SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૫ = =3> !# #FAT 11 ******+* પ્રબુદ્ધ જીવન પંડિત ધીરજલાલ ટોકરશી રમણલાલ ચી. શાહુ “ શતાવધાનીપતિ શ્રી ધીરજલાલ ટોકરશી શાહનુ મુંબઈમાં ૮૦ વર્ષોંની વયે અવસાન થયું. એમના અવસાનથી આપણને એક બહુશ્રુત વિદ્વાન અને ક્રમ પતિની ખોટ પડી છે. થોડાક મહિના પહેલાં એમનાં પત્નીનું અવસાન થયું. ત્યાર " પછી પંડિતજીની પેાતાની તબિયત બગડી, અંતે કેટલાક માડ પછી એમને દેહવિલય થયા. એમનાં પત્ની જયારે હોસ્પિટલમાં હતાં ત્યારે એક વિસ હું મારા મિત્ર શ્રી ગુલાબચંદભાઇ સાથે ચી ચબદર પડિતજીના ઘરે મળવા ગયો હતો. ઋષિમડળ સ્તોત્ર વિષે મારે એમને કેટલુંક પૂછવું હતું. લગભગ ઢેક કલાક અમે એમના ઘરે ખેઠા હતા. ઘણી વાતો નીકળી. પતિએ ત્યારે કહ્યુ હતુ, ‘એશી વર્ષની ઉંમરે હજુ હું આખો દિવસ ટટ્ટાર ખેસું છું; અઢેલીને ખેસવાની મને જરા પણુ જરૂર પડતી નથી રાજ સવારે સાડા ત્રણું ચાર વાગે ઊઠી જાઉ છું. પ્રાના સ્તુતિ કરુ` છુ. અને ચાલીસ લેગસનો કાઉસગ્ગ કરું છું. આંખની તકલીફને લીધે બહાર જવાનુ ઓછુ કરી દીધુ છે, પરંતુ ખીજી કાઈ વાતની તકલીફ નથી. હવે તે પહેલાંની જેમ પૈસાની પણ ‘ચિંતા નથી.’ ૫. ધીરજલાલ ટોકરશી ધણાં વર્ષોથી ચીચંદર ઉપર લધાભાઇ ગગુપત બિલ્ડિંગ (સરસ્વતી સદન) માં એક નાનકડી રૂમમાં રહેતા હતા. સે–ોઢસો ચેરસ ફૂટની રંગ્યામાં એક ગાદી ઉપર પંડિતજી ખેઠા હોય. એક બાજુ પાતાનાં વાંચવાનાં પુસ્તકા ગાંવ્યાં હોય, બીછ બાજુ પોતાનાં વેચવાનાં પુસ્તકાની થપ્પી હોય. ધરમાં નહિ જેવુ રાચરચીલું હોય. એની વચ્ચે પંડિતજી પોતે મરત અંતીને પોતાના વિદ્યાવ્યા સીંગની પ્રવૃત્તિ ચલાવતા હોય, એ દૃશ્ય, એમનુ ઘણું મોટુ નામ સાંભંળીને એમને મળવા આવનારને આશ્ચર્ય ચકિત કરી દે. પડિતજીએ વ્યવસાયે લેખન પ્રવૃત્તિ સ્વીકારી હતી. આપણા દેશમાં પતિ લેખ લેખનના વ્યવસાયમાંથી પેાતાનું ગુજરાન ચલાવે એ પરિસ્થિતિ બહુ કઠિન કહેવાય. પરંતુ છેલ્લાં થોડા વર્ષોમાં, કેટલાક શ્રીમતાને સહકાર મળવાના કારણે પતિછ આર્થિક દૃષ્ટિએ નિશ્ચિત બન્યા હતા. વળી ગ્રન્થ પ્રકાશન દ્વારા અથ પ્રાપ્તિની એમને સારી ફાવટ આવી ગઈ હતી. દર વર્ષે એમના એક, ખે કે વધુ પુસ્તકા, ઉદ્ઘાટનના જાહેર કાર્યક્રમ સહિત, પ્રગટ થતાં. સરળ શૈલી તથા લોકપ્રિયતાને કારણે એમનાં પુસ્તા જલદી ખપી જતાં અને પુનરાવૃત્તિએ થતી. આ રીતે ગ્રંથપ્રકાશન દ્વારા પંડિતજીના કુટુમ્બની આજીવિકા સારી ચાલતી લતી. અલબત્ત, આટલી જ વિદ્વત્તા સહિત યુપ-અમેરિકાના કાઈ લેખક હાય તો તે આટલાં બધાં પ્રકાશનો દ્વારા મોટી ધનાઢય વ્યકિત બની શકે, વળી સન્માન પણ ઘણું પામે પરંતુ આપણા દેશની વાસ્તવિક પરિસ્થિતિ બધા વિદ્વાન લેખકાને ગ્રંથ પ્રકાશનમાંથી આજીવિકા મેળવી આપે એવી હજી થઈ નથી.” “ પ. ધીરજલાલ ટોકરશીનાં નાનાં મોટાં મળીને સામ ત્રણસોથી વધુ પુસ્તકા પ્રગટ થયાં છે. આ કઈ જેવી તેવી સાહિત્યો પાસના ન કહેવાય. વીસ-બાવીસ વર્ષની વયે એમણે લેખનપ્રવૃત્તિ આરંભી દીધી હતી અને વનના અંત સુધી એમની એ પ્રવૃત્તિ ચાલુ રહી હતી. લેખન માટેના કેટલા જંગર શાહન '' ودا એમના પુરુષાથ ! એમની કેવી ખુમારી અને કેવી ધગશ ! પતિજીએ અમદાવાદની ચી. ન. વિદ્યાવિહાર નામન સુપ્રસિદ્ધ શાળામાં ત્યાંની ખાડિંગમાં રહીને અભ્યાસ કર્યાં હતાં.. અભ્યાસકાળ પછી તે મુંબઇમાં આવીને વસ્યા હતા.. અસાધારણુ સ્મરણશકિત અને ધરાવનાર પતિજીએ મુંબઇમાં આવ્યા પછી ચી.ન. વિદ્યાવિહારના ગણિતશકિત ભૂતપૂર્વ વિદ્યાથી ઓ માટે ચીમન છાત્ર મંડળ' નામની એક સંસ્થા શરૂ કરી હતી. દર વર્ષે નવા આવતા ભૂતપૂર્વ વિદ્યાથી ઓના સતત સપકમાં તેઓ રહેતા. મારા મોટાભા શ્રી જય તીભાઇએ ચી.ન. વિદ્યાવિહારમાં અભ્યાસ કર્યાં હતા. તેઓ મુખઈમાં આવ્યા કે તરત પડિતજીએ એમના સંપર્ક સાધી મ`ડળના સભ્ય બનાવ્યા હતા મંડળની પ્રવૃત્તિ નિમિતે તેઓને વારવાર મળવાનું થતું ત્યારે શાળા કૉલેજમાં અભ્યાસ કરતે, અને મારા મેટાભાઈ' સાથે કાઇ કાઈ વખત પૌક્તિજીને મળવા જતો. ઈ. સ.. ૧૯૪૨-૪૪ની આસપાસ પતિને પ્રથમ મળવાનું મારે: થયુ હતુ. પ્રડિતજીએ પોતાની યુવાનીના એ વિસામાં લેખન: - પ્રવૃત્તિ ઉપરાંત · માનસ ચિકિત્સક' તરીકે કારકિદી ચાલુ કરી હતી. પરંતુ એ દિવસોમાં એવા વ્યવસાય બહુ ચાલે તેવે નહોતો. એટલે એ છેડી ને પંડિતજીએ. લેખનને જ પોતાના પૂરા સમયના વ્યવસાય બનાવ્યા હતા. વચમાં કેટલાક વખત જૈન સાહિત્ય વિકાસ મડળમાં તેમણે કામ કર્યું, પણ પછીથી તા એમણે પોતાની લેખન-પ્રવૃત્તિને સ્વતંત્ર વ્યવસાય . તરીકે સારી રીતે વિકસાવી. અનન્ય સાહિત્ય પ્રીતિ! કેવી પતિજી સાથેના મારા સપક' આ રીતે લગભગ સા ચાર દાયકાનો હતા. પંડિતજી પ્રવાસના ખૂબ શાંખીન હતા. એમની આયાજનની શક્તિ પણ ઘણી સારી હતી. ઘણાં વર્ષો પહેલાં કલ્યાણુ પાસે રાયતા નામના સ્થળે એમને ‘ચીમન છાત્રા મંડળ”ના સભ્યો માટે પર્યટનનું આયોજન કર્યુ હતું ત્યારે, વ્યવસ્થિત પ ટન કેટલુ ઉત્તમ અને આન પ્રડ ઇ શકે તેની પ્રતીતિ થઈ હતી. પતિએ પોતાના કેટલાય પુસ્તીના ઉદ્ઘાટનના સમાર્ભાનું આયેાજન પાતે જ યુ હતું. ગણિતવિદ્યાના, શતાવધાનના અને અન્ય પ્રકારના કાયક્રમે એમણે મુંબઇમાં: અને અન્યત્ર વારવાર યાયા હતા. એમાં એમની સૂઝ,. સંપળતા, દીધદષ્ટિ અને વ્યવસ્થા શક્તિનાં દર્શન થતાં.. વિવિધ ક્ષેત્રના જૈન જૈનેતર મહાનુભાવે સાથે એમને અગત સંપર્ક કેટલા ગાઢ હતો તેની ત્યારે ખાતરી થતી પંક્તિની અવધાન શક્તિ આશ્ચર્ય ચકિત કરી નાખે એવી હતી. સે અવધાનના પ્રયોગ “એણે ઘણીવાર કર્યા હતા.. કેટલાક સાધુઓ અને ગૃહસ્થાને એમણે આ પ્રકારની અવધાન શક્તિની તાલીમ આપી હતી. પતિની ગણિતશકિત પણ અદ્ભુત હતી. અને જાદુકલામાં પણ તેઓ નિષ્ણાત હતા. પોતાના પુસ્તકાના ઉદ્ઘાટન પ્રસંગે શ્રેતાઓને આકર્ષવા આવા પ્રયોગોનાં કાર્યક્રમા પણ તે કયારેક રાખતા પર્તિજીનાં પુસ્તકામાં પ્રતિક્રમણ પ્રખેાધ ટીકા' નામના ત્રણ ભાગમાં પ્રગટ થયેલા એમના” પુસ્તકનુ સ્થાન ઘણું
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy