________________
ઉ૪ ,
' તા. ૧૬-૮૫
':
*, *
- “અનુwદાય
સતા ત્રણ માસ ત્યાગ **
સ્વીકારીએ તો કોઈપણ જીવન જીવવા માટે બીજા ની જરૂર પડે છે. એ નિર્વિવાદ સત્યરે છે ઍ વચ્ચે પરસ્પર અનુગ્રહ અને આલંબનની ઘટના સતત, અવિરત ચાલે છે. એટલા માટે જ જ વાચક ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું छ-परस्परोपग्रहो जीवानाम् ।'
વાચક ઉમાસ્વાતિએ તત્ત્વાર્થ સૂત્રમાં દાનની વ્યાખ્યા કરતાં કહ્યું છેઃ
'अनुग्रहार्थ स्वस्यातिसर्गो दानम् ।'
આમ દાનની પ્રવૃત્તિના ત્રણ મહત્વનાં અગે છેઃ (૧). પોતાની માલિકીની કોઈ વસ્તુ હોવી (૨) તેને ત્યાગ કરે (૩) એ ત્યાગ બીજાના કલ્યાણ માટે હવે જોઈએ.
હેયની સાચી ઉદારતા વિના દાનની સાચી પ્રવૃત્તિ સંભવી શકે નહિ. મનુષ્યની ચેતનાને એટલે વિસ્તાર તેટલે વિસ્તાર તેની દાનની ભાવનાને થઈ શકે. જે મનુષ્ય સ્વાથી કે અહમકેન્દ્રી છે તે માણસ જલદી દાન દઈ શકતું નથી. અને દે તે પણ ગણતરીપૂર્વકનું અને પિતાના સ્વાર્થનું વૃદ્ધિ માટેનું હોવાનું સંભવ છે જ્યાં સુધી “મારા અને પરાયા” ને ભાવે છે ત્યાં સુધી દાનની પ્રવૃત્તિ મર્યાદિત રહેવાની. સમગ્ર સંસારમાં તમામ જીવ પ્રત્યે મંત્રીની ઊંચી ભાવને જ્યાં વિકસે છે ત્યાં અન્ય જીના લાભાર્થે પેતાની સ્થલે કે સૂક્ષ્મ સંપત્તિનું વિસર્જન સતત ચાલ્યા કરે છે. પંચતંત્રમાં કહ્યું છે કે, તે t":" Rઃ ઘરો વેત્તિ નળા છઘુતકામ !
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥ સામાન્ય રીતે આપણી આસપાસ દાનની ઘણી પ્રવૃત્તિ જોવા મળશે. પિતાની આજીવિકામાંથી યથાવકાશ હું બીજાને આપવાથી માણસને આંચ આવતી નથી. પિતાની વધી પડેલી સંપત્તિમાંથી કિંચિત માત્રામાં દાન કરવું એ જરાય અઘરું નથી. પરંતુ પિતે કષ્ટ વેઠીને પણ બીજાને સહાય કરે એવી વ્યકિતએ ઓછી હોય છે. દાન દેવામાં શર” કે “વીર’ કહી શકાય એવી વ્યક્તિઓ તે જવલ્લે જ જોવા મળે. એટલા , માટે જ ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે દસ હજાર માણસોમાંથી એકાદ સારે વકતા મળી શકે પરંતુ એક દીનશર મળે કે ન પણ મળે: " વ ફા યશ, તાતા મવતિ વા નવા ! ” - દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારની ધમ આરાધનામાં શાસ્ત્રકારને દાનને પ્રથમ સ્થાન આપ્યું છે તે ઘણી દૃષ્ટિએ ઉચિત છે. '
દાનની ભાવના સરળ અને સુલભ છે. આબાલવૃદ્ધ સૌ કોઈ તપ, શીલ અને ભાવ કરતાં દાનની પ્રવૃત્તિ સરળતાથી કરી શકે છે. તપની આરાધનાદાન કરતાં કઠિન છે. કેટલીક વ્યકિતઓ સહે. લાઈથી તપ કરી શકતી નથી. વૃદ્ધ, અશકત, માં માણસે દાન આપી શકે, પણ તપશ્ચર્યા કરવી તેમને ફાવે નહિ. શીલ -અને ભાવ આત્માને ઉચ્ચ કેટિએ લઈ જાય છે, પરંતુ વિશુદ્ધ ચારિત્ર્ય અને ઉદાત્ત ભાવને જીવનમાં ઉતારવાનું વિરલ ગણાય છે. : દાન સ્વપર ક૯યાણકારી છે. કહ્યું છે; હવારોવાળું વિતરણ રામ ” શીલ, તપ અને ભાવ મુખ્યત્વે સ્વકલ્યાણકરી છે. જ્યાં સુધી અન્ય જીવના કલ્યાણને ભાવ હૃદયમાં
પ્રગટ થતું નથી, ત્યાં સુધી દાનની વૃત્તિ પિતાનામાં જમતી નથી. માણસ પરાર્થે દાન આપે છે, પરંતુ એ દ્વારા અનાયાસે આત્મકલ્યાણ પણ સાધે છે.
દ્રવ્યવાન કરતા ભાવદાન ચડિયાતું મનાય છે. દ્રવ્યદાનમાં રોકડનાણું, ચીજ વસ્તુઓ, ઉપકરણ ઈત્યાદિને સમાવેશ થાય છે. સ્થલ દાનધર્મ કરતાં પણ આત્માને માટે અન્ય ધર્મક્રિયાઓ ઉપકારક હોઈ શકે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે કોઈ માણસ રોજ એક લાખ ખાંડી સુવર્ણનું દાન આપે તો પણ રોજ એક સામાયિક કરનાર માણસની તોલે તે ન આવે.
માણસે ધમની આરાધના વિવિધ પ્રકારે કરવાની છે. એમાં સ્થલ દ્રવ્યદાન દ્વારા થતી આરાધને નીચી ભૂમિકાએ આવે. સુપાત્રદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરે ઊંચા પ્રકારનાં દાને છે, પરંતુ દાન કરતાં પણ તપ, શાલ અને ભાવ દ્વારા થતી ધર્મરાધના ચધ્યિાતી ગણાવાય છે. અલબત્ત આ દરેકમાં તરતમતાના ભેદ પ્રભેદ હોઈ શકે. દ્રવ્યદાન કરતાં અન્ય પ્રકારની આરાધના ચષ્યિાતી છે એનો અર્થ એ નથી કે દાનને નિષેધ કરવામાં આવ્યું છે. એનું તાત્પર્ય એ છે કે મનુષ્ય દાનધર્મમાં જ અટકી ન જતાં એથી ઉચ્ચતર ધર્મારાધનાનું લક્ષ્ય રાખવું ઘટે..
દાન દેનારા બધા એક સરખી કોટિના હોતા નથી, વળી એક જ વ્યકિત દરેક વખતે એક જ સરખા ભાવથી દાન આપે એવું હંમેશાં બનતું નથી. સુભાષિતકારોએ દાનના ભૂષણ અને દૂષણ પ્રત્યે નિર્દેશ કર્યો છે. દાનનાં પાંચ ભૂષણ ગણવામાં આવે છે. (૧) દાન આપતી વખતે આનંદનાં આંસુ વહે. (૨) હર્ષથી રોમાંચ થાય. (૩) દાન લેનાર પ્રત્યે બહુમાન ભાવ રહે (૪) પ્રિય વચને બેલાય અને (૫) સત્પાત્રની અનુમેડના કરવામાં આવે. દાનનાં પાંચ દૂષણે આ પ્રમાણે છે: (૧) દાન લેનાર તરફ અનાદરને ભાવ થાય (૨) આપવામાં વિલંબ થાય (૩) દાન આપતી વખતે વિમુખ થવાય (૪) અપ્રિય વચન ખેલાય અને (૫) આપ્યા પછી પશ્ચાતાપ થાય.
દાનનાં આ તે મુખ્ય મુખ્ય પાંચ ભૂષણ કે પાંચ દુષણ છે. તે ઉપરાંત પણ બીજા ભૂષણે કે દૂષણે હોઈ શકે. * દાનની જુદી જુદી દષ્ટિએ જુદા જુદા પ્રકાર શાસ્ત્રકારોએ ગણાવ્યા છે.
દાનના મુખ્ય બે પ્રકાર છે: દ્રવદાન અને ભાવદાન. બદ્ધ ધમના ગ્રંથ “અગુત્તરનિકાય' માં (૧) આભિસદાન (ભૌતિકાન) અને (૨) ધર્માદાન એવા બે મુખ્ય પ્રકાર દર્શાવ્યા છે.
જૈન આગમગ્રન્થના સ્થાનાંગ સૂત્રમાં દાનના દશા પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. (૧) અનુકપાવાન (૨) સંગ્રહાન (૩) ભયદાન (૪) કારુણિકાન (૫) લજજાદાન (૬) ગૌરવદાન (૭) અધમદાન (૮) ધર્માન (૯) કાહીદાન (૧૦) કાંતીકાન. વળી ધમદાનના પેટા પ્રકાર તરીકે (૧) અભયદાન (૨) સુપાત્રદાન અને (૩) જ્ઞાનદાન એમ ત્રણ ગણાવાય છે.
શ્રીમદ્ ભગવદ્દગીતામાં સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણની દ્રષ્ટિએ દાનના સાત્વિક, રાજસ અને તામસ એમ ત્રણ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. (૧) દેશ, કાળ અને પાત્ર અનુસાર કે કર્તવ્ય બુદ્ધિથી વગર માગ્યું અને બદલે મેળવવાની ઈચ્છા
- 1 - ( અનુસંધાન પૃષ્ઠ ૮૧ ઉપર) - " . " -