SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પ્રત જીવન મહાવીર, ઈશુ ખ્રિસ્ત, મહમ્મદ પયગમ્બર વગેરે જેવા જ એક બુદ્ધપુરુષ' છે અને આ પિતાને છેલ્લે જન્મ છે એવું વારંવાર તેમણે ઠસાવ્યું છે. આમ છતાં દુનિયાના કેઈ પણ ધર્મની સાચા ખોટા આક્ષેપ કરી ઝાટકણી કાઢવામાં રજનીશે જરાપણું બાકી રાખ્યું નથી. લાઓસૅ, ગુજિયેફ અને કૃષ્ણમૂર્તિ એ ત્રણ પ્રત્યે રજનીશને વિશેષ આદરભાવ રહ્યો છે અને એ ત્રણ વિષે રજનીશે ભાગ્યે જ હીન વચન ઉચ્ચાર્યા હશે ! એ સિવાય રજનીશે ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત, મહમદ પયગમ્બર જેવા જગતના મહાન ધર્મપુર સહિત ગાંધીજી, વિનોબા, મહેશ યોગી નિત્યાનંદ સ્વામી, આચાર્ય તુલસી અને નથમલજી, ઈન્દિરા ગાંધી, મેરારજી દેસાઈ, મધર ટેરેસા તથા વર્તમાન સમયના દુનિયાના બીજા અનેક રાજદ્વારી પુરુષે, ધર્માચાર્યો, કેળવણીકારો. સમાજનેતાઓ ઉપર આકરા પ્રહાર કર્યા છે. એમની વાણીમાં કેટલુંક સત્ય હશે, પરંતુ એમની દષ્ટિ એકાંતિક રહી છે. પિતે જે કહે તે એટલા આવેગથી કહે કે સાંભળનાર વ્યકિત તેમાં ઘસાયા વગર રહે નહિ. પરંતુ પાછળથી સ્વસ્થતાથી વિચાર કરે તે રજનીશના વકતવ્યમાં કેટલીક રૂટિઓ રહેલી છે, કેટલોક ગલત તક રહેલ છે તેની સમજણ પડે. આશ્રમમાં દરેક વ્યકિતને સ્વતંત્રતા હોવી જોઈએ એમ કહી ગાંધીજીએ આશ્રમમાં ચા પીવાની મનાઈ ફરમાવી હતી એ વાતની ઉપહાસપૂર્વક ઠેકડી ઉડાવનાર રજનીશના પિતાના આશ્રમમાં સાબુથી નાહીને સભામાં જવાની એટલી બધી કડક મનાઈ હતી કે વ્યવસ્થાપકે પ્રવેશ કરનારના કપડાં અને શરીર સુધે. બુદ્ધ પુરુષને પણ સાબુ અને સેન્ટની કેટલી બધી એલજી ) રજનીશનું જીવન, વ્યકિતત્વ અને વકતત્ય એટલે વિતક, વિસંગતિ અને વિસંવાદને મહાનિધિ. આજે રજનીશે જે કહ્યું હોય તેનાથી વિપરીત આવતી કાલે તેઓ નહિ કહે તેની ખાતરી નહિ. પાતંજલ યોગસૂત્ર પરનાં વ્યાખ્યાનોમાં બ્રહ્મચર્યને અપાર મહિમા સમજાવનાર રજનીશ હવે કહે છે કે બ્રહ્મચર્યની કંઈ જરૂર નથી, સંપૂર્ણ બ્રહ્મચર્ય કોઈ પાળી શકે નહિ. વસ્તુતઃ બ્રહ્મચર્ય અને કામભેગ વિશેના રજનીશના છેલ્લાં કેટલાંક વર્ષોમાં વ્યકત થયેલા વિચારોમાં એમની વિકૃત મનને ભાસ થાય છે. છેલ્લાં કેટલાંક અંગ્રેજી પ્રવચનમાં દૃષ્ટાંત-શોખીન રજનીશે ઘણા અલીલ ટુચકાઓ કહ્યા છે. કેટલીક વખત તે વ્યાખ્યાનના અતે સમય પસાર કરવા માટે વાંચેલા કે પિતે બનાવેલા પુષ્કળ ગંદા ટુચકાઓ માત્ર કહેવા ખાતર કહ્યા છે. એમના પરમ ભકત એવા કેટલાક મહાનુભાને પણ એવા ટુચકાઓ સાંભળી ચીતરી ચઢી છે. રજનીશ પોતે જ જાણે જાતીય વિકૃતિને ભોગ બન્યા હોય એમ ભાસે છે. ' રોકવનારાં વિધાન કરીને પ્રસિદ્ધિ મેળવી અને જેમ જેમ પ્રસિદ્ધિ વધતી જાય તેમ તેમ દુનિયાભરના મહાપુરુષો ઉપર એકાવનારા ભયંકર પ્રહાર કરી પાછી વધુ પ્રસિદ્ધિ મેળવવી એ રજનીશના જીવનનું આરંભથી જ એક લક્ષ્ય રહ્યું છે. ભાષા અને તક ઉપર અપ્રતિમ પ્રભુત્વ ધરાવનાર અને વિશાળ વાંચન દ્વારા પૌરાણિક વર્તમાન જગતના ઘણાં બધાં સાહિત્યથી સુપરિચિત એવા રજનીશે પિતાની શકિતઓને અનેક લોકોને સન્માર્ગે વાળવા કરતાં ભ્રમિત કરવામાં વધુ ઉપયોગ કર્યો છે; મુકત સહચાર અને સંભોગ દ્વારા સમાધિના નામે અનેક દંપતીએના જીવન, ખેરવ્યાં છે. કેટલાક એમ માને છે કે સંભેળ દ્વારા સમાધિની વાત રજનીશની મૌલિક વાત છે. વસ્તુતઃ ભારતીય પરંs. પરામાં એ પ્રાચીન સમયથી ચાલી આવે છે. તંત્રવાદીઓમાં એ જાણીતી છે. મધ્યકાલમાં પાશુપત મતવાળાઓએ એના પ્રયોગ કર્યા છે. પરંતુ લાખ કરોડ માણસોમાં એકાદ અધિકારી વ્યકિત જ એ સિદ્ધ કરી શકે તે કરી શકે. અન્યથા તે વ્યભિચારમાં જ પરિણમે. આપણે ત્યાં પાશુપતામત પણ છેવટે તે વ્યભિચારના અખાણમાં પરિણમ્યા હતા. રજનીશના આશ્રમની પણ એ જ દશા છે. સમાધિને બદલે ભ્રષ્ટતા, ઉન્માદ, ગાંડપણને બેગ પણ ઘણું બન્યા છે. ઘણાંના જીવન એથી પાયમાલ થયાં છે. ભૂત કે ભવિષ્યને વિચાર ન કરતાં વર્તમાનમાં પ્રત્યેક ક્ષણે સાક્ષીભાવે અસ્તિત્વને માણવાને બેધ આપનાર અને પિતે. અહોરાત્ર સતત સાક્ષીભાવમાં રહે છે એવું શ્રોતાઓને.. અનેકવાર ઠસાવનાર રજનીશને અમેરિકામાં ગ્રીનકાર્ડ મેળવવા માટે અમેરિકન સરકાર સામે પિતાએ રચીને લડત આપવાનું વિચારવું પડે. ટ્રાન્કિવલાઈઝરદવાઓ દ્વારા મનની શાંતિ મેળવનાર ઉપર આકરા પ્રહાર કરનાર રજનીશને પિતાને બ્લિવલાઈઝરને ઉપયોગ કરે પડે, બાહ્ય પદાર્થમાં સુખ નથી એમ સમજાવનાર રજનીશને બાહ્ય સુખસગવડો અને મેંઘામાં મેં હીરાથી જડિત બ્રેસલેટ પહેર્યા વગર ચેન ન પડે. ઇત્યાદિ ઘટનાઓ એક મહાન વ્યકિતના જીવનમાં પણ કેટલે મે વિપસ આવી શકે છે તે દર્શાવે છે. રજનીશે દુનિયાના અનેક લોકોને ભાંડવામાં કશું બાકી રાખ્યું નથી, એમની એવડી મેટી નૌતિક હિંમતની કેટલાક પ્રશંસા પણ કરી શકે, તે કેટલાક એની ટીકા પણ કરી શકે. જાણે બુદ્ધિને જારે માત્ર પિતાને એક જ હોય એમ રજનીશે પિતાના પ્રવચનમાં બેવકૂફ' ગધા” કે Stupid Fool અને Idiot જેવા શબ્દો સેંકડે વખત વાપર્યા છે. પ્રાચીન બુદ્ધ પુરૂષની વાણીમાં ક્યાંય અપશબ્દ જોવા નહીં મળે. વર્તમાન કહેવાતા “બુદ્ધ પુરુષ’ની વાણીમાં અપશબ્દ આવ્યા વગર કેવી રીતે ચાલી શકે?) અવર્ણવાદ એ જાણે કે રજનીશની એક લીલા જ છે, પરંતુ જેને માન્યતા અનુસાર સ્થળ કે સૂક્ષ્મ અશુભ કમ કાઈને, છોડતાં નથી. વર્તમાન કેટલીક ઘટનાઓ જાણે કે એમનાં અશુભ કર્મને હવે ઉદય થવા લાગ્યો હોય એવી એંધાણી દર્શાવે છે. રજનીશને અંગત પરિચય મને બિલકુલ નથી. તેમ જ એમનાં પ્રવચનનું શ્રવણ કે સાહિત્યનું વાંચન મેં ઘણું ઓછું કર્યું છે. તેમ છતાં મારા મન ઉપર રજનીશની જે છાપ પડી છે. તે મેં અહીં વ્યકત કરી છે. એમાં કેટલીક ત્રુટિઓ પણ હશે અને કેટલુંક અસંમત થવા જેવું પણ હશે, પરંતુ આરંભકાળથી જ રજનીશના પરમ ચાહક થનારાઓ સમય જતાં એમનાથી દૂર ખસતા રહ્યા છે, તથા હમણાં જેઓ પાસે હતા તેઓએ જ એમનું ખૂન કરવાનો વિચાર કર્યાનું કહેવાય છે એ બતાવે છે કે રજનીશ, રશિયાના રપુટીનની જેમ એક સંમેહક. પણ વિવાદગ્રસ્ત વ્યકિત છે. દીવે અને પતંગિયા જેવી સ્થિતિ રજનીશ અને એમના ભકતની રહ્યા કરી છે. આઘેથી તે આકર્ષે છે, પાસે જતાં દજાડે છે અને અડવા જતાં. બાળે છે - ભગવાન રજનીશની વર્તમાન અને ભાવિની લીલાઓ, કેવી હશે તે અકળ છે. . . !' , ", પાથ' nwk y: મણલાલચ રાહુ તે છે કે રજન છે. દી અ ી છે. આવી છે.
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy