SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૮૫ રાજકોટમાં વનપ્રવેશ નિમિત્તે અભિનદન અસ્થિ સકલન : પન્નાલાલ ૨. શાહુ ડા. જે. પી. પીઠાવાલા સંઘ'ના ઉપક્રમે ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા હાડકાંનાં દરદાની વિના મૂલ્યે સારવાર માટે સોમવારથી ગુરુવાર, તા. ૨૯-૭-૮૫ થી તા. ૧-૮-૮૫ એમ ચાર દિવસ માટે એક શિબિર યોજવામાં આવી હતી, જેમાં ૬૦૦ ઉપરાંત દરદીઓને સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પના ઉદ્ઘાટન સમાર’ભ. સામવાર, તા. ર૯ ૭-૮૫ના રાજ બપોરના ૩-૩૦ કલાકે શ્રી વીસા શ્રીમાળી જૈન સમાજની નવી વાડી, ૧૧, કરણપરા, રાજકાટ ખાતે જૈન સોશ્યલ ગ્રુપ્સ ફેડરેશનના સ્થાપક પ્રમુખ અને સંધની કારોબારી સમિતિના સહયોગી સભ્ય શ્રી સી. એન. સંધવીના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યો હતો, આ કૅમ્પનું ઉદ્ઘાટન દીપ પ્રગટાવીને રાજકાટના જાણીતા ઉદ્યોગપતિ અને જૈન ધમના તત્ત્વજ્ઞ શ્રી શશિકાન્તભાઇ મહેતાએ કર્યુ હતુ, જ્યારે અતિથિવિશેષ તરીકે મે. કે. એસ. ડિઝલ્સ લિ. ના ચેરમેન શ્રી કે. એસ. ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. ચારેય સિ "કૅમ્પનો સમય ૮-૩૦ થી ૧-૦૦ અને બપોરના ૨-૩૦ થી રાત્રિના ૧૧-૩૦ સુધી રહ્યો હતો. કેમ્પ પણ શ્રી વીસા શ્રીમાળી જૈન સમાજની નવી વાડીમાં જ ચૈાજાયા હતો. દરદીઓના ધસારો એટલો હતો કુ તેર ક્લાક કામ કરવા છતાં પહેાંચી શકાય તેમ ન હતું. પરિણામે સવારના ૬-૩૦ કલાકે ઉતારા પર પણ દરદી આવી જતા અને ડા. જે. પી. પીઠાવાલા એ માટે સજ્જ રહેતા હતા. પ્રશુદ્ધ જીવન કૅમ્પના ઉદ્ઘાટન સમારંભમાં ‘સંધ’ના ઉપ-પ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે સધ'ની પ૭ વર્ષની કારર્કિદીના આ ખ્યાલ આપી કહ્યું હતું કે વૈચારિક જાગૃતિ, અને વૈચારિક ક્રાંતિ આ સંસ્થાનું મુખ્ય કતવ્ય છે. ‘સધ’ તરફથી વ્યાખ્યાનમાળા, સામાજિક પ્રવૃત્તિએ જેવી કે નેત્રયજ્ઞા, ધરમપુરના આદિવાસીના સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ, હાડકાંનાં દરોની મુખમાં દર રિવવારે ડા. પીઠાવાલા દ્વારા વિના મૂલ્યે સારવાર આદિ માનવતાવાદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. તેમણે ઉદ્દઘાટક શ્રી શશિકાન્તભાઇ મહેતા, 'સમારંભના પ્રમુખ શ્રી સી. એન. સંધવી, અતિથિવિશેષ શ્રી કે એસ. ત્રિવેદી અને . જે. પી. પીઠાવાલાના સભાને પરિચય કરાવ્યો હતેા. સારવાર કેમ્પ ૭૯ ‘સધ'ના પ્રમુખ ડૉ. રમણભાઈએ આ પ્રસંગે ખેલતાં જણાવ્યું હતું કે વર્તમાન વિષમ પરિસ્થિતિ અને સામાજિકઆર્થિક વિટંબણાને કારણે આપણને ઘણીવાર નિશા ઉપજે છે. પરંતુ ડે. પીઢાવાલા જેવા સેવાભાવી માનવી ભારતની આશા છે. જ્યાં સુધી આવા સેવાના વ્રતધારીઓ ભારતમાં છે ત્યાં સુધી આ દેશનું ભાવિ ઉજ્જવળ છે. વધુમાં તેમણે કહ્યું હતુ` કે કેન્દ્ર અને રાજ્ય સરકારો જો પહેલેથી આરોગ્ય જેવી ઘણી ભાખતામાં રસ લેતી હોય તે ઘણાં કામે આપોઆપ થઈ જાય. દીપ પ્રગટાવી કૅમ્પનુ' ઉદ્ઘાટન કરતાં શ્રી શશિકાન્તભાઇ મહેતાએ કહ્યુ` હતુ` કે શ્રી મુંબઇ જૈન યુવક સંધ પાસે વિવિધ શક્તિ અને વ્યકિતના સમન્વય સધાયા છે. આજના દૈનિક ‘ફૂલછાબ’માં જણાવ્યું છે તેમ શ્રી મુંબઈ જૈન યુવક સંધને માનવ-સેવાની પ્રવૃત્તિની ડાળ ફૂટી છે તેા તેને અહીં ાપીતે એને વિકસવા ઇએ અને ડા. પીઠાવાલાની એક પીઠ મુંબઇમાં છે તેમ હવે રાજકોટમાં પણ એમની પીઠ સ્થપાય એમ હું ઈચ્છુ છુ. તેમણે ડેા. પીઠાવાલાને બિરાવતાં વધુમાં કહ્યું હતું કે જ્ઞાની અને તત્ત્વજ્ઞાની કરતાં આચરણ કરનાર વધુ મેટા માસ છે. અતિથિવિશેષ શ્રી કાંતિલાલ એસ. ત્રિવેદીએ ટૂંકા વકતવ્યમાં કહ્યું હતું કે ખેલવાને ખલે આપણે કામ કરીએ અને કામ કરનારને આપણે સહાય કરીએ તે આજના સ‘જોગામાં વિશેષ જરૂરી છે. ડા. જે. પી. પીઠાવાલાએ પ્રવચન કરતાં સેવાની પ્રેરણા આપવા માટે જાણીતા ક્રિકેટર અને સમાજસેવક શ્રી વિજય મરચન્ટને યાદ કર્યાં હતા. ત્યાર બાદ એક મુસ્લિમ સજ્જને દોઢેક વર્ષોં માટે એમનું રહેઠાણ આ સેવા કાર્યં માટે આપ્યું હતું એમ જણાવી મુખઈ જૈન યુવક સધે છેલ્લાં ખે વર્ષથી આ કાય માટે સહકાર આપ્યા છે. એમ એમણે ઉમેયુ હતું. અંતમાં એમણે જણાવ્યું હતુ` કે સેવાના કામમાં સહુ સહકારી થઈએ એવી પ્રાથના છે. પ્રમુખસ્થાનેથી શ્રી સી. એન. સંધવીએ જણાવ્યું હતું કે ‘સંધ'ની પ્રવૃત્તિ અને સેવાનાં નવાં નવાં ક્ષેત્રા ઉમેરાતાં જાય છે તેમ સેવાના સીમાડા પણ વિકસતા જાય છે. હવે સધ’ માત્ર મુંબઈના નથી રહ્યો, પરંતુ સમસ્ત ભારતના બની રહ્યો છે. અંતમાં ‘સધ’ ના અસ્થિ સારવાર કેન્દ્ર અને આ કૅમ્પના સયાજક શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહે આભારવિધિ કરતાં જાવ્યું હતું કે આ સંસ્થા મુબઇની જ નથી રહી તેમ તે માત્ર જૈને પૂરતું જ કામ નથી કરતી પરંતુ તે ખરા અથમાં માનવ કલ્યાણ સંધ બની રહી છે. આ કૅમ્પ માટે જુદી જુદી સંસ્થાઓ, વત માનપત્ર, કાયકરા તરફથી મળેલા સહકાર માટે એમણે સૌના આભાર માન્યા હતો. ઉદ્ઘાટન સમારંભમાં ‘ફૂલછાબ'ના તંત્રીશ્રી હરસુખભાઇ સધાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાષા વિભાગના અધ્યક્ષ ડો. પ્રભાશકર તેર યા, રીડર ડે. બળવંત જાની, શ્રી નાગરિક સહકારી ખેન્કના મેનેજિંગ ડિરેકટર શ્રી વસંતભાઇ ખાખાણી,
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy