SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયુદ્ધ જીવન તા. ૧૬-૧-૮૫ ગ્રંથિ શિથિલ થઈ જાય ત્યારે પ્રેમશક્તિ પૂરી પેઠે વહેવા * માંડે છે. રામમાં પ્રયત્નપૂર્વકને કેળવેલ સદગુણ નથી પણ સહજ સગુણ છે, સાહજિક વિનમ્રતા છે. રામ પિતાને મનુષ્ય તરીકે, દશરથ પુત્ર તરીકે જ ઓળખાવે છે. ' ન્યૂટન અને આઈન્સ્ટાઈન જેવા મહાપુરુષે કયારેક જ પ્રગટે છે. માબાના ઝાડ પર જે મંજરી આવે છે, તે ગેટલામાં જોઇ શકાતી નથી. છતાં એને અંજ તે ત્યાં રહેલો જ છે. તેમ મનુષ્ય સ્વભાવમાં પણ દેવી મંા તે રહેલે જ છે. ભગવાન બુદ્ધ, જિસસ, મહાવીર, રામ અને કૃમાં આ શકિત પ્રગટ થઈ હતી. વાલ્મીકિએ રામને શ્રેષ્ઠતમ મનુષ્ય તરીકે આલેખ્યા છે. એમનામાં વી મં છે છતાં તેઓ મનુષ્ય છે. રામના સ્વાભાવમાં માનવસહજ નિર્બળતાએ પણ છે. મૂળ વાલ્મીકિ રામાયણ વાંચવા જેવું છે. ભાષાનો પ્રભાવ અને ઋષિની આર્ષવાણીની અસર જરૂર જોવા મળશે. મનુષ્ય પ્રેમધર્મ આચારવા પ્રયત્ન કરે છે ત્યારે મુશ્કેલીઓ તે આવે જ છે. એક તરફ ની અંશ છે, બીજી તરફ દેહનું બધત છે. તેથી સંઘર્ષ થાય છે. મને થાય છે કે આ મહાપુરુષોને પણ કયારેક ઝેધ તે. આવ્યું હશે. આપણે એમને પ્રત્યક્ષ જોયા નથી, માત્ર કથા રૂપે જાય છે. વનમાં જતી વખતે રામ સીતાને કહે છે કે “તારું ય ન જાણતો હોઉં તે તને કેમ કંઇ કહી શકું?” એકમેક પ્રત્યે અપાર પ્રેમ છે છતાં રામ શું લાદતા નથી. હું બિહામણું અરણ્યમાં પ્રથમ દિવસની સાંજે જ રામ રહી પડે છે. પણ બીજે દિવસે ‘વિમલ સૂર્યોદય’ જેને નિરાશાને ખંખેરી નાંખે છે. અહીં વિમલ સૂર્યોદય પ્રતીક રૂપે જોવાનું છે. એ સૂર્યોદય તે જ્ઞાનને પ્રકાર, અંતરને પ્રકાશ કે આધ્યાત્મિકતાને પ્રકાશ કહી શકાય. ચિત્રપટનું નસર્ગિક સૌન્દર્ય જોઈને રામ સીતાને કહે છે, તારી સંગતમાં મારે જે અહી' આખી જિંદગી ગાળવી હોય તે પણ મને ગમે. મને અયોધ્યાને કોઇ મોહ નથી. આપણું કવિ કલાપીએ પણ કાશ્મીરના પ્રવાસમાં પોતાની રાણી રમાબાને લખ્યું હતું કે રાજપાટ છેડી તમારી સાથે અહીં રહેવાનું ગમે એવું અહીંનું વાતાવરણ છે. લેખસંગ્રહ માટે રામે ક્ષત્રિય ધર્મ સ્વીu. ત્રીજા અને અંતિમ દિવસના પ્રારંભે સ ધના મંત્રી શ્રી છે. પી. શાહે વકતા અને શ્રેતાઓને આભાર માન્ય હતે. કિલાબહેન વકાણીએ કવિ શાંકર છે. કુરેપ રચિત અને ચુનીલાલ મડિયા અનુદિત ગાંધીજીને અપાયેલ કાવ્યનું પઠન કર્યું હતું. અને ભજન ગાયાં હતાં. પ્રા. ચી. ન. પટેલે આગળ જણાવ્યું હતું કે ભારતીય પ્રેમધર્મ પતિ – પત્નીને એક જ આત્માન બે રૂ૫ માને છે. એમાં સ્ત્રી વિક્ષેપ સહન કરી લે છે. સહન કરી લેવું જોઈએ એમ વાલ્મીકિએ નથી કહ્યું. ગાંધીજી કહેતા કે અહિંસાના આચરણમાં સ્ત્રી વધુ શકિતશાળી હોય છે. શેકસ્પીઅરે પ્રેમ, સ્વાર્પણ, સહનશકિત અને ક્ષમાવૃત્તિએ બધામાં પુરુષ કરતાં સ્ત્રીને ઊંચે સ્થાને મૂકી છે, અને તે માટે સ્ત્રીએ મેટી કિંમત પણ ચૂકવવી પડે છે. - મિથે જલીએટ શેકસપીચરનું પ્રખ્યાત નાટા છે. કવિ કહે છે કે જે પ્રેમને બદલાઇ જાનું કારણ હોય તે પ્રેમ જ નથી.. હુય આપ્યું તે કંઈ પાછું મેળવી શાતું નથી. પુરુષ કરતાં સ્ત્રી પ્રેમ વધુ જાળવે છે. અહીં કે. બંધન લાદવાની વાત નથી. વ્યકિત–વ્યકિતના સ્વભાવ, સંજોગ અને પ્રેમમાં અનેક સ્થાને તે આવે જ છે. જે પ્રેમ સાચો છે તેની ક્યા કદી સુખમય નથી હોતી. સમાજધર્મ અને સમાજભાવના નિમિતે અંધ આવે જ છે. લગ્નમાં માબાપની સંમતિ હોવી જ જોઈએ એ તે વખતે બધે પ્રથા હતી. રેમિ સાથે પ્રથમ મિલને જ પ્રેમ થઈ જતાં જલીએટ કહે છે, “જીવનભર સાથે રહેવાની પ્રતિજ્ઞા કરી છે, છતાં તેને મને ઉત્સાહ નથી. બે કુટુંબે વચ્ચે દુશ્મનાવટ હોવા છતાં આપણે પ્રેમનું વચન આપી બેઠા છીએ. આ બધું વીજળીના ચમાર જેટલા સમયમાં જ બની ગયું છે. પ્રેમ એ તે નહિ નીવડે? છતાં પાછા નથી વળવું. સમુદ્રની જેમ હૃદયને પ્રેમ પણ અમયાંદ અને અતલ છે. હુ એટલે પ્રેમ આપુ છું એટલો વધુ પામું છું. એ અનંત પ્રેમ છે, તે કયારે ય ખૂટવાને નથી.” છેલે મારામારી અને ગેરસમજનો ભાગ બની બને , પ્રેમીઓ-રેમિયો અને જલીએટ મૃત્યુને ભેટે છે. ત્યારે બન્ને કુટુંબ દુશ્મનાવટ ભૂલે છે. આ નાટકમાં એક ખામી દેખાઈ આવે અને તે એ કે, પ્રેમ એ જીવનનું મહામૂલ્ય છે છતાં બીજાં મૂલ્યોને છે તે ન જ ઉડાડી શકે ને? અહીં અસત્યાયરણું થયું છે, છૂપી રીતે લગ્ન થયાં છે, જે પ્રેમના સૌન્દર્યને થેડું નીચે લાવે છે. ત્યાર બાદ પટેલસાહેબે, પતે એક કોલેજના આચાર્ય હતા ત્યારનો એક પ્રસંગ ટાંકી કહ્યું કે પુત્રી એ પારકું ધન છે. પુત્રીને માબાપ બાંધી ન શકે, આસકિત ન રાખે. પુત્રી પર અધિકાર માતાપિતાને નથી, એના પતિને છે. ગાંધીજીએ કહ્યું છે કે સ્ત્રીઓએ નિર્ભયતા કેળવવાની છે. માબાપના દુઃખને પણ વિચાર તે કરવાનું જ છે. છતાં સત્ય સ્થિતિ જણાવી, મકકમ રહી રિક્ષા થાય તે ભોગવવાની તૈયારી સાથે વાત કરવી જોઈએ. . આથેલે’ નાટકમાં પુરૂષ વધુ નિષ્ફળ જાય છે. ડેસ્ડમેના જલીએટ જેટલી જ સુંદર છે પશુ એનાથી વધારે સ્વસ્થ છે. - શેકસપીઅર આ નાટકમાં જણાવે છે, રોમેન્ટિક પ્રેમને જે ઊભરે પ્રથમ આવે છે તે હમે એ ટકી રહેતા નથી. આપણે ત્યાં નાસીને લગ્ન કરનારાં પણ ક્યારેક, થે. સમયમાં જ આવેગ શાંત થઈ જતાં પ્રેમને ઠુકરાવી દે છે. ઉમળકે સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવી જોઇએ. ગાંધીજીએ તે એવા પ્રેમીઓને પાંચ વર્ષ સુધી લગ્ન ન કરી રાહ જેવા કહ્યું હતું. ડેડેમેનાને એથેલે ગળે ટૂંપો દઈ મારી નાખે છે. છતાં મરતાં મરતાં ડેરડેમેના તે કહે છે કે મેં જાતે આપધાત કર્યો છે. મારા પ્રેમી અને પતિને મારા નમસ્કાર હજો. આપણે ત્યાં પણ બાળી મુકાતી કેટલીય સ્ત્રીઓ અંગ ડેકલરેશનમાં . (અનુસંધાન પાના ૧૭૪)
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy