________________
પ્રથ જીવન
-
પશુસૃષ્ટિમાં સંતાનોની સંભાળ ઝાઝો સમય રાખવાની હેતી નથી. અલ્પકાળમાં બચ્ચાંઓ માતા પિતાની જેમ રવતંત્ર - જીવન જીવતાં થઈ જાય છે. એવું જીવન શરૂ થયા પછી માતૃરહ, પિતૃનેહ, સંતાનવત્સલતા દત્યાદિ ભાવે તેમનામાંથી ઝાંપથી ચાલ્યા જાય છે. એ જ સ્થળે કુટુંબ કરીને રહેવાનું પણ પશુસૃષ્ટિમાં બહુ જ ઓછું જોવા મળશે, પ્રેમ, સ્વાર્થ ત્યાગ, સ્વાપણું, દયા, ન્યાય, નીતિ ઈત્યાદિ ઉચ્ચતમ ટિના ભાવો મનુષ્ય જીવનમાં જેવા જેવા મળે છે તેવા પશુસૃષ્ટિમાં જવલ્લે જ જોવા મળશે.
માનવ બાળકને ઊછરતાં અને વિકસતાં ઝાઝો સમય લાગે છે. સવા-દોઢ વર્ષ પછી તે માનવશિશુ ખેલતાં શીખે છે. પિતાના વિચારો વ્યકત કરતાં ઠીકઠીક વાર લાગે છે. પાંચ સાત કે
એથી પણ વધુ વર્ષ સુધી બાળકની સંભાળ લેવાની જરૂર રહે છે. એટલે કે પ્રાણીઓ કરતાં મનુષ્યને-પતિ પત્નીને બાળકને ઉછેરને નિમિત્તે વધુ સમય સાથે રહેવું પડે છે. એને કારણે જ પતિ પત્ની અને સંતાન વચ્ચે કુટુંબભાવ વિકસે છે. એથી જ કુટુંબના નિર્વાહની વ્યવસ્થા માટે પ્રાણીઓ કરતાં મનુષ્યને વધુ સમય અને શકિત આપવા પડે છે. એટલે જ પશુસૃષ્ટિ કરતાં મનુષ્ય જીવન સ્વેચ્છાએ હર્ષથી વ્યવસ્થાના બંધનમાં મુકાવાનું પસંદ કરે છે.
ઘણુંખરાં પ્રાણીઓમાં જાતીય જીવન માટે ઋતુકાળ સિંશ્ચિત હોય છે. સંતાનોત્પત્તિને કાળ પણ નિશ્ચિત હોય છે. મનુષ્યના જાતીય જીવનને પાંગરવાને પશુઓ કરતાં વધુ સમય લાગે છે અને પગયાં પછી ઋતુઓના બંધન વિના સતત ચાલ્યા કરે છે. આથી પણ પ્રાણીઓ કરતાં વસ્ત્રધારી મનુષ્યની સ્થિતિને અલગ દષ્ટિકોણથી વિચાર કરે. આવશ્યક થઈ
માટેનું એક દીર્ધદશી પગલું ભર્યું હતું. સામાન્ય ભારતીય હિન્દુ કે જેને યુવક યુવતીને કાકામામાના કે ઈ-માસીના દીકરા– દીકરી પ્રત્યે કામવાસના થતી નથી એવી સહજ સ્થિતિ જે પ્રવતે છે તેની પાછળ પણ હજારે પેઢીઓએ સ્વેચ્છાએ સ્વીકારેલાં ત્યાગ–સંયમ રહેલાં છે. નવું લોહી ન આવે અને એક જ પેઢીનું લેહી અંદર અંદર ફર્યા કરે છે એ પેઢી સમય જતાં નિસ્તેજ. અને શકિતહીન થતી જાય એવું આજના વૈજ્ઞાનિકે પણ કહે છે. ભારતમાં બહારથી આવેલી અથવા વટલાયેલી કેટલીક જાતિઓમાં અથવા દુનિયાની કેટલીક આદિવાસી જાતિઓમાં માંહોમાંહે લગ્નને કારણે પ્રજોપત્તિનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. ભગવાન ઋષભદેવના સમયમાં યુગલિક જીવન હતું. ભાઈ બહેન પરસ્પર પરણતાં, પરંતુ માનવ જીવનના વિકાસ માટે તેમ ન કરવા ભગવાન ઋષભદેવે ઉપદેશ આપ્યો હતે. મુકત... વિહાર, મુક્ત સહચાર કે મુક્ત પ્રેમ એ વ્યભિચારનું જ
સ્પાળું નામ છે. જેઓ એકલવિહારી છે, સ્વચ્છદાં છે,, વિલાસી છે, લંપટ છે, વકરેલા છે, દામ્પત્ય જીવનન, દુઃખી છે તેને માટે મુક્ત સાહચર્યની વાત મનગમતી છે.. પરંતુ જેઓ સ્વસ્થ છે, સ્થિર છે, સંયમી છે,. દામ્પત્ય જીવનના સુખી છે તેમને મુકત સાહચર્યની વાત સુચશે નહિ. કેટલાક લેકે Free Sex મ માને છે, પણ ફકત પિતાને માટે; પિતાની પાની, માતા, બહેન કે પુત્રી માટે નહિ. આવા બેવડાં ધોરણવાળા કેટલાક માણસે સમાજમાં જોવા મળશે. પરંતુ તેમનું કશું મૂલ્ય નથી. વેશ્યાના બજારમાં કેવળ મુક્ત સાહચર્ય છે પણ તેને કયારેય કોઈએ આદર કર્યો નથી..
જેઓ મુકત જીવનને બંધ આપે છે તેઓ જાતીય જીવન પૂરતી જ કેમ વાત કરે છે? જેની સાથે જ્યારે પણ જાતીય પ્રેમ કરવાની ઈચ્છા થાય ત્યારે તેની સાથે તેમ કરવાની મનુષ્યને સ્વતંત્રતા હોવી જોઈએ એવું જે માનીએ તે પછી જેને જ્યારે ચેરી કે ખૂન કરવાની ઈચ્છા થાય ત્યારે તેને તેમ કરવાની પણ સ્વતંત્રતા હોવી જોઈએ. એમ.પણ સ્વીકારવું નહિ પડે? એ બાબતમાં પણ એને કઈ બંધન કેમ હોવા જોઈએ ? પરંતુ એવી દલીલ સ્વીકારીએ તે મનુષ્યજીવનની વ્યવસ્થા જ ટકી ન શકે, મનુષ્ય ઘર કરીને, કુટુંબ સાથે, સમાજની અંદર રહેવાનું પસંદ કર્યું તેનો અર્થ જ એ કે તેણે સ્વેચ્છાએ, સમજણપૂર્વક, ડહાપણુપૂર્વક વ્યવરથનું બંધન સ્વીકાયું છે. નિયમ જેમ વિકાસની આડે આવી શકે છે તેમ નિયમ વિકાસમાં મદદરૂપ પણ થઈ શકે છે. મનુષ્ય જાતિઓ વેચ્છાએ સ્વીકારેલું લખ્યું, કુટુમ્બનું અને સમાજની વ્યવસ્થાનું બંધન એના વિકાસમાં અવશ્ય ઉપકારક નીવડયું છે.
લગ્નસંસ્થાનાં અનિષ્ટ ઘણું હશે. કેટલાંક અનિષ્ટ વિવાવસ્પદ પણ હશે. એ બધાં અહિતકર અનિષ્ટ દૂર કરવાની બાબતમાં સંમતિ સાધી શકાય. પરંતુ લગ્નસંસ્થા એ અનિ બંધન છે એમ વિચારીને એ સંરથાને જ જે ઉછેદ કરવામાં આવે છે. તેથી અનેકગણાં બીજા અનિષ્ટ પ્રવર્તાશે. મનુષ્યનાં સુખ શાંતિ અને રવસ્થતા ચાલ્યાં થશે. પુરુષની આક્રમકતા વધશે અને સ્ત્રીઓની સલામતી જોખમાશે.. - લગ્ન જીવનનું બંધન એટલું બધું કડક ન હોવું જોઈએ. કે જેથી વ્યકિત કચડાઈ જાય અને છતાં એમાંથી બહાર ન . . (અનુસંધાન પૃષ્ઠ ૧૫૦) ,
,
હજારે કે લાખ વર્ષ પૂર્વે મનુષ્ય જયારે પ્રાકૃતિક દશામાં જંગલી જીવન જીવતા હશે ત્યારે પશુ જેવું જ
જીવન તે જીવત હશે. પરંતુ પ્રાણીઓ કરતાં ચડિયાતી પિતાની દૃષ્ટિ શકિતને અનુલક્ષીને તેણે પોતાના જીવનને વિશેષપણે વિકસાવ્યું છે. પશુસૃષ્ટિની જેમ મનુષ્યમાં પણ પુરુષ કે સ્ત્રીને એક કરતાં વધારે વ્યકિત સાથે જાતીય જીવન જોડવાની સંવેદના નથી થતી એમ નહિ. આદિકાળના એ સંસ્કારે છે. પરંતુ એ પ્રાકૃતિક સંસ્કારે ઉપર માનવજાતિ કમે ક્રમે વિજય મેળવતી આવી છે અનેક પેઢીઓએ પિતાની જાતને પિતાની પરિણીત દયકિત સાથેના જાતીય જીવનમાં મર્યાદિત રાખવાનું અને પિતાની વૈર વૃત્તિઓને સંયમમાં રાખવાનું કપરું કાર્ય કર્યું છે. પિતાના પૂર્વજોએ ઘણો ભોગ આપ્યો હશે ત્યારે મનુષ્ય આ સંયમિત દશાએ પહોંચે છે. બહુપત્નીવાળી કે બહુપતિવાળી સ્વીકૃત અને અધિકૃત લગ્નપ્રથાનો પણ માનવજાતે ઘણે અંશે ત્યાગ કર્યો છે.
આજનાં પતિપત્ની એકબીજાના સહચાર્યમાં જ જીવન પર્યત આનંદ અને સંતોષને અનુભવી શકે છે તેની પાછળ હજાર પેઢીઓએ ક્રમે ક્રમે વિકસાવેલું સંયમ અને સંસ્કારનું બળ રહેલું છે. પતિવ્રતાપણું અને સ્વદારા સતેષ એ લગ્નજીવનનો આદર્શ છે. ' ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તે આ સંયમ-સંસ્કાર બીજી કેટલીક પ્રજાઓ કરતાં સવિશેષ ચડિયાતા છે. આપણા પૂર્વજોએ સન્ન લગ્નને નિષેધ કરીને માનવજાતિના વિકાસ
-