિલેષણ પદ્ધતિનો ઉપયોગ કરીને નિ કે શબ્દ પરિવતને, અલબત્ત, સમજી શકાય. પરંતુ શ્રી મધુ કોઠારીએ આથિક દ્રષ્ટિએ ઉચ્ચ અને નિમ્ન સ્તરની અને વર્ગ અંતર દ્વારા વર્ગવિગ્રહની વાત આલેખી છે એ ભાષા કીય વર્તનમાં કેટલે અંશે લાગુ પડી શકે એ તપાસવું . જોઈએ. એમણે એમના અનુમાનના સંર્ભમાં અને સમર્થનમાં મૂળ શબ્દોમાં ખ્યાલ ન આવે એ રીતના પરિવર્તનનાં ઉદાહરણો આપ્યાં છે. પરંતુ એવું ભાષાકીય પરિવર્તન નિમ્ન સ્તર દ્વારા જ થાય છે એવું ઘટાવી ન શકીએ વ્યવહારમાં શિષ્ટ વર્ગ પણ ધટકને બદલે ઘડે કે ઉત્સવને બલે એચછવ કે હર્ષને બદલે હરખ એ શબ્દપ્રયોગ કરે છે અને એ પરિવર્તન ઉચ્ચારેની સરળતા ખાતર પણ થતું હોય છે. - શબ્દના ઘડતર અને ભાષાના ક્રમિક ઈતિહાસ વિષે વિચારીએ તે જંગલી અવસ્થામાં (Primitive Stage) જીવતાં માનવોએ વાણી વ્યવહાર પ્રસ્થાપિત કર્યો ત્યારે શિષ્ટ પ્રયોગથી જ શરૂઆત થઈ હોય એવું માનવાને કારણ નથી. કર્મિક વિકાસ દ્વારા ભાષા શુદ્ધ થતી ગઈ હોય અને ભાષાનું આજનું સ્વરૂપ રથપાયું હોય, એમાં પણ અનેક પરિબળેએ ભાગ ભજવે હોય, ભાષાના વિકાસની વિવિધ તબકકે પ્રજાતાં તળપદ્ય કે અશિષ્ટ શબે ભાષામાં રહ્યા હોય એ વધુ સંભવિત છે. શ્રી મધુ કોઠારી કહે છે તેમ ભાષાની વિકૃતિ વગભેદને લીધે આવવાની સંભાવના પ્રમાણમાં નહિવત્ છે. હા, એમણે નોંધ્યું છે તેમ, સામાજિક પ્રતિષ્ઠા (Social Recognition) તરીકે ભાથાને વિનિયોગ થાય છે અને ભાષાના કમિક વિકાસમાં આવી મને વૈજ્ઞાનિક ભૂમિકાએ ચોકકસ ભાગ ભજવે હશે એમ કહી શકાય. એમાં સમૂહ માનસને અભ્યાસ પરિવર્તનની પ્રક્રિયા સમજાવી શકે એટલું ઉમેરી શકાય. . ક્રોઈMી મનેવિલેષણ પદ્ધતિથી વિચારીએ તે એક વ્યક્તિનું (વધુ સામે પાને ચાલુ)
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy