________________
૧૦
૧૩૨
પ્રભુ જીવન
અનાખુ કલેન્ડર
જયેન્દ્ર ત્રિવેદી
એક
આજે ભાગ્યે જ ક્રાઇધર હશે જ્યાં તારીખિયું એટલે કે લેન્ડર નહી હોય. જરા તારીખ અને તિથિ જાણવાની ચા પણ વિવિધ કંપનીઓ અને સંસ્થાએ ર્ ગમ્મેર ગી ચિત્રો કે નયનરમ્ય ફાટાગ્રાફ વગેરેથી સુશોભિત કેલેન્ડરો બહાર પાડે છે. કાઈ કારેક પુષ્પોની જ તસ્વીર આપે છે તેા કાઇ ક્યારેક શિલ્પાની કે નૃત્યભગિમાઓની તસ્વીરો આપે છે. ચાલુ વર્ષે ઇન્ડિયન એરલાઇન્સે વિવિધ પ્રકારના દરવાજાઓની સુંદર તસ્વીરોવાળુ કૅલેન્ડર બહાર પાડયું છે. કેટલાંક ક્લેરા દેવીધ્રુવતાનાં જ હોય છે જે વધુ લેકપ્રિય થાય છે.
મેટે ભાગે આપણે તારીખવાળાં કૅલેન્ડરની જ જરૂર હોય જે પશુ પૂનમ-એકાદશી આઠમ કયારે છે તે જાણવા દેશી તિથિવાળાં અને તારીખ પણ હોય એવાં ટ્ટા ચાડેલા પૂઠા થાળાં કૅલેન્ડરોની બજારમાં માંગ ધણી છે. કાઇ પણ શુભ, ધાર્મિક કે સારાં ચડિયાં સિવાય ન થાય તેવાં કામ માટે તિથિ જેવી હજુ આવશ્યક છે. એટલે વિક્રમ સંવત અને અને ઇસ્વીસન બન્ને હોય એવા તારીખિયાં પણ લોકા ઘરમાં રાખે છે. હિજરી સંવતની પણ જરૂર પડે છે. ખેંગાળીઓની પેાતાની સવત પણ છે. વિક્રમ સંવતમાં પણુ ગુજરાત મહારાષ્ટ્ર કરતાં ઉત્તરનાં રાજ્યામાં મહિનાના આરંભમાં વદ ને સુને ભેદ છે. અધૂરામાં પૂરું. ભારત સરકારને વિસ્તૃત શક સવત પર કાઇ એક શુભ ચેડિયે પ્રેમ ઉભરાઇ ગયો એટલે વનમાં કશા ઉપયોગમાં આવે તેમ નથી છતાં સમાચાર બુલેટિનેમાં રાજ રાજ શકસંવત પણ ખેલવાની પ્રથા ગુખી હતી.
દેશી તિથિ જોવા માટે, ચેઘડિયાં જોવા માટે પંચાંગ વધુ ઉપયોગી થાય છે. આપણાં અગ્રગણ્ય દૈનિકા ‘જન્મભૂમિ' અને સંદેશ' ના પંચાંગા ખૂબ ખપે છે. જયાતિષમાં રસ લેનાર માટે તે પચાંગ અનિવાય છે. કેટલાક માણસા કેલેન્ડર અને પંચાંગ વિષે ગેરસમજ ધરાવે છે. આપણાં મૂન્ય કવિ સુંદરમ્ પણ કૅલેન્ડરને પંચાંગ ગણે છે. તેમની સુપ્રસિદ્ધ કવિતા પંચાંગનાં પત્તા' માં ગૃહિણી રાજ એક પતુ ફાડવાને બહુલે સામટાં બે ત્રણ ચાર પત્તાં ફાડી ભવિષ્યને ભૂતમાં ફેરવી નાખે છે. ગૃહજીવનની એક સામાન્ય હકીકતમાંથી કવિ તરત એક મહાન જ્ઞય્ય તરફ્ કવિતાને વળાંક આપે છે.
પંચાગની ચેડ અને જ પાતળા, ને જિન્દગી એમ જ થાતી પાતળી, ફાટી જશે, ગ્રેડ ખલાસ થઇ જશે, વર્ષાન્ત ને જીવન અન્ત આવશે, ને ખાલી લેન્ડર શું શરીર આ ' ટાપલી કે સગડી સુહાવશે.
આ પતિમાં કવિએ કૅલેન્ડર શબ્દના પ્રયોગ પણ કર્યાં એ પરતુ તે પોંચાંગ અને કેલેન્ડરને પર્યાયી શબ્દો માનતા લાગે છે. હકીકતમાં આપણે તારીખિયાંમાંથી રાજ રાજ એક પાનું ફાડીએ છીએ. પચાંગમાંથી કાઇ જ રાજ પતુ ફાડતુ નથી.
તા. ૧-૧૧-૮૫
- પણ આજે વાત કરવી છે એક અનેખા કૅલેન્ડરની ! આ એક ડિક્ષનેરી પ્રકારનુ` કૅલેન્ડર છે. માનવીની સર્જનાત્મક શક્તિઓએ સમયના અવકાશ પર જે સુંદર અને સ્થાયી કાતરકામ કર્યુ છે એના સઘળા રેકાર્ડ વ્યવસ્થિત રીતે અને સંક્ષેપમાં સાચવી રાખવાના પ્રયત્ન જ્હોન પેક્ષટન અને શૈલા ફેફિલ્ડે દાયકાઓની જહેમતથી ગ્રન્થાકારે ગઢવી આપ્યા છે. મેકમિલન કપનીએ પ્રકાશિત કરેલ આ ગ્રન્થનુ` નામ છે કૅલેન્ડર્ ઓફ ક્રએટિવ મેન. એની દળદાર પેપરખેક આવૃત્તિ એ જ પ્રકાશક રૂા. ૧૬૦ માં ઉપલબ્ધ કરી આપી છે, જે પણ એની અંદરની માહિતી, ચિત્ર, ડિઝાઈન, આકૃતિ વગેરે જોતાં મક્તના ભાવમાં જ ગણાય.
સાહિત્ય, નૃત્ય, નાટ્ય, સંગીત, શિલ્પ અને વાસ્તુકળા ત્રિપરિમાણીય કળાઓ, દૃશ્ય કળાના ક્ષેત્રમાં માનવજાતે મેળવેલી સિદ્ધિઓને ક્રમિક ઇતિહાસ રોમાંચક અને શિક્ષણુપ્રકૢ છે. દરેક પાના પર . આ છ વિષયોની છ કામ ઉપરાંત સાતમી કાલમમાં વિશિષ્ટ શાખાળ અંગેનાં તથ્યો આપ્વામાં આવ્યા છે. છઠ્ઠી સદી પૂર્વેના ઇતિહાસ ભૂમિકારૂપે પહેલાં સક્ષેપમાં આપી દીધા છે અને પછી છઠ્ઠી સદીથી માંડીને તે વીસમી સદીના સાત દાયકા સુધીની માનવજાતની સર્જનાત્મક સિદ્ધિઓના ટૂંકા પણ અત્યંત રસપ્રદ ઇતિહાસ હાથવગા કરી આપવામાં આવ્યે છે. પાને પાને ચિત્ર અને આકૃતિઓથી સુોભિત આ ગ્રન્થ એક બાજુએ પ્રાચીન ભારતીય સકાએ કલાકારીગરીના ક્ષેત્રે જે ખેનમૂન કૃતિઓ સર્જી છે તેનાથી આપણામાં ગૌરવની લાગણી ઉત્પન્ન કરે છે પણ સાથે સાથે જ એ જ યુગમાં જગતની અન્ય સ ંસ્કૃતિએ વિવિધ ક્ષેત્રામાં મેળવેલી સિદ્ધિઓ આપણી એ ગૌરવની લાગણીને ગવમાં બલાવા દેતી નથી. અજન્તાની કલાકૃતિથી આન ંદ પામનારા આપણે સૌ એ જ પાના પર એ જ જમાનાના ઇઝરાઇલમાં ચણાયેલા ભવ્ય ચર્ચાની ઈમારતનુ સૌય જોઈને એટલા જ આનંદ પામીએ છીએ અને સારે જહાંસે અચ્છા હિન્દોસ્તાં હમારા' જેવી આપણી રગરગમાં પેસી ગયેલી પંકિતઓનું મિથ્યાત્વ મનમાં ને મનમાં કબૂલવા લાગીએ છીએ. આ પૃથ્વીને શણગારવામાં વિવિધ પ્રજાએએ ઉઠાવેલી જહેમત જોઇ અનાયાસે જ સ'કુચિત દેશાભિમાન ઓગળીને માનવકુળની મહત્તામાં તણાઈ જાય છે. માનવપુત્રની અદ્ભુત સર્જનપ્રક્રિયાનું સંશ્લિષ્ટ ચિત્ર વાંચનારજોનારના ચિત્તને પ્રસન્તાથી ભરી દે છે. કાઇ પ્રજા કોઇ ક્ષેત્રમાં આગળ હોય તો એજ સદીમાં બીજી ટ્વાઇ પ્રજા બીજા કાર્ય ક્ષેત્રમાં આગળ હોય જે સ્વાભાવિક છે. આવા ગ્રન્થે આપણી દેશકાળની મર્યાદાઓને ખેરવી નાખીને સ'પૂર્ણ' શાશ્વત જાગતિક પરિપ્રેક્ષ્યમાં આપણને મૂકી દે છે. આપણી નજર સમક્ષ રહે છે. માત્ર પ્રથા-પુત્રની પરાક્રમ ગાથાઓ. યૂના અને યુને જે સિદ્ધ કરવા મથે છે તે આવા ગ્રન્થા વધુ સાહજિકતાથી અને સરળાતાથી સિદ્ધ કરી શકે છે.
(અનુસધાન પૃષ્ઠ ૧૩૧)
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી રોડ, મુખ! ૪૦૦ ૦૦૪. ટે. ન. ૩પ૦૨૯૬ : મુદ્રણુસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટસ', જગન્નાથ શ ંકર શેઠ રોડ, ગિરગામ, મુબઇ ૪૦૦.૦૦૧;
lo