SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ પ્રહ જીવન તા. ૧-૧૨-૮૩. એને થાય છે અતિશય આનંદની વેદના પ્રેરે એવું સૌન્દર્યતત્વ શી વરતુ હશે? શેસ્પિયરે પણ એના “એથેલે’ નટકના નાયકને એક પ્રસંગે આનંદની અતિશયતાની વેદના અનુભવતે નીરૂપે છે. સંગીત સાંભળી અરવસ્થ બનતાં મને માર્લોની પંક્તિ યાદ આવી ઓગણીસમી સદીના પહેલા ચરષ્ના રેમેન્ટિક કવિ કીસને અનુભવ પણ મને યાદ આવ્યા. એક ચાંદની રાતે કોઈ વૃક્ષનાં પર્ણોની છાયામાં બેઠી ખેડી મુકત કે સંગીતની સરિતા રેલાવતી બુલબુલને સાંભળી તેના આનંદના સ્પર્શ કીટસ એ મહર્ષિત થઈ ઊઠયું હતું કે તેના હૃદયમાં વેદના થઈ આવી હતી અને જાણે કે પોતે, અફીણનું વિષ પીધું હોય એમ એને પેતાની ચેતના એગળી જતી હોય એમ લાગ્યું હતું. મને થતી વેદના માલેં ને કે વણવી હતી તેવી સૌદર્યાનંદની અતિશયતાની વેદના છે એમ સમજી હું ભય પામ્યા વિના સંગીત સાંભળતે પડી રહ્યો અને વિચારવા લાગે, મારા આ અનુભવનું વર્ણન હું કોને કરું? નિર્ણય કર્યો કે ઊઠીને હું મારા જૂના અધ્યાપક શ્રી ભાંડારકરને મુંબઈ પત્ર લખીશ. સંગીત પૂરું થતાં મારી વેદના શમી ગઈ અને હું ઊંઘી ગયે. બે કલાક પછી જાગીને જોઉં છું તે ટપાલમાં શ્રી ભાંડારકરને પત્ર આવ્યો હતે. કેવો વેગનુયોગ ! નિદ્રામાં પણ હું મારા હૃદયમાં નિરંતર વહેતા આનંદપ્રવાહને અનુભવ કરું છું. આંતરડાના રોગને કારણે મને વીસ વર્ષથી સતત અંદર સેજ હોય એવું દઇ રહ્યા કરે છે. શરૂઆતમાં એક વર્ષ તે એવું ગયું હતું કે મારે દરરોજ ઊંધની ટીકડી લેવી પડતી. (તે કેવી રીતે છૂટી તેની વાત મેં પહેલી નવેમ્બરના અંકના હપ્તામાં લખી હતી.) પણ હવે કેટલાંય વર્ષોથી, આંતરડાનું દુ:ખ સતત ચાલુ રહેતું હોવા છતાં, દરરોજ રાતે શાંતિથી ઊંઘું છું. એ નિદ્રા એવી ઊંડી હોય છે કે તે દરમિયાન કયારેક ઘરમાં કંઈક ખળભળાટ થાય તે પણ મને ખબર નથી પડતી. એક વાર બાળક પૌત્ર અડધી રાતે ખૂબ રડવા ચક્વા ચડે હતું અને તેને શાંત કરવા ઘરની બહાર ફેરવવા લઈ જવો પડ્યો હતો. પણ મને તેની કશી ખબર ન પડી. એક બીજા પ્રસંગે રાત્રે બે બિલાડીઓ ખૂબ લડી હતી, પણ તેની મને ખબર નહોતી પડી, દરરોજ સવારે જાગું છું ત્યારે રાત્રે ભગવેલી નિદ્રાના આનંદની તાજગી અનુભવતા હોઉં છું, અને અર્ધો કલાક કે તેથી વધારે સમય ઘરની બહાર બેસી આજુબાજુનાં વૃક્ષોની હરિયાળી જોતે. એ આનંદની સ્મૃતિ તાજી રાખું છું. મારા અંતરમાં વહેતા આનંદપ્રવાહ અવારનવાર આહલાદક સ્વપ્નમાં પણ ઊભરાય છે. કઈ કઈ વાર એ ઉભરે એ તીવ્ર બન્યું છે કે સ્વપ્નમાં મને મારું આખું શરીર આનંદથી પરિક્ષાવિત (Flush) થઈ જતું લાગ્યું છે. આ વર્ષના જાન્યુઆરી માસથી જૂન સુધી હું શરીરની ભારે ઉપાધિમાં હતા અને ગુજરાતમાં ત્યારે ચાલી રહેલાં તેફાથી પણ મન ઉગમાં હતું. પુત્રીને શરીરની ઉપાધિ થઈ હતી તેની પણ ચિંતા રહેતી. એવા દિવસેમાંય મને ત્રણ ચાર વાર આનંદરનાનના સ્વપ્નનો અનુભવ થયે હતે. ઈજેકશન પાકયું હતું તેનું ઓપરેશન કરાવ્યું હતું અને એકાદ માસ અઠવાડિયે એક વાર સિંગ માટે સર્જન પાસે ' જવું પડતું. તેઓ ઓપરેશનના ઘાની આજુબાજુના નાયુઓ ગંઠાઈ ન જાય તે માટે તેમને એવા મસળતા કે તેની વેદનાથી આખમાં આંસુ આવી જતાં. એક વેળા સેમવાર સવારે એક ડ્રેસિંગ માટે જવાનું હતું. રવિવાર રાત્રે મને રવન આવ્યું તેમાં મેં મારા શરીરને જિંદયીમાં એ કયારેય નહોતું એવી સંપૂર્ણ, આનંદપ્રદ નિગી સ્થિતિમાં અનુભવ્યું. સવારે સિંગ, માટે ગયો ત્યારે ડ્રેસિંગની તૈયારી કરતા સજનને મેં કહ્યું કે ડોકટર, કાલે રાત્રે મને રખ આવ્યું કે મારે ઘા સંપૂર્ણ ઝાઈ ગયે સજનને રમૂજ થઈ હશે, કારણ કે શરીર એવું નિર્બળ થઈ ગયું હતું ને પાચનતંત્ર એવું મંદ પડી ગયું હતું કે ઘા રુઝાય તે માટે સારા પિષણવાળા ખેરાક લેવાની જરૂર હતી. તે લઈ શકાતો નહોતો-બલકે ઓપરેશન પહેલાં સવાર-સાંજ એક એક ખાખરે ખાઈ શકતે હવે તે પણ હવે મુશ્કેલ બની ગયું હતું એટલે ઘા રુઝાશે કે કેમ એ વિશે સજનને, અમારા ડોકટર વેવાઈને, મને અને ઘરમાં બધાને શંકા હતી. પણ અંતરમાં વહેતા અમૃતરસે ચમત્કાર કર્યો. ધીમે ધીમે ધીમે સાડા ત્રણ મહિને ઘા રુઝાય અને હું બેડું હરફર થયો. તે પછી આજ સુધીમાં મને ચારપાંચ વાર, આનંદસ્નાનનાં વન આવ્યાં છે. આવી ઉત્કટ આનંદક્ષણે જીવનરસના આનંદનું બોનસ, ગણાય. પણ એનસ નિયમિત કામની કમાણી ઉપર જ મળે. મારા સૌદર્યપાને મને કર્તવ્યપાલન દ્વારા એવા રેજિંદર આનંદનો અનુભવ પણ કરાવ્યો છે. સોળેક વર્ષની ઉંમરે મારી મૂંઝવણ શરૂ થઈ ત્યારે મેં એક દિવસ સંકલ્પ કર્યો હતું કે હું કદી નિરાશાવેશ નહિ થાઉં અને જીવનને સદુપયોગ કરીશ. હું એ સંકલ્પનું પાલન કરી શકો છું, હું માનું છું કે જીવનભર મળતા રહેલા સૌદર્યપાને મને એ શકિત આપી. એ સંક૯૫ કરે તે પણ હું અંકલેશ્વર ગામથી, ભાઠા જતી સડક ઉપર સાંજે ફરવા નીકળે ત્યારે સડકની ખે બાજુ ઊગેલાં વૃક્ષોની હરિયાળીના પ્રસન્ન વાતાવરણમાં કરેલે,. અને એટલે જ મને એની સુખદ સ્મૃતિ રહી છે. સંકલ્પનું પાલન કરતાં મેં કઈ મેટો ત્યાગ નથી કર્યો. કેઈ પરોપકાર. પ્રવૃત્તિઓ કે લોકસેવા દ્વારા નહિ પણ માત્ર પ્રવાહપ્રાપ્ત કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરતા રહી મેં મારા સંકલ્પનું પાલન કર્યું છે તેમ કરતાં મને કયારેક મૂંઝવણે થઈ છે, મનના ફ્લેશ થયા છે, મેં નાનીમેટી, ભૂલેય કરી છે, પરંતુ સરવાળે હું જે રીતે આવ્યો છું તેથી મારું અંતર પ્રસન્ન રહ્યું છેપરિણામે હું ભગવદ્દગીતાના બારમાં અધ્યાયમાં ભકતનાં લક્ષણ વર્ણવ્યાં છે તેમાંના તુચ નિવારસુતિ, સમ: માનાપમાનયો: એ બે લક્ષણે કંઈક અંશે કેળવી શકો, છું. નિંદા કે અપમાનનાં કઈ કોઈ તીર વાગ્યાં હશે, પણ ૌંદર્યના અમૃતરસે રેષાયેલું મન એવાં તીરના દુઃખે કડવું નથી થયું કે કર્તવ્યપાલન તેને ભારરૂપ નથી બન્યું. - ગાંધીજીએ ઘણા પ્રસંગે કર્તવ્યપાલનના આનંદ વિશે લખ્યું છે. વિનીત નેતા શ્રીનિવાસ શાસ્ત્રી ઉપર લખેલા એક પત્રમાં (૩૦-૮-૧૯૩૩ ના) તેમણે લખ્યું Performance. of duty I have beld always to be a thing of beauty and à joy for ever 'A thing of beauty is a joy for ever. એ કવિ કીટ્સના Endimion કાવ્યની પહેલી પંકિત છે. કર્તવ્યપાલનમાં ગાંધીજીને સૌંદર્ય અનુભવના જે આનંદ મળતું એટલે તેનું વર્ણન કરતાં એમની સ્મૃતિમાં કીટસની એ જાણતી પંકિત. ફરી ગાંધીજીમાં કવિએતનાને અંશ હતા અને કવિએન્ટ્રી જેમ તેઓ પણું સૌન્દર્યપ્રેમી હતા. “ગીતાબેન ચિત્ત
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy