________________
તા. ૧૬-૧૧-રસ્પ
*
: પ્રથમ
આવન
(પૃષ્ઠ ૧૩૪ થી ચાલુ)
. ' ક્રાંતિના પરિમાણ રવાર્પણ, સંગઠન અને નૌતિક હિંમત ઉપર તેની સફળતાને આધાર રહે છે. એવી ક્રાંતિ કયારેક સફળ થાય છે, તે કયારેક નિષ્ફળ જાય છે.
પ્રજાવિમુખ, જુલમી સત્તાધીશોને ઉથલાવ્યા પછી જ્યારે નવી સત્તા આવે છે ત્યારે પ્રજા રાહત અનુભવે છે. પરંતુ સમય જતાં કદાચ જે નવા સત્તાધીશે પણ સત્તાના મદમાં જુલમી બને છે તે પ્રજાને ફરી પાછી કાંતિ કરવાની આવશ્યકતા ઊભી થાય છે. રાજદ્વારી ક્રાંતિમાં કયારેક આવું ચક ચાલે છે. - કોઈ પણ એક પરિસ્થિતિની સામે કેટલાક સ્વાથી નેતાઓના મનમાં અસંતોષ હોય અને તેઓ તેને વિરોધ કરી, બળ વાપરી તે પરિસ્થિતિને હટાવે એથી દરેક વખતે કાતિ થઈ એમ નહિ કહી શકાય. અસંતોષના કારણમાં એવી વ્યકિતઓની વધુ પડતી અપેક્ષા કે વધુ પડતી મહત્ત્વાકાંક્ષા પણ જવાબદાર હોય છે. લેકમાનસને. ઉશ્કેરી, તેની ઓછી સમજને ક્રાંતિના નામે ગેરલાભ ઉઠાવી, સત્તા કે પ્રતિષ્ઠાન સ્થાને બેસી જનારા તકવાદી માણસે દુનિયામાં ઓછા નથી. પરંતુ એવી રીતે થયેલું પરિવર્તન ઝાઝો સમય ટકતું નથી.
રાજાશાહી કે સરમુખત્યારશાહી કરતાં લોકશાહીમાં રાજદ્વારી ક્ષેત્રે સત્તાકાંક્ષી માણસની સંખ્યા ઘણી મોટી હોય છે. જે સત્તારૂઢ હોય છે તેને સત્તા ટકાવી રાખવામાં રસ હોય છે. જેની પાસે સતા નથી તે સત્તાધીશ પાસેથી સત્તા આંચકી લેવા માટે યોજનાઓ ઘડે છે, તક મળતાં સત્તાધીશ સામે બંડ કરાવે છે. પરંતુ દરેક બંડ સફળ થતું નથી. વળી દરેક બંડને કાંતિ કહી શકાય નહિ. કાંતિ જે ગૌરવયુકત શબ્દ બધી ચળવળ કે સત્તા પરિવર્તન માટે વાપરી શકાય નહિ. સંધર્ષ, વિદ્રોહ, વિપ્લવ, ઝુંબેશ, બંડ, બળ વગેરે શબ્દો નજીક નજીકના અર્થવાળા છે, પરંતુ તે બધામાં કાંતિ શબ્દ વિશેષ ગૌરવવાળે છે. જે બળ સફળ થાય તે ક્રાંતિ અને જે કાંતિ નિષ્ફળ જાય તે બળવે એવી વ્યાખ્યા અપાય છે, પરંતુ તે સંપૂર્ણપણે સાચી છે એમ ન કહી શકાય. જેમાં પ્રજાના વિશાળ વગે ન્યાય માટે સ્વાર્પણયુકત લડત ચલાવીને સત્તા પરિવર્તનમાં સફળતા મેળવી હોય તેવી ઘટનાઓ ક્રાંતિ શબ્દને વધુ સાર્થક કરે છે.
જ્યાં રાજદ્વારી સત્તા હોય છે ત્યાં શસ્ત્રબળ હોય છે. વિરોધને મિટાવવા માટે તરત શોને ઉપયોગ થાય છે. ન્યાયની વાત બાજુ પર મુકાય છે. સમજાવટને સ્થાન હોતું નથી. સત્તાધીશોને સત્તા છોડવી ગમે નહિ. એવે વખતે સશસ્ત્ર કાંતિથી પરિણામ જલદી આવે, સશસ્ત્ર બંડનો આરંભ ગુપ્ત હિલચાલથી થાય. સત્તાના સૂત્રધારનું અરિતાવ જેટલું વહેલું મટે તેટલી વહેલી સત્તા કબજે કરી શકાય. વર્તમાન સમયમાં ઘાતક શસ્ત્રોનું પ્રમાણ વધ્યું છે અને માણસને મારવાની યુકિતપ્રયુકિતઓ પણ વધી છે. દરથી નિશાન તાકી, ગોળા કે બે છોડી] ઝડપી વાહનમાં ભાગી જઈ શકાય છે. દુનિયાના ઘણા દેશમાં ગેરીલા પ્રવૃત્તિ વધી છે. સત્તાધીશોને એને સતત ડર રહે છે. હેમણે હમણાં આતંકવાદીઓનું જોર પણ વધ્યું છે. અચાનક
ક્યાંક કેઈને મારી નાખી, વિમાનના અપહરણ કરી, લેને કે રાજદારી પુરુષને બાનમાં રાખી, સત્તાઓને હચમચાવવાનું કામ આ આતંકવાદીઓ કરે છે, પરંતુ એથી જે પરિણામે ,
આવે છે, તે બહુ ચિરંજીવી રહેતાં નથી. એવી દરેક ઘટનાને કાન્તિ કહી શકાય નહીં.
રાજદ્વારી ક્રાંતિ ઘણું ખરું લોહિયાળ હોય છે. કયારેક સશસ્ત્ર પ્રતિકાર ઓછો થાય અથવા ન થાય ત્યારે ઓછી હિંસાએ સત્તા પરિવર્તન થાય છે. સત્તા પરિવર્તન વખતે સ્થાનિક પ્રજાના બળને વિદેશી સત્તાને કયારેક સીધી કે આડકતરો ટેક્સ પણ મળે છે. કયારેક વિદેશી સત્તા ઇરાદાપૂર્વક બળ કરાવે છે. રાજદ્વારી ક્રાંતિમાં ન્યાય, નીતિ, સિદ્ધાંતની વાત દરેક વખતે હોય એવું નથી. અસહ્ય યાતનામાંથી મુકત થવું એજ કયારેક પ્રાથમિક યેય હોય છે. પ્રાચીન સમયમાં રાજાશાહીના જમાનામાં કેટલાક જુલ્મી રાજાઓનાં પતન એવી રીતે જ થયાં છે. '
સામાજિક કે ધાર્મિક કાંતિ અહિંસક હોઈ શકે, પરંતુ રાજદ્વારી કાંતિ પણ અહિંસક રીતે કરી શકાય એ પ્રયોગ સફળ રીતે ગાંધીજીએ કરી બતાવ્યો. ઇતિહાસના પાને એ સુવર્ણાક્ષરે લખાશે. સત્ય માટે આગ્રહ, હસતે મુખે જેલમાં જવાની કે જરૂર પડયે પ્રાણ - અર્પણ કરવાની તત્પરતા, સિદ્ધાંત-નિષ્ઠા અને દુશ્મન પ્રત્યે પણ પ્રેમની ભાવના ઇત્યાદિ સાથે, આખી દુનિયામાં પથરાયેલી એક સતનતમાંથી ભારતને મુક્ત કરવાનું સ્વપ્ન સેવવું એ નાની સૂની વાત નહોતી. આત્મબલિદાનની અને લેકકલ્યાણની સાચી ભાવના સાથે સતત લોકસંપર્ક દ્વારા આખા ભારતમાં નિ:સ્વાર્થ નેતાગીરી ઊભી કરી. રાષ્ટ્રવ્યાપી અદેલને દ્વારા ગાંધીજીએ બ્રિટિશ સરકારને હંફાવી અને છેવટે અહિંસક ક્રાંતિનું પિતાનું યેય સિદ્ધ કર્યું.
આટલા મેટા પાયા ઉપર, આટલાં લાબાં વર્ષો સુધી ચાલેલી આટલી મેટી અહિંસક રાજેદારી કાંતિ ઈતિહાસે ભૂતકાળમાં જોઈ નથી, ભવિષ્યમાં કયારે જેશે તેની ખબર નથી. પરંતુ અહિંસક રીતે પણ રાજકારી કાંતિ થઈ શકે છે એ ગાંધીજીએ જગતને સિદ્ધ કરી બતાવ્યું. સશસ્ત્ર ક્રાંતિ કરતાં અહિંસક ક્રાંતિમાં સમય વધુ લાગે એ દેખીતું છે. પરંતુ પ્રજાના નીચામાં નીચા સ્તર સુધી તે વ્યાપી રહે છે. પ્રજામાં એકતા અને સ્વાર્પણની ઉદાત્ત ભાવના તે જેટલી જન્માવી શકે છે તેટલી હિંસક ક્રાંતિ જન્માવી શકતી નથી. ચારિત્ર્યશીલ, પ્રભાવશાળી, બલિદાન દેવાની તત્પરતાવાળા લેકનેતાઓનું જેમ જૂથ મોટું તેમ અહિંસક કાન્તિનું ઇષ્ટ ફળ વહેલું જોવા મળે.
જે સમાજ કે રાષ્ટ્ર વખતોવખત સામાજિક, રાજકીય, આર્થિક, શૈક્ષણિક, ધાર્મિક, સાંકારિક ઇત્યાદિ ક્ષેત્રમાં સમયેચિત ફેરફાર કરતાં રહે છે. એ સમાજમાં કે રાષ્ટ્રમાં ક્રાંતિની કઈ આવશ્યકતા રહેતી નથી. ક્રાંતિનું મૂળ અસતિષમાં છે, પરંતુ જે પરિસ્થિતિ જ એવી હોય કે અસંતોષને રસ્થાન જ ન મળે તે ક્રાંતિને માટે, જરા પણ અવકાશ ન રહે.
જ્યાં સમયેચિત પરિવર્તન થતાં નથી ત્યાં જૂનવાણું માનસ, કાલગ્નરત પરંપરા કે નિષ્ણાણ પ્રણાલિકા જડ થતાં અસતિષનું વાતાવરણ જન્મે છે અને કાંતિની આવશ્યકતા પેદા થાય છે.
દરેક પ્રજામાં વખતોવખત ભિન્ન ભિન્ન પ્રકારની પ્રાન્તિ તે થતી રહેવાની. પણ આદર્શ સ્થિતિ તો એ જ ગણાય કે કાન્તિની કોઈ આવશ્યકતા જ રહે. થાક સમય માટે, થાક લેકમાં એવી રિથતિ પ્રવર્તી શકે. પરંતુ હંમેશને માટે એવી. સ્થિતિનું નિર્માણ થાય એવી મનુષ્યની પ્રકૃતિ નથી. હો
-રમણલાલ ચી. શાહ
શિત રક્ષા કરતાં ક થી. ક્રાંતિનું મૂળ
-
થાન જ