SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ 2 પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૮ આકર્ષાય તે દેખીતું છે. માતા પિતાને પણ એ બહુ ગમતી વાત ન હોય; જેઓ એ વિષયમાં પડેલા છે. તેઓ પણ પિતાનાં સંતાનને એ વિષયનું અધ્યયન સ્નાતક અનુસ્નાતક કક્ષાએ કરાવવા બહુ રાજી હોતા નથી. કટરને દીકરે ડોકટર થાય, વકીલને દીકરે વકીલ થાય, એન્જિનિયરને દીકરા એન્જિનિયર થાય તે પિતાને વ્યાવસાયિક વારસે સચવાયાને સંતોષ એમને થશે, પરંતુ ભાષા-સાહિત્યના અધ્યાપકે માં તેમ બનતું નથી ગુજરાતી વિષયને જ વિચાર કરીએ તે પ્રશ્ન થશે કે છેલ્લા ચાર પાંચ દાયકામાં ગુજરાતી વિષયના કેટલા અધ્યાપકોએ પિતાનાં સંતાનો પાસે કોલેજ અને યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય લેવડાવ્યું છે? બે ત્રણ અપવાદ સિવાય : કઈ જ નહિ. એવી જ પરિસ્થિતિ સંસ્કૃત, હિન્દી, મરાઠી, તામિળ કે બંગાણી જેવા વિષયમાં પણ જોવા મળશે એટલે જ વિદ્યાર્થીઓમાં ભાષાના અધ્યયન પ્રત્યે રસ-રુચિ કેળવાય એ માટે એ ક્ષેત્રમાં આજીવિકાની દૃષ્ટિએ આકર્ષક એવાં સ્થાને ઊભાં થવા જોઈએ એમ થશે તે જ ભાષા સાહિત્યના અધ્યયન માટે વિદ્યાર્થીમાં આકર્ષણ જન્મશે. ' દુનિયાની તમામ સરકારી સંરક્ષણ પછી બીજે નંબરે સૈથી વધુ ખર્ચ કરે છે. શિક્ષણની બાબતમાં ભારત જેવા દેશમાં ઘણી ભાષા , ઘણાં રાજ્ય અને અતિ વસતિના સંકુલ પ્રશ્નોને કારણે શિક્ષણ પાછળ ખર્ચવા માટે પૂરતાં નાણુના અભાવને પ્રશ્ન તે સરકારને સતાવે છે, પરંતુ જે નાણાં ખર્ચાય છે તે પણ પુરાં ઊગી નીકળતાં નથી. કેળવણીના ક્ષેત્રે અનેક પ્રયોગ અને ખેટાં અનુકરણે થાય છે. એથી સમય, શકિત અને ધન વેડફાઈ જાય છે. બેકારીનું પ્રમાણ ઘણું મોટું હોવાને કારણે સરકારલક્ષી કેળવણીને બદલે વ્યવહારલક્ષી કેળવણી લેવા તરફ યુવક- યુવતીઓની દેટ સમજાય તેવી છે. પરંતુ તેમ છતાં વ્યવહારલક્ષી કેળવણીમાં ભાષા-સાહિત્ય અને એવા ઇતર વિષયના અધ્યયનને જે સાંકળી લેવાય તે બંનેને હેતુ સાચવી શકાય. પરંતુ આપણે ત્યાં શિક્ષણના ક્ષેત્રે પણ રાજકારી તની અને અશૈક્ષણિક વિચારસરણીઓની દખલગીરી ઘણે ભાગ ભજવે છે, જેને ભોગ બને છે બિચારા વિદ્યાથીઓ. વર્તમાન શિક્ષણનાં કથળેલાં ધરણને કારણે રાષ્ટ્રના કરે યુવાનોની કારકિદી ઝાંખી બની જાય છે. જડમૂળથી કેટલાક ફેરફારે જ્યાં સુધી નહિં થાય ત્યાં સુધી આ અસહ્ય પરિસ્થિતિ લાચારીથી નભાવ્યા વગર છૂટકે નથી. - મુંબઈની કોલેજોમાં સરકારી આર્થિક નીતિના કારણે કેટલાં પાંચ સાત વર્ષમાં ગુજરાતી વિષયના જેટલા ફુલ ટાઈમ અધ્યાપકે નિવૃત્ત થયા છે તેની જગ્યાએ ઘણું ખરું પાર્ટ ટાઈમ અધ્યાપકની નિમણૂંક થઈ છે. પાર્ટ ટાઈમ નોકરી માટે આવનાર વ્યકિતતની પાત્રતા દેખીતી રીતે જ ઓછી હોવાનો સંભવ રહે છે. જેમને માથે કુટુંઅને ભરણપિષણની જવાબદારી છે એવો પુરુષ વગ આવી પાર્ટ ટાઈમ નોકરીથી આકર્ષાતા નથી. પરિણામે મહિલા વગ પૂરક કમાણી કરવા આવી નેકરી રવીકારે છે. અધ્યાપન કાય માટે પુરુષ જેટલી જ લાયકાત સ્ત્રી ધરાવી શકે એ સૈદ્ધાંતિક દૃષ્ટિએ સાચું હશે તે પણ ગૃહજીવનની જવાબદારીવાળા સ્ત્રીઓની બાબતમાં વ્યવહારદષ્ટિએ વર્તમાન સમયમાં ગુજરાતી વિષયમાં. એ એટલું સાચું જણાતું નથી. સરકાર માત્ર પૈસા. "બચાવવાની દૃષ્ટિએ જ વિચારે છે, પરંતુ એથી સરવાળે પ્રજાને પિતાને જે સૂક્ષમ નુકસાન થઈ રહ્યું છે તેનું માપ કેણ કાઢી શકે? કેળવણીના ક્ષેત્રે આપણું આવડા મેટા દેશમાં અનેક સમસ્યાઓ છે. યુ. જી. સી. થી માંડીને શાળા-કોલેજમાં પ્રવેશ મેળવવાની બાબત સુધી કે પરીક્ષાની ગેરરીતિઓ સુધી કેળવણીના ક્ષેત્રે પણ ભષ્ટાચાર વ્યાપક બનતો જાય છે. તેમણે ભાષા - સાહિત્યના અદયન અધ્યાપનને પ્રશ્ન તે સરકારની, દષ્ટિએ એક નાનકડો ગણુ પ્રશ્ન બની રહ્યો છે. સાહિત્યના વિષયમાં બધાને એકસરખે રસ પડે. એવું નથી હોતું. એ માટે વિશિષ્ટ સંસ્કાર અને પ્રતિભાની જરૂર છે. પરંતુ એવી પ્રતિભાવાળા વિદ્યાથીએ બીજા વિષયમાં ખેંચાય છે, અને જેમને રસરુચિ ન હોય તેવા નબળા વિદ્યાથીઓ, બીજા વિષયમાં પ્રવેશ ન મળવાના કારણે આ વિષયમાં લાચારીથી આવી ભરાય છે. અને જે બે ચાર ટકા સારા સારા વિદ્યાથીઓ- હોય તેને પણ મત્સાહ, કરી નાખે છે. એથી એકંદરે ભાષા – સાહિત્યના અભ્યાસને • વાતાવરણને બહુ નુકસાન પહોંચે છે. ભારતની બીજી ભાષાઓની સરખામણીમાં ગુજરાતી ભાષાનું શાળા-કોલેજની કક્ષાએ અધ્યાયન-અધ્યાપન વિશેષ કથળ્યું છે, એવો અભિપ્રાય એ ક્ષેત્રમાં કામ કરનારા ઘણા અનુભવીએ છે. ગુજરાતી પ્રજા એકંદરે વેપારલક્ષી હોવાને કારણે પિતાના સંતાનોને ભાષા-સાહિત્યને વિષય મુખ્ય વિષય તરીકે સ્નાતકઅનુસ્નાતક કક્ષાએ ઓછા લેવડાવે છે. વાણિજ્ય અને વિજ્ઞાનની શાખામાં જેટલા વિદ્યાથી'એ દાખલ થાય છે તેના પ્રમાણમાં વિનયન શાખામાં વિદ્યાથીએ એાછા દાખલ થાય છે. જે દાખલ થાય છે. તેમાં પણ વિદ્યાથીઓ કરતાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધુ હોય છે. અને તેમની સરેરાશ કક્ષા પણ એછી તેજવી હોય છે ગુજરાતી પ્રજામાં અંગ્રેજી ભાષા પ્રત્યેને મેહ વધુ હોવાને કારણે પિતાનાં સંતાનોને કેન્ડેન્ટ શાળાઓમાં મેલ વાનું વલણ પણ વધતું જાય છે એના પરિણામે ગુજરાતી * ભાષા પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય છે. આજના વિદ્યાથીઓ. માંથી જ આવતી કાલના શિક્ષકો કે કેલેજના અધ્યાપકે સાંપવાના, પરંતુ આજના વિદ્યાર્થીની કક્ષા જે ઊતરતી હશે તે આવતી કાલના અધ્યાપકની કક્ષા પણ એવી જ ઊતરતી રહેવાની. ભાષા સાહિત્યના અધ્યયનને વધુ રસિક અને ફલદાયી બનાવવું હોય તે સરકારે પોતે તેને અનુકૂળ અને પિષક. એવી શિક્ષણ નીતિ અપનાવવી પડશે. યુનિવર્સિટીઓએ ભાષાના વિષયને વિદ્યાથીઓ વિકલ્પ કાઢી ન નાખે એવી રીતે અભ્યાસક્રમ ગાવા જોઈએ. તેજરવી માર્ણસે અધ્યાપન તરફ આકર્ષાય એ માટે કુલ ટાઈમ અધ્યાપક તરીકેનાં આકર્ષક સ્થાન વધારવાં જોઇશે. મા-બાપોએ ભાષા પ્રત્યેને પિતાને અભિગમ બલવો જોઈશે. સમાજે ભાષા-સાહિત્યનું અધ્યયન કરીને નીકળેલા તેજસ્વી વિદ્યાથી એને આકર્ષે એવી આજીવિકા માટેનાં સ્થાન ઉભા કરવા જોઈશે. વિવિધ સાંસ્કૃતિક સંસ્થાઓએ સાહિત્યને માટે પ્રેરક, પિષક અને પ્રોત્સાહક એવી આબોહવા સજાય તેવા વિવિધ સાહિત્યિક કાર્યક્રમો, સ્પર્ધાઓ, મિલને વખતોવખત જવા જોઈએ. આ અને આવા બીજા પ્રેરક અને પ્રોત્સાહક પરિબળો કામ કરશે ત્યારે ભાષા-સાહિત્યના અધ્યયનને વેગ મળશે. એમ થશે તે માત્ર ભૌતિક સ્તર પર જીવતી પ્રજાનું સંસ્કારતેજ વધશે. એથી સમાજને કે રાષ્ટ્રને પિતાને પરિસ્થિતિ સંતપંક લાગશે. . 1 . 1 : રમણલાલ ચી. શાહ.
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy