SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ - પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૮૫ t , વહાણમાં છે તે તેને પ્રજ, એમાં તે કે મારું વાંચવા- લખવાનું કામ ચાલુ હોવા છતાં હું કેઈની સાથે કશા આનંદમાં ભાગ નહોતો લઈ શકતો અને મારા ઉપર કાયમને એ ભાવ જોઈ કુટુંબના સ, પત્ની, પુત્ર કે પુત્રી, પણ કંઈક ઉદ્ગમાં રહેતાં. છેવટે મને લાગ્યું કે મારે કારણે તેમનું, વિશેષે યુવાન પુત્ર ને પુત્રીનું જીવન રંધાઈ જશે. એટલે છેવટના ઉપાય તરીકે મેં નેચર કોરને પ્રયોગ કરવાનો નિર્ણય કર્યો. શરીર સારું થશે તે ઘેર આવીશ. નહિ તે ભલે હોસ્પિટલમાં જ અંત . આવે એ સંકલ્પ કરી જયંતી દાકારની વસંત નેચર કોર સ્પિટલમાં ગયે, એ વખતની મારા શરીરની સ્થિતિમાં આ નિર્ણય કેટલે ગંભીર હતું. તે મારે નિર્ણય, સાંભળી મારા એક મિત્ર શ્રી હર્ષદ મજમુદારે (તેઓ અમદાવાદના એમ. જી. સાયન્સ ઈન્સ્ટિટયૂટમાં અંગ્રેજીના અધ્યાપક હતા) કેર કરી હતી તે ઉપરથી અનુમાન કરી શકાશે. હોસ્પિટલમાં જવાના દિવસે તેઓ મળવા આવેલા. તેમણે સંદિગ્ધ શબ્દોમાં કહ્યું, એલેપથીના ડોકટરેએ ન કર્યું તે હવે નેચર કર ડોટટર કરશે. મેં એમના શબ્દોને અર્થ કર્યો હશે કે એલોપથીના ડોકટરે મારા રેગનેન : મટાડી શકયા તે હવે નેચર કયેરના ડોકટર ગ્રેડશે. મને એવો : વિશ્વાસ નહોતો એટલે મેં એમના શબ્દ ઉપર ધ્યાન નહિ આપ્યું હોય અને તે મને યાદ નહેતા રહ્યા. પણ વર્ષો પછી તેમણે મને પિતાની ટકરની યાદ દેવડાવી હતી અને કહ્યું હતું, મેં માનેલું કે એલોપથીના ડોકટરેએ તમારા શરીરને પૂરું નહોતું કર્યું તે હવે નેચર કયેરના ડેકટર કરશે. પણ તમે તે જીવી ગયા.” - એ ચમત્કાર આમ બને. ડોકટરે બે શરત કરી હતી, એક ચહા નહિ પીવાની અને બીજી, એક વર્ષથી દરરોજ ઊંધવાની ટીકડી લેતે હવે તે છોડી દેવાની. મેં બેય શરત માની હતી. જવાના દિવસે સાંજે છ વાગ્યે ચહાને છેલ્લે કપ પી લીધો અને કોઈ અનિશ્ચિત યાત્રાએ જતા હોઉં એવા ભાવથી હોસ્પિટલ જવા પર છેડયું. ટરે પહેલે જ દિવસે સેડાબાય-કાબ મેળવેલા ગરમ પાણીનું મથાથી પગ સુધી ઝારણ કરી ટીકડી વિના ઊંધ અપાવી અને ચાર દિવસ માત્ર પાણી ઉપર રાખી દરરોજ સવાર સાંજ એનિમા આપી આંતરડાંમાં ભરાઈ રહેલે મળ સાફ કર્યો. તેથી કંઈક રાહત થઈ, પણ ખેરાક લઈ શકું અને શરીર સામાન્ય કામ કરતું થાય એ સુધારો થવાની શ્રદ્ધા ન બેઠી. ડોકટરે એકવીસ દિવસ મૌન પાળવાનું કહ્યું - હતું. પણ વાંચવાની રજા આપી હતી. મારા મિત્ર શ્રી ગિરીશચંદ્ર દેસાઈ (એન્જિનિયર) શ્રી અરવિંદના ભકત હતા. તેમણે મને શ્રી સત્યપ્રેમનું ભારતીય નામ અપનાવેલા એક ફ્રેન્ચ લેખકનું શ્રી અરવિંદના પૂર્ણયોગની સમજૂતી આપતું" The Adventure of Consciousness નામનું પુસ્તક વાંચવા આપ્યું. મને આધ્યાત્મિક સાધનામાં રસ નહોતે અને આજેય નથી. પણ આધ્યાત્મિક વિષય ઉપર સારા ગદ્યમાં લખાયેલાં પુરત વાંચવાનું મને ગમે છે. મેં શ્રી સત્યપ્રેમનું : પુસ્તક રસપૂર્વક વાંચવાનું શરૂ કર્યુ. તે વાંચવાનું ચાલુ હતું તે દરમિયાન એક રાત્રે બારેક વાગ્યે અર્ધનિદ્રામાં મને વિચાર આવે, શા માટે મારે શરીરની આટલી બધી ચિંતા કરવી ? ; થઈ થઈને શું થશે, હું મૃત્યુ પામીશ. તેથી શું? પુત્રપુત્રી મેટાં થઈ ગયાં છે અને પિતાનું સંભાળી લેશે. શરીર પીડામાંથી , છૂટશે. એમ વિચારી સંકલ્પ કર્યો કે હવે શરીર વિશે બિલકુલ ચિંતા ન કરવી. તેનું જે થવાનું હશે તે થશે. તે ચાલે ત્યાં સુધી તેને થાય તે ઉપયોગ કરતા રહેવું એમ સંકલ્પ કરી હું ઊંઘી ગયો અને સવારે મનમાં નિશ્ચિતતા, અનુભવતા ઊઠશે. તે પછી બે ત્રણ દિવસમાં શરીર વળવા માંડયું અને નેચર કોરની સારવાર ઉપર શ્રદ્ધા બેઠી. અઢી, મહિના હું હોસ્પિટલમાં રહ્યો. અને પૂરે નિગી તે ન બને. પણુ દૂધ-દહીં ઉપર રહી હરતે ફરતે અને કામ કરતે રહી શકું એવી સ્થિતિમાં ઘેર આવ્યા. . -- ઘેર આવી કુટુંબના સભ્યને કહ્યું, કોઈએ મને મારું શરીર કેમ છે એમ પૂછવું નહિ, મને તકલીફ હશે ત્યારે તમારી જરૂર લાગશે એ મદદ માગીશ. ત્યાં સુધી હું સારે જ છું એમ માની લેવું. કોઈ મિત્ર કે પરિચિત પણ પૂછે કે , પટેલ (અથવા ચીમનભાઈ) કેમ છે, તે તેમને પણ એક જ , ઉત્તર આપતા, બહુ સારું છે, આનંદથી રહું છું અને મારું કામ કરું છું. મારા આ રીતના સમર્થનમાં હું સત્યનારાયણની કથાને એક પ્રસંગ, કંઈક ગંભીર ભાવે અને કંઈક રમૂજમાં, થાદ કરતે. સાધુ વાણિય. પરદેશમાં ખુબ ધન કમાઈને લહાણુમાં સ્વદેશ પાછો ફર્યો ત્યારે તેની સત્યપ્રિયતાની કસોટી કરવા વિષ્ણુ ભગવાને સંન્યાસી રૂપે સમુદ્ર કિનારે પ્રત્યક્ષ થઈ પૂછ્યું, શ્રેહડી, વહાણમાં શું ભયુ" છે?' વહાણમાં ધન ભયુ છે એ હકીકત સંન્યાસી જાણશે તે તેને ભિક્ષા રૂપે માગી લેશે એ. ભયે સાધુ વાણિયાએ ઉત્તર આપ્યો, “મહારાજ, એમાં તે માત્ર ઘાસપાંડા ભર્યા છે. વિષ્ણુ ભગવાન ‘તથાસ્તુ' કહીને અંતર્ધાન થઈ ગયા. વણિકે વહાણમાં જોયું તે ધનને બદલે ઘાસપાપડ જ દેખાયાં. આ વાર્તા ઉપરથી મને તરંગ આવતે- અને હજુ આવે છે. કે આપણે પણ આપણુ દુઃખની કથા કર્યા કરવાને બદલે કેઈ પૂછે તે હંમેશાં એમ કહીએ કે કુશળ છું, - આનંદમાં રહું છું, ઈશ્વરની કૃપાથી (ઈશ્વરમાં માનતાં હોઈએ. તે) સુખી છું, તે ખરેખર દુ:ખ મટી સુખ ન બની જાય ?(અંગ્રેજીમાં એક કહેવત છે, Count your blessings, એને, પણ આવું જ કંઈક ભાવ છે. તમને શું નથી મળ્યું, એને વિચાર કરવાને બલે શું મળ્યું છે તેને કૃતજ્ઞતાભાવે યાદ કરે.). મને લાગે છે અને આ રીતે વર્તવાની પ્રેરણા અંતરમાં ઊંડે ઊંડે સૌંદર્યપાનને જે આનંદ ભર્યો હતો તેની રકુરણથી, થઈ હશે. હોસ્પિટલમાંથી ઘેર આવ્યા પછી થડા મહિને એક બીજો ચમત્કાર બન્ય, જીવનભરના સૌદર્ય અનુભવે શરીરને અધકચરુંનવજીવન બક્યું હતું તેના કરતાં ઘણું વધુ આનંદપ્રદ નવજીવન મનને મળ્યું. અંગ્રેજી ગદ્ય લેખકેમાં મારે સૌથી વધુ પ્રિય લેખક આઇસ કરલી નામને નવલકથાકાર, ને ચિંતક છે. કોલેજમાં વર્ષો દરમિયાન મેં તેનાં લગભગ બધાં પુસ્તક વાંચ્યાં હતાં. તેની Island નામની એક નવી નવલકથા મારા હાથમાં આવી. મેં તે રસપૂર્વક વાંચી. તેમાંના એક. પ્રસંગે મારું ખાસ ધ્યાન ખેંચ્યું. તેમાં વિચારો ઉપર અંકુશ મેળવવાની એક માનસિક કસરતનું વર્ણન હતું. એક પેગશિક્ષક. તાલીમ-અર્થીઓને કોઈ વસ્તુ કે વિષય ઉપર વિચાર કરવાનું કહે, પાંચેક મિનિટ પછી બીજી વરતુ કે બીજે વિષય સૂચવે, વળી પછી ત્રીજી કે ત્રીજો એમ સભાન રીતે. વિચારને વિષય બલવાને અભ્યાસ કરાવે. સામાન્ય રીતે - આપણા વિચારે અજાગ્રત ચેતનાને કઈ ગૂઢ નિયમને વશ વતી નિરંકુશ પ્રવાહ રૂપે વહેતા હોય છે, અને આપણે આપણા . ચિત્તની: રવતંત્રતા ભૂલી એ વિચારે, સાથે તમય બની . ન રહેતા હોઈએ છીએ. હકસલીએ વર્ણવેલી કસરત એવી
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy